Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
નાની નાની કથાઓ
તરફડતે મરણ સન્મુખ એક હંસ જેવામાં આવ્યું. એક મુનિએ હંસ પાસે આવીને કહ્યું કે, હે જીવ! ઘણું દુઃખદાયક આ સંસારરૂપ અરણ્યમાં શરણ રહિત ભમતે એ તું શ્રીઅરિહંત ભગવંત, શ્રીસિદ્ધ ભગવંત, શ્રીસાધુ ભગવંત અને કેવલી પ્રણીત શ્રીજિનધર્મ આ ચાર શરણને સ્વીકાર કર. વળી તે જે જે ઓની વિરાધના કરી હોય, હિંસા કરી હોય, તે સર્વ જીવોને તું ખમાવ. શ્રી શત્રુંજય તીર્થનું અને શ્રી આદિનાથ પ્રભુનું
મરણ કર.” આ પ્રમાણે કહીને મુનિએ તે હંસને નવકાર મહામંત્ર સંભળાવ્યો. મંત્રના પ્રભાવે પીડા રહિત થયેલ હંસ ગિરિરાજ પર સમાધિપૂર્વક મૃત્યુ પામી સૌધર્મ દેવલેકમાં ઉત્તમ દેવ થયે.
આ તીર્થને પ્રભાવ કદી પણ નિષ્ફળ જતો નથી, માટે સૌએ આ તીર્થનું એકાગ્રતાપૂર્વક ધ્યાન, જાપ, સ્મરણ, પૂજન, વંદન, સ્પર્શન વગેરે કરવું જોઈએ.
(૫) ગિરિરાજના પ્રભાવે વિદ્યાસિદ્ધિ શ્રીગૌતમ સ્વામીજી પૂર્વના ત્રીજા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં વેગવાન નામના વિદ્યાધર હતા. ત્યાં સાધના કરવા છતાં વિદ્યાઓ સિદ્ધ થઈ નહિ, એટલે સિદ્ધગિરિજી આવીને સાધના કરતાં તે બધી વિદ્યાઓ માત્ર બે મહિનામાં સિદ્ધ થઈ હતી.
*
જ પ્રકારના
શ
૮
(૫૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org