Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
સૂર્યાવત–સૂર્યકુંડને મહિમા
કરવાનો વિચાર કરે છે. ત્યાં આકાશવાણી થઈ કે “નહી નહી?? આથી વાણીના આધારે તે બેલનારને શોધે છે. પણ કેઈ દેખાતું નથી. એટલામાં એક વાર આવે છે. તે કહે છે કે આ જે ઢગલા દેખાય છે, તે રાક્ષસે મારેલાં પ્રાણીઓનાં હાડકાંના છે, માટે નિષેધ કરું છું. ત્યારે મહીપાળે કહ્યું કે તું તો પશુ જ છે, વાનરે કહ્યું કે “બળ હોય તો જા, ત્યાં “કેધવાળ અને કાળા વાળવાળો રાક્ષસ રહે છે.” એમ કહીને વાનર અદશ્ય થઈ ગયા. (શ. મા. પૃ. ૫૬)
વિદ્યાથી અલંકૃત ખગ લઈને તે કુંડમાં પેઠે. ત્યાં રાક્ષસ પ્રગટ થઈને સામે આવ્યું. બન્નેનું યુદ્ધ ચાલ્યું. તેણે ખગ્ગવિદ્યાથી રાક્ષસને જી, હારેલા રાક્ષસે મહીપાળની સેવા કરવાનું કબૂલ કર્યું અને કહ્યું કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે મને યાદ કરજે. એમ કહીને વેષ બદલવાની અને ઘા રુઝવવાની એમ બે ઔષધિઓ આપી. મહીપાળે તેને અહિંસાધર્મ અંગીકાર કરાવ્યો, મહીપાળ શ્રીનિવાસ વનમાં ગયે, ત્યારે મંદિરમાં શ્રીનેમિનાથ ભગવાનના દર્શન કર્યા, ત્યાં એક ગિની તેની દૃષ્ટિએ પડી, તેણે યોગિનીને પ્રણામ કર્યા, તેણે આશીર્વાદ આપે, તે બેલ્યો તમે મારાં કુલદેવી લાગે છે? તે બેલી-હું માનુષી કે દેવી નથી, પણ ચેગિની છું મારું આતિથ્ય સ્વીકારો, બને બહાર આવ્યા, તેણે પાત્ર લઈને વૃક્ષ પાસે ફળની યાચના કરી, એટલે કલ્પવૃક્ષની માફક તેમાંથી ફળે તેના પાત્રમાં પડ્યાં, મહીપાળે, તેમાંથી કેટલાંક ફળ ખાધાં, ગિનીએ પૂછ્યું કે વત્સ! ક્યાંથી આવ્યો? અને કયાં જવાનો છે? સંઘાતથી વિખૂટો પડતાં આવ્યા છે? હવે પ્રભુને ને આપને નમસ્કાર કરી મારા નગરે જઈશ. (શ. મા. પૃ. ૫૮)
યોગિની બલી આગળ ઉપર જે વન દેખાય છે, તેમાં મોટે મહાકાલ નામનો યક્ષ છે. તેણે ઘણાં પ્રાણીઓને મારી નાખ્યા છે. માટે ત્યાં જતો નહીં.
અકસમાત ત્યાં આકાશમાંથી બે મુનિઓ ઊતર્યા. બન્ને જણે મુનિને નમસ્કાર કર્યો. મુનિએ ધર્મલાભ કહ્યો. મુનિરાજે ઉપદેશ દેતાં જણાવ્યું કે, દાન, ભણવું, શીલ, દયા આ બધું જિનેશ્વરની સેવાથી પ્રાપ્ત થાય છે. માટે આળસને ત્યાગ કરી ત્રણ ટંક પ્રભુની પૂજા કરવી. (શ. મા. પૃ. ૬૦)
દેશના સાંભળી આનંદિત થયેલા તેણે અને મહાકાળે પૂછ્યું. એટલે મુનિરાજે તેની વાત આ રીતે જણાવી–પૂર્વકાળમાં અહીં જિનશાસન ઉપર દ્વેષ રાખનારે એક તાપસ સ્ત્રી સહિત રહેતું હતું. તેને શકુંતલા નામની પુત્રી હતી. આ વનમાં ભીમ નામને રાજા છેડે બેસીને આવ્યો, તેણે તે પુત્રીને એકલી દેખીને મોહ પામીને પૂછયું કે તું પરણેલી છે કે કુમારી? ત્યારે શરમથી મુખ નીચું કરીને બોલી કે કુમારી. તેના મનના
(૩૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org