Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ત્યાંથી બેદાનાનેશ ગામની બાજુમાં આવેલ કદમ્બગિરિ જાય અને ત્યાંથી ચોકની બાજુમાં હસ્તગિરિ જવાય છે. અને ત્યાંથી ફરીને પાલીતાણ અવાય છે. આ યાત્રા બાર ગાઉની થાય છે, રસ્તામાં શેત્રુંજી નદી આવે છે. અત્યારે આ નદી પર બંધ બંધાય એટલે આ બાર ગાઉની યાત્રા ખોરવાઈ ગઈ છે. પરંતુ બંધ બંધાયો તે પહેલાં યાત્રાળુ પાલીતાણાથી નીકળી ભંડારિયાના દર્શન કરી કદમ્બગિરિ ચડી ગિરિ ઉપર પગલાના દર્શન કરતા, ત્યાં શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાંના દર્શનનો લાભ પણ મળતું. અહીં ચિત્યવંદન કરીને નજર ફેંકીએ તે શ્રી શત્રુંજય ગિરિનું દૃશ્ય ખૂબ મનોહર લાગે છે.
ગઈ વીસીના બીજા નિર્વાણિ તીર્થકર ભગવંતના કદમ્બ નામે એક ગણધર હતા. તેમણે એક કરોડ મુનિઓ સાથે અનશન કરેલ અને આ સ્થળે મોક્ષે ગયેલા તેથી આ સ્થળ કદમ્બગિરિ નામે ઓળખાય છે.
વર્તમાન સમયમાં પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે ગામમાં એક મોટું મંદિર બંધાવ્યું છે. વળી અહીં ઉપાશ્રય-ધર્મશાળા અને ભેજનશાળા છે. આણંદજી કલ્યાણજીની પહેલાંની ધર્મશાળા પણ અહીં છે. કદમ્બગિરિ પર જતાં વચ્ચે અનેક મંદિરે પૂ. આચાર્યશ્રીએ બાંધેલાં નજરે પડે છે. વાવડી પ્લેટમાં પણ એક દેરાસર બાંધેલું છે. યાત્રાળુઓ સેવા પૂજાને લાભ લે છે. તેમને ભાથું મળે છે.
યાત્રાળુઓ કદમ્બગિરિના દર્શન કરી ચેક આવતા. તેઓ ધર્મશાળામાં મુકામ કરી શેત્રુંજી નદી ઊતરીને હસ્તગિરિ પર ચડતા અને ચિત્યવંદન કરતા. ચેક ગામમાં દેરાસર તથા વિશાળ ધર્મશાળા હતી. ત્યાં યાત્રાળુઓ જમીને વિસામે કરતા.
ભરત ચક્રવર્તીને હાથી આ તીર્થમાં જ આરાધના કરી મરણ પામી સ્વર્ગે ગયો છે. તે હાથીએ એકવાર સ્વર્ગમાંથી નીચે ઊતરી ભરત મહારાજાને નમસ્કારપૂર્વક જણાવ્યું કે આ તીર્થના પ્રભાવે મને દેવગતિ પ્રાપ્ત થઈ છે. આથી આ તીર્થ હસ્તગિરિ તરીકે ઓળખાય છે. આ ગિરિપર શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. અહીં યાત્રાળુઓ ચૈત્યવંદન કરી બીજે દિવસે પ્રયાણ કરી પાલીતાણા પહોંચે છે. એટલે એમની બાર ગાઉની યાત્રા પૂરી થઈ કહેવાય છે.
હાલમાં શેત્રુજીનદીના કાંઠા પર આવેલ બંધના કાંઠે એક મંદિર અને ધર્મશાળા આમ પૂ. આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી બંધાયાં છે. અહીં દર્શન કરી યાત્રાળુઓ શેત્રુંજી નદી ઓળંગી ભંડારિયા થઈ કદમ્બગિરિની યાત્રાએ જાય છે અને પછી પાલીતાણું પાછા ફરે છે. પણ બંધ થતાં બાર ગાઉની પ્રદક્ષિણા થતી નથી.
હસ્તગિરિની યાત્રા થતી ન હોવાથી આ સ્થળને ઉદ્ધાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હાલમાં પાલીતાણાથી સીધે રસ્તે હસ્તગિરિ જવાય છે.
(૧૯૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org