Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
‘વસંતવિલા’-૧ : પ્રાકૃત પાપિતોનો એક અને ઉપર્ધા સાથે મળતા આવતા દુહા પ્રકારના છંદમાં રચાયેલું ને દરેક કડીમાં ચરણના પૂર્વાર્ધ ઉત્તરાર્ધ વચ્ચે પ્રયોજાયેલી અંતર્ષમાંળીને લીધે વિશિષ્ટ બનેલા પદ્યમય (જે પછીથી ફાગુબંધ તરીકે ઓળખાયો)વાળું આ ફાગામ,) પર કડીની વાચના ને ૮૪ સ્ટીની બૃહતવાચના રૂપે ઉપલબ્ધ થાય છે. ઈ. ૧૪૫૨ની કાવ્યની ઉપલબ્ધ થતી પ્રત, રત્નમંદિરગણિના ‘ઉપદેશતરંગિણી' (ર.ઈ. ૧૪૬૧ આશરે)માં આ સલ્યમાંથી પહેલું અવતરણ તથા કાવ્યનું ભાષારૂપ એ પ્રમાણોને વામાં કઈ આ ફાગુ ઈ. ૧૪મી કદીના પૂર્વાર્ધમાં આખું હોવાનું અનુમાન થયું છે ળનો રચયિતા જૈન કરતાં જૈનેતર વાની સંભાવના વિશેષ છે. નોંધ-નધિ, આચાર્ય રત્નાકર, ગુણત્યંત કે મુંજ એમાંથી કોઈ કાવ્યના કર્તા હોવાની સંભાવના વિચારાઈ છે, પરંતુ અમાની કે સંભાવના પૂરતી પ્રતીતિકર બનતી નથી. કાવ્યની સં. ૧૯૩૮ની પ્રતમાં વિધિષ્ઠરે કૂળના તાં તરીકે મુજનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે, પણ એ સિવાય મુંજ વિશે બીજી કોઈ માહિતી આપી નથી. સંભવ છે કે લિપિકાર કૃતિની અંતિમ પંકિતમાં આવતા ‘મુંજ’ શબ્દથી દોરવાયા હોય.
ની ીઓ ફીએ જીવનનો વાસ ઊભરાય છે એવું આ સગુ અન્ય મધ્યકાલીન સુધી અનેક રીતે વિશિષ્ટ છે. અન્ય ફાગુઓની જેમ આમ તો આ ફાગુમાં પણ વસંતની માદક ઉદ્દૌષકના વચ્ચે પ્રણયીજનોનો વિઓ અને પછી સંભોગનો શૃંગાર આલેખાયો છે, પરંતુ અહીં કાવ્યનાં નાયક-નાયિકા કોઈ એક યુગલ નહીં, પણ અનેક યુગલ છે. એટલે સમષ્ટિના વસંતવિલાસનું એ ગાન બની રહે છે. કાવ્યના પ્રારંભમાં આવતું ઇન્દ્રિયગમ્ય વનવર્ણન અને પછી વનને નગરનું રૂપક આપી થયેલું રૂપાત્મ વનર્ણન કે સુંદરીઓનાં હોર્યનાં ને અંગપ્રસાધનમાં આર્થીકારિક વર્ણન સંસ્કૃત કાળપરંપરાનુસારી હોવા છતાં, પદલાઘવ, પદમાધુર્ય ને અભિવ્યકિતવૈચિત્ર્યની અસરકારક રીતે કાર્માદીપક બને છે. કાવ્યમાં આલેખાયેલો કામવિલાસ આનંદપ્રદ છે, પણ સંસ્કૃત કવિતા જેવી ઉન્માદક કે પ્રગલ્ભ નથી. કાવ્યના અંતમાં ભ્રમરને સંબોધી રચાયેલી અન્યોકિતઓ દ્વારા પુરુષની રસિકવૃત્તિને અપાયેલો કોમળ ઉપાલંભ કૃતિના આમને વિશેષ રૂપે પુષ્ટ કરે છે.
કાલ્પમાં દરેક કડીની પાછળ કવિએ સુભાષિતાવવી, શાર્કે પતિ, અમરુ શતક, નૈષધીયચચત વગેરે ગ્રંથોમાંથી એકબે સંસ્કૃત પ્રાકૃત શ્લોક મૂકો છે. કડીનો ભાવ કમાંથી સૂઝવો તે બતાવવાનું એમાં કવિનું પ્રયોજન છે. જે કે કવિને મૂળ શ્લોકનો સારાનુવાદ નથી આપ્યો. કાંક મૂળ અર્થને સંકોચ કે વિસ્તારી, કાંક મૂળમાંથી સામાન્ય સૂચન લઈ કવિએ પોતાની મૌલિકતાની પ્રતીતિ કરાવી છે. આ શ્લોકો કવિનું કાવ્યપરિશીલન કેટલું ઊંડું હતું એના પણ ઘોતક છે. કાવ્યની ઉપલબ્ધ થયેલી ૧ સચિત્ર પ્રતનાં ચિત્રો રજપૂત અને મોગલ ચિત્રશૈલીથી કેટલીક દૃષ્ટિએ ભિન્ન પડતાં હોવાને લીધે મહત્ત્વનાં ગણાયાં છે.
કૃતિ : ૧. વસંતવિલાસ (.), સં. નિશાલ બી. વ્યાસ, ઈ. ૧૯૪૨ (.); ૨. એજન, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ. ૧૯૭૪
૩૯૬ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
તુતીય આનું પુનર્મુદ્ર) (l.) પી. નૈન (અ.), શે. ડબલ્યુ નોર્મન બ્રાઉન, ઈ. ૧૯૬૨; ૪. એજન, સં. રતિલાલ સાં. નાયક, છે. ૧૯૭૪ (સ.); ૫. વસંતવિલાસ ગુ, સ. કે. કા. શાસ્ત્રી, ધ ઈ. ૧૯૬૬ ૪. એજન (મ.), સ. મધુસૂદન ચિ. મોદી, ઈ. ૧૯૬ (+i); [...] ૭. પંગુકાવ્ય
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસાઇનિવાસ : ૧, ૨૩ગુસામધ્ય; ૪. ગુસાસ્વરૂપો; ૫. નયુકવિઓ; ૬. ફાન્ત્રમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૭૭ 'વસવિાસ, સારાભાઈ મ, નવાબ; ૭. સ્વાધ્યાય, મે ૧૯૭૨-વિલાસગુના રચિયતાનું નામ, અગરચંદ નોટા, અનુ. નવીનચંદ્ર એન. શાહ [જગા.] ‘વસંતવિલાસ’–૨ : ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાના ઢાળની ૧ કડી અને દુષ્ટની ૨ કરી એવા એકમની બનેલી ૨૬ કડીનું વિ રામનું આ નુકાળ(મુ.) એના બાષાસ્વરૂપને લક્ષમાં લેતાં શાત કવિના ‘વવિલાસ’ પછી રચાયું હોવાની પૂરી શકયતા છે અને તેમ છતાં ‘વસંતવિલાસ’કાર પછી ફાગુકાવ્યોમાં વ્યાપક બનેલા યમક સાંકળીવાળા ફાગુબંધને અનુસરવાનું વલણ આ કૃતિમાં ખાસ નથી - એ એની વિાણતો છે
પ્રારંભની પહેલી ૨ કડીઓમાં ગણપતિની સ્તુતિ કરતા ર સંસ્કૃત શ્લોક મૂકી પછી કવિએ પ્રસંગવર્ણન શરૂ કર્યું છે. પહેલાં તો વસંતઋતુના પ્રારંભે પ્રવાસે ન કરવા માટે કોઈ રાધિકા પોતાનાં ન પ્રિયતમને વીનવે છે, પરંતુ પ્રિયતમ એ વિનંતીની અવગણના કરી ચાલ્યો જાય છે એવું સમજાય છે. પાછળથી નિયમ તે રુક્મિણી અને નાયક કૃષ્ણ છે એવું સ્પષ્ટ થતાં એ કૃષ્ણના વિરહમાં ઝૂરતી રુકિમણીના વિસ્તાવને આલેખતું કાવ્ય બની રહે છે. કાર્યાશ્રીપર્ક સેત વર્ણન, વસ્તુકુળ રુકિમણીનો ભ્રમર સાથે કૃષ્ણને સંદેશો મોક્લો કે કૃષ્ણ કયારે આવશે એ માટે એનું જોષી પાસે જવું જેવી વીગતો આમ તો પરંપરાનુસારી છે, પરંતુ કવિની ભાષાની પ્રૌઢિ તથા અભિવ્યકિતની કુશળતાને લીધે રુકિમણીવિરહનું આલેખન મર્મસ્પર્શી બન્યું છે. એ રીતે કૃષ્ણાગમન પછી વાસકસજ્જા રુકિમણીનો આનંદ પણ "હરખ નંગ મુઝ અંગ ચંદન વીડિયો બન્ને ભૂયંગ’ કે ‘કૃષ્ણ તરુઅર અમ વેલ’ જેવી ઉત્પ્રેક્ષાઓ દ્રારા મનોરમ રીતે અભિવ્યકત થયો છે. 'મિજિમ' 'મિતિમ' ધનધન ‘ગર્નંગ' જેવી વ્યાપક રીતે થયેલી શબ્દની ડ્રિંકિતથી કે એકનો એક વાકયઢાળોના આવર્તનથી કવિએ કાળને ભાવોન્ક્સ અને ગેયત્વયુક્ત અશોવાળું બનાવ્યું છે.
કાવ્યના અંત ભાગમાં કૃષ્ણે જેમ પોતાની મિલનની આશા પૂરી કરી તેમ ગાણુની આશા પૂરી કરે એમ રુકિમણી કહે છે ત્યારે કાવ્ય કૃષ્ણભક્તિના સંસ્કારવાળું બને છે. [જ.ગા.]
વસીદાસ : જુઓ વસનજી.
વસુ : જુઓ તો ૩.
સ્તિગ ઈ. ૧૩૧૨માં થય]: જૈન સાધુ રત્નપ્રભસૂરિના શિષ્ય.
વાંતવિલા'-૧ : ગિ
For Personal & Private Use Only
www.jainlibrary.org