Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ મહાભ્ય
યશેમતી સાથે પરણાવ્યો. પૂર્વભવના સંસ્કારથી ચંદ્રશેખરને અને ચંદ્રાવતીને પરસ્પર રાગ થયે. હે રાજા! જ્યારે તું એકલે ગાંગલીઋષિના આશ્રમે ગયો હતો ત્યારે તે તારું રાજ લેવા આવ્યો પણ તેનું ઇચ્છિત ન થઈ શકયું.
ચંદ્રાંક તેણે યક્ષની આરાધના કરી, અદશ્ય અંજન મેળવ્યું. આથી ચંદ્રશેખર ચંદ્રાવતીના મહેલમાં ગયો. તેની સાથે કામક્રીડા કરી. એનાથી ચંદ્રાવતીને ચન્દ્રાંક નામને પુત્ર થયો. યક્ષના પ્રભાવથી તે વાત કોઈને જાણ ન થઈ. તે પુત્ર ચંદ્રશેખર લઈ ગયો, અને પોતાની પત્નીને સંપ્યો. તે પોતાના પુત્રની માફક તેનું પાલન કરવા લાગી.
યશોમતી કોણ? યશેમતી સાથે વાતમાં તે પુત્રને માલમ પડયું કે તે મૃગધ્વજ રાજાની ચંદ્રાવતીનો પુત્ર છે. એ સાંભળીને તે ત્યાંથી નીકળી ગયે. યશોમતી પતિ તથા પુત્રથી ભ્રષ્ટ થયેલી દીક્ષા લેવાના વિચારમાં આવી, પણ સાથ્વી ન મળવાથી તે યોગિની થઈ તે હું યશોમતી.
મૃગજ રાજાની દીક્ષાની ભાવના - આ સાંભળીને રાજાને ક્રોધ આવ્યો. તેને યોગિનીએ મધુર વચનથી શાંત કર્યો, મૃગધ્વજ રાજા વૈરાગી થયા. નગરના ઉદ્યાનમાં ગયા અને ચંદ્રાંકને મોકલીને શુકરાજને અને હંસરાજને બોલાવ્યા. હું તપશ્ચર્યા કરીશ. ઘેર નહિ આવું. બહુ આગ્રહ કરવાથી રાજા નગરમાં આવ્યા. મૃગદેવજ રાજાએ શુકરાજને ગાદીએ બેસાડ્યો, પછી કહ્યું કે હું દીક્ષા લઇશ.
મૃગધ્વજ રાજા કેવલી રાત્રિ પડી. મૃગધ્વજ રાજા રાત્રે સંયમની ભાવનામાં એકતાન થતાં, પ્રભાતે ઘાતીકમને ક્ષય કરીને, કેવલી થયા. દેવતાઓએ સાધુવેષ આપે. આ વાત જાણીને શુકરાજ વગેરે ત્યાં આવ્યા. કેવલી ભગવાને દેશના આપી. ઉપદેશ સાંભળીને હંસરાજ, ચંદ્રાંક અને કમલમાલા ત્રણેએ દીક્ષા લીધી. શુકરાજ આદિ મનુષ્યોએ ગૃહસ્થ ધર્મ આદિ બારવ્રત લીધાં.
ચંદ્રશેખર શુકરાજ રૂપે ચંદ્રશેખર ચંદ્રાવતી પર સ્નેહ રાખે અને શુકરાજ પર છેષ રાખે. ચંદ્રશેખરે ગોત્રદેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થઈ અને વરદાન માગવાનું કહ્યું. તેણે માગ્યું કે શ,૪
(૨૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org