Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 368
________________ પરંતુ રામનાં હતાશા ને વિલાપ એમના વીરોચિત વ્યકિતત્વને બહુ અનુરૂપ નથી. કુંભકર્ણને ઉઠાડવા માટે થતા પ્રયત્નો કે કુંભકર્ણ અને વાનરો વચ્ચેના યુદ્ધનાં વર્ણનમાં કવિએ જે હાસ્ય વહેવડાવ્યું જે છે તે સ્થૂળ કોટિનું તો છે, પરંતુ તે યુદ્ધનો આતંક ને ગાંભીર્યને સાવ હણી નાખતું હોવાથી અરુચિકર પણ બને છે. એટલે રચનામાં પોષક-અપોષક અંશોનું ઔચિત્ય કે રસસંક્રાંતિ એ બંનેની પ્રેમાનંદીય શક્તિ આ આખ્યાનમાં પ્રગટ થતી નથી. રામ અને રાવણ યુદ્ધકક્ષાના મુખ્ય શત્રુપાત્રો હોવા છતાં યુદ્ધ કથાને અનુરૂપ એમનું ચરિત્ર બંધાતું નથી. રાવણના મનમાં રામ પ્રત્યે ભક્તિમાવ અને રામનું લાગણીશીલ ને નિર્બળ મન યુદ્ધકથાના નાયકોને અનુરૂપ નથી. આખ્યાનનો કંઈક આસ્વાદ્ય અંશ મંદોદરીની પતિપરાયણતા ને પુત્રપરાયણતામાંથી જન્મતી માનો છે. આની દહાડ લાગે મુંને ધૂંધળો' એ એના મોઢામાં મુકાયેલું વિષાદભાવવાળું પદ આખ્યાનનો ઉત્તમાંશ છે. આખ્યાનની ઘણી હસ્તપ્રતો સ. ૧૯૪૬નો રચનાસમય આપે છે, પરંતુ વાર, તિથિ, માસના મેળમાં આવતું ન હોવાને લીધે એ વર્ષ શાહ ય નથી. [જા.] રણસિંહ(રાવત) જુઓ રણધીર. રતન રયણ(શાહ) [ ]: શ્રાવક. ખરતરગચ્છના જિનપતિસૂરિની પ્રક્ષારિત કરતા સર્વયાની દેશોની ૩૦ કડીના 'જિન પતિસૂરિ-ધવલ/ગીત/સ્તુતિ’(મુ.)ના કર્તા. જિનપતિસૂરિનું અવસાન ઈ. ૧૨૨૧માં થયું એવો કાવ્યમાં ઉલ્લેખ છે, એટલે કાવ્યની રચના ત્યારપછી સંભવત: ઈ. ૧૩મી સદીમાં થઈ હોય. આ નામે ૫૬ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ (વૅ.સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે આ કવિની રચના હોવાની સંભાવના છે. કૃતિ : અજૈકાસંગ્રહ સંદર્ભ : ૧. આકવિઓ; ૨, ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી આ વોરા, ઈ. ૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧;]૪. જેમસૂચનાઓં : ૧: ૫ ડિસેંસોંગબીજ [.૨.૯] રતનચંદ [ઈ. ૧૯૩૮માં હયાત) : ૪૫ કડીની શ્રીમતીના શોધની ક્યા કર. ઈ. ૧૮૩૮)ના કર્તા સંદર્ભ : ડિઝોંધી જે [ા.ત્રિ.] રતનજી આ નામે ૮ કડીની 'ઉમિયા ઇશનો ગરબો' કૃતિ મળે છે તેના કર્તા કયા રતનજી છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકોંગબીજે [31.[2] રતનજી -૧ [ઈ. ૧૬૫૭માં હયાત] : મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના બગલામના ઔશે. પિતાનામ ભાનું કે હરિદાસ. ‘અશ્વમેધવ'ની વિભ્રંશી રાજાની કથા પર આધારિત ૧૩ કડવાંનું ‘વિનાશી રાજાનું આખ્યાન' (ર.ઈ. ૧૬૫૭સ. ૧૭૧૩, શ્રાવણ વદ ૮; મુ.નાં કર્તા. અમને નામે 'દ્રૌપદીચીરહરણ કૃતિ નોંધાઇ છે પરંતુ તેની કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ નથી. રણસિંહ (રાવત) : રતનબાઈ ૩ Jain Education International કૃતિ : બુકાદોહન : ૫ (સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; [] ૪. ગૃહાયાદી. [ચ શે.] રતનદાસ રત્નસિંહ [ઈ. ૧૮મી સદી] : રવિભાણ સંપ્રદાયના કવિ, વાંકાનેરના વતની જ્ઞાતિએ રજપૂત. માણસાહેબ (ઈ. ૧૯૯૮૭૫ના ઉપદેશથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બન્યા. ૩૦ કડી] શૈલૈયા સગાળશા આખ્યાન કયાનો ચૌકો (મુ.), આત્મબોધનન પદ તથા અન્ય ગુજરાતી-હિન્દી પર્દાની રચના એમણે કરી છે. કૃત્તિ : ૧, ગુજરાતી લોકસાહિત્યમાળા : ૧૩, સ. પુરુષોત્તમ સોલંકી, ઈ. ૧૯૭૪ ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ ર. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૩. બુકાદોહન : ૫; ૪. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિવિભૂષણ ખંડિત કાર્યંતિક;]૫. સમાલોચક, જુલાઈ-સપ્ટે. ૧૯૧૧–કેટલીક અપ્રસિદ્ધ કવિતા’, છગનલાલ વિ. રાવળ (+i.). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ ઈ. ૧૯૮૨; ] ૪. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય', છગનલાલ વિ. રાવળ. [ચ શે] રતનબાઈ–૧ ઈ. ૧૫૭૯માં હયાત] : જૈન સ્વાવલંબનના સાધન તરીકે રેંટિયાની પ્રશસ્તિ કરતી ૨૪ કડીની રેંટિયાની સઝાય/ગીત/ પદ’ (૨.ઈ.૧૫૭૯/સં. ૧૬૭૫, મહા સુદ ૧૩; મુ.)નાં કર્તા. કૃતિ : પ્રાાધા : ૪. સંદર્ભ : ૧ મસાપ્રકારો; [] ૨. મુખુગૃહસૂચી; ૩. લીંહસૂચી. [૨૨.૬.] નબાઈ-૨ [. ૧૭૮૧માં હયાત : જ્ઞાનમાર્ગી સ્રીકવિ. અમદાવાદનાં વતની. જ્ઞાતિએ નાગર. અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજી એજ એમનાં પિતા અને ગુરૂ પિતાનાં સંતજીવનથી પ્રભાવિત પતિની અનુમિત વ એમણે સંસારનો ત્યાગ કરેલો. એમનાં ગુરુમહિમાનાં અને જ્ઞાનવૈરાગ્યનાં ૧૧ પદમુ.) મળે છે. કૃતિ : સન્તોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ. ૧૯૨૦ (+ સં.). સંદર્ભ : ૧. અપરંપ; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ. ૧૯૭૫. [ચ શે ] રતનબાઈ-૩ [ઈ. ૧૮મી સદી] : મુસ્લિમ સ્ત્રીકવિ. જ્ઞાતિએ વોરા, વર્ષેદરા જિલ્લાના કરજણ તાલુકાના પાછિયાપુરનાં વતની. હજરત શાહ કાયમુદ્દીનનાં શિષ્યા. જ્ઞાન અને ભક્તિની મધ્યકાલીન પદકવિતાના સંસ્કાર ઝીલી કામ, ગરબી, ભજન શીર્ષકો હેઠળ એમણે જ્ઞાન-વૈરાગ્ય ને ભક્તિનાં પર્દામ, રચ્યાં છે. કામુદ્દીનને વિષય બનાવી રચાયેલાં પર્દા પર પ્રેમલક્ષણા ભક્તિની કવિતાની ઘેરી અસર છે. એમની ભાષા અરબી-ફારસી શબ્દોના ભારવાળી છે કૃતિ : ભક્તિસાગર, સં. વોવનદાસ હરકીશનદાસ, ઈ. ૧૯૨૯ (+સ.). સંદર્ભ : ય. ગુવિચર; ૨ સાધ્ય For Personal & Private Use Only [ચશે | ગુજરાતી સાહિત્યકોશ : ૩૩૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534