Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
સૂર્યાવત–સૂર્યકુંડને મહિમા વીરમતી વિદ્યાના બળે રાજાને પણ વશ કરે છે, ચંદ્રકુમારને ગુણાવલી સાથે પરણાવે છે. એક વખત ચંદ્રાવતી રાજાના વાળ ઓળે છે અને સફેદ વાળ જોઈને રાજાને કહે છે. “હૂત આગે” કયે દ્વત? ઘડપણ! સફેદ વાળ રૂપી દત. ચંદ્રકુમારને વીરમતીને ભળાવી, રાજા રાણી શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં દીક્ષા લે છે.
હવે વીરમતી નિરંકુશ થયેલી ગુણાવલીને ભેળવે છે. અને રાજાના સૂતા પછી દેશો જેવા પોતાની સાથે લઈ જાય છે. જતાં પહેલાં ઊંઘતા રાજા પર સેટી ફેરવે છે અને રાજાને નિદ્રામાં નાંખે છે. એક વખત ચંદ્રરાજાને શંકા પડતાં ઊંઘતે હોય તેમ સૂઈ રહે છે. બને બહાર જાય છે. ત્યારે પાછળ પાછળ જાય છે. બને ઝાડ પર બેસે છે. અને તે ઝાડના પિલાણમાં પિતે ભરાય છે. ઝાડ ઊડે છે. વિમલાપુરીના ઉદ્યાનમાં તે ઊતરે છે.
લગ્ન માટે ચંદ્રરાજાને લઈ જ અહીં શું બન્યું છે તે જુઓ-રાજાને દેવીએ કહેલું છે કે-દરવાજે બે સ્ત્રીઓની પાછળ આવેલ ચંદ્રરાજને તમારે પરણાવવી ને તે છોકરી તમારા છોકરાને આપવી. એટલે રાજાએ બે માણસે દરવાજે ગઠવ્યાં છે, પહેલો પહોર ગયે એટલે વૃક્ષ ઉપરથી તે ઊતરી, તેની પાછળ ચંદ્ર ગયે. સેવકે તેને સિંહાજા પાસે લઈ ગયા. ચંદ્ર પૂછયું કે ભાઈઓ શું છે? ત્યારે સિંહલ રાજાએ કહ્યું કે કનકધ્વજ સાથે પ્રેમલો લચ્છીને પરણાવવાની માંગણી છે પણ તે કેઢીઓ છે, એટલે કુલદેવીની આરાધના કરી. તેથી આ પ્રકારે કર્યું છે, અને તમને લઈ જઈએ છીએ. પ્રેમલા બરછીને પરણીને તમારે તે કનકધ્વજને આપવાની છે.
પ્રેમલા લચ્છી સાથે લગ્ન વરઘડે નીકળ્યો-ગુણાવલી વીરમતીને કહે છે કે આતે ચંદ્ર દેખાય છે. વીરમતી કહે તને તે બધા ચંદ્ર જ દેખાય. ચેરીએ આવ્યા લગ્ન થયાં, પ્રેમલાએ મેટું ખોલીને ચંદ્રને જે, ઉતારે ગયા, મારી પાસે રમવા બેઠા. ચંદ્ર શ્લેક બેલ્ય.
આભાપુરીની વસઈ, વિમલપુરે સિહર સમુચ્ચ
અપસ્થિય રસ મિક્સ, વિહિ હલ્થ હવઈ નિહ ચંદ્ર રાજાએ પાશા નાંખ્યા, પ્રેમલા નીચે પ્રમાણે બેલી, પણ ચંદ્રને ભાવ ન સમજી.
વસિઓ સસિ આગાસે, વિમલપુરે ઉગ્ગીઓ જહાસુખ જેણામિ જાઓ જે, સ કરી સઈ તસ્સ નિશ્વહ છે.
(૪૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org