Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
કલ્યાણસુંદર રાજાની આજ્ઞા લઈને સૈન્ય સહિત પિતાને મળવા પિતાના નગર તરફ ચાલ્યો. પિતાના માતા-પિતાને પગે પડી ગુણસુંદરી પતિની સાથે ચાલી. (શ. મા. પૃ. ૯૧)
સ્વયંવરમાં ઉશ્કેરાયેલા રાજાઓએ માલવાના માર્ગમાં મહીપાલને રોક્યો. રક રત્ન લઈને ક્યાં જાય છે? આ તું રેગી થયે. એમ કહી બધા રાજાઓએ તેને ઘેર્યો. મહીપાલે વ્યાધિને ભૂલી જઈને રાજાઓના સામા થવા ખગ હાથમાં લીધું, યુદ્ધ શરુ થયું. મહીપાલ, દેવપાલ, રત્નપ્રભ તથા શિવના પરાક્રમી યોદ્ધાઓએ, શત્રુના સિન્યને હંફાવી નાંખ્યું. સિન્ય ભાગી છૂટયું. હારવાથી નરવર્માદિ રાજાઓ દાંતમાં તરણું લઈને, મહીપાલ પાસે આવ્યા. પોતાની હાર કબૂલ કરી. નરવર્મા રાજાએ પિતાની પુત્રી દેવપાળને પરણાવી. રાજાઓ તેની આજ્ઞાથી પોતપોતાના સ્થાને ગયા. (શ. મા. પૃ. ૯૩)
જેમ જેમ મહીપાલ આગળ વધે તેમ તેમ રોગ પણ વૃદ્ધિને પામ્યા. ૧૮ કઢ તેના શરીરમાં થયા. નદીનું જળ ભય ઊપજાવે, ગાન ભય કરનાર લાગે, શરીરમાંથી દુર્ગધ નીકળવા લાગી. દુઃખી થએલા તેણે પુષ્પથી ભરપૂર વનમાં પડાવ કર્યો. સુખી થવાની ઈરછાથી પૂર્ણ એવી રાત્રીએ શયન કર્યું. આ દિવસ ચૈત્રી પૂર્ણિમાનો હતો. (શ. મા. પૃ. ૯૪)
ચિત્રી પૂર્ણિમાએ શત્રુંજયની યાત્રા કરવાથી, સર્વ તીર્થની યાત્રાથી ફળ વધારે મળે છે. આથી વિદ્યારે એ સુંદર ફૂલ વગેરે વડે પ્રભુની પૂજા કરી, સ્તવના કરી. પછી વિદ્યાધરે જવા લાગ્યા ત્યારે ચંદ્રચૂડ વિદ્યાધરની સ્ત્રીએ સ્થિરતા કરવાનું કહ્યું. તે કહેવા લાગી કે મને પ્રભુની પ્રેરણા છે. અહિં રહેવામાં, સ્વર્ગ અને મોક્ષનાં સુખ, જાણે તણખલા જેવાં છે. હું શાંતિથી આદિનાથ પ્રભુની સેવા કરું. તેઓ ત્યાં આઠ દિવસ રોકાયા. પ્રભુ ભક્તિ કરી. પછી વિશાળ વિમાનમાં બેસીને જતાં સૂર્યોદ્યાન જોયું, નિર્મલ જલથી ભરેલો પેલે કુંડ પણ પાસે જ ગણાય. આની સુંદરતાથી એક ક્ષણ અત્રે સ્થિરતા કરીએ! વિમાન ત્યાં ઉતાર્યું. આ ઉદ્યાનમાં સર્વે ઔષધિઓ છે. આ સૂર્યકુંડના એકજ જળબિન્દુથી અઢાર પ્રકારના કોઢ મટે છે. તેમણે કુંડમાં વિકાસ કર્યો. પછી પવિત્ર વસ્ત્ર પહેરી પ્રભુ પૂજા કરી સર્વ વ્યાધિનાશક સૂર્યાવર્ત કુંડનું જલગ્રહણ કરી, વિમાનમાં બેસી તેઓ ચાલ્યા. (શ. મા. પૃ. ૯૬)
આગળ ચાલતાં શ્વેત તંબૂઓ જોયા. અર્થાત્ મહીપાલની સેનાનો પડાવ વિમાનમાંથી જે. હાથી, ઘડાઓ વગેરે અનેક વસ્તુઓ જોઈ. અહીયાં કઈ મનુષ્ય વ્યાધિથી પીડાતો હશે. એટલે કે તેને ટેળે વળ્યા છે. નઠારી દુર્ગધ આવે છે. માટે કોઈને કોઢ થયા લાગે છે. પ્રાણનાથ ! આપણુ પાસે જે જળ છે તે છાંટીએ. આથી વિમાનમાંથી
(૩૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org