Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
વાર્તા અને બાકીના ૩ ખંડોમાં તેના પુત્રોની પ્રેમીપંકિત ગાથા રજૂ થઈ છે. તેમાં વચ્ચે-વચ્ચે આવતાં ૩ વિરહગીતો અસાઈતની ઊવિ તરીકેની શક્તિ પ્રગટ કરે છે. આ સ્થાનોમાં સારૂં સંમાન પામી છે અને મતદર નામના જૈન સાધુએ આના પુર:સંધાન રૂપે હંસાઉધીના પૂર્વભવની કથા ઈ.૧૫૬૫માં રચી છે તે હકીકત એના કર્તાને અસાઈત નાયક ગણવા કારણ આપે છે કેમ ૐ નાકામનો જૈન સંપ્રદાય સાથેનો સંબંધ જાણીતો છે.
અસાઈતના નામે ‘ફરસુરામ-આખ્યાન’ નોંધાયેલ છે. પરંતુ એ માહિતીની અધિકૃતતા ચકાસણીપાત્ર જણાય છે.
કૃતિ : ૧. હંસાઉગી, સં. કૈશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૫ (+l.); [] ૨. ભવાઈસંગ્રહ, સ. મહીપતરામ રૂપરામ, *,૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ. ૩. ભવાની ભવાઈ પ્રકાશ, સં, હરમત્રઔર ધ. મુશી,
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુજૂકહકીકત, ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. ગુસારસ્વતો; [...] દ. ગુહાયાદી.
[..]
અહમદ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ] : મુસ્લિમ કવિ. અવટંકે દેસાઈ. ખોલવીજ. નવસારી)ના વતની... પૌર કામુદ્દીનની પરંપરામાં નબીમિયાંના અનુયાયી. એમની પ્રેમલક્ષણાભક્તિની ૨ ગરબીઓ તથા યોગમાર્ગની પરિભાષાને યોજતું ભક્તિબોધનું ૧ કલામ એ કૃતિઓ મુદ્રિત મળે છે.
કૃતિ : ભક્તિસાગર, રાં, હરગોવનદાસ હરીશનદાસ, ઈ. ૧૯૨૯ (+l.). [ર.ર.દ.]
ગુ.સા.-૩
પરંપરાપ્રાપ્ત આખ્યાનોથી જુદી રચનારીતિનું આખ્યાન છે એમ કહી શકાય. [અ.રા.]
Jain Education International
અંદરજી [ઈ.૧૭૮૮માં હયાત]: અવટંકે જોશી. ૧૫ કડીના ગણપતિની પૂજાને વિષય કરીને રચેલા છંદ(ર.ઈ.૧૭૮૮/ સં.૧૮૪૪, માગશર સુદ ૧૪, ગુરૂવાર; મુના કર્તા,
કૃતિ : દેવીમાહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્રિવેદી, ઈ. ૧૮૯૭ (+સં.). [કી.જો.]
‘અંગદવિષ્ટિ’ ૨.૯.૧૭૪૩ ૩ ૧૭૫૨.૧૭૯ ૩ ૧૯૦૮, આસો સુદ ૧૭, રવિવારઃ ૧૬૪થી ૩૮૪ સુધીની કડીસંખ્યા બતાવતી, સંભવત: પિને કે વૃદ્ધિ પામતી ગયેલી શામળની આ કૃતિ(મુ.) ઝૂલણા, દોહરા, રોળાના છપ્પા, સોરઠાં, સવૈયા અને વિનમાં રચાયેલ છે. ગુજરાતી તથા હિંદી ભાષાનો વિનિયોગ કરતી આ કૃતિ એ બંને ભાષામાં શામળનું સવ્યસાચીપણું બતાવે છે.
સાંસારિક રસની કલ્પનાપ્રધાન માનવસ્થાઓની રચનામાં સવિશેષ રસ ધરાવતા કવિએ અહીં પૌરાણિક કથાવસ્તુ પર પોતાનો હાથ અજમાવ્યો છે તે તરત ધ્યાન ખેંચે એવી હકીકત છે. આ કાવ્યમાં એમણે વાલીપુત્ર અંગદ, સીતાને પાછા સૌંપી દેવા સમજાવવા રાવણ પાસે જાય છે એ રામાયણીય પ્રસંગને પોતાનું પાત્ર બતાવવાનાં લોભથી અતિકથન અને વિસ્તારની પરવા કર્યા વિના ખુબ બહેલાવ્યો છે અને ગામ અને અંગદ, અંગદ અને રાવણમંદિરના પ્રતિહાર તેમ જ સામદ, તથા રાવણ અને અંગદ વચ્ચેના સંવાદો વીરરસોચિત ઝમકદાર ભાષામાં ઘણા ચગાવ્યા છે. સંવાદોમાં રામ સિવાયનાં અન્ય પાત્રોની ભાષા જુસ્સા અને ઝનૂનના અતિ રેકમાં અશિષ્ટ ગાલિપ્રદાન સુધી પહોંચી જાય છે, એમાં શામળ સમાસીન પોતાવર્ગના રંજનાર્થે તેની કક્ષાએ ઊતરી પડવાનું જોઈ શકાય. બધો વખત અંગદના મુખેથી નીકળતી આવેશપ્રધાન જોશીલી વાણી તેમ જ તેના વીર-પરાક્રમથી થતી વીરરસની નિષ્પત્તિ ધ્યાન
ખેંચ્યા વિના રહેતી નથી. શામળની પૌરાણિક વિષયની આકૃતિ અંબĒ(સૂરિ) ઈ.૧૩૧૫માં ક્યા : નિવૃત્તિનગરના જૈન આપ્યું.
ગુજરાતી સાહિત્યકોશ : ૧૩
કારતક સુદ
‘બડવિદ્યાધર-રાસ' [.ઈં.૧૫૮૩ સં.૧૯૩૯, ૧૩] : મંગલમણિકર્યા પોતાની ગુરુપરંપરાના મુનિનસૂરિની મૂળ ગદ્યપદ્યમય સંસ્કૃતકૃતિ ‘અંબડ-ચરિત્રના અનુવાદ રૂપે રચેલી ૨૨૪૧ કડીની આ કૃતિ(મુ. ક આદેશોમાં વહેંચાયેલી છે. મુખ્યત્વે ચોપાઈબંધનો ઉપયોગ કરતી આ કૃતિમાં દુલ્હા અને વસ્તુ છંદનો પણ ઉપયોગ થયો છે. આ કૃતિમાં અત્યંત ગરીબ દશામાં ફરતા અંબડને ગોરખયોગિનીના આશીવિંદથી કેવી રીતે મોટું ન્ય, ધન અને ૩૨ પત્નીઓ મળે છે તેની અદ્ભુતરસિક કથા રજૂ થયેલી છે. પૂર્વ દિશામાંથી ગુણવર્ધન નામની વાડીમાંથી પાકું શતશર્કરા ફળ લાવવું – જેવી ગોયોટિંગનીની ૭ આજ્ઞા એબડ ધી ૭ રીતે પાર પાડે છે તેનું વૃત્તાંત ૭ આદેશોમાં આપવામાં આવ્યું છે. આ આજ્ઞાઓ પાર પાડતાં અંબડ અનેક ચમત્કારિક અનુભવોમાંથી પસાર થાય છે. યોગિનીના મૃત્યુ પછી અંબડ જિનમનનો અંગીકાર કરી સુરા શ્રાવિકાના પ્રત્યક્ષ પરિચયથી સમ્યક્ત્વમાં સ્થિર ચાય છે અને અંતે મોઠા પામે છે. ધન ગુમાવી બેઠેલો અંબડનો પુત્ર કુળક ધનપ્રાપ્તિ માટે ગોરખોગિનીની ધ્યાનનુંડિકા ઉઘાડે છે ત્યાં પતિના સિંહાસનના મોતથી પુતળી બની ગયેલી પોતાની ૩૨ માતાઓને જુએ છે. કોઈ ભાગ્યવાન પુરુષને આગળ કરી ધન કાઢવાના વિચારથી કુરબક વિક્રમને લઈ જાય છે પરંતુ વિક્રમનો પ્રયત્ન પણ સફળ થતો નથી. વિક્રમને મળેલા સિંહાસનની ૩૨ પૂતળીઓના આ પૂર્વ-ઇતિહાસને લીધે ‘સિંહાસન-બત્રીસી’ની કથામાળાનો પૂર્વરંગ રચતી આ કૃતિ એ દૃષ્ટિએ મહત્ત્વની ઠરે છે.
આ કૃતિમાં ચમત્કારપ્રધાન ઘટનાઓનો રસ મુખ્ય છે તેમ છતાં એમાં કવિએ આડકથાઓ, વીકિક દૃષ્ટાંતો અને સુભાષિતો ગૂંથવાની તક લીધેલી છે. એ નિમિત્તે કેટલુંક સંસારચિત્ર અને કેટ-ડોક જીવનબોધ રજૂ થાય છે. સુભાષિતો સંસ્કૃત શ્લોક ને પ્રાકૃત ગાથા રૂપે પણ આવે છે એમાં કવિનું પાંડેને દેખાઈ આવે છે. શંભુ રૂપનું વર્ણન, યોગિનીને વિસ્તૃત પ્રાર્થના જેવા અંધો. ત્યકિત ઘટના વેગવાળી આ કૃતિમાં એક પ્રકારની રાહત ઊભી કરે છે, વિની વાણીમાં અલંકરણ નથી પરંતુ સરર છાદાર વાણીમાં પણ કવિની ભાષાના વરખાઈ આવે છે. આ જૈન કવિ આરંભમાં શંકર વિષ્ણુ, બ્રહ્માને સ્માર છે, પ્રત્યેક દેશમાં મંગલાચરણ યોજે છે, કાર અને સિવરૂપનો મહિમા કરે છે અને ગુરુવા(ઈ.૧૫૮૨/ સં. ૧૬૩૬, જેઠ સુદ ૫)ના રોજ કૃતિનો આરંભ કરે છે તે બધી વીગતો નોંધપાત્ર છે. [કી.જો.]
For Personal & Private Use Only
www.jainelibrary.org