Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
of a
" -
-
પ્રકરણ ૧૧ મું
છઠ કરીને સાત યાત્રા છઠેણં ભત્તેણં અપાણેણં સત્તજજ્ઞાઈ
જે કુણઈ સેત્તેજે, તઈયભવે લહઈ સે મુફબ | ૧. શત્રુંજયલઘુક૫માં કહ્યા પ્રમાણે જે કઈ વ્યક્તિ વિહાર બે ઉપવાસ કરી, એટલે છઠ કરી દાદાની સાત યાત્રા કરે તે ત્રીજે ભવે મોક્ષે જાય છે.
આવી સાત યાત્રા કરનાર સવારથી યાત્રા શરૂ કરે છે અને પહેલે દિવસે પાંચ યાત્રા કરે છે. તેમાં મુખ્યત્વે બે યાત્રા જયતળેટીની અને ત્રણ યાત્રા ઘેટીની પાયાની કરે છે. દરેક યાત્રામાં તળેટીનું, શાંતિનાથ ભગવાનનું અને દાદાનું એમ ત્રણ ચૈત્યવંદન કરી લે છે. પછી પાંચમી યાત્રાએ ઉપર ચડે છે તે વખતે પંદર પ્રદક્ષિણા, રાયણુપગલાનાં પાંચ ચૈત્યવંદન, અને પુંડરીકસ્વામીનાં પાંચ ચૈત્યવંદન, કાઉસ્સગ્ગ, ખમાસમણાં વગેરે પૂરાં કરવામાં આવે છે. બીજે દિવસે ફરીથી જય તળેટીથી ચડી દાદાનાં દર્શન કરી ઘેટીની પાયગાએ જઈ ત્યાંથી ઉપર ચડવામાં આવે છે. ત્યારે પણ બે યાત્રાના દશ ચિત્યવંદન વગેરે કરવામાં આવે છે. આ બીજા દિવસની યાત્રા કરતી વખતે શિયાળામાં પણ શરીરમાં ગરમીનો સંચય થવાથી બિલકુલ ઠંડી લાગતી નથી. ઊલટું શરીર પરનાં કપડાં પાણી છાંટી ભીનાં રાખવાં પડે છે. આવા વખતે શરીરની આવી સ્થિતિ હોય છે, છતાં યાત્રાળુની પરિણામની ધારા ખૂબ ઊંચે ચડેલી રહે છે. સાત યાત્રા કરનાર મુખ્યત્વે તે શિયાળામાં જ આદરે છે. કોઈ પુણ્યશાળી હોય તો તે ઉનાળામાં આવી કઠીન યાત્રા કરે છે.
શ. ૨૫
(૧૯૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org