Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
આલેખાયેલી દામોદર દોશીની જાજવલ્યમાન ઉપસ્થિતિ અને એમની ભક્ત પ્રત્યેની કહો કે તાબેદારી એકમેકનાં પૂરક બનીને કાવ્યને ઓપાવે છે. બીજું અને ચોથું કડવું પદ તરીકે મૂકીને સહજસૂઝથી વિએ કૃતિમાં તે તે ક્ષણે અવકાશ સભ્યો છે, જેમાં નરસિંહ અને તે તે
બહાર નીકળવાની સંધિ રચાય છે. અને પરસ્પરની આસ્થા પર અવલંબતા દમયંતી માયમાં રૂપનું કેટલું સ્થાન છે એ ‘નથી રૂપનું કામ ૐ ભૂપ મારા' એ બાવુક આગળ દમયંતીએ ઉચ્ચારેલા પ્રતીતિવાથી વ્યક્ત થાય છે. પરિણામે કૃતિમાં એકંદરે હાસ્ય કે શું’બારની શ્રીકૃષ્ણ વચ્ચેના સંબંધની વિષ્ણુના વિસ્તરી રહે છે. નરસિહજીવન-ઉપરવટ કરુણરસની પ્રધાનતા જામે છે. સામાન્ય રીતે જાતિચિત્રો બનતાં કવિનાં પાત્રોમાં અહીં દમયંતીનું પાત્ર વૈયક્તિક રેખાઓવાળું બન્યું છે. દમયંતીના ગૌરવયુકત વર્તન સામે નળને કયારેક હીણું વર્તન કરી બેસતો કવિએ બતાવ્યો છે ત્યાં પણ કથાપ્રસંગને રસિક રીતે ઉપસાવવા જતાં કવિ આમ કરી બેઠાં છે. અન્યથા પ્રસંગનિરૂપણ, ૪પલટા, વર્ણન, શૈલીદેશ કે ભય એમ દરેક રીતે ઊંચા કવિકર્મની પ્રતીતિ આ કૃતિમાં થાય છે. આ
વિષય બીજી કૃતિ ૧૬ કડવાંનું મામેરું –(ર. ઈ. ૧૯૮૩ સં. ૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર) કવિની અનવદ્ય હૃદ્ય રચના છે. કૃતિનું મંડાણ છે. કુંવ-બાઈના માધ્યમ દ્વારા ઉપસના લોક મૂલ્ય ‘ઇજ્જત’વિરુદ્ધ નરસિંહની હસ્તીમાંથી ફોરતા અધ્યાત્મમૂલ્ય 'વિશ્વાસ' એ કનિના સંઘર્ષના પાયા ઉપર. કહો, આસ્થા, માન્યતા, પ્રતીતિ એવા ભારેખમ શબ્દનને બદલે “વિશ્વાસ' (ઈશ્વમાં યકીન શબ્દ કવિઓ આ કૃતિમાં નવેક વાર વાપયોં છે, પ્રભુનિષ્ઠ વ્યક્તિની ઈજ્જતના લીલી, નાગરાણીઓ દ્વારા ખેતી ઠંડીમાં, ઊડતા આલેખાયા છે. નિયાદારીમાં ડુબેલાં રહેતા લોીની ઉપાસનીયતા, એમની આંતર કેંગાલિયત પણ સચોટ સુરખ વ્યક્ત થઈ છે. ૧૪ કડવાંનું ‘સુદામા-ચરિત્ર’ (૨. ઈ. ૧૬૮૨/સં. ૧૭૩૮, શ્રાવણ સુદ ૩, મંગળવાર શુક્રવાર) પણ કવિની નકલાની સુચારુ રચના છે. નરસિંહવિષયક બંને કૃતિઓમાં ભક્ત ભારે ગૌરવવંતો છે, જ્યારે સુદામો એકંદરે વામણો ઊતરે છે. આરંભનાં ૫, અંતે નિર્વાણનાં ૩ અને મધ્યનાં દ્વારકામાં સુદામો પ્રવેશ્યા ને ત્યાંથી નીકળ્યા તેનાં ૬ કડવાં કૃતિને સંઘેડાઉતાર ઘાટ આપે છે. વચલો દ્રારકાનો ખંડ ‘મિત્ર' મોહન સાથેના સખ્યના આનંદઊંડાણને તાગે છે અને એટલોક સમય સુદામાની વિશુદ્ધ વરિષ્ઠ મૂર્તિને ઉઠાવ આપે છે. સુદામા અંગેની મુશ્કેલી કદાચ ભાગવતમાં જ છે. એ ક્રિયાશીલ પાત્ર નથી. એટલે એને પ્રતિક્રિયા જ પ્રકટ કરવાની રહે છે. કવિની નજર પ્રસંગઆલેખન પર વિશેષ રહેતી હોવાને લીધે, ક્ષણેક્ષણે બદલાના ચિત્રને ઝડપવા ઉપર કવિનું બધું ધ્યાન કેન્દ્રિત થયું હોવાને લીધે પારેક તેઓ પાત્રને અન્યાય કરી બેસે છે. 'મૂળગાના મારા તાંદૂલ ગયા’ એવું સુદામા પાસે કવિ બોલાવે છે ત્યાં એ જોવા મળે છે. સુદામાની ફોડી સ્થિતિને ઉઠાવ આપવા જતાં કૃષ્ણ-સુદામાના સંબંધની સારીય મીઠાશ એમાંથી ઊડી જાય છે. ૬૪ કડવાંનું કરુણ, હાસ્ય ને શૃંગારનું કવિનું મહત્ત્વાકાંક્ષી ‘નળાખ્યાન’ – (૨. ઈ. ૧૬૮૬/સં. ૧૭૪૨ પોષ સુદ ૨, ગુરુવાર) સપ્રમાણ કૃતિ છે. પહેલો ખંડ ૩૦ કડવાંનો, ‘મોસાળ પધારો રે’ ગીતથી શરૂ થતો ૨૦ કડવાંનો બીજો ખંડ અને ૧૪ કડવાંનો નિર્વહણનો ખંડ આનવઘ આકૃતિ રચે છે. પ્રારંભિક ખંડમાં નળ-દમયંતીના લગ્નની કથા આલેખી શૃંગારની નિષ્પત્તિ કરી છે. મુખ્યત્વે રૂઢ વર્ણનથી શૃંગારની જમાવટ કરી કવિ કામ કાઢી લે છે. શૃંગારની વિડંબનાના પ્રસંગો ઊ માં થાય છે ત્યાં હાસ્ય નિષ્પન્ન કર્યું છે સ્વયંવરમાં દેવોની અને બીજા સ્વયંવર' વખતે ઋતુપર્ણની દમચંતીને વરવાની ઘોપતાના પ્રાગીએ. દમયંતીના રૂપથી મુખ્ય વિવાહલોલુપ દેવો અને કલિને કારણે, કલિની દુષ્ટતાને લીધે તો દેવદીધા ‘અમ્રુત સ્ત્રાવિયા કર’ના વરદાન દ્વારા પણ, દમયંતીના જીવનની ગાઢ કરુણતા નીપજે છે. તો બીજા રૂપલુબ્ધ ઋતુપર્ણ (જે પણ દેવોની જેમ પૂર્ણ હાસ્યાસ્પદ નીવડે છે) દ્વારા એ કરુણતામાંથી
૨૬૨ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
વીરરસનું આલેખન કવિએ એમનાં ઘણાં આખ્યાનોમાં કર્યું છે, પરંતુ કવિએ પોતાની શકિત રંડી છે તે નો ઘૂ’ગા, કરણ અને સ્વમાં, એમની આ ઉત્તમ રચનાઓમાં એ પૂરેપૂરી પ્રગટ થઈ એ છે. હાસ્યસૂઝ પ્રેમાનંદ જેટલી બહુ ઓછા ગુજરાતી કવિઓએ બનાવી છે. શિવની નવાવની જાણકારી એવી ઊંડી છે, એમનું સંસારદર્શન એવું વસ્તુલક્ષી અને વ્યાપક છે કે પ્રસંગ અને પાત્રો અંગેની વિવિધ વીગતોના પરસ્પર સંબંધમાં રહેલી ઉપહસનીયતા એ પડયા વગર રહેતા નથી. એટલે પરિસ્થિતિમાં હાસ્યની, વિનોદની, નર્મમર્મની શકયતા હોય અને પ્રેમાનંદ એ ચૂકે એ કદી બને નહીં. ‘મામેરું,’ ‘સુદામાચરિત્ર' અને ‘નળાખ્યાન’માં કવિની હાસ્યશકિતનો ઉત્તમ પરિચય થાય છે.
કિચન ઉત્તરકાળનાં બે આનો ‘રણશ” અને “દશમસ્કંધ' ધ્યાનપાત્ર છે. રામ-રાવણ વચ્ચેના યુદ્ધની માને આલેખનું ૨૬ કડવાંનું ‘પન્ન (૨, ઈ. ૧૬૯૦/સ. ૧૭૪૬, ચૈત્ર સુદ ૨, રવિવાર) રામ અને રાવણનાં સેનાપતિઓ અને સૈન્યની વીગતે માહિતી આપવાને લીધે કંઈક મંદ ક્યાયંગવાળું છે, તો પણ રામનાં બાણ રાવણનો પીછો પકડે છે એનું આલેખન કરતું. ઊર્જિતના સ્પર્શવાળું ચિત્ર તથા મંદોદરી-રાવણ અને રાવણ-કુંભકર્ણ વચ્ચેના સંવાદોમાં યુદ્ધની પડછે મારેખાનું માનવસંવેદન એના આર્ષક અંશો છે. કવિનો ૫૩મા અધ્યાયે અને ૧૬૫ કડવે અધૂરો રહેલો ‘દશમસ્કંધ’-ભાગવતના દશમસ્કંધની મૂળ કથાને અનુસરવાના સંકલ્પ સાથે રચાયેલો હોવા છતાં કવિએ પોતાની અન્ય રચનાઓની જેમ અહીં પણ પ્રસંગનિરૂપણ, પાત્રાલેખન ને વર્ણનમાં ફેરફાર કર્યા છે. તેથી એ માનવભાવથી રોલું, વચ્ચેવચ્ચે ઊમિકથી પતી છે. વત્તેઅંશે રસપ્રદ એવાં થાનકોની માલારૂપ બની રહે છે. માગવતનાં પાત્રો દિવ્યતાની છાલથી મીંજાયેલાં છે, પરંતુ અહીં એ વખતોવખત પ્રાકૃત વર્તન કરતાં દેખાય છે. નારદ અને બ્રહ્માનું વર્તન એના નમૂના છે. ભાગવતની ક્યામાં રહેલા ભુતનાં તત્ત્વો અહીં કવિએ વધારે બહેવાયું છે, એટલે કૃષ્ણનાં પાક્રમો પાછા વીરત્વનું બદલે ચમત્કાર આગળ તરી આવે છે. તેમ છતાં ‘દશમસ્કંધનો મુખ્ય રસ તો વાત્સલ્ય અને વાત્સલ્યજનિત કરુણ જ છે. પ્રારંભનો દેવકીવિલાપ, કૃષ્ણ ધરામાં ઝંપલાવે છે ત્યારનો જસોદાવિલાપ અને વ્રજવાસીઓના પ્રેમભક્તિ પર આધારિત કરુણ એનાં ઉત્તમ નિદર્શનો છે. ઉત્તર વયે રચાયેલી આ કૃતિમાં કવિની પ્રૌઢ
પ્રેમાનંદ–૨
For Personal & Private Use Only
www.jainelibrary.org