Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
પ્રકરણ–૨૦ મું
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વહીવટ ગિરિરાજ શ્રી શત્રુંજયના આશરે ચારસો વર્ષ પહેલાંના વહીવટ સંબંધી જે છૂટીછવાઈ અને આછી-પાતળી વિગતો મળે છે, તે ઉપરથી કંઈક એવું તારણ નીકળી શકે છે કે, જે વખતે જે શહેર ગુજરાતનું પાટનગર હોવાનું ગૌરવ ધરાવતું હતું, તે વખતે મેટે ભાગે એ શહેરનો શ્રીસંઘ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી વહન કરતે હતો. અને આ તીર્થને વહીવટ સંભાળવો એ મેટા પુણ્યનું તથા ગૌરવનું નિમિત્ત લેખાતું હતું. એટલે જેમના ઉપર આ જવાબદારી આવી પડતી હતી. તેઓ ખૂબ ઉલ્લાસથી એને પૂરી કરતા હતા.
પાટણ અને ઘોળકાના સંઘને વહીવટ આ રીતે સોલંકી કાળમાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ તે વખતના ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણના સંઘના હાથમાં હતું. જ્યારે વાઘેલા રાજ્યશાસનમાં મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળના સમયમાં પાટણના બદલે ધવલકપુર (વર્તમાન ધેકા) ગુજરાતની રાજધાની બન્યું ત્યારે, આ મહાતીર્થનો વહીવટ ધોળકાના સંઘે-ખાસ કરીને મંત્રી વસ્તુપાલ-તેજપાલની બંધુ બેલડીએ સંભાળ્યું હોય એ અણસાર સાહિત્યમાંથી (પુરાતન પ્રબંધસંગ્રહ પૃ. ૬૪માં સૂચવાયેલ એક કથા ઉપરથી) મળે છે. ૧ શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ' પુસ્તકમાં આપ્યા પ્રમાણે આ. ક. પેઢીને અધિકાર આપે છે.
(૨૧૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org