Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન
શ્રીસઘના દર્શનાર્થે તથા પૈસા આપી લાભ લેનારની ભીડ એટલી જામી છે કે વિશાળ એવા સ`ઘપતિના તંબુમાં કયાંએ માગ દેખાતા ન હતા.
તે વખતે એક ભીમા નામના વાણીયા, જે માત્ર છ દ્રસ્સની મુડીનુ ઘી લઈને ત્યાં આબ્યા હતા, તે ઘી ખાહડના સૈન્યમાં વેચતાં તેને મૂલ છ દ્રષ્મ ઉપરાંત એક દ્રષ્મ અને એક રૂપિયાના નફા થયા. પછી એક રૂપિયાના પુષ્પા લઇ પ્રભુની પૂજા કરી અને તે ભીમા શ્રાવક તબુના બારણા સુધી તે આવ્યા, પણ જાડા અને જરા મલીન કપડાં હાવાથી છડીદાર અંદર પ્રવેશ કરવા દેતા નથી, જેથી ઉંચા નીચા થઈ રહેલ છે.
જેની દૃષ્ટિ ચારે બાજુ ક્રે છે, એવા બાહડ મંત્રીની દૃષ્ટિ બારણા તરફ ગઈ. જોતાં જાણ્યું કે આને અંદર આવવું છે. પરંતુ દ્વારપાળના રાકવાથી આવી શકતા નથી. દ્વારપાળને હુકમ કર્યો કે તેને અંદર પ્રવેશ કરવા દો. જેથી તે ભીમા કુંડળીઓને અંદર દાખલ થવા દીધા. સભામાં આવેલા તે પેાતાની સ્થિતિને અનુસારે, તેમજ બીજા સ્થળે માર્ગ નહિ દેખવાથી એક માજી પ્રથમ આવેલાઓના જોડા પાસે બેઠા.
આ વખતે ઉદાર દિલના મત્રીશ્વરે પેાતાની પાસે ગાદી ઉપર બેસવા કહ્યું પણ મનમાં સકાચાતા જોઈ તેના હાથ પકડી મત્રીશ્વરે જાતે જાડાં અને મલીન કપડાંવાળા ભીમા કુંડલીયાને પેાતાની પાસે મખમલના તકીયાએ ગેાઠવેલી રેશમી ગાદી ઉપર બેસાડયા. સભામાં બેઠેલા ભીમા કુંડલીયા ત્યાં આવેલા સ્વામીભાઈ એમાંના કોઈ પાંચ તા કોઇ દશ તેા કોઈ પચ્ચીશ પચાસ હજાર ભરાવતા જોઇ અનુમાદના કરતા વિચારે છે કે ધન્ય છે, આ મહાનુભાવે કે મહાન તીના ઉદ્ઘારમાં ધનના ગૂચ કરી, અસાર એવી લક્ષ્મી વડે સાર એવા લાભને ઉપાર્જન કરે છે.’
સાચી ભાવનાવાળા એકલી કોરી અનુમેાદના કરી બેસી રહેતા નથી. પણ શક્તિ અનુસારે અમલમાં મૂકી સાર્થક કરી બતાવે છે. તે પ્રમાણે આ ભીમા શ્રાવક પણ આપવાની ભાવનાથી ખિસ્સામાં હાથ નાંખે છે, અને કાઢે છે. વળી વિચારે છે કે આ લાખ્ખા અને હજારાની રકમ આગળ મારા આ પૈસા શા હિસાબમાં ? આ ભાવનાથી તરબતર અનેલા તે ભીમા શ્રાવકને મત્રીશ્વર પૂછે છે કે ‘કેમ મહાનુભાવ ? તમારે કાંઇ આપવા ભાવના છે ?
મત્રીશ્વરના આ પ્રશ્નથી ઊંડો નિ:શ્વાસ નાંખી વિચાર સાગરમાં ડૂબકી મારતાં તે ભીમા શ્રાવકને ફરીથી મ`ત્રીરાજ કહેવા લાગ્યા, (આમાં વિચારમાં પડવા જેવું કશું નથી,) જેની જેટલી શક્તિ અને ભાવના હોય તે પ્રમાણે પણ આપી શકે છે. વાત્સલ્ય ભાવનાનાં આ વચનોથી ઉત્સાહિત બનેલા ભીમા શ્રાવકે ખિસ્સામાં જેટલું હતું તેટલું બહાર કાઢીને
(૭૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org