Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન, ભા. ૩ ઉસ્થાપન કર્યો, તેને સ્થાપન કરવાને માટે જે નવી ટ્રક બાંધી કે જેની પ્રતિષ્ઠા ૨૦૩રમાં થઈ છે. તેના મૂળ નાયક જે શ્રી આદિનાથ ભગવંત છે તે આ છે.
ફેટો. નં. ૧૧૯ :–રતનપોળની અંદર સહચક્ટનું વર્ણન આપી ગયા છીએ. તે સહસ્ત્રકૂટ પાંચ પાંડવોની પાછળ જે આવ્યું છે, તેને આ એક ભાગને દેખાવ છે.
ફેટે. નં. ૧૨૦ –નેમનાથની ચોરીની એક દિવાલે ઉત્કૃષ્ટ કાળની અંદર એટલે ચોથા આરામાં ૧૭૦ તીર્થકરો-૫ ભરત, પાંચ એરવત એટલે ૧૦ અને પ૪૩૨=૧૬૦ વિજયમાં ૧૬૦ થઈને ૧૭૦ તીર્થકરે છે, તે આમાં દેખાય છે. આના ઉપરના ભાગમાં જમણી બાજુએ સમવસરણ કોતરેલું છે. અને ડાબી બાજુએ ચૌદ રાજલક કતરેલ છે.
ફેટા તે પાંચસે લઈએ એ મન ન ધરાય પણ સંજોગને આધિન રહેવું પડે.A
ફેટ નં. ૧૨૧ –વાઘણપોળના દરવાજા બહાર દરવાજાની ડાબી બાજુએ પાષાણને રંગેલો વાઘ છે અને તેની બાજુમાં હનુમાનજીની મૂર્તિ છે. આથી એમ માની શકાય કે ગિરિરાજ ઉપર જાત્રાળુઓને ઉપદ્રવ કરનારે જે વાઘ હતું તેને વીર વિક્રમશીએ માર્યો હતે. તેની સ્મૃતિરુપે આ વાઘ બેસાડ્યો છે અને આ દરવાજાને તે નામથી સંબોધે છે તે બતાવનાર આ દષ્ય છે.
(ફેટો. નં. ૧૨૧ થી ૧૩૪ સુધીના ચૌદે ફટાઓ પુનાના શુશ્રાવક દેવીચંદ એન રાઠોડ બેરેસ્ટર એટલે પિતાના પાડેલા મેકલ્યા છે.)
A ભારતની સ્થાપત્ય અને ચિત્રકળાને જેવાં આવતા પરદેશી ટુરીસ્ટને, ભારતનાં તે તે સ્થાની સંપૂર્ણ માહીતિ આપવા, તે તે સ્થાનમાં નજીકમાં કહેનારા તેવા માહીતગારને ભારત સરકારે નીમ્યા છે. તેવી રીતે આ શત્રુંજય ગિરિરાજ પરના સ્થાપત્ય આદિને બતાવવા અને તેની સારી સમજણ આપીને સારી રીતે સમજાવવા અત્રે કાકુભાઈ નહારસિંગ ભ્રમભટ્ટને નીમેલા છે. જ્યારે જ્યારે પરદેશી ટુરીસ્ટ આવવાના હોય ત્યારે તેમને સમાચાર અગાઉથી આપવામાં આવે છે. આથી તેઓ તે સમયે હાજર રહે છે, અને પરદેશી ટુરીસ્ટ સાથે ઉપર જાય છે. અને ગિરિરાજ પરની સ્થાપત્ય કલા આદિની સંપૂર્ણ માહીતિ આપે છે. પરદેશમાં આવેલા ટુરીસ્ટે તે જાણીને સંતોષ પામે છે. હું તો એમ માનું કે આવા ઉચ્ચ સ્થાન પર આટલા મંદિર, આટલી મૂર્તિઓ ને આટલી સ્થાપત્ય કલા જોઈને તેઓ ઊંડા વિચારમાં જ ઉતરી જતા હશે. જો હું ન ભૂલતે હોઉં તે આખા ભારતમાં આટલા ઉંચા સ્થાને સર્વ દર્શનનાં મલીને આટલાં બધા મંદિરે આ રીતનાં એક જગો પર હશે કે કેમ તે એક પ્રશ્ન જ છે?
(૨૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org