Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાભ્ય વિમલાચલ તથા આશ્રમના સમાચાર પૂછયા. વળી આપ ક્યા હેતુથી પધાર્યા છે તે વાત પણ પૂછી. ગાંગલીષિએ કહ્યું કે યક્ષે સ્વપ્નમાં આવીને કહ્યું કે વિમલાચલ તીર્થે જવાને છું. ત્યારે મેં પૂછયું કે તીર્થની રક્ષા કોણ કરશે ? યક્ષે કહ્યું કે તમારી પુત્રી કમલમાલાના પુત્રોમાંથી એક રક્ષણ કરશે. માટે તેના એક પુત્રને અહીં લઈ આવે. આથી અત્રે આવ્યો છું. માટે એક પુત્રને તીર્થના રક્ષણ માટે આપે. હંસરાજ જવા તૈયાર થયે પણ ના હોવાથી તેને રોકીને શુકરાજને મોકલ્યા. ત્યારે તે બેપિતાજી! વિમલાચલના દર્શનની મને ઉત્કંઠા હતી, તેમાં તેના રક્ષણ માટે જવાનું થયું, એ તે સેનામાં સુગંધ મળી.
તીથી રક્ષણ માટે શકરાજ તીર્થે શુકરાજ આવ્યો. અને સુસજજ થઈને ત્યાં રહેવા લાગ્યો. એક વખત રાત્રિએ સ્ત્રીને રડતી સાંભળી તેની પાસે ગયો. તેની વાત સાંભળી. તાપસની ઝૂંપડીમાં બેસાડી, વિદ્યાધરની શોધમાં નીકળ્યો. શેધતાં વિદ્યાધર મળ્યો.
વિદ્યાધરને શુકરાને પૂછ્યું–આ દશા તારી કેમ ? ત્યારે તે બોલ્યા. ગગનવલ્લભપુરના રાજાને વાયુવેગ નામે પુત્ર છું. શત્રુ રાજાની પુત્રીને, હરણ કરીને આ માર્ગે જતા હતું. ત્યારે તીર્થનું એલંગન કરતાં મારી વિદ્યા નષ્ટ થઈ ગઈ. આથી આ પીડા ભોગવું છું. શુકરાજ જેને શોધવા નીકળ્યા હતા તે મળી ગયું. એટલે મંદિરમાં રહેલી તે કન્યાને તેની ધાવમાતાને સોંપી. પછી વિદ્યાધરને ઉપચાર કરીને સારે કર્યો. હવે વિદ્યાધર શુકરાજાને સેવક થઈ ગયો. શકરાજે કહ્યું કે તારી વિદ્યા નષ્ટ થઈ તે મારા મસ્તક પર હાથ રાખીને જ મને વિદ્યા આપે તે, વિદ્યા અને સિદ્ધ થાય. તે તું તે વિદ્યા મને આપ. વિદ્યારે શુકરાજને તે વિદ્યા આપી. પછી પિતાને તે વિદ્યા સિદ્ધ થતાં શુકરાજે વિદ્યાધરને તે વિદ્યા આપી. વિદ્યારે બીજી પણ ઘણી વિદ્યાઓ શુકરાજને આપી. ગાંગલી ઋષિની આજ્ઞાથી બન્ને એક મોટા વિમાનમાં બેસીને તે કન્યા સાથે ચંપાપુરીમાં ગયા. અને રાજાને તે કન્યા આપી. રાજા વગેરે આનંદ પામ્યા. વાયુવેગે શુકરાજાને પરિચય કહ્યું. ચંપાપુરીમાં વિવાહ મહોત્સવ આનંદથી કર્યો. ત્યાંથી વૈતાઢય પર ગગનવલ્લભનગરમાં ગયા. ત્યાં વાયુવેગે તે કન્યા શકરાજને પરણવી. શુકરાજ અને વિદ્યાધર બને તીર્થ વંદન કરવા નીકળ્યા.
માતાને સંદેશ પાછળ સ્ત્રીને અવાજ આવ્યો એટલે ઊભા રહીને પૂછ્યું- તું કોણ છે? તેણે જવાબ આપ્યો કે હું ચકેશ્વરી દેવી છું. કાશ્મીર દેશમાં, સિદ્ધાચલની રક્ષા માટે, ગેમુખ
(૨૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org