Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય મહાતી`ના ઉદ્ધારા
આચાર્ય ભગવંતે કહેલ સાંભળી તાલાશાને હર્ષ અને ખેદ સાથે થયાં. પેાતાના પુત્ર તી ના જર્ણોદ્ધાર કરાવશે તેથી હર્ષે, જ્યારે પોતે તીર્થના ઉદ્ધાર નહિ કરાવી શકવા બદલ ખેદ થયા.
આ વખતે કરમાશા કુમાર અવસ્થામાં હતા. તેમણે આ વાત સાંભળી ગુરૂમહારાજના વચનને સફળ કરવાના મનોરથ નક્કી કર્યાં.
શ્રીધર્મરત્નસૂરિજી મહારાજ સઘ સાથે આગળ વિહાર કરવા તૈયાર થયા ત્યારે તેાલાશાની વિનતીથી પોતાના શિષ્ય ઉપાધ્યાય વિનયમ'ડનગણિને ચિતાડમાં રાકથા.
ઉપાધ્યાય મહારાજ પાસે તાલાશાના પાંચે પુત્રો ધર્મના અભ્યાસ કરવા લાગ્યા. તેમાં ભવિષ્યમાં તીર્થં ઉદ્ધારનું કાર્યાં કરનાર કરમાશા ઉપર ઉપાધ્યાય મહારાજના અધિક સ્નેહ હતા.
એક વખતે કરમાશાએ ગુરૂ મહારાજને કહ્યું કે, “ હે ગુરુદેવ ! ગુરુ મહારાજનું વચન સિદ્ધ કરવા માટે આપશ્રીએ મારા સહાયક થવુ પડશે.’
ઉપાધ્યાય મહારાજે હસીને કહ્યુ કે ‘ભાગ્યવાન્ ! આવા ઉત્તમ કા માં સહાયક થવાનું કાણુ ન ઇચ્છે ? ’
એક સારા દિવસે ઉપાધ્યાય મહારાજે કરમાશાને ચિંતામણિ મહામત્ર' આરાધનાની વિધિ સાથે આપ્યો અને તીર્થોદ્ધાર કરવાના કાર્યમાં ઉદ્યમશીલ રહેવાના ઉપદેશ આપી, ગુરુ મહારાજ વિહાર કરી ગયા.
તેાલાશાનુ આયુષ્ય પૂર્ણ થયે તાલાશા સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. પાંચ પુત્રો વગેરેને ખૂબ આઘાત લાગ્યા. ‘દુ:ખનું એસડ દિવસેા' એ ન્યાયે પિતાના મૃત્યુને શેક વિસરાઇ ગયા અને સૌ સૌનુ કામ કરવામાં લાગી ગયા.
કરમાશાને બે પત્નીએ હતી, પહેલી કપૂરદેવી અને બીજી કમલાદેવી. કપૂરદેવીને કાઈ સંતાન નહતું, જ્યારે કમલાદેવીને ભીમજી નામના પુત્ર અને શેાભા, સેાના, મન્ના અને પન્ના નામે ચાર પુત્રીએ હતી.
કરમાશા કાપડ આદિના વ્યાપાર કરતા અને તેમાં દિન-પ્રતિદિન ઉન્નતિ પામવા લાગ્યા. બીજા ભાઈ ઓ પણ જુદા જુદા વ્યાપાર કરતા હતા.
શ. ૧૨
(૮૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org