Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/005400/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરમ આકાંદ than Dholla ભકિતમાર્ગની Instre DP+- -. , | લઘુતા વ્ય6િ1.. =ાદ: = =. Biboill . - aa ICHOR સંવઠા - વઠદET કે આરટન ક '. - ચિંtપડા ની કીર્ત51 \cn :પ્રકાશs: Jain Educatelemaal શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર | કિઆ ૩૮૨ ૦૦૯ ( જિ. ગાંધીનગર) Personal Private Use only w ielbia y org. Page #2 -------------------------------------------------------------------------- ________________ Novorovnarencia ભકિતમાર્ગની આરાધના : લેખક પૂ. શ્રી આમાનંદજી - SIM M - સાધના , નાથાભ, • { List Pt.12 5. : પ્રકાશક : છે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર છે - કેબા-૩૮૨ ૦૦૯ (જિ. ગાંધીનગર) Garasmarannan vanavanaravo For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ચંદુલાલ છેોટાલાલ મહેતા, પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કૅન્દ્ર કાબા-૩૮૨ ૦૦૯ (જિ. ગાંધીનગર ) પ્રથમ આવૃત્તિ ૨૨૦૦ : મે, ૧૯૮૨ દ્વિતીય આવૃત્તિ ૧૫૦૦ : મે, ૧૯૮૫ તૃતીય આવૃત્તિ ૨૨૫૦ : સપ્ટેમ્બર, ૧૯૯૦ મૂલ્ય : દસ રૂપિયા મુદ્રક : ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય ૧૯, અજય એસ્ટેટ, દૂધેશ્વર રોડ અમદાવાદ ( 2. ન. ૩૮૬૨૯૪ ) For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ મજ - સમર્પણ દિવસ-રાત ચાલુ રહેતી ધમાલ, અનેકવિધ હાડમારી તથા વધતી જતી મેંઘવારી વગેરે વિટંબણાઓવાળા જમાનામાં પણ જેઓએ સાદાઈ, સંતોષ, સરળતા, સહનશીલતા, સદાચાર, વિનય વગેરે ગુણોને જીવનમાં ઉતારી પૂર્ણજ્ઞાની અને પરમાનંદસ્વરૂપી એવા પરમાત્મા સાથે એકનિષ્ઠાથી લય લગાવી છે અથવા લગાવવામાં પ્રયત્નવાન છે, તેવા નામી અનામી સર્વ ભક્ત-સાધકને આ ગ્રંથ સાદર સમર્પણ કરવામાં આવે છે. - - - - - આભાર-દશન અનેક સજજનેના સહકાર અને સૌજન્યથી આ ગ્રંથ પ્રગટ થાય છે. આ સત્કાર્યમાં જેઓ વિશેષપણે સહાયક થયા છે તેવા, નિમ્નલિખિત મહાનુભાવોને અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે? ૧. સેવામૂર્તિ જિજ્ઞાસુ ભાઈ શ્રી રમણીકલાલ ઉમેદચંદ શેઠ ૨. સત્સાહિત્યપ્રેમી પ્રોફેસર શ્રી અનિલભાઈ વી. સોનેજી ૩. શ્રુતરસિક પંડિત શ્રી બાબુલાલ સિદ્ધસેન જૈન ૪. શિષ્ટસાહિત્યપ્રેમી શ્રી બકુલભાઈ લાલચંદ શાહ ૫. પ્રિન્સિપાલ ડો. શ્રી ચીનુભાઈ નાયક, અમદાવાદ ૬. શ્રી લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિરના વ્યવસ્થાપક અને ગ્રંથપાલશ્રી ૭. ભાઈશ્રી કનુભાઈ શાહ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ૮. ભક્તિસંગીતપ્રેમી ભાઈ શ્રી રતિલાલ લાલભાઈ શાહ ૯. શ્રી ભાઈલાલભાઈ સી. શાહ, સંગીત વિભાગ, સી. એન. વિદ્યાવિહાર, અમદાવાદ ૧૦. સૌજન્ય, સેવા અને સહનશીલતાની મૂર્તિરૂપ એવા “મારા” કુટુંબના સભ્ય – લેખક For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અમારી સંસ્થા તરફથી સાધકને અને સામાન્ય વાચકને ઉપયેગી શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્ય પ્રગટ થાય છે. ઘણા મનુ વાચનનો લાભ લઈ શકે તે હેતુથી ગ્રંથની કિંમત, પડતર કિંમતથી પણ ઓછી રાખીએ છીએ. આજ સુધી લગભગ ૨૫ ગ્રે પ્રગટ થયા છે. આજે ‘ભકિતમાર્ગની આરાધના નામને આ ગ્રંથ મુમુક્ષુઓની સેવામાં રજૂ કરતાં પ્રસન્નતાને અનુભવ કરીએ છીએ. જેમને બાળપણથી જ આધ્યાત્મિક સંસ્કારનો વારસો મળે હત, મધ્ય યુવાવસ્થામાં જ જેઓએ સત્સંગ સ્વાધ્યાયાદિ દ્વારા શાન વૈરાગ્યની ઉપાસના આરંભી હતી; સરળતા, સાદાઈ, સંતાપ, સહનશીલતા, સાધર્મીવાત્સલ્ય, વિનય અને ન્યાયનીતિપૂર્ણ વ્યવહારને જેઓએ જબરોજના જીવનમાં વણી લીધા હતા; દેહમાં રેગાદિથી મટી વેદના ઊપજતાં પણ જેઓની ધર્મભાવના દઢ જ રહી હતી અને આપણે સંસ્થાની સાહિત્ય પ્રકાશન સમિતિનું મુખ્યમંત્રીપદ જેઓએ શોભાવ્યું હતું તેવા સ્નેહ, સેવા, સ્વાર્પણ અને આસ્તિકની મૂર્તિરૂપ રવગીય શ્રી યંતીલાલ પોપટલાલ શાહને, તેઓએ સંથાને આપેલી માનદ અને મહત સેવાઓને ખ્યાલમાં રાખી અત્રે સ્મરણાંજલિ અપીએ છીએ. બાકી તે લેખકથીએ પ્રસ્તાવનામાં ગ્રંથને વિસ્તારથી પરિચય આવે છે, તેથી તે વિષે કાંઈ અધિક ન લખતાં તે પ્રસ્તાવના વાંચી જવાની અમારી સૌને ભલામણ છે. અંતમાં આ ગ્રંથ ભક્ત-સાધકને પોતાના ભાવની શુદ્ધિ સાધવામાં સહાયક થાઓ એ જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના. –-પ્રકાશન સમિતિ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભૂમિકા: માનવ પિતાના અસ્તિત્વકાળથી જ શાશ્વતપદની – શાશ્વત સુખની – શોધમાં રહેલું છે, કારણ કે શાશ્વતપાવું તેને મૂળ સ્વભાવ છે. આ પદની પ્રાપ્તિ માટે તેણે વિવિધ ઉપાયે ક્યા છે, વર્તમાનમાં પણ એ જી રહ્યો છે અને ભાવિ કાળમાં પણ જશે. મનુષ્યની પ્રકૃતિની વિવિધતા જાણીને પૂર્વાચાર્યોએ ભિન્ન ભિન્ન રુચિવાળા મનુષ્યોને જોઈ તપાસીને તેને ભિન્ન ભિન્ન સાધનાપદ્ધતિઓ બનાવી છે, પરંતુ તે સર્વ પદ્ધતિઓમાં એક શાશ્વતપદની સિદ્ધિ માટેનું જ લક્ષ રાખેલું છે. આ શાશ્વતપદની પ્રાપ્તિ અનેકવિધ કારણોના આવી મળવાથી થાય છે, જેમાં નિરંતર આત્મજાગૃતિ, બુરુનો બોધ, સન્માર્ગનું ગ્રહણ તથા અનુસરણ અને સતત અભ્યાસ મુખ્યપણે આવશ્યક છે. ઉપરોક્ત સાધનો દ્વારા પિતાના દોષને દૂર કરવારૂપ અને સદ્ગણોને ગ્રહણ કરવારૂપ સપુરુષાર્થ વડે જેમ જેમ પવિત્રતાની પ્રાપ્તિ થાય છે તેમ તેમ આત્મશુદ્ધિ વધતી જાય છે અને આ આત્મશુદ્ધિના માર્ગને જ શોમાં મોક્ષમાર્ગ કે નિર્વાણમાર્ગ કહ્યો છે. - આ પ્રમાણે મોક્ષમાર્ગને એટલે કે આત્માની પવિત્રતાને પામવાનાં અનેકવિધ સાધનમાં ભક્તિ એ એક અત્યંત મહત્ત્વનું સાધન છે. ભક્ત અને ભગવાનનું સ્વરૂપ, ભક્તિના વિવિધ પ્રકારે, તે પ્રકારોને સાધવાની વિધિ, ભકિતનું ફળ વગેરે ભક્તિમાર્ગવિષયક વિવિધ પાસાઓનું આલેખન આ ગ્રંથમાં કરેલું હોવાથી તેને “ભક્તિમાર્ગની આરાધના' એવું નામ આપ્યું છે. જ્ઞાન માગ અને ભક્તિમા – વર્તમાન સંદર્ભ: આણુયુગના આ જમાનામાં મોક્ષમાર્ગને તત્ત્વતઃ પામેલા આત્માનુભવી મહાત્માઓની અત્યંત દુર્લભતા છે. કવચિત કોઈ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સપુરુષને વેગ થાય તો પણ તેમના સાચા સ્વરૂપને ઓળખવાની શક્તિ પ્રમાણમાં બહુ જ થેલા સાધકેમાં દષ્ટિગોચર થાય છે. આમાં વળી વિશાળ સંખ્યાબળ છે જેમનું એવા નામધારી ગુરુઓ મહાધીન થયા થકા શિષ્યોને પિતાના સંકુચિત કુંડાળામાં એવી સખત રીતે જકડી રાખે છે કે તેમને બિચારાને પરમાર્થ-સત્સંગનો લાભ લેવાની તક મળે તે પણ તેઓ તેને લાભ લઈ શકતા નથી. કળિયુગમાં સામાન્યપણે અને છેલ્લા ત્રણ-ચાર સૈકાઓમાં વિશેષપણે, આવી પરિસ્થિતિ પ્રવર્તતી હોવાને લીધે, પ્રત્યક્ષ સપુરુષના સાનિધ્યમાં રહીને જ્ઞાનમાર્ગની આરાધનાની તક અસંભવપ્રાય થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં કેઈક વિરલ પુરુષને બાદ કરતાં ઘણું મહાત્માઓએ પિતે મુખ્યપણે ભક્તિમાર્ગનો આશ્રય કરી જ્ઞાનમાર્ગને ગૌણ કર્યો છે અને પિતાના આશ્રિતને પણ ભક્તિમાર્ગનું અવલંબન લેવાની મુખ્યપણે પ્રેરણા કરેલી છે કારણ કે તે પ્રમાણે વર્તવાથી જ સ્વપર-કલ્યાણને માર્ગ શીવ્ર પ્રશસ્ત થશે એવા નિર્ણય પર તેઓ આવેલા દેખાય છે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું કે “ઘણા પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સપુરુષના ચરણ સમીપે રહીને થાય તે ક્ષણવારમાં મિક્ષ કરી દે તે પદાર્થ છે.” * જ્ઞાનમાર્ગની વિકટતા અને તેનું દુરારાધ્યપણું : શ્રેયમાર્ગ મળે જ્ઞાનમાર્ગની સાધનામાં વિકટતા રહેલી છે અને આ કાળે તે, આગળ કહ્યું તેમ, પ્રત્યક્ષ સત્પષની દુર્લભતા ઉપરાંત બુદ્ધિની અલ્પતા અને મલિનતા પણ જોવામાં આવે છે. આ સંજોગોમાં શાસ્ત્રોને મર્મ પામ – અને તેમાં પણ વિતરાગદર્શનમાં કહેલાં સૂકમ તને મર્મ પામ – અતિ અતિ દુષ્કર જણાય છે. * શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ગુરૂગમ વિના પિતાની અલ્પમતિથી જેઓએ જ્ઞાનમાર્ગની આરાધનાને પ્રયત્ન કર્યો તેમાંના નવ્વાણું ટકા ઉપરાંતમાં શુષ્કજ્ઞાનીપણું, ઉદ્ધતાઈ, આડંબર, અતિવાચાળપણું, મિથ્યા અહંકાર, સ્વચ્છેદાધીનપણું, એકાંતનું પ્રતિપાદન, એકાંતનું આચરણ અને અંતરનું દ્વિધાપણું પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેમની આવી દશા હોય તેમનામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેની ભૂમિકા પણ સંભવતી નથી તે પછી આત્મજ્ઞાન તે કેવી રીતે સંભવે ? આમ, જ્ઞાનમાર્ગની આરાધનાનું આ કાળે દુરારાધ્યપણું જાણવું. ગમાર્ગ અર્થાત ધ્યાનમાર્ગ આત્મસાધનાની આ એક અગત્યની સુસિદ્ધ થયેલી પ્રાચીન પદ્ધતિ છે. બીજા અનેક મહાત્માઓ મધ્યે મહર્ષિ પતંજલિએ આ પદ્ધતિને આઠ વિભાગમાં વહેચીને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપે તેનું પદ્ધતિ સર વર્ણન કરેલું છે. પરંતુ આ પદ્ધતિમાં પણ પ્રત્યક્ષ ગુરુની અત્યંત આવશ્યકતા છે, નહિતર રોગાદિકના ઉપદ્રવથી કે રિદ્ધિસિદ્ધિની લાલસામાં પડી જવાથી સાધકનું આ માગે શીધ્ર પતન થવા સંભવ છે. વળી આ માર્ગને પામ સામાન્ય સદગૃહસ્થ માટે દુર્ગમ છે કારણ કે સાચા તત્વજ્ઞાનની પ્રાપ્તિ સહિત કમે કરીને તેમાં આહારજય, નિદ્રાજ્ય, આસન, ઈન્દ્રિયજય અને મને કરે પડે છે. આવી પ્રગરૂપ, પદ્ધતિસરની આધ્યાત્મિક સાધના મુખ્યપણે વ્યવસ્થિત ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા અભ્યાસ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. ત્રણેય આર્યપરંપરાઓમાં (વેદોક્ત, બૌદ્ધ અને જેન) આ કાળે આવી શુદ્ધ પરંપરાગત તાત્વિક સાધના પ્રાયે દષ્ટિગોચર થતી નથી. આવા સંજોગોમાં પ્રગરૂપ ધ્યાનમાર્ગની સમ્યફપણે આરાધના કરવી મોટા ભાગના સાધકને માટે કઠિન છે અને તેથી સ્વાભાવિક રીતે જ મોટા ભાગના સાધનો માટે મુખ્યપણે ભક્તિમાર્ગની આરાધના સહજ, સરળ, નિર્વિન, રૂચિકર અને શ્રેયસ્કર જણાય છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ: સાધનાના પંથમાં ભક્તિમાર્ગને આશ્રય કરવાથી જે વિવિધ લાભેને અનુભવ થાય છે તેમાંના મુખ્ય મુખ્ય નીચે પ્રમાણે છે : (૧) સરળતા ભક્તિમાર્ગમાં પરમાત્મા અથવા સદ્ગુરુ સાથેના દિવ્ય પ્રેમની સાધના કરવી એ મુખ્ય લક્ષ છે. હવે, સામાન્ય મનુષ્ય, વ્યવહારજીવનમાં પ્રેમ (મેહ) કરવા એટલે બધે ટેવાઈ ગયો છે કે પ્રેમ કરે એના માટે જાણે કે સહજ-સ્વાભાવિક બની ગયું છે. આ મનુષ્ય જ્યારે ભક્તિમાર્ગની આરાધના તરફ પ્રવૃત્ત થાય છે ત્યારે તેણે જગતના પદાર્થો પ્રત્યે વહેતી પિતાના પ્રેમની દિશાને વાળીને ધીમે ધીમે શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ સન્મુખ કરવાની છે. આ પ્રક્રિયાને છેડી સમજણપૂર્વક અને યુક્તિપૂર્વક અપનાવવામાં આવે તે તેમાં કઠિનતા અનુભવાશે નહિ. આમ કરવામાં આવતાં ભક્તિમાર્ગની જે એક નબળી કડી – અંધશ્રદ્ધા – તેને પણ સહેલાઈથી પરાભવ થઈ શકે છે, કારણ કે ભક્તિને સમજણ અને યુક્તિવાળી બનાવવામાં આવી છે. જેમ જેમ પાધિક પ્રીતિને જાત્યંતર કરીને નિરુપાધિક બનાવવામાં આવે છે તેમ તેમ પાપ-પ્રવૃત્તિ ઘટતી જાય છે, નિઃસ્વાર્થપણું વધતું જાય છે, કામક્રોધાદિ ભાવેને ધીમે ધીમે ઉપશમ થવા સાથે પુણ્યની સહજ વૃદ્ધિ થતી જાય છે, ચિત્ત પ્રસન્નતા અનુભવે છે અને સદાચારાદિ સુદઢ થતાં જાય છે. કહ્યું છે તેમ : “ભગવાનનાં દર્શન-પૂજનાદિથી પાપને વિનાશ થાય છે, સ્વર્ગના સોપાનની અને મોક્ષના કારણની સિદ્ધિ થાય છે, ઉપસર્ગો ક્ષય પામે છે, વિનિની વેલીઓને નાશ થાય છે અને મન પ્રસન્નતાને પામે છે.” આવા વ્યક્તિત્વને ઉદય થતાં આત્મજ્ઞાનપ્રાપ્તિની ભૂમિકા બંધાય છે; તેમ વળી આ પ્રકારે ભજવામાં વિશેષ કઠિનતા નથી, બનાવામાં આવેલ પાષિક પાટ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ કારણ કે આપણે જોયું તેમ આ પ્રક્રિયામાં માત્ર પ્રેમની દિશાને બદલવાના પુરુષાર્થ સિવાય કોઈ અન્ય કઠિન પરિશ્રમ કરે પડતે નથી. બીજા સાધને કરતાં ભક્તિ (માર્ગ)માં સુલભતા છે. તેથી જ સંતાએ કહ્યું : (ચે પાઈ) ભગતિ કરત બિનુ જતન પ્રયાસો | સંસ્કૃતિ મૂલ અવિદ્યા નાસા | અસિ હરિભગતિ સુગમ સુખદાઈ ક અસ મૂઢ ન જાહિ સહાઈ (૨) માન-અહંકારને નાશ: પરમાત્મા અને ગુરુની નિશ્રામાં કે આશ્રયમાં રહીને આત્મસાધના કરવાથી મનુષ્યભવમાં જે સૌથી મોટા શત્રુરૂપ છે એવા માન-અહંકાર વગેરે દોષને માથું ઊંચકવાને માટે જ મળતું નથી અને સ્વછંદ, અતિવાચાળપણું વગેરે દે પણ સહેલાઈથી વિલય પામે છે. શાસ્ત્રોક્ત વિધિથી ભાવપૂર્વક મંદિર જઈને ભગવાનને અષ્ટાંગ નમસ્કારાદિ કરવાથી તથા પૂજા, પાદસ્પર્શ, પાદપ્રક્ષાલન વગેરે કરવાથી સાધકમાં રહેલે અભિમાનને ભાવ તૂટતે જાય છે. પિતાની લઘુતા અને પ્રભુની પ્રભુતા સમજાતાં તેના હૃદયમાં પરમ પ્રેમને અને પવિત્રતાને સંચાર થાય છે અને દાસાનુદાસપણે રહીને તેની સાધના નિર્વેિનપણે આગળ વધે છે. કહ્યું છે માનાદિક શત્રુ મહા, નિજદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અ૫ પ્રયાસે જાય. * (૩) સર્વસુલભતા-બહુજનસાધ્યતા: ભક્તિમાર્ગની આરાધનાને પ્રારંભ કરવા માટે ઘણી યોગ્યતા ન હોય તે પણ ચાલે. સામાન્ય મનુષ્ય કે જે બહુ * શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર : ૧૮. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ભણેલે ન હોય, જેની બુદ્ધિશક્તિ બહુ ખીલેલી ન હોય, સ્મરણ શક્તિ કે ગ્રહણશક્તિ સામાન્ય હોય તે પણ તે પ્રભુભક્તિમાં લાગી શકે છે. તર્ક દ્વારા તત્વવિશ્લેષણ કરવાની અને મધ્યસ્થપણે ગુણ દેષનું સૂક્ષ્મ પૃથક્કરણ કરવાની શક્તિ ન હોય તે પણ દેવગુરુધર્મનું સામાન્ય ઓળખાણ કરી, તેમની આજ્ઞા પ્રમાણે આરાધના કરવાથી ઘણી જ મોટી સંખ્યામાં મનુષ્ય આ સાધનાપદ્ધતિ દ્વારા આત્મકલ્યાણને પામી શકે છે. (૪) સાદો, સીધો, નિકટક માર્ગ : એક વાર સાચા દેવ-ગુરુ-ધર્મની યથાર્થ ઓળખાણ થઈ જાય અને સત્સંગના વેગે થેડીઘણી પ્રીતિ જાગી જાય ત્યાર પછી આ માર્ગમાં વિદને નહિવત્ છે. કેઈ પ્રકારના વાદવિવાદમાં ઊતરવું પડતું નથી, કે ગલી-કૂંચીવાળે રસ્તે નથી, કે વાંકાચૂંકા જવાની જરૂર નથી. શાસ્ત્રમાં આ માર્ગને “આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ” એ પ્રકારે કહ્યો છે. અહીં તે સદ્ગુરુએ બતાવેલા માર્ગ ઉપર સીધી લીટીમાં (નાકની દાંડીએ) ચાલ્યા જ જવાનું છે. શ્રદ્ધા, નિષ્ઠા, ઉદ્યમ અને સરળતાસહિત સમર્પણભાવ આવતાં યેગ્ય ફળની પ્રાપ્તિ નિશ્ચિત જ છે, કારણ કે આ રસ્તે કઈ દ્વિધા નથી, તે અનુભવસિદ્ધ માર્ગ છે અને પૂર્વે અનેક મહાત્માઓને તેના દ્વારા કલ્યાણની પ્રાપ્તિ થયેલી છે. પ્રસ્તુત ગ્રંથનું આયોજન: આ ગ્રંથને ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યો છે – (૧) પ્રથમ ખંડ – નવધા ભક્તિ (૨) બીજો ખંડ – સંત મહાત્માઓનાં ચરિત્ર (૩) ત્રીજો ખંડ – પ્રેરણાત્મક પદો, ધૂને, ભજને. (૧) પ્રથમ ખંડ: આ ખંડમાં ભક્તિમાર્ગની ભૂમિકા સહિત નવધા ભક્તિનું વર્ણન છે. પ્રારંભમાં ભક્તિનું સ્વરૂપ જણાવ્યું છે. ત્યાર પછી ભક્તિ માટે જેમનું અવલંબન લેવાનું છે તેવા શ્રી દેવ-ગુરુ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ (૨)” ત્રિા માથે ભજિયા ધર્મનું સંક્ષેપમાં સ્વરૂપ બતાવ્યું છે. ભક્તિની સાધનાને મુખ્ય વિષયને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવા માટે, નવ પ્રકારની ભક્તિ દ્વારા તેને રજૂ કર્યો છે. એક પછી એક પ્રકારની ભક્તિ દ્વારા કેવી રીતે સાધકની મલિનતા દૂર થાય છે, કેવી રીતે તે સદ્ગુણસંપન્ન બને છે, કેવી રીતે તેની દષ્ટિ તાત્વિક, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર થતી જાય છે અને છેલ્લે ભક્તભગવાનની પારમાર્થિક એકતાનું સ્વરૂપ લાધતાં કેવી રીતે તેનામાં અનન્ય’, ‘પરી’ કે ‘સ્વરૂપ ભક્તિ પ્રગટે છે તેનું આલેખન કર્યું છે. (૨) બીજો ખંડ: બીજા ખંડમાં સંત મહાત્માઓનાં ચરિત્રનું સંક્ષેપમાં આલેખન કર્યું છે. જેમનાં ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે તેઓ બધા ઈતિહાસપ્રસિદ્ધ છે. જે મહાત્માઓએ પિતાના જીવનકાળ દરમિયાન વિશિષ્ટ સાધના કરી હોય, જેમના વ્યક્તિત્વમાં ભક્તિનું તત્ત્વ સ્પષ્ટપણે તરી આવતું હોય, જેઓએ પોતાના જમાનાના સમાજ ઉપર વિશેષ પ્રભાવ પાડ્યો હોય અને એવું સત્સાહિત્ય નિર્માણ કરેલું હોય કે જે સદીઓ સુધી ભક્ત સાધકોને પ્રેરણા સ્ત્રોત બની રહે, તેવા મહાત્માઓના ગુણાનુવાદ આ ખંડમાં કર્યા છે. તેઓ બહુવિધ વ્યક્તિત્વવાળા છે, મહાકવિ છે, ભક્ત છે. જ્ઞાની છે, યુગપ્રધાન છે, તાર્કિક છે, વાદી છે, રિદ્ધિ સિદ્ધિના ધારક છે. સિદ્ધાંતજ્ઞ છે, ન્યાય, ભાષા, અલંકાર, છંદ, શાસ્ત્રાદિ વિદ્યાઓના પારગામી છે અને તે તે કાળના રાજ્યકર્તા પુરુષના પ્રતિબંધક પણ છે. આવા મહાપુરુષનાં જીવનચરિત્રે ભક્ત સાધકને ખરેખર દીવાદાંડી સમાન બની રહે અને આપણું સૌને જીવનવિકાસમાં વિશેષ પ્રેરણાના સ્રોત થાઓ ! (૩) ત્રીજો ખંડ: આ ખંડમાં ભક્તિપિષક અને પ્રેરણાદાયી પદે, ભજન અને ધૂનેનું સંકલન કરવામાં આવ્યું છે, જેની વિષયવાર યાદી અનુકમણિકામાં આપેલી છે. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ લેખનપદ્ધતિ : (ક) ભક્તિમાર્ગના આચાર્યોને અનુસરીને વ્યવહારનયની મુખ્યતાથી આ ગ્રંથમાં સાદી ભાષામાં આલેખન કરેલું છે જેથી ભક્તજનેને સમજવામાં સરળતા રહે અને શ્રદ્ધાનું બળ વધે. વળી આ પદ્ધતિને અનુસરવાથી પ્રાર્થનામાં કે પ્રાયશ્ચિત્તમાં ઈષ્ટદેવ કે શ્રી સદગુરુ સાથે કેવી રીતે આત્મીયતા સ્થાપવી તેને પણ ખ્યાલ આવી શકે છે. જ્યારે જ્યારે ભગવાને કૃપા કરી” અથવા “સદ્ગુરુએ આશીર્વાદ આપ્યા એમ લખ્યું હોય ત્યારે આવા બનાવે શિષ્યની પાત્રતાની પરિપકવતાથી, પુણ્યગના ફળરૂપે, યેગાનુયોગે બનેલા સહજ બન જાણવા. વસ્તુનું મૂળ સ્વરૂપ આ પ્રમાણે હોવા છતાં, ભકિતમાર્ગની આરાધનાના કમિક વિકાસમાં શુદ્ધ અવલંબનની અને વિશિષ્ટ સત્સંગની ઉપયોગિતા જ નહિ પણ અનિવાર્યતા સ્વીકારીને એક પછી એક, ઉપર ઉપરનાં સોપાનોનું અવલંબન લઈને સાધક કેવી રીતે આગળ વધે છે તેનું પણ સ્પષ્ટ આલેખન કર્યું છે. આ મુદ્દાને વિસ્તાર ‘લઘુતા” અને “પ્રાર્થનાના પેટાવિભાગના આલેખનમાં જોઈ લેવા વાચકને વિનંતી છે. ઉત્તમ કક્ષાની ભક્તિ એ વાંચવા, જાણવા, સમજવાને, કહેવાને કે લેખનને વિષય નથી કારણ કે તે અતિ સૂક્ષ્મ છે, અનુભવરૂપ છે, વિરલ છે અને કોઈ સુપાત્રના જીવનમાં દીર્ઘકાળની શ્રદ્ધા અને અભ્યાસના ફળરૂપે પ્રગટે છે, જેથી, અને તે વિષે મૌન જવું શ્રેયસ્કર જણાય છે. (૩) વિષયનું પ્રતિપાદન મધ્યમ વિસ્તારથી કરેલું છે. (૪) પારિભાષિક શબ્દોનો ઉપયોગ તદ્દન ઓછો કરવામાં આવ્યું છે. . (૬) બિનસાંપ્રદાયિક અને પ્રયોગરૂપ આધ્યાત્મિક સાધનાના દષ્ટિકોણને જ સર્વત્ર મુખ્ય રાખવામાં આવ્યું છે. ત્રીજા ખંડમાં જ્યાં વિવિધ સંત મહાત્માઓની કૃતિઓનું અવતરણ કરેલું છે For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ત્યાં, આધ્યાત્મિક દૃષ્ટિની મુખ્યતા રાખીને અત્રે પૃષ્ઠ ૧૫ ઉપર બતાવ્યા પ્રમાણે તે તે શબ્દોના અર્થ કરવા અને સમજવા વાચકોને વિનતી છે. સપ્રદાયબુદ્ધિને વશ થઈ પોતાના મત પંથના કોઈ ભગવાન, સંત મહાત્મા કે અન્ય કોઈ વ્યક્તિવિશેષ પ્રત્યે જ પ્રીતિ કરવી એ સાચા સાધકની દૃષ્ટિ નથી. ગુણાની અધિકતાને લઇને, તે તે પુરુષોના વ્યક્તિત્વની સાચી તેમના ગુણેમાં અનુરક્ત થઈ તેવા ગુણેા પોતે પુરુષાર્થ કરવા તે જ પારમાર્થિક ભક્તિ છે. આ વાત ફરી ફરી વિચારી, સાધકે દૃષ્ટિરાગ કે વ્યક્તિરાગ છેાડી ગુણાનુરાગ કેળવવા યેાગ્ય છે. પરંતુ એળખાણ કરીને, પણ પ્રગટ કરવાના ગ્રંથની ઉપયેાગિતા : (૧) નિજભાવનાની વૃદ્ધિ ; આ ગ્રંથ લખતી વખતે અને સંપાદન કરતી વખતે અનેક શાસ્ત્રો, મહાપુરુષોનાં ચિત્રો અને પદ-ભજના વગેરે વાંચવાનું, વિચારવાનું અને અભ્યાસવાનું સૌભાગ્ય લેખકને પ્રાપ્ત થયું, તે દ્વારા તેની ધભાવનામાં વૃદ્ધિ થઈ છે. (૨) પાથેયનું એકીકરણ સમયની તંગીના આ જમાનામાં ભક્તસાધકોને એક જ ગ્રંથમાં ભક્તિમાર્ગનું વિવિધલક્ષી અને ઉપયાગી પાથેય મળી રહે, જેથી તેમને અનેક ગ્રંથોના આશ્રય કરવાને પરિશ્રમ અને સમય બચી જાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. (૩) અધ્યાત્મજીવનમાં ભક્તિનું વિશિષ્ટ સ્થાન: ઘણા મુમુક્ષુએ એમ માનતા હોય છે કે અધ્યાત્મશાસ્ત્રો વાંચીને જ્ઞાનની પ્રાપ્તિ કરી લઈશું, તેમાં સદ્ગુરુ કે પરમાત્માની ભક્તિની શી આવશ્યકતા છે?' બુદ્ધિની મલિનતા દ્વારા કુત ના આશ્રય કરવાથી ઊપજેલે તેમના આવા ભ્રમ આ ગ્રંથના સમ્યક્ પરિશીલનથી દૂર થવા યાગ્ય છે. (૪) અધ્યાત્મ-સ’ગીતથી ભાવવિશુદ્ધિઃ આ ગ્રંથના પ્રથમ ખંડમાં આ પેલાં વિવિધ અવતરણાનું, તથા તૃતીય ખંડમાં ઉધૃતા For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 18 લયબદ્ધ કરેલાં ભક્તિ પદોનું, ભજનનું, ગાથાઓનું, ધૂનેનું, મંત્રોનું કે એવાં બીજાં પદોનું શાંત પવિત્ર વાતાવરણમાં રહીને, લયબદ્ધ અધ્યાત્મસંગીત સહિત ભાવપૂર્વક ઉચ્ચારણ કરતાં વિશિષ્ટ ભાલાસ, રોમાંચ, પવિત્ર સ્પંદનનું વેદના અને ભાવની વિશુદ્ધિ આદિ અનેક પ્રકારની અનુભૂતિ થાય છે. આ કારણથી બને તેટલાં પદોના છંદ, રાગ, ઢાળ તે તે પદોને મથાળે આપ્યા છે. આવી વ્યક્તિ વારંવાર કરવા વાચકવર્ગને ખાસ ભલામણ છે. આ અથે જિજ્ઞાસુઓએ જાણકાર કે નિષ્ણાત અનુભવી સંગીતજ્ઞ ભક્ત પાસે થોડો સમય (છબાર મહિના) અભ્યાસ કરે. આ અભ્યાસ પૂરો કરીને, પિતે જ્યાં રહેતા હોય ત્યાં પાંચ દસ જિજ્ઞાસુ ભક્તો ભેગા મળી, જે લયબદ્ધ ભાવભક્તિને પ્રગ કરશે તે તેમણે શાસ્ત્રોક્ત “કીર્તન નામની ભક્તિ કરી ગણાશે; જે જનસામાન્યને વિશેષપણે રુચિકર અને પ્રેરક હેવાથી ધીમે ધીમે એક અગત્યનું ધર્મપ્રભાવનાનું કારણ બનશે. આવા ઉચ્ચ કક્ષાના ભાવમય અધ્યાત્મસંગીતની આ કાળમાં ખૂબ આવશ્યકતા છે, અને સ્વ-પર-કલ્યાણમાં – પવિત્રતાની પ્રાપ્તિમાં – તે ખૂબ સહાયભૂત થાય છે એ લેખકના જીવનને પ્રગાઢ અનુભવ છે. છેલ્લે, આ ગ્રંથમાં જે કાંઈ પણ સારભૂત લાગે તે સદ્દગુરુ સંતની કૃપાનું ફળ છે એમ જાણી, વિવેકી સજજને તેને અપનાવશે અને તેમાં રહી ગયેલી ત્રુટિઓ પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને, ઉદાર ચિત્ત રાખી, લેખકને ક્ષમા કરશે એવી ભાવના ભાવી વિરમું છું. ૩ શાંતિઃ –લેખક ર કરી ગણ ધીમે એક અધ્યાત્મવિત્રતાની For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં આવેલા કેટલાક શબ્દોના અર્થ આ ગ્રંથમાં કેટલાક પરમાત્મવાચક શબ્દો વાપરવામાં આવ્યા છે, તે શબ્દોને આધ્યાત્મિક અર્થ અહીં આપે છે. વાચકોને પણ તે શબ્દોને આ દૃષ્ટિથી અર્થ સમજવા અને સાંપ્રદાયિક કે વ્યક્તિવાચક દષ્ટિથી અર્થ ન કરવા વિનંતી છે. (૧) રામ ઃ મત્તે શેનનો ચરમન–જેમાં યોગીએ રમણતા કરે છે, તલ્લીન થાય છે તે શુદ્ધ આત્મા. (૨) વિષ્ણુઃ પિતાના જ્ઞાન દ્વારા જે સર્વત્ર વ્યાપે છે તે, સર્વજ્ઞા પરમાત્મા. (૩) શંકર : જે કલ્યાણ કરનારા છે તે, પરમાત્મા. (૪) રહીમ: જે સર્વ જી પર રહેમ અથવા દયા કરે છે તે. (૫) પારસઃ જે પોતાના સ્વરૂપને સ્પર્શ કરે છે તે. (૬) હરિ : જે પાપને અને તાપને હરવાવાળા છે તે. (૭) મહાદેવઃ રાગ અને દ્વેષરૂપ મëને જેમણે જીત્યા છે તે મેટા દેવ–મહાદેવ છે. (૮) શિવ ! શિવ એટલે કલ્યાણ જે પિતે કલ્યાણ સ્વરૂપ છે અને અન્ય જેને પણ કલ્યાણનું નિમિત્ત છે તે. (૯) સુરત ઃ જેઓ રૂડી–ઉત્તમ ગતિને મોક્ષને) પામ્યા છે તે. (૧૦) જિન : વિકારના, કર્મોના અને ઈન્દ્રિયેના જીતનારા તે જિનપરમાત્મા. (૧૧) નારાયણઃ જે મનુષ્ય ના શરીર)માં રહે છે તે, ચૈતન્ય સ્વરૂપી આત્મા. (૧૨) શ્રીપતિ : અનંત જ્ઞાનરૂપી લક્ષ્મી(શ્રી)ના પતિ સર્વજ્ઞ પરમાત્મા. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ આરંભમાં સમર્પણ, આભાર-દર્શન, પ્રકાશકીય નિવેદન અને પ્રસ્તાવના પ્રથમ ખંડઃ નવધા ભક્તિ ૩-૬ ૮ - ૯ { (૧) ભક્ત અને ભગવાન ભક્તનું સ્વરૂપ, ભક્તનાં લક્ષણો (વિવેક, નિસ્વાર્થ પણું, શારીરિક પાપકાર્યોને ત્યાગ, ભક્તિક્રમના અભ્યાસમાં ઉત્સાહ, પ્રસન્નતા, અનાસક્તિને અભ્યાસ) ભગવાન અથવા પરમાત્મા શ્રી સદ્ગુરુનું સ્વરૂપ શુદ્ધ ધર્મપ્રરૂપક શાસ્ત્રો (૨) ભક્તિના વિવિધ પ્રકારે ભક્તિની ઉત્પત્તિને ક્રમ અને તેનું મને વિજ્ઞાન (૩) નવધાભક્તિની આરાધના શ્રવણ-કીર્તન શ્રવણ (શ્રવણુધર્મની આરાધનાની અગત્ય) કીર્તન (કીર્તનની સાધનાપદ્ધતિ, ઉત્તમ કીર્તનકાર એક વિરલ વિભૂતિ, વર્તમાનકાળના સંદર્ભમાં સંકીર્તન-ભક્તિ) ૧૮-૩૬ (૪) વંદન સેવન આરાધનાપદ્ધતિ, પૂજા (દ્રવ્યપૂજા, ભાવપૂજ) વંદન-સેવા-પૂજા: એક દષ્ટિ-વ્યક્તિગત સામુહિક સામાજિક પ્રૌઢાવસ્થામાં ધર્મજીવનનું આયોજન. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ (૫) ચિંતવન. થાન સાધનાપદ્ધતિ, (જાપ, ચિતવન, ધ્યાન), નામસ્મરણના અભ્યાસમાં ઉપયોગી મુદ્દા, ચિંતનમાં અવલંબનની વિવિધતાનો સ્વીકાર, ધ્યાન. ૩૭-૪૬ (૬) લઘુતા સાધનાપદ્ધતિ, પ્રાર્થના, ભક્તના મુખ્ય ચાર પ્રકાર, આધ્યાત્મિક અભિગમ (લઘુતા સહિત આત્મસમર્પણ, વિશ્વાસ, નિસ્પૃહતા પૂર્વક નિજદષકથન, પ્રાર્થનાનું વિજ્ઞાન, કરેલા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા) ૪૭-૬૪ (૭) સમતા-એકતા સમતા (ભક્તિને સૂધમભાવ), એકતા, સમતા-એકતાની પ્રાપ્તિની વિવિધ ભૂમિકાઓ ૬૫–૭૪ બીજે ખંડઃ સંત-મહાત્માઓનાં ચરિત્રો (૮) સંત-ભક્તોનાં ચરિત્રો (૧) આદ્યસ્તુતિ કાર શ્રી સુમંતભદ્ર સ્વામી (૨) યુગપ્રધાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર (૩) મહાકવિ શ્રી માનતુંગાચાય (૪) ઋષભયશગાથાકાર શ્રી જિનસેન (૫) સૌમ્યમૂર્તિ આચાર્ય શ્રી અમિતગતિ (૬) મહાપ્રભાવક શ્રી હેમચંદ્રાચાર્યજી (૭) મેધાવી મહાકવિ આશાધરજી (૮) ભક્તિસાહિત્યકાર શ્રી સકલકીર્તિ (૯) મહા મા કબીરદાસજી ૧૦૧ (૧૦) ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા ૧૦૫ (૧૧) પ્રભુપ્રેમદીવાની મીરાંબાઈ ૧૦૯ (૧૨) પરમભક્ત અધ્યાત્મણી શ્રી આનંદધનજી ૧૧૩ (૧૩) ભક્ત કવિશ્રી ઘાનતરાયજી ૧૧૮ (૧૪) પરમ તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી ૧૨૨ (૧૫) ભક્ત કવિ શ્રી નાનચંદ્રજી મહારાજ ૧૨૬ ૭૭ ૮૧ ૮૮ કલ ૯ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ૧૩૭ ત્રીજો ખંડ: પ્રેરણાત્મક પદ-ધને-ભજને (૯) ભજન-ધૂન-પદસંચય પંચ મંગળપદને નમસ્કાર (1) વૈરાગ્યપ્રેરક પદો (૨) પ્રભુભક્તિનાં પદે (૩) સત્સંગ-ગુરુ-માહાત્મ્યનાં પદે (૪) મનુષ્યભવની દુર્લભતા દર્શાવનારાં પદ (૫) આત્મા અને આત્મજ્ઞાન-સંબંધી પદે (૬) પ્રકીર્ણ પદે (૭) પ્રાર્થના અને આરતી (૮) શાંતિદાયક ધૂને પરિશિષ્ટ ૧૩૯ ૧૪૮ ૧૫૫ ૧૫૮ ૧૬૪ ૧૬૬ ૧૭૨ ૧૭૪ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ– Guધા ભકિત For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧) ભBત અn બગવાડા ભૂમિકા : આત્મકલ્યાણની શ્રેણીને પામવા માટે ભારતીય તત્વજ્ઞાનીએએ મુખ્ય ત્રણ પ્રકારની સાધનાપદ્ધતિઓને સ્વીકાર કરે રવામાં આવે છે. ભક્તિમાર્ગની સાધના, જ્ઞાનમાર્ગની સાધના અને એગમાર્ગની સાધના. પ્રાથમિક ભૂમિકાઓમાં ચિત્તશુદ્ધિને માટે નિસ્વાર્થ સેવાને પણ ઉપકારી જાણીને ઘણા તત્વવિચારકોએ નિષ્કામ કમગને પણ એક વિશિષ્ટ સાધનાપદ્ધતિ તરીકે સ્વીકારેલ છે. વ્યાખ્યા : પ્રસ્તુત ગ્રંથમાં અધ્યાત્મ દષ્ટિકેણને મુખ્ય રાખીને આપણે ભક્તિમાર્ગની આરાધનાની સર્વતમુખી વિચારણા કરવાના છીએ. પરમાત્મા પ્રત્યેના દિવ્ય પ્રેમને ભક્તિ કહેવામાં આવે છે, આ પ્રેમ-ભક્તિની આરાધના દરમ્યાન જ્યારે આ લેકની અને પરકની સર્વ ઈચ્છાઓને ત્યાગ કરવામાં આવે છે ત્યારે તે નિર્મળ ભક્તિ શીધ્ર ચિત્તશુદ્ધિનું કારણ બને છે અને સાધક-ભક્ત આત્મકલ્યાણના માર્ગે ત્વરિત ગતિથી પ્રયાણ કરી શકે છે. આ કક્ષાએ બે વસ્તુ સારી રીતે જાણી લેવી જોઈએઃ (૧) ભક્ત કેવા ૧. તે ભક્તિ પરમાત્મામાં પરમ પ્રેમ કરવારૂપ છે, કોઈ સુપાત્રમાં કયારેક પ્રગટે છે, અતિસક્સ અને અનુભવરૂપ છે. -ભક્તિસૂત્ર નં. ૨-૫૩-૫૪: શ્રી નારદજી વિરચિત. ૨, પરમાત્મા (અરિહંત), આચાર્ય, વિશિષ્ટ શાસ્ત્રજ્ઞ તથા પ્રવચન અમે વિશુદ્ધ પ્રેમ તે ભક્તિ છે–સર્વાર્થસિદ્ધિ -૨૪: શ્રી પૂજ્યપાદ સ્વામી. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ મા તે રાત્રિ આપી શકે. નામ ભક્તિમાર્ગની આરાધના હેય, અને (૨) ભગવાન (ઉપલક્ષથી ગુરુ અને શાસ્ત્ર) કેવા હોય. પ્રથમ ભક્તને સ્વરૂપને વિચાર કરીએ : ભાનું સ્વરૂપ : ભક્ત શબ્દ મન્ ધાતુ ઉપરથી બનેલું છે. મન ધાતુને અર્થ સેવા કરવી, ભજન કરવું એ થાય છે. મને મના કૃતિ મતિ, માનિત નવા ફતિ માં – એમ વ્યુત્પત્તિ થઈ શકે છે. જે પ્રભુમાં પ્રીતિવાળ હોય, નિષ્ઠાવાળો હેય, સેવા-પૂજા-સ્મરણ કે કોઈ પણ અન્ય પ્રકારે પ્રભુની ભક્તિ કરનાર હોય તે ભક્ત છે. જે આ ભક્ત હોય તેનું વ્યક્તિત્વ કેવું હોય તે હવે આપણે જોઈએ; જેથી આપણને તેવું વ્યક્તિત્વ કેળવવાની પ્રેરણા મળે – અને જે આપણને ભક્ત હોઈએ તે આપણી સાધનાની શ્રેણી કેટલી ઊંચી છે તેને પણ ક્યાસ (તારા) નીકળી શકે. ભક્તિમાર્ગની આરાધનાની પ્રથમ અને મધ્યમ ભૂમિકામાં રહેલા ભક્તનાં મુખ્ય મુખ્ય લક્ષણો સંક્ષેપમાં નીચે પ્રમાણે કયાં છે ? ભક્તનાં લક્ષણે : ૧. વિવેક, ૨. નિઃસ્વાર્થપણું, ૩. શારીરિક પાપકાર્યોને ત્યાગ, ૪. ભકિમના અભ્યાસમાં ઉત્સાહ, ૫. પ્રસન્નતા, ૬. અનાસક્તિને અભ્યાસ. (૧) વિવેક : અહીં હજુ વ્યાવહારિક વિવેકની જ મુખ્યતા હોય છે. સારું શું અને નરસું શું, ભક્ષ્ય શું અને અભક્ષ્ય શું, પુણ્ય શું અને પાપ શું, હિંસા શું અને અહિંસા શું, સ્વધનસ્વ સ્ત્રી શું અને પરધન-પરસ્ત્રી શું ? વગેરે વસ્તુઓને વ્યવસ્થિત પણે ભેદ પાડીને રૂડી વસ્તુઓને અહીં ગ્રહણ કરવામાં આવે છે અને આત્મકલ્યાણમાં (ભક્તિની આરાધનામાં) બાધક વસ્તુઓને અપરિચય – ત્યાગ – કરવામાં આવે છે. “ધર્મ સારે છે.” સત્યઅહિંસા પાળવાં જોઈએ”, “સંતને આદર કરવો જોઈએ વગેરે બાબતના સ્વીકારની આ ભૂમિકા છે. (૨) નિ:વાણિઃ જ્યાં તીવ્ર સ્વાર્થવૃત્તિ હોય ત્યાં For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ભકત અને ભગવાન સત્કાર્યમાં પ્રવૃત્તિ બની શકતી નથી. સ્વાર્થ એટલે કે પાંચ ઇન્દ્રિયના વિષયેની સગવડતા મેળવવાની લેલુપતા. રેજ-બરોજના જીવનમાં વિચારીએ તે નિઃસ્વાર્થતાને અર્થ છે : “કમ ખાના ઔર ગમ ખાના” “મારે તે જે હશે તે ચાલશે.” “ચાલે, તમારી સાથે (પરમાર્થનું) કામ કરવા આવું છું,” “મારે તે આ કામ કરવામાં કંઈ પણ વેતન લેવાનું નથી” ઇત્યાદિ. (૩) શારીરિક પાપકાર્યોને ત્યાગ : જેકે જિજ્ઞાસુ ભક્ત મનથી અને વાણીથી પણ પાપકાર્ય કરવા ઈચ્છતે નથી પણ હજુ તેટલી સ્થિતિને પહોંચ્યું નથી તેથી લડાઈ-ઝઘડે નિવારે છે, વિશ્વાસઘાત કરતું નથી, દારૂ, જુગાર, ચેરી અને વ્યભિચારને અવશ્ય ત્યાગ કરે છે, માંસાહાર છેડે છે. આમ, સ્થૂળપણે પાપત્યાગની ભૂમિકાની સાધના દ્વારા પિતાની પાત્રતા વધારે છે. (૪) ભતિક્રમના અભ્યાસમાં ઉત્સાહ : પિતાના જીવનને પવિત્ર બનાવનાર એવાં સાધનોમાં નિયમિતપણે પ્રવર્તે છે એટલે કે સત્સંગમાં ઉત્સાહપૂર્વક જાય છે, સર્વાચન કરે છે અને કરાવે છે, પ્રભુદર્શન કે તીર્થદર્શનમાં ઉમંગવાળે રહે છે અને નિયમિતપણે સવારે, બપોરે કે સાંજે તેત્ર, મંત્ર, પ્રાર્થના, પારાયણ, જાપ, વન્દના કે ભક્તિક્રમ હોય તેને નિયમથી આદરે છે. ધાર્મિક કાર્યોમાં ઉત્સાહ એ આ કક્ષાએ અગત્યનું લક્ષણ છે. (૫) પ્રસન્નતા : જેકે આ લક્ષણને વિશિષ્ટ વિકાસ તે આગળની ભૂમિકામાં થાય છે તે પણ અહીંથી જ તેની શરૂઆત થઈ જાય છે. કેઈ ધર્મકાર્ય “વેઠીરૂપે કરવામાં આવતું નથી. તે ભક્ત દિવેલિયા કે ઉદાસ ચહેરાવાળે રહેતું નથી. સર્વ કર્યો કરતાં અને ખાસ કરીને ધર્મ અનુષ્ઠાન કરતી વખતે તે ચિત્તની પ્રસન્નતા જારી રાખે છે. (૬) અનાસતિને અભ્યાસ : જે ધર્મને ઈચ્છે છે, પ્રભુ પ્રેમને આરાધે છે, તે વર્ષના પ્રાણસ્વરૂપ એવી અનાસકિતને For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના પણું ઈચ્છે છે અને તેથી કઈ પણ પ્રકારની મેહાંધતાને વિશે રુચિપૂર્વક – બુદ્ધિપૂર્વક પ્રવર્તતા નથી. આમ કરવા માટે ખાવામાં, પીવામાં, હરવાફરવામાં, વાતચીતમાં, ધંધા વ્યાપારમાં, લેણદેણમાં, કૌટુંબિક સબંધમાં કે અન્ય કોઈ પણ કાર્યમાં તે ભક્ત તીવ્ર પણે આસક્ત થઈ જતું નથી. જગતના સમસ્ત પદાર્થો પ્રત્યેની મેહમાયાને ઘટાડવાનો પ્રયત્ન ભક્તજન નિરંતર કર્યા જ કરે છે. માટે જ કહ્યું છે? (દેહરા) વિષયને લગી પ્રીતડી, તબ હરિ અંતર નાહિં, જબ હરિ અંતર બસે, પ્રીતિ વિષયસે નાહિં. – કબીરનાં આધ્યાત્મિક પદે ૧-૬-૧ આ પ્રમાણે ઉપર વર્ણવેલા ગુણે જ્યારે ભક્તના જીવનમાં પ્રગટે છે અને પરિપકવતાને પામે છે ત્યારે તે ખરેખર ભક્તિની આરાધનામાં ત્વરાથી આગળ વધે છે. આવા ભક્તનું સુંદર શબ્દચિત્ર શ્રીરામચરિતમાનસમાં દૃષ્ટિગોચર થાય છે ? (ચે પાઈ) સરલ સુભાવ ન મન કુટિલાઈ ! જથા લાભ સંતોષ સદાઈ છે બૈર ન બિગ્રહ આસ ન ત્રાસા સુખમય તાહિ સદા સબ આસા. અનારંભ અનિકેત ' અમાની અનધર અરષદ" વિજ્ઞાની છે પ્રીતિ સદા સજજન સંસર્ગ તૂન સમ વિષય સ્વર્ગ અપવર્ષા | આ જે ભક્ત તેણે કેની ભક્તિ કરવી ? અને શા માટે કરવી? એમ પ્રશ્ન થાય તેને ઉત્તર એ છે કે તેણે ભગવાનની, સદ્દગુરુની અને શુદ્ધ ધર્મપ્રરૂપક શાસ્ત્રની ભક્તિ કરવી. આવી ભક્તિનું પ્રયોજન પિતાના ચિત્તને નિર્મળ અને સ્થિર કરવાનું છે કારણ કે આવા નિર્મળ હદયમાં જ ભગવાનના દર્શન સહેજે થઈ શકે છે. કહ્યું છે કે ૧. ઘર વગરના ૨. વિનયી ૩. પાપરહિત ૪. ક્ષમાવાન ૫. કુશળ ૬. માણ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ભકત અને ભગવાન ૧. પ્રવચન મંજન ને સદગુરુ કરે, દેખે પરમનિધાન જિનેશ્વર! હૃદયનયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર! ધર્મ જિનેશ્વર ગાઉં રંગરું –શ્રીમદ્ આનંદઘનજીકૃત ધર્મનાથ સ્વામીનું સ્તવન (દેહરા) ૨. મન ઐસા નિમજ ભયા, જૈસે ગગાનીર પછે પાછે હરિ ફિરે, કહત કબીર કબીર સરળ હૃદય સહિત એવી શુદ્ધ વસ્તુનું અવલંબન લેવું જોઈએ કે જેની સાથે સંપર્ક થતાં, પરિચય થતાં, મગ્નતા થતાં ભક્તનું જીવન પણ ત્વરાથી શુદ્ધિને પ્રાપ્ત કરે. (૧) ભગવાન અથવા પરમાત્મા : લૌકિક કાર્યોમાં આપણે જેવા થવું હોય તે આદર્શ ખ્યાલમાં રાખીને તે આદર્શની આરાધના કરીએ છીએ. જેમ કે ધનને આથી રાજાને સેવે છે અથવા ભારતને દેશભક્ત મહાત્મા ગાંધીજી અથવા સુભાષચંદ્ર બેઝને ખ્યાલમાં રાખીને પિતાનું જીવન ઘડે છે. પરમાર્થ માર્ગમાં આ જ પ્રમાણે ભક્ત પણ તેવા પરમાત્માને ભજે છે, જેમાં સર્વ સદ્ગુણે પૂર્ણપણે પ્રગટી ગયા હોય. પરમાત્માના અનન્ત ગુણે મણે તેમનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ અને વક્તાપણું મુખ્ય છે. જ્ઞાનને રેકનારાં એવાં જ્ઞાનાવરણીય કર્મોને, આનંદને રોકનારી એવી ચિત્તની અસ્થિરતાને અને વક્તાપણાને શેકનાર એવા પક્ષપાતને અને અલ્પજ્ઞતાને જેમણે પૂર્ણપણે પરાભવ કર્યો છે અને તેના ફળસ્વરૂપે જેઓએ પૂર્ણ જ્ઞાનાનંદદશા સહિત સર્વોત્કૃષ્ટ વક્તાપણું પ્રગટ કર્યું છે તેવા વીતરાગ પરમાત્માની ભક્તિ વિવેકી ભક્તોને પરમ પ્રિય હોય છે. આવા પરમ શાંત ભાવને પ્રાપ્ત થયેલા પરમાત્મા, જેમના દર્શનથી ભક્તમાં અત્યંત શાંત, શીતળ, ઉપશમ, પવિત્ર ભાવેની ઊર્મિઓ જાગે તેમને ભજવાથી ભક્તનું કાર્ય શીધ્ર સિદ્ધ થાય છે. તેમનું સંક્ષિપ્ત સ્વરૂપ સત્યરૂએ આ પ્રમાણે વર્ણવ્યું છે: For Pe For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમામની સાધના (સદ્દગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ.એ દેશી) ૧. જિસને બહેવ કામાદિક જીતે, સબ જગ જાન દિયા, સબ ઇકો ક્ષમાગક નિઃસ્પૃહ હે ઉપદેશ દિયા બુદ્ધ વીર જિન હરિહર બહા, ચા ઉસકે સવાધીન કહે, ભકિતભાવને પ્રેરિત હૈ યહ, ચિત્ત ઉસીએ લીન રહે.' (દોહરા) • બાહ્ય તેમ અત્યંતરે થથ ચરથ નહિ હોય, પરમ પુરુષ તેને કહે, સરળ દષ્ટિથી જય. નિરાગી, નિર્વિકારી, સચિદાનંદ સ્વરૂપ, સહાનદા, અનંત જ્ઞાની, અનત દર્દી અને ગ્રામ્ય પ્રકાશક: ૩ ૪. આત્મિક ઐશ્વર્ય, સંપૂર્ણતા, ધર્મમયતા, સુકીર્તિ, આમલક્ષમી અને જ્ઞાનવૈરાગ્ય – આ છે જ્યાં હોય ત્યાં ભગવત્પણું હોય છે. આવા સંપૂર્ણ ગુણોના ધારક પરમાત્માની ભક્તિ પરમ ક૯યાણકારક છે તેથી અવશ્ય તે ભક્તિ કર્તવ્ય છે. હવે ભક્તિમાં બીજું અવલંબન છે શ્રી સદ્દગુરુદેવઃ (૨) શ્રી ગુરુનું સ્વરૂપ : જેમના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ ભક્ત આરાધના કરે છે તે સદ્દગુરુએ પણ પરાભક્તિ અર્થાત્ અનન્ય ભક્તિ પિતાના જીવનમાં સિદ્ધ કરી લેવી જોઈએ. જેઓએ આત્યંતિકપણે પરમાત્મા સાથે પરમ પ્રીતિને સંબંધ સ્થાપિત કર્યો હોય, જેમનાં નેત્રોમાંથી અને વચનેમાંથી જગતના સર્વ જી પ્રત્યે કરુણા અને વાત્સલ્યની અમીધારા વહેતી હોય, જેઓ સ્વાર્થમય પ્રવૃત્તિને ત્યાગ કરી કેવળ કરુણશીલતાથી અન્ય ભવ્ય ભક્તોને પરમાત્મા સાથે પ્રીતિ કરવાની રીતિ બતાવવામા સહાયક થાય તેવા હેય–આવા લેકેત્તર પ્રેમાવતાર-વરૂપ અને પ્રત્યક્ષ : ૧. મેરી ભાવના - શ્રીમાન જગલકિશોરજી મુખ્તાર. ૨, શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૭૮-૫, ૩, મોક્ષમાળા શિક્ષાપાઠ ૫૬ : શ્રીમદ્ રાજચંદ્ર. ૪. વિષ્ણુપુરાણ ૬-૫-૭૪ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ભકત અને ભગવાન મૂર્તિમાન મેક્ષસ્વરૂપ શ્રી સશુરુદેવ આરાધક ભક્તોને પરમ શરણ, પરમ પ્રેરક અને પરમ પૂજ્ય છે. જેમનું શુદ્ધ ચારિત્ર, પ્રખર તેજ અને અનુભવયુક્ત દિવ્ય વાણી સુગ્ય ભક્તોના ચિત્ત ઉપર સહજપણે અધિકાર જમાવી લે છે તેવા સદૂગુરુ કેને બંધ નથી? મેટા મેટા રાજા, મહારાજા, નગરશેઠ, શાહુકારે કે ઉદ્યોગપતિઓ તે શું પણ ઈન્દ્ર આદિ દેવે પણ જેમના ચરણની રજ માથે ચડાવીને જેમનું શિષ્યત્વ સ્વીકારવા ઉત્સુક રહે છે તેમના માહાભ્યનું વર્ણન વાણું દ્વારા કેણ કરી શકે? અથવા કેવી રીતે થઈ શકે? માટે આવા ઉત્તમ ગુરુની સેવા, ભક્તિ, આદર, સત્કાર સર્વ રીતે કરવા અને તેમનું શરણ ગ્રહણ કરવું એ આપણું સર્વતોમુખી શ્રેયનું કારણ છે. આવા ગુરુનું સ્વરૂપ જ્ઞાનીઓએ નીચે પ્રમાણે વર્ણવ્યું છેઃ | (સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ–એ દેશી) ૧. વિષકી આશા નહીં, જિનકે સામ્યભાવ ધન રખતે હૈ, નિજરકે હિત સાધનમેં, જે નિશદિન તત્પર રહેતે હૈ, સ્વાથત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જે કરતે હૈ, એસે જ્ઞાની સાધુ જગતકે દુખસમૂહકો હરતે હૈ" ( દેહરા ) ૨. સંત શિરોમણિ સવથી, શીતળ શદ રસાળ કરુણા સૌ માણી ઉપર, પૂરણ પરમ દયાળ, ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યવત, નિત્યાનિત્ય વિવેક સમદષ્ટિ સૌને લેખો, દેખે આત્મા એક.. શરણે આવે છે ચાહીને, તેને આપે અમેદાન આત્મતત્ય ઉપદેશ દઈ, કરે આ૫ સમાન. (સવૈયા ત્રેવીસા) ૩. વિદક નાહિં ક્ષમા ઉરમાંહિ, દુખી લખિ ભાવદયાળ ધરે છે, છલકો ઘાત ન, ઠકી બાત ન લેંહિ આદત “ન, શીલ ધરે છે, ગગ ગલ, નાહિં કહું છ૭, માહ સુભાવસૅ જેમ હરે છે,* દેહ સે છીન +છે, જ્ઞાનમેં લીન છે, થાનત સે શિવનારી વારે હૈ. ૧. મેરી ભાવના ૨. અધ્યાત્મકવિ શ્રી પ્રીતમદાસજી. એક અદત્ત જ સાધના દ્વારા મોહને હરાવે છે. + ક્ષીણ, દૂબળું ૩. વિદ્વયે અધ્યાત્મકવિ શ્રી દાનતરાયછ–ધર્મવિલાસ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાશજી આપના (દેહરા) ૪. થાણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવક મેહ, તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ નય. ભક્તિમાં ત્રીજું અવલંબન છે શુદ્ધ ધર્મપ્રરૂપક શાસ્ત્રોઃ (૩) શુદ્ધ ધર્મપ્રરૂપક શાસો : ધર્મનાં અનેક અંગોમાં દયા એ મુખ્ય અંગ છે. જ્યાં સાચી દયા છે ત્યાં અવશ્ય ધર્મ છે અને જ્યાં બીજા અનેક અંગે છે પણ દયા નથી ત્યાં ધર્મ સંભવી શક્યું નથી કારણ કે ધર્મમાત્રમાં વ્યક્ત અવ્યક્તપણે સર્વ ની દયા અને હિત સમાયેલાં જ છે. કહ્યું છે કે : ૧. જયાં શુદ્ધ દયા છે, ત્યાં ધર્મ છે. બેધપાહુડ-૨૫ઃ શ્રીમદ્ કુંદકુંદાચાર્ય | (ચોપાઈ). ૨. ભાચું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન અભયદાન સાથે સંતોષ, ધો પ્રાણીને દળવા દે. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હેઈને રહ્યા પ્રમાણ દયા નહીં તો એ નહી એક, વિના સુય કિરણ નહી દેખ શ્રી ક્ષમાળા-૨/-૨-૩ શ્રીમદ્ રાજચન્દ્ર | (દેહરા) ૩. જહાં દયા વહાં હૈ, જહાં ભ વહાં પાપ જહાં ઢોધ વહાં કાલ હે, જહાં શામા વહાં આN. | (શ્રી કબીર સ્વામીની અમૃતવાણી) ૪૧૮ આ પ્રમાણે ધર્મમાં જેકે દયાની મુખ્યતા છે છતાં દયા ઉપરાંત પણ ધર્મનાં બીજાં અનેક અંગ છે, જેવાં કે પૈરાગ્ય, ક્ષમા, વિનય, સંતોષ, તપ, ત્યાગ, સંયમ, સત્ય, બ્રહ્મચર્ય, પવિત્રતા વગેરે. જીવનમાં ધર્મનાં આ વિવિધ પાસાંઓને વિકાસ કરનારાં, જ્ઞાન વૈરાગ્યને પ્રેરનાર, નિજદને બતાવી તે દેને દૂર કરવાના ઉપાય બતાવનારાં, તમનું યથાર્થ સ્વરૂપ સાપેક્ષપણે ૧. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૯-૪ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ભકત અને ભગવાન દર્શાવનારાં, મતમતાંતરને નહીં પિષતાં, સમ્યગ્રપણે શ્રદ્ધા, જ્ઞાન અને સદાચારમાં વૃદ્ધિ થાય તેવા ઉપાયમાં જેડે તેવા વ્યસન, સ્વચ્છેદ, પ્રમાદ આદિ મહાન બાધક કારણોને પરાભવ કરી શાંતરસની સાધનાની વૃદ્ધિ કરનારાં શાસ્ત્રો મુમુક્ષુજનેને પરમ ઉપકારી અને પરમ અવલંબનરૂપ છે. આ કાળમાં આવાં શાસ્ત્રોની વિશેષ ઉપગિતા એ કારણથી છે કે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોને સમાગમ અતિ અતિ દુર્લભ છે. જેઓ માત્ર નામધારી ગુરુઓ જ છે તેમના સંગથી તે ઊલટું સન્માર્ગથી દૂર થવાનું બને અને ધર્મના નામે સંસારભાવ પિલાય, તે કરતાં આવાં શાસ્ત્રોથી પાત્ર જિજ્ઞાસુઓને યોગ્ય માર્ગદર્શનનો લાભ મળી શકે છે. તેથી જ કહ્યું છેઃ | (દેહરા) ૧. આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ વેગ નહિ, ત્યાં આધાર સુપાત્ર, અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.” શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-૧૩–૧૪ ૨. શાસ્ત્ર એ પાપરૂપી રેગનું ઔષધ છે, શાસ્ત્ર એ પુણ્ય ઉપાર્જન થવાનું કારણ છે, શાસ્ત્ર એ સર્વ(પદાર્થ)ને જણાવનાર ઉત્તમ ચક્ષુ છે, શાસ્ત્ર એ સર્વ હેતુઓને સિદ્ધ કરનાર સાધન છે, માટે ધમી જીવે નિરંતર શાસ્ત્રમાં યત્ન કરવો શ્રેયસ્કર છે. મેહરૂપી. અંધકારવાળા આ લેકમાં શાયરૂપી પ્રકાશ જ પથપ્રદર્શક છે. શ્રી યંગસારપ્રાકૃત-આચાર્ય શ્રી અમિતગતિ | (દેહરા) ૩, અનુભવ સુખ ઉત્પત્તિ કરત, ભવભ્રમ ધરે ઠાઈ એસી બાની સંતકી, જે ઉર લે છે આઈ. શ્રી રામચરિતમાનસ-સંતમહિમવર્ણન-૨ ૪. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાને ખતાંશ પણ રહો નથી. શુદ્ધ, સફટિક, ફીણ અને ચન્દ્રથી ઉજજવળ શુકલ યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં તે For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાગ ની આશના નિગ્રંથનાં પવિત્ર વચનાની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહા ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના! શ્રીમદ્ રાજચન્દ્ર, પત્રાંક-પર આ અને આવા અનેકવિધ ગુણેાથી અલંકૃત શાસ્રોનું શ્રવણ કરવું, વાંચવું, સમજવું, શ્રદ્ધાન કરવું – એ ઇત્યાદ્ધિ અનેક પ્રકારે આવાં શાસ્ત્રોને સામુખી પરિચય કરીને તેના અવલંબનથી પોતાના ભાવાની વિશુદ્ધિ કરવી એ ભક્તજનાને પરમ કલ્યાણુકારી છે. આ પ્રકારે ભક્તજનોને પ્રારભિક ભૂમિકાએમાં અવલ બનરૂપ એવા શ્રી દેવ-ગુરુ અને શાસ્ત્રના સ્વરૂપનું સામાન્ય કથન પૂર્ણ થયું. ૧૩ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ છે ભકિતના વિવિધ પ્રકારે આગળના પ્રકરણમાં ભક્તિ કેની કરવી અને શા માટે કરવી એ પ્રશ્નનું સમાધાન થયું. હવે આ અને આગળનાં પ્રકરણમાં ભક્તિના સામાન્યપણે કયા ક્યા પ્રકારો છે, તે તે પ્રકારોને કઈ કઈ રીતે રોજ-બ-રોજના જીવનમાં અપનાવવા, તેમ કરવામાં શું શું વિઘો નડવા યોગ્ય છે, તે વિઘને દૂર કરવા માટે ભક્ત કઈ રીતે પ્રયત્નવાન થાય છે અને આમ ભક્તિમાર્ગનાં ઉપર-ઉપરનાં સોપાનેને સર કરતે થકે તે કઈ રીતે પરાભક્તિને પામે છે એ ઇત્યાદિ ભક્તિમાર્ગની આરાધનાની ક્રમિક, મને વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક વિચારણા, આધ્યાત્મિક દૃષ્ટિકોણને મુખ્ય રાખીને હવે આપણે શરૂ કરીએ છીએ. ભક્તિના વિવિધ પ્રકારે (4) અધ્યાત્મદ્રષ્ટિકોણથી વિચારતાં ભક્તિના મુખ્ય નવ પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે : શ્રવણ, કીર્તન, ચિંતવન, વન્દન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એક્તા. આ પ્રકારની વિશેષ વિચારણું આગળનાં પ્રકરણમાં કરીશું. (૩) સાધનાપદ્ધતિમાં અવલંબનની મુખ્યતાથી કથન કરતાં ભક્તિના સગુણ અને નિર્ગુણ અથવા સાકાર અને નિરાકાર એવા બે ભેદ પ્રસિદ્ધ છે, સગુણભક્તિની સાધનાને સામાન્યપણે સરળ, સુખદ અને સીધી કહી છે જ્યારે નિર્ગુણની સાધના કરવી દુષ્કર, કષ્ટસાધ્ય અને વાંકાચૂકા રસ્તાવાળી કહી છે. આ સહેલાઈથી સમજી શકાય છે કારણ કે સ્થૂળ અને મલિન ૧. સમયસારનાટક-૯-૮ અધ્યાત્મકવિ શ્રી બનારસીદાસજી. ૨. શ્રીમદ્ ભગવદ્ગીતા-૧૨-૨, ૩, ૪, ૫. ના મુખ્ય કવણ, કીર્તન. જ લેતા, સમતા For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શક્તિમાગ ની સારાયતા બુદ્ધિવાળા મનુષ્યાથી નિરાંખલન આરાધના અની શકતી નથી, પ્રથમ આલંબનની જરૂર પડે જ છે. ૧૪ * (૬) ભક્તિમાર્ગના દાર્શનિક ગ્રંથમાં પ્રતિપાદિત થયેલી શૈલીને અનુસરતાં, ભક્તિની આરાધનાનાં વિવિધ અંગ-ઉપાંગા અને શ્રેણિઓની રૂપરેખા નીચે પ્રમાણે જણાય છે (૧) શ્રદ્ધા (૩) ભજન (૫) નિષ્ઠા (૭) દૃઢ-અનુરાગ (૯) ભાવાનુભૂતિ (૧) શાંતભક્તિ (૩) સભ્યશક્તિ (૫) માધુર્યં ભક્તિ (૨) સત્સંગ (૪) અનર્થનિવૃત્તિ (પાપમય પ્રવૃત્તિઓથી પાછા ફરવું) (૪) ભક્તજને પોતાના આરાધ્યદેવ સાથે સ્થાપિત કરેલા સંબંધવશેષને લક્ષમાં રાખીને ભક્તિના મુખ્ય પાંચ પ્રકારાના નિર્દેશ કરવામાં આવ્યે છે (૬) રુચિવિશેષ (૮) પ્રેમપત્તિ (૧૦) પરાશક્તિ, અનન્યભક્તિ. ભક્તિની ઉત્પત્તિના ક્રમ અને તેનું મનાવિજ્ઞાન ઃ જગતને વિશે અનેક મનુષ્યા ભગવાનની ભક્તિ કરતાં દેખવામાં આવે છે. પરંતુ તે ભક્તિના ફળસ્વરૂપે જે ચિત્તશુદ્ધિ, સમતા અને પ્રસન્નતા તેમના જીવનમાં પ્રગટ થવાં જોઈએ તે દેખાતાં નથી. આ ઉપરથી સમજી શકાય છે કે જે ભક્તિ થઈ રહી છે તે ભક્તિ યથાર્થ નથી, પણ ભૂલવાળી છે અને તેથી પરમાર્થદૃષ્ટિએ વિચારતાં નિષ્ફળ છે. જીવનમાં સાચી ભક્તિ પ્રગટ થાય તે માટે પ્રથમ તેા આગળ કહ્યા તેવા શ્રીદેવ-ગુરુ-ધર્મની યથાર્થ ઓળખાણ * શક્તિરસામૃતબિન્દુ ૧-૨ (૨) દાસ્યભક્તિ (૪) વાત્સલ્યભકિત For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જાતિના વિવિધ પ્રકારે કરવી. આ ઓળખાણ કરવા માટે સાચા ભક્તના ગુણે જીવનમાં કેળવવા અને ગુરુનાં વચનમાં દઢ શ્રદ્ધા રાખવી. વળી તેમને વારંવાર સમાગમ કરી, ગુરૂગમ દ્વારા પ્રાપ્ત થયેલી સુયુક્તિથી અને ગુણાનુરાગથી ગુણગ્રાહકપણું કેળવવું જેથી થડા કાળમાં જ ભક્તિમાર્ગની આરાધનામાં દઢ નિષ્ઠા ઉત્પન્ન થશે. આ પ્રમાણે ભક્તિયુક્તિ-શક્તિના ત્રિવેણી સંગમથી શુદ્ધ અને દઢ શ્રદ્ધાને ઉદય થાય છે. મને વિજ્ઞાનને એ નિયમ છે કે મનુષ્યને જે વ્યક્તિ કે વસ્તુમાં અંતરંગ શ્રદ્ધા હોય, એટલે કે આ વ્યક્તિ કે વસ્તુથી મને અવશ્ય ખૂબ લાભ થશે એવી આંતરિક માન્યતા દૃઢ થઈ હોય, તે વ્યક્તિ કે વસ્તુનું તેને ચિંતન કે સ્મરણ રહ્યા જ કરે છે. મતલબ કે “આ મારું છે,” “મને હિતકર છે એવી બુદ્ધિ (આસપણાને ભાવ) જ્યાં ઊપજી ત્યાં તે વ્યક્તિ કે વસ્તુમાં પ્રીતિ ઊપજતી જાય છે જે થોડા વખતમાં વર્ધમાન થઈ તન્મયતાને પ્રાપ્ત કરાવે છે. - રેજ-બરોજના જીવનમાં આ પ્રકારે બનતાં ઘણું દષ્ટાંતે આપણે પ્રત્યક્ષ પણ અનુભવીએ છીએ અને શાસ્ત્રોમાં પણ તેનું વિશદ વર્ણન આવે છે. આપણું દીકરી કે બહેનનું સગપણું નક્કી થઈ જતાં તેને વ્યક્તિત્વમાં જે આમૂલ પરિવર્તન આવે છે તેનાથી આપણે સુપરિચિત છીએ. તેની ભક્તિ, યુક્તિ અને શક્તિએ તેના અંતરંગ પ્રેમની દિશાને એ વળાંક આપે છે કે તેની સ્મૃતિ હવે આપણું ઘર કરતાં તેના ભાવિ ઘરમાં વિશેષપણે રહ્યા કરે છે. આ બનાવ જેના જેના જીવનમાં બને છે તેને જીવનમાં આવું જ પરિવર્તન આવે છે. જંગલમાં દૂર દૂર ચારે ચરતી ગાયની દષ્ટિ વાછરડામાં, પાંચ-સાત સાહેલીઓ સાથે વાત કરતી પનિહારીની નજર તેના બેડામાં, દેરડા પર નાચ કરતા નટની નજર સમતુલા જાળવવામાં અને લોભીની નજર જેમ પૈસામાં For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભકિતમાગ ની આરાધના નજરાયા વગર રહેતી નથી તેમ જે ભક્તના હૃદયમાં શ્રદ્ધા જાગી ગઈ છે તેની ષ્ટિ પણ તેના આરાધ્ય(આસ)થી નરાય છે. મતલખ કે તેને વારંવાર પોતાના ઇષ્ટનું સ્મરણ થાય છે. જેવી રીતે આપણા ઘરમાં દીકરાની વહુ નવી નવી આવી હાય તા પ્રથમ થોડા કાળ તેને અતડું લાગે છે, પરંતુ ધીમે ધીમે પ્રેમથી, સેવાથી, સમજણથી, અભ્યાસથી, સહનશીલતાથી અને દૃઢ મનેાખળથી તેને આપણા ઘરમાં ગાઠી જાય છે અને તે આપણી બની જાય છે તેમ ભક્તને પણ ધીમે ધીમે આરાધના દ્વારા થોડા કાળમાં પેાતાના ઇષ્ટમાં દૃઢ શ્રદ્ધા થઈ જાય છે અને તે નિષ્ઠાવાન ભક્ત ભગવાનના બની જાય છે. પૂર્વ અનેક ભક્તોએ આવી ઉત્તમ ભક્તિન પ્રાપ્ત કરી છે, અને સૌ કોઇ પ્રામાણિક ભક્તને વમાનમાં પણ તેવી દશા ક્રમશઃ પ્રાપ્ત થઈ શકે છે. જેમને આવી ભક્તદશાની મસ્તી પ્રગટી તેમણે તે ગાયું કે: (ધનરા ઢાલા-એ દેશી) ૧ ૧. પીઉ પીઉ કરી તુમને જપુ` રે, તુ ચાતક તુñ મેહ, મન॰ એક લહેરમાં દુઃખ હરેા રે, વાધે બમણા નેહ, મન॰ અ. પ્રભુ જિન સાહિબા રે, તુમે છે. ચતુર સુજાણુ મનના માન્યા -શ્રીમદ્ યશવિજયજી મહારાજ - (રાગ મલ્હાર) ૨. દુઃખ દેહગ દૂરે ઢળ્યાં રે, સુખ સપથ લેટ, બિંગ પણી સાથે ફિયા રે, કુલ ગજે નર ખેતર વિમલ જિન દીઠાં લેયલ અજ, મારાં સીધ્યાં થાંછિત કાજ વિલી —શ્રીમદ્ આન ધનજી મહારાજ (રાગ તિલક) ૩. પાયેાજી મૈંને રામ રતન ધન પાયા. જનમ જનમકી પુંજી પાઇ, જગમે' સલી ખેાવાયા. પાયાજી મીરાંકે પ્રભુ ગિર્ગારધર નાગર, હરખ હરખ જસ ગાયા, માચાજી ૧. વરસાદ. ૨. કયા મિથ્યાવાદી મને હરાવી શકે એમ છે? ૩. લેાયણુ-લોયન = અંતર્દષ્ટિ = દિવ્યદૃષ્ટિ. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ જીવતના વિવિધ પ્રકારે (૪) એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કઈ પદાર્થની રુચિ રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી...આદિપુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાને ભંગ થઈ ગયે છે. – શ્રીમદ્ રાજચન્દ્રઃ પત્રાંક ૨૫૫ (દોહરા) ૫. પ્રિયતમકે પતિયાં લિખ, જે કહું હેય વિદેસ, તન, મનમેં, નનમેં તાકે કહે સંદેશ " – મહાત્મા કબીરદાસજી (દેહા) ૬. નામ રામકે કલપતરુ, કલિ કલ્યાનનિવાસ, જો સુમિરત ભયે ભાંગતું, તુલસી તુલસીદાસ. આવી પરમાત્માનાં દિવ્ય પ્રેમની પ્રસાદીને પ્રાપ્ત કરવી હોય તેણે નિષ્ઠાપૂર્વક ભક્તિમાર્ગની આરાધનાના કયા કયા વિભિન્ન પ્રકારે સેવવા તેની વિચારણા હવે આપણે આગળનાં પ્રકરણમાં કરીએ. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વધા ભકિંગ આરાધના. શ્રવણ- 1 શ્રવણ ભૂમિકા અને વ્યાખ્યા : આ બે પ્રકારની ભક્તિ આરાધના નવધા ભક્તિના પાયારૂપ છે. શ્રવણ શબ્દ શ્ર ધાતુ ઉપરથી બનેલું છે અને પ્રીતિપૂર્વક પ્રભુના ગુણોનું અને ચારિત્રનું સાંભળવું તેમાં અભીષ્ટ છે. સર્વ આર્યદર્શનેમાં શ્રવણનું ખૂબ માહાત્મ્ય છે. વીતરાગદર્શનમાં ગૃહસ્થને શ્રાવક શબ્દથી સંબેધવામાં આવેલ છે. જે મનુષ્ય દરરોજ ઉત્તમ આચાર અને ઉત્તમ વિચાર સંબંધી ઉપદેશ પ્રેમથી શ્રવણ કરે છે (અને યથાશક્તિ તેને જીવનમાં ઉતારે છે) તેને શ્રાવક કહેવામાં આવે છે. અન્યત્ર પણ શાસ્ત્રકારોએ “પ્રચદં ધર્મશાળમિતિતથા નિત્યં માનવત શ્ર” એ ઈત્યાદિ આજ્ઞાએ કરીને ગૃહસ્થાશ્રમમાં રહેલા સાધકને ભગવસંબંધી ઉપદેશ સાંભળવાની આજ્ઞા કરેલી છે. સામાન્ય મનુષ્યને ધર્મને બે પ્રથમ તે કથારૂપે જ ગ્રાહ્ય બને છે અને પછી જેમ તેની પાત્રતા વધે તેમ સૂક્ષ્મ ૧. ધર્મબિન્દુ-પૃ. ૭ર (શ્રીમાન હરિભદ્રસૂરિ) * આ કારણથી જૈનદર્શનમાં પવિત્ર પુરુષનાં ચરિત્રનું વર્ણન કરનાર શાસ્ત્રોને પ્રથમાનુયોગ એવું નામ આપેલ છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સવ-કીર્તન તત્વને બેધ ગ્રહણ કરવાની રુચિ અને શક્તિ તેનામાં વૃદ્ધિગત થાય છે તેથી પવિત્ર પુરુષનાં ચરિત્રોને સાંભળવાની અને સંભલાવવાની પ્રથા આપણા સમાજમાં પ્રાચીન કાળથી જ ચાલી આવે છે. આ પ્રકારે પૂર્વે થયેલા મહાન તીર્થકર, આચાર્યો, ષિ-મુનિઓ, ભગવદ્ભક્તિ, દૈવી સંપત્તિવાળા પુરુષે કે ગીધરનાં ચરિત્રો સાંભળીએ ત્યારે તેઓનાં જ્ઞાન, ધ્યાન, સંયમ, ભક્તિપરાયણતા, સારિવક્તા, પપકાર, ક્ષમા, વિનય, સમાધિ, વિશ્વમૈત્રી આદિ અનેક ગુણનું પ્રત્યક્ષ આચરણ બતાવતા પ્રસંગેનું પ્રેમપૂર્વક શ્રવણ કરવાથી આપણા જીવનમાં તેમના પ્રત્યે પ્રીતિ પ્રગટે છે અને દિવસે દિવસે વધતી જાય છે. આવા સદ્ગુણ પ્રગટાવવાની શ્રવણધર્મ વડે આપણને રુચિ ઊપજે છે અને અનેક સંકટો આવવા છતાં પણ પિતાના સત્યમાર્ગથી ચલિત ન થવાની તે મહાપુરુષોની વૃત્તિ, આપણને પણ આરાધનાના માર્ગમાં દઢપણે વળગી રહેવાની પ્રેરણું આપે છે. શ્રવણુધર્મની આરાધના અને અગત્ય: પ્રારંભિક સાધનાકાળમાં રહેલા ભક્તજને ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વાર કે બે વાર (શનિવાર-રવિવાર), સત્કથા (પ્રવચન-સ્વાધ્યાય) સાંભળવા જવું જોઈએ. ત્યાર પછી જેમ જેમ તેને તે કથામાં રસ વધતું જશે અને શાંતિનો અનુભવ થતે જશે તેમ તેમ તે વધારે દિવસો કથાશ્રવણ કરશે અને એક દિવસ નિયમિત સાધક બની જશે. ઘણી વાર કથામાં જવાને સમય નથી મળતું એમ બહાનું કાઢવામાં આવે છે, પણ તે ખરું જોતાં યોગ્ય નથી. બીજા કાર્યોમાંથી થોડે થોડો સમય બચાવી દઢતાપૂર્વક શ્રવણધર્મમાં પ્રવૃત્ત થવાને નિર્ધાર કરે એ જ શ્રેયસ્કર છે, સત્કથાને પૂરે લાભ મળે તે માટે સત્કથાના સ્થળે પાંચ-દસ મિનિટ વહેલા પહોંચી વિનયપૂર્વક પિતાને ગ્ય સ્થાને બેસી, બીજા સંસારી ભાવોને ગૌણ કરીને એકાગ્રતાથી સાંભળી તત્વને ગ્રહણ કરવાથી શીઘ આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ શક્તિમાગ ની આરાધના જેવી રીતે શરીરને ટકાવી રાખવા માટે દરાજ ભાજનની આવશ્યકતા છે, તે પ્રમાણે આત્માની ઉજ્વળતા ટકાવી રાખવા માટે ધર્મ સંબધી ઉપદેશ સાંભળવાની આવશ્યકતા છે. થાડા વખત ઓરડા ન વાળીએ તે તે અવાવા થઈ જાય છે, તેમ જો ધર્મશ્રવાદિ દ્વારા આત્માને શુદ્ધ ન કરીએ તે અનેક સાંસારિક પ્રસંગ-પ્રપ ચેાથી મલિન થઇ તે દુ:ખને પામે છે. આ કારણથી કથાશ્રવણ, પ્રભૃગુણશ્રવણ કે શાસ્રશ્રવણના માટે મહિમા પૂર્વાચાર્યાએ પ્રતિપાદિત કર્યાં છે, જેમ કે – (૧) જે ( –મનુષ્ય તત્ત્વ પ્રત્યે) પ્રીતિવાળું ચિત્ત કરીને ધમની વાર્તા પણ સાંભળે છે તે ભવ્ય ખરેખર ભાવિમાં નિર્વાણુને પાત્ર થાય છે. २० શ્રી પદ્મન દિપ‘ચવિંશતિ : ૪–૨૩ ( રાગ ધનાશ્રી ) ૨. ગિરુઆ ૨ ગુણ્ તુમ તણા, શ્રી વધમાન જિનરાયા રે3. સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિમ ળ થાયે કાયા રે....ગ.. —શ્રીમદ્ યશે।વિજયકૃત ચાવીશી (દાહરા ) ૩. શ્રવણથી જાણે ધમને, શ્રવણથી સુબુદ્ધિ જાય; શ્રવણથી પાસે જ્ઞાનને, શ્રવણથી મુક્તિ થાય, ( ચેપાઈ ) ૪. જાને બિનુ ન હાઈ પરતીતિ, બિનુ પરતીતિ હાઈ ન પ્રીતિ । પ્રીતિ બિના નહિ ભગતિ દિઢ ઈ, —પ્રાચીન સૂક્તિ-સંગ્રહ. નિમિ ખગેસ જલ હૈ' ચિનાઈ । –શ્રીરામચરિતમાનસ. ૧. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા” કામ કર તક તેમ શ્રુતષી રે મન તુ ધરે, જ્ઞાનાોપવત. —આદષ્ટિની સજ્ઝાયઃ ૬-૬ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : આ ઉત્તમ શ્રવણરૂપી ધર્મ ભગવાન ઋષભદેવ પાસેથી તેમના અડ્ડાણ પુત્રોએ, શ્રી શુકદેવજી પાસેથી પરીક્ષિત રાજાએ, ભગવાન મહાવીર સ્વામી પાસેથી શ્રી ગૌતમ સ્વામીએ, શ્રી ભદ્રબાહુ સ્વામી પાસેથી સમ્રાટ ચંદ્રગુપ્ત, શ્રી હેમચંદ્રાચાર્ય પાસેથી મહારાજા કુમાળ પાળે અને સમર્થ શ્રી રામદાસ પાસેથી છત્રપતિ શિવાજીએ ગ્રહણ કર્યો હતો, અને તેને યથાર્થપણે જીવનમાં ઉતારી પિતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. આપણે પણ આ શ્રવણધર્મને પ્રેમથી – ભાવથી સ્વીકારી ધન્ય બનીએ. કીર્તન ભૂમિકા : શ્રવણરૂપી ધર્મને અંગીકાર કરવાથી જેના હૃદયમાં પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે દિવ્યપ્રેમની ઉત્પત્તિ થઈ છે તેવા ભગવદ્ગુણેના આરાધક ભક્તજને પિતાના ઈષ્ટ-માર્ગદર્શના ગુણાનુવાદ અને સંકીર્તન કરવા સહજપણે પ્રેરાય છે. સજ્જનેને સ્વભાવ જ એ છે કે તેઓ પિતા ઉપર થયેલે ઉપકાર ભૂલતા નથી અને તેથી પરમાત્મા સદ્દગુરુનાં યશોગાન કરવા માટે તેઓ ઉલ્લાસભાવથી પિતાનાં તન-મન-ધન સર્વ સમર્પણ કરે છે. પરમાત્માના દિવ્ય ગુણાનું અને ચરિત્રોનું ભાવપૂર્વક માટે સ્વરેથી અન્ય જીવે પણ સાંભળી શકે તેવી રીતે ઉચ્ચારણ કરવું તેને સંકીર્તન નામને ભક્તિને બીજો પ્રકાર કહે છે. કીર્તનની સાધનાપદ્ધતિ: સામાન્ય રીતે, યચિત મન-વચન કાયાની શુદ્ધિ સહિત સંધ્યાકાળ પછીના સમયે આ સાધના કરવામાં આવે છે જેથી અન્ય મનુષ્ય પણ પિતાના વ્યવસાયમાંથી નિવૃત્તિ મેળવી તેને લાભ લઈ શકે. આવી સત્કથાના પણ બે પ્રકાર મુખ્ય છે: પહેલા પ્રકારમાં નાનાં નાનાં આધ્યાત્મિક પદો, ભજને કે ધૂને For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના બેલાવવામાં આવે છે અને બીજો પક્ષ તેને ઝીલે છે. આવા ક્રમની સાધનામાં એકતારે, હાર્મોનિયમ કે એવા કોઈ સંગીતના મૃદુ સાધન સહિત મેટેથી ઉચ્ચારણ કરી પિતાના અને અન્યના ભાવને જગાડવામાં આવે છે અને એ રીતે ચિત્તશુદ્ધિને પ્રગ કરવામાં આવે છે. આ પ્રકારને ભાવના અથવા ભજન કહીએ. બીજા પ્રકારને પારાયણ કહીએ. અહીં કેઈ એક પ્રસિદ્ધ શાસ્ત્રનું ક્રમશઃ વાચન કરવામાં આવે છે, અને મુખ્ય કથાકાર તે તે શાસ્ત્રના રહસ્યને જાણનાર, અનુભવી અને પ્રસિદ્ધ વક્તા હોય છે. આવું શાસ્ત્રપારાયણ દિવસમાં ત્રણ કલાકથી માંડીને છ કલાક સુધી સામાન્યપણે રાખવામાં આવે છે. એક સવારની અને એક બપોરની એમ બે કે ત્રણ બેઠકોમાં ધર્મવાર્તા સંભળાવવામાં આવે છે, જેમાં શાસ્ત્રોક્ત ચરિત્ર કે તત્વને સમજાવવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મની પ્રણાલીમાં તે આ પ્રકાર પ્રસિદ્ધ છે જ, પરંતુ વીતરાગદર્શનમાં પણ સિદ્ધાંતોએ આ પ્રકારને સ્વાધ્યાયરૂપી તપના ચેથા અને પાંચમા પેટાવિભાગરૂપે પ્રતિપાદિત કરી આમ્નાય (ષ) અને ધર્મોપદેશના નામથી તેની પ્રસિદ્ધિ કરી છે.* ઉત્તમ સંકીર્તનકાર એક વિરલ વિભૂતિ : માત્ર ઉચ્ચ કેટિને આત્મા સંત હોય તે જ ઉત્તમ સંકીર્તનકાર થઈ શકે છે, કારણ કે તેની વિશિષ્ટ સિદ્ધિ માટે પૂર્વજન્મના પ્રભુપ્રેમના સંસ્કાર, વર્તમાન જીવનમાં બાળપણથી જ ધર્મ અને સદાચારને અભ્યાસ, ગુરુપરંપરા દ્વારા વ્યક્તિગત શિસ્તનું અનુશીલન, શ્રી દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અંતરાત્માના આસ્વાદપૂર્વકની યથાર્થ ભક્તિ, છંદ-સંગીત-ભાષા-સ્વર પર વિશિષ્ટ પ્રભુત્વ અને જીભ ઉપર જાણે કે સ્વયં સરસ્વતી જ બિરાજમાન થયાં હોય તે સહજ-સ્કૃતિ સ્પષ્ટ-મિષ્ટ-વાગુ રણકાર ઈત્યાદિ અનેક સુદઢ પાસાંઓની આવશ્યકતા છે. આવા લૌકિક અને લત્તર ગુણેના ધારક સંત. * તત્વાર્થસૂત્ર : ૯-૨૫. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ કીર્તન મહાત્મા પાસેથી પ્રભુ-પ્રેમની વાત સાંભળવાને અવસર પ્રાપ્ત એ આ કાળમાં કઈ મહત્પશ્યના ઉદયથી જ બની શકે છે. આવા મહાત્મા જ્યારે પ્રભુ-ગુરુને મહિમા કહેવા લાગી જાય છે ત્યારે ભાવલાસમાં આવી જઈને કઈ વાર સમસ્ત શરીરમાં દિવ્ય-રોમાંચને અનુભવ કરે છે, તે કઈ વાર તેમનાં નયનમાંથી પ્રભુપ્રેમની અવિરલ અશ્રુધારા વહે છે, કોઈ વાર દેહભાન ભૂલીને નૃત્ય કરવા લાગે છે, કોઈ વાર ખૂબ મેટેથી પ્રભુ-ગુણ ગાવા લાગી જાય છે, કઈ વાર પ્રભુના વિરહમાં જાણે કે ઉન્મત્તની માફક ચેષ્ટા કરતા હોય તેવું લાગે છે, તે કઈ વાર આત્યંતિકપણે ભાવવિભેર થઈ જવાથી ગળું ભરાઈ જતાં (ડૂમે ભરાવાથી) દસ-વીસ સેકંડ સુધી વાગ્ધારા તૂટી જાય છે. આ અને આવા અનેક પ્રકારે બનતાં તે મહાત્મા પિતે વિશિષ્ટ સાત્વિક આનંદને અનુભવ કરે છે, અને તેમના જીવનમાં એવી તે એક આનંદની લહેર વ્યાપી જાય છે કે પોતાનું સાધનામય જીવન તે પ્રસન્નતાથી ભરાઈ જ જાય છે, પણ આજુબાજુના અનેક મનુષ્ય પર પણ જાણે કે દિવ્યતાને એક પટ છવાઈ જાય છે અને તત્ક્ષણ પૂરત તેમને શાંતિને અનુભવ થાય છે. આ કાળે આવા ઉત્તમ સંકીર્તનકાર સંતનો ક્વચિત્ જ યોગ બની શકે છે. શાસ્ત્રને આધાર લઈ ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ તેમનું સંક્ષિપ્ત વર્ણન નીચેના શબ્દોમાં કરે છે : (ચોપાઈ) મમ ગુન ગાવત પુલક સરીરા ગદ ગદ ગિરા નયન બહ નીરા છે કામ આદિ મદ દંભ ન જાકે છે તાત નિરંતર બસ તાકે છે ભારતીય ભક્તિ-પરંપરામાં મધ્યયુગમાં થયેલા ભક્તકવિશ્રી નરસિંહ મહેતા, સંતશ્રી તુકારામ મહારાજ, ભક્તશિરોમણિ શ્રી મીરાંબાઈ તથા શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ કીર્તનપદ્ધતિના ૧. શ્રીમદ્ ભાગવત : ૧૧-૩-૩૨. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના વિકાસમાં અને પ્રસારમાં સારે ફાળો આપે છે. વર્તમાનકાળમાં, ગુજરાતમાં અમદાવાદના શ્રીપુનિત મહારાજે કીર્તન ભક્તિની આરાધના અને પ્રચારમાં મહત્ત્વનો ભાગ ભજવ્ય ગણાય. પ્રાચીન કાળમાં અનેક મેટા આચાર્યોએ પણ પ્રભુના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરી પિતાની ભક્તિ પ્રગટ કરી છે, જેમાં મહર્ષિ વ્યાસ, શ્રીવાલ્મીકિ ઋષિ, મહાપુરાણના કર્તા આચાર્ય શ્રી જિનસેન, શ્રી રવિષેણાચાર્ય ઇત્યાદિ અનેક પ્રસિદ્ધ વિભૂતિઓ આવી જાય છે. સંકીર્તનરૂપી ભક્તિનો મહિમા અગાધ છે. સંતે એ તેને ગાતાં કહ્યું છે : ૧. હે પરમાત્મા (જિનેન્દ્ર)! તમારા નામના કીર્તનમાત્રથી અમારા જેવા મનુષ્યની સામે મનગમતી લક્ષ્મી (આત્મજ્ઞાનાદિ લક્ષ્મી) આજ્ઞા માગતી હાજર થઈ જાય છે. –શ્રી પદ્મનંદિપંચવિંશતિઃ ૧૩-૫ (વાસ્તુ છંદ) ૨. મેં તુમ ચરણકમલ ગુન ગાય, બહુવિધિ ભકિત કરી મનાય જનમ જનમ પ્રભુ પાઉં તેહિ, યહ સેવાકલ દીજે મેહિ. (દોધકાંત બેસરી છંદ – ષટ્ર પદ). ઈહિવિધિ શ્રી ભગવત, સુજસ જે ભવિજન ભાષહિં; તે જન પુણ્યભંડાર, સંચિ ચિરપાપ પ્રણાસહિં. રામ રામ તુલસતિ, અંગ પ્રભુ ગુણમન દયાવહિં; સ્વર્ગસંપદા ભુજ ' વેગ પંચમગતિ પાવહિં. યહ કલ્યાણ મંદિર કિ, કુમુદચંદ્રકી બુદ્ધ ભાષા કહત “બનારસી' કારણ સમકિત શુદ્ધ શ્રી કલ્યાણમંદિર સ્તોત્રઃ ૪૩-૪૪; શ્રી બનારસીદાસકૃત પદ્યાનુવાદ (રાગ કાફી) ૩. ઈણ વિધ પરખી મન વિશ્રામી જિનવર ગુણુ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે | હો મહિલજિન.. –શ્રીમદ્ આનંદઘનજીકૃત મલિલનાથ સ્વામીનું સ્તવન For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ-કીર્તન (૫ય) ૪. હે કવિ કલમસ ખાનિ, પાપ મેં સ્વાભાવિક રુચિ હાઈ ન સાધન-ભજન ન જપ તપ સંયમ વત શુચિ છે અલપ આયુ, લઘુ બુદ્ધિ, અલપ પૌરુષ બીરબલ કલિયુગ સાધન સરલ, સરસ હરિકીર્તન કેવલ . જસે જરતી અગિનિ, કરે શાંત જલ, મહિં રવિ, ત્યે કલિ દુરગુન દમન હિત, પ્રભુકીર્તન કહહિં કવિ. – પ્રાચીન હિન્દી કવિ પ. “નિરંતર મારા ધ્યાનમાં લાગેલા અને પ્રીતિપૂર્વક મારું ભજન કરવાવાળા તે ભક્તોને હું તત્વજ્ઞાનરૂપી વેગ આપું છું, જેનાથી તેઓ મને પ્રાપ્ત કરે છે.” –શ્રીમદ્ ભગવદ્ગીતાઃ ૧૦-૧૦ ૬. “હે નારદ ! હું નથી વસતે વૈકુંઠમાં, કે નથી વસતે યેગીઓનાં હૃદયમાં. જ્યાં મારા ભક્તો ગુણસંકીર્તન કરે છે ત્યાં હું વસું છું” –પદ્મપુરાણ-ઉત્તરકાંડઃ ૯૪-૨૩ ૭. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મેક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતે નથી, અને મનન તથા નિદિધ્યાસનો હેતુ થતું નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરુષેએ કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રઃ પત્રાંક ૨૦૦ (આસણ–યોગીએ દેશી) ૮. પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજ, અળગા અંગ ન સજા રે મ. વાચક ચશ કહે અવર ન થાવું, એ પ્રભુના ગુણ ગાઉં રે મનમોહન વાગી –શ્રીમદ્દ યશોવિજયજીકૃત અરનાથસ્વામીનું સ્વતન For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાગ ની આરાધના ઉપસ ́હાર : આ પ્રમાણે ભક્તિમાર્ગની આરાધનામાં પ્રભુકીર્તનનું આગવું સ્થાન છે. અત્રે સાધકે એ ખ્યાલમાં રાખવાનું છે કે જેના ગુણાનું તે કીર્તન કરે છે, તેના સ્વરૂપની અને તેના ચરિત્રની પણ તેણે ભાવના કરવી જોઇએ. સાચા ભાવપૂર્વક ભગવાનનું નામકીર્તન કરવાથી કાયિક, વાચિક અને માનસિક શુદ્ધિની પ્રાપ્તિ થતાં ત્રણેય પ્રકારના આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ) તાપોના સમૂળ નાશ થઈ જાય છે, કરેલાં પાપાનું પ્રાયશ્ચિત્ત થઈ જાય છે, વિશિષ્ટ પુણ્યના સ્વયં સંચય થાય છે અને પરમાત્મદર્શનને ચેાગ્ય ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. જો કે કેવળ બૌદ્ધિક સ્તરે વિચારતાં સંકીર્તનના મહિમા એકદમ ખ્યાલમાં આવતા નથી, પરંતુ જ્યારે પૂર્વે થયેલા મહામુનિએએ પણ પ્રભુજીણુ શા માટે ગાયા હશે એના વિચાર કરીએ ત્યારે નીચેનાં શાસ્ત્રવચનેાની અપૂર્વતા અને યથાર્થતાનેા ખ્યાલ આવે છે: ૨૩ ૧. જેમની અજ્ઞાનાદિ ગ્રંથિ છેદાઈ ગઈ છે તેવા આત્મા નંદનિમગ્ન મુનિનો, કે જેમને કાંઇ કરવું બાકી રહ્યું નથી તે પણ ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે; કારણ કે એવા જ ( અચિન્ત્ય માહાત્મ્યવાળા) ભગવાનના ગુણા છે.’’૧ ૨. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હુમાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણુ વ્યાસજી આનંદસંપન્ન થયા નહાતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયેા નહાતા.૨ વર્તમાનકાળના સદ માં સ`કીન-ભક્તિ : છેલ્લા લગભગ પાંચ દાયકાઓમાં ભૌતિક વિજ્ઞાને કરેલી અસાધારણ પ્રગતિ અને પાશ્ચાત્ય વિચારસરણીની અસર હેઠળ આપણા દેશની ઘણી સુંદર સંસ્કારપ્રણાલીએ ઘસાતી જતી જણાય છે. આમાંની એક અગત્યની પ્રણાલી તે સંકીર્તન-પ્રણાલી છે. ભારતીય સંસ્કૃતિના હિતચિ'તકો ૧. શ્રીમદ્ ભાગવત ઃ ૧-૩-૧૦ ર. શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૨૮૨ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ-કીર્તન માટે ગંભીરપણે આ બાબતને વિચાર કરવાને સમય પાકી ગયે છે. આપણે સૌએ મળીને એવું આયોજન કરવું જોઈએ કે જેથી ભાવિ પેઢીઓને નવા નવા સંકીર્તનકારે મળતા રહે અને તે માટેનું સામાજિક, આર્થિક, બૌદ્ધિક અને શૈક્ષણિક સ્તરે ગ્ય આયોજન થાય. આપણે જીવનને સાત્વિકતા અને શાંતિ આપનાર એવા પ્રભુ-ગુરુ-કીર્તનને આપણું જબરોજના જીવનમાં વણી લઈએ એ જ અભ્યર્થના ! For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ વEEEા-સેવા ભૂમિકા શ્રવણ-કીર્તનાદિ ભક્તિના પ્રકારની આરાધનાથી પ્રફુટિત થયું છે. પ્રભુપ્રેમ જેના હૃદયમાં તે ભક્ત હવે સ્થળ અપેક્ષાએ પણ પ્રભુના ઘનિષ્ઠ સાન્નિધ્યને ઝંખે છે. અને આ કાર્યની સિદ્ધિ માટે યથાયોગ્ય ધર્મસ્થાનકમાં, જઈ પિતાના અંતરંગ પ્રેમના બાહ્ય પ્રતીકરૂપ એવી ભગવાન કે સદ્ગુરુની મૂર્તિ, ચિત્રપટ કે અંકનનું અવલંબન લઈ તેમનાં દર્શન-વંદન-પૂજન-સ્પર્શન-સેવા અભિષેક ઈત્યાદિમાં પ્રવૃત્ત થાય છે, અને જે પ્રત્યક્ષ સદ્ગુરુને લાભ મળે તેમ હોય તે સર્વ પ્રકારે પિતાનાં તન-મન-ધનથી તેમની સેવા શુશ્રષામાં ઉલ્લાસથી લાગે રહે છે. પ્રભુની કે સગુરુની સેવા-પૂજા કરવાની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ ભિન્ન ભિન્ન મત-સંપ્રદાયમાં પ્રવર્તે છે અને તેથી પૂજાના પ્રકારો અને વિધિ પણ અનેક છે. અહીં નીચેના સિદ્ધાંતેને ખ્યાલમાં રાખીને જે તેમાં પ્રવર્તાવામાં આવે તે તે વિશેષ શ્રેયનું કારણ થવા ગ્ય છેઃ ૧. સેવા-પૂજામાં ઓછામાં ઓછાં દ્રવ્યને ઉપયોગ કરે. ૨. ફળ-ફૂલ આદિ સચિત્ત વસ્તુઓને ઉપયોગ ન કરે અથવા લઘુતમ કરે. ૩. પાણી, દૂધ, દહીં કે અભિષેકમાં વપરાતાં એવાં બીજાં ' દ્રવ્યોને પણ યત્નાપૂર્વક ઉપયોગ કરે. ૪. મૂર્તિની મહત્તા અને પવિત્રતા જળવાય એ રીતે For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વન-સેવન મન, વચન, કાયની શુદ્ધિથી પ્રવર્તીને જે પ્રકારે ભાવની નિર્મળતા વધે તે પ્રકારે વર્તવું. આભૂષણાદિ ભગવાન માટે ભૂષણરૂપ નથી, તેથી મૂર્તિને સુશોભન માટે તેવાં દ્રવ્યને ઉગ પ્રભુનાં અંગઉપાંગે ઉપર ન કરે એગ્ય છે. આરાધના-પદ્ધતિ: જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં ભક્તજને દરરોજ પ્રભુનાં દર્શન કરવા મંદિરમાં જવું. યથાયોગ્ય શુદ્ધિ સહિત, રેખાં કપડાં પહેરી, ઘેરથી નીકળતાં જ મનમાં પ્રભુનું સ્મરણ ચાલુ કરી દેવું. મંદિરનાં પગથિયાં ચઢતાં નિઃસહિ શબ્દ ત્રણ વાર બેલ, જે સૂચવે છે કે હું સંસારી ભાવથી નિવતું છું. ભગવાનની મૂર્તિનાં દર્શન થતાં મરતુ એમ ત્રણ વાર બેલડું અને પછી મસ્તક નમાવી હાથ જોડી પ્રણામ કરવા. શક્ય હોય ત્યાં ઘૂંટણે પડીને અથવા સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કરવા. ત્યાર પછી પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા કરવી અને સ્તુતિ વગેરે બોલવાં. પ્રભુદર્શનનું માહાભ્ય કેવું છે?— | (અનુટુપ) ૧. દશન દેવસ્ય, દશન પા૫નાશન દશન વગપાન, દર્શન મેક્ષસાધન ૨. પ્રભુદન સુખ સંપદા, પ્રભુદશન નવનિધિ પ્રભુદશનસે પામિય, સકલ મને રથ સિદ્ધિ. (છપ્પય) ૩. તુવ જિનદ દિક્ષિ, આજ પાતક સબ ભજજે, તુવ જિનદ દિહિયે, આજ બૈરી સબ લજજે. તુવ જિનદ કિહિયે, આજ એ સરસ પાય. તુવ જિનદ દિહિયે, આજ ચિંતામણિ આયો. જે જે જિનદ ત્રિભુવન તિલક, આજ કાજ મેરે સર્યો. કર જોરિ ભાવિક વિનતી કરત, આજ સકલ ભવદુખ કર્યો. | (છપય). ૪. એ શી જિનરાજ, આજ સબ વિઘન નશાયે, તે શ્રી જિનરાજ, આજ સબ મગલ સાયે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના ખે શ્રીજિનરાજ, કાજ કરના કછુ નહીં, દેખે શ્રીજિનરાજ, હૌસ પૂરી મન માહીં. તુમ દેખે શ્રીજિનરાજ પદ, ભોજલ અંજુલિજલ ભયાર, ચિંતામનિપારસક૫તરુ, માહ સબનિસે ઉઠિ ગયા. | (દેહરા) ૫. તુમ નિરખત મુકે ચિલી, એરી સંપત્તિ આજ, કહાં ચકવતિ સંપદા, કહાં સ્વગ સામ્રાજ. નામ ઉચારત સુખ , દશમસે અઘ૩ જાય, પૂજત પા દેવ પર, એસે હૈ જિનરાય. વદત હું જિનરજ છે, પ૨ ઉર સમતાભાવ, તન-ધન-જન-જગન પર વિરાગતાભાવ. દર્શન કર્યા પછી શાંતિથી બેસીને પિતાની શક્તિ-ભક્તિસમય પ્રમાણે વિશેષ સ્તુતિ બોલવી, પૂજા કરવી, અભિષેક કરે કે શાંતિપાઠ કર. ડીવાર બેસી પ્રભુનામને (મંત્રને) જાપ કરે, સ્વાધ્યાય કરે અને આ વિધિ પૂરી થયે શુદ્ધ ચિત્તથી પ્રભુનું ફરીથી સ્મરણ કરી વિધિને સમાપ્ત કરવી. પૂજાઃ ભગવાનની કે સદ્દગુરુની પૂજાના અનેક પ્રકારે શાસ્ત્રોમાં વર્ણવેલા છે, તેમાંના મુખ્ય બે પ્રકાર છે: દ્રવ્ય-પૂજા અને ભાવ-પૂજા. દ્રવ્યપૂજાઃ મોટા ભાગના ભક્તો માટે આ પ્રકારની પૂજા જરૂરી અને ઉપકારી છે. નીચેની સાધકદશામાં નિરાકાર-નિરંજન પરમાત્માનું સ્મરણ ધ્યાન કરવાની શક્તિ નથી હોતી અથવા ઓછી હોય છે તેથી પરમાત્માની તદાકાર, પરમશાંત, સૌમ્ય મૂર્તિનું અવલંબન લઈ, તેનું અંગ લૂછશું કરી, ચંદનાદિથી તેને પૂજા કરવાથી મન પવિત્ર અને શાંત બને છે. આ પૂજા આ ૧. હેશ, અભિલાષા. ૨. અપાર સંસારસાગર અંજલિના જ સમાન થઈ ગયા. ૩. પાપ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વજન સેવન પ્રકારી, સત્તર પ્રકારી, એકવીસ પ્રકારી કે એકસે આઠ પ્રકારી એમ અનેક ભેદથી શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. પણ તે સર્વનું ધ્યેય તે એક ચિત્તની શુદ્ધિ કરવી તે જ છે. સૌથી વધારે પ્રચલિત પૂજા અષ્ટપ્રકારી પૂજા છે અને તેમાં પૂજાની જે સામગ્રી વપરાય છે તેની પાછળ રહેલે સિદ્ધાંત નીચે પ્રમાણે છે જેને હદયમાં જાગ્રત રાખીને જ વિવેકી ભક્ત પૂજાવિધિ કરે છે: (૧) ભગવાનને શુદ્ધ જળ ચઢાવવાથી આત્મ-મલિનતા ધેવાય. (૨) ભગવાનને ચંદન ચઢાવવાથી સંસારતાપ શાંત થઈ શીતળતા પ્રગટે. (૩) ભગવાનને અક્ષત (ચોખા) ચઢાવવાથી અક્ષય (મોક્ષ) પદની પ્રાપ્તિ થાય. (૪) ભગવાન સમીપ ફૂલ ચઢાવવાથી કામવિકારને નાશ થાય. (૫) ભગવાનને નૈવેદ્ય ચઢાવવાથી સુધારૂપી રેગને નાશ થાય. (૬) ભગવાનને દી કરવાથી મોહરૂપી અંધકારને નાશ થાય. (૭) ભગવાનને ધૂપ કરવાથી આઠ કર્મોને નાશ થાય. (૮) ભગવાન સમીપ ફળ ચઢાવવાથી ઉત્તમ એવા નેક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય. ભાવપૂજા આ પૂજાની અધ્યાત્મસાધનામાં સર્વત્ર મુખ્યતા છે અને ઉપરોક્ત દ્રવ્યપૂજાનું ફળ પણ પૂજા વખતે જેવા ભાવ રાખવામાં આવે તેના ઉપર જ મુખ્યપણે છે. આગળ વધેલા સાધકે કે જેમની બુદ્ધિ વિવિધ સાધના દ્વારા અતિ નિર્મળ થઈ ગઈ છે અથવા સાધુજને જેઓ શુદ્ધ બુદ્ધિના ધારક છે તેમને માટે તે મુખ્યપણે આ પૂજા જ કહેવામાં આવી છે. કહ્યું છે: For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના. (દેહરા) ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન, | (અનુટુપ) વળી, થાન ધપ મન:પુષ્પ, પંચેન્દ્રિયહુતાશનમ ક્ષમા જાપ સંતોષ પૂજા, પૂજે દેવ નિરંજન આ પ્રમાણે તેવા ઉચ્ચ સાધકો માટે તે ધ્યાનરૂપી ધૂપ, મનરૂપી પુષ્પ, પાંચ ઇન્દ્રિયારૂપી અર્પણતા, ક્ષમારૂપી જાય અને સંતેષરૂપી પૂજા દ્વારા દેડદેવળમાં રહેલા નિરંજન આત્મદેવરૂપી પરમાત્મા જ પૂજવા ગ્ય છે. વજન-સેવા-પૂજા એક દષ્ટિ–વ્યક્તિગત: સામૂહિક: સામાજિક ઉપરોક્ત વિધિથી આપણે જે પૂજાનું અનુષ્ઠાન કર્યું તે વ્યક્તિગતપણે કે સામૂહિકપણે કરવાથી પિતાના ભાવની વિશુદ્ધિ થાય છે અને દેવસ્થાનકના વાતાવરણમાં પણ એવી પવિત્રતાનાં સ્પંદને ફેલાય છે જેથી ત્યાં આવનાર કોઈ પણ ભક્તજનને શાંતિ અને શીતળતાને અનુભવ થાય છે. સૌ કોઈને સુખ, શાંતિ અને કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના આપણે પૂજાને અંતે બેલીએ છીએ, તે પણ સામૂહિક કલ્યાણભાવનાનું જ પ્રતીક છે. જેમ કે સમસ્ત જગતનું કલ્યાણ કરનારા એવા શ્રી તીર્થકર ભગવંતે, ગણધરદેવે, પૂર્વાચાર્યો તથા દ્વિધારી મુનિએ અમને બેધ–સમાધિ અને શાંતિ આપનારા થાઓ. રેગ, ઉપદ્રવ, વ્યાધિ, દુખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતા શાંત થાઓ. ચિત્તને સંતોષ થાઓ, સર્વ પ્રકારની સંપત્તિની વૃદ્ધિ થાઓ, પાપની શાંતિ થાઓ, અને અશુભ કર્મફળ શાંત થાઓ. સમસ્ત શ્રીસંઘમાં, રાજાઓમાં, રાજાઓનાં રહેવાનાં સ્થાનકમાં, ધર્મસભાના સભ્યમાં, નગરના મોટા પુરુષોમાં, નગરના સર્વ લેકમાં, રાજ્યમાં, દેશમાં, દુનિયામાં અને સમસ્ત વિશ્વમાં સર્વત્ર શાંતિ થાઓ, શાંતિ થાઓ. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વડા વન પ્રૌઢાવસ્થામાં ધર્મજીવનનું આયોજન : બીજો એક અગત્યને મુદ્દો જે આ જમાનાને અનુસરીને વિશેષ વિચારણા માગી લે છે તે છે સેવા સમર્પણતાને ભાવ. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ શક્તિઓ ધરાવનારા મનુષ્ય, મુખ્યપણે, આપણા દેશમાં, શહેરમાં વસે છે. જે તેઓ ખરેખર વિવેકી હોય તે પચાસ વર્ષની ઉંમરે પહોંચતાં કઈ રીતે સમાજના આધ્યાત્મિક વિકાસમાં તેઓ ભાગ લઈ શકે તે વિશે તેમણે ચોક્કસ નિર્ણય પર આવવું જોઈએ. વિવેકી ધાર્મિક પુરુષે પચાસ વર્ષની ઉંમર પછી ગૃહસ્થ-વ્યવસ્થાની મમતા ઓછી કરવી જોઈએ. આ માટે પિતાના વતનની આજુબાજુ કોઈ સારાં ધર્મસ્થાનકે કે તીર્થો હોય તે ત્યાં વારંવાર જવું જોઈએ, સત્સંગાદિ કરવા જોઈએ અને થોડા સમયમાં તીર્થની સેવા માટે, મુમુક્ષુ-સાધર્મીઓની અને યાત્રિકોની સેવા માટે પિતાના જીવનને મેટો ભાગ આવાં તીર્થમાં ગાળવે જોઈએ જેથી સેવા-પૂજા વન્દનાની આરાધનામાં પ્રવર્તવાનું તેનાથી સ્વયં બનતું જશે, તે નીચે પ્રમાણે (૧) તીર્થમાં રહેવાથી શાંત, પવિત્ર વાતાવરણને તેને લાભ મળશે અને સાત્વિક દિનચર્યાનું સહેજે સહેજે પાલન થશે. (૨) ત્યાં આવતા સંત-મહાત્માઓ મુનિજને કે બીજા મુમુક્ષુ યાત્રિકના સત્સંગને, આહારદાનને સેવા-સુશ્રષાને પણ તેને લાભ મળી શકશે. (૩) ભગવાનની સેવા-પૂજા કરવાને અવસર પ્રાપ્ત થશે, પગારદાર-પૂજારીઓ પર ઓછો આધાર રાખવું પડશે અને એ રીતે તીર્થની સેવાને લાભ મળશે, જેથી તીર્થની વ્યવસ્થા કરકસરયુક્ત, સુઆજિત અને સુદઢપણે થઈ શકશે. () વાંચન-લેખન-ચિંતન-મનન અને સત્સંગાદિમાં પ્રવૃત્ત થવાથી ઘર-કુટુંબાદિકની મમતા પરમાર્થથી ઘટશે અને સંયમમાર્ગમાં આગળ વધવાની યેગ્યતા પ્રાપ્ત થશે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ભકિતમાર્ગની આરાધના આ અને આવા બીજા અનેક લાભની સંભાવના હોવાને લીધે ભક્તજનેને માટે પચાસ વર્ષની શરીર અવસ્થા બાદ, એક પ્રકારે આ “વાનપ્રસ્થ આશ્રમને સહજ-સરળ અવસર બની રહેશે, ભગવદ્ભક્તોની સેવાને લાભ મળશે અને સ્વ-પર-કલ્યાણની સિદ્ધિ ત્વરાથી થશે. પુરુષની વન્દના-સેવા-પૂજા ઇત્યાદિના માહાન્ય વિશે પૂર્વાચાર્યો અને સંતોએ શું કહ્યું છે તે હવે આપણે વિચારીએ : (હરિગીત) ૧. જિનવર ચરણકમળે નમે, જે પરમ ભકિતરાગથી; તે જન્મવેલી-મૂળ છે, ભાવ ઉત્તમ શસ્ત્રથી. –ભાવપ્રાકૃત ૧૫૩/–શ્રી કુંદકુંદાચાર્ય ૨. દેવપૂજા, ગુરુભકિત, સ્વાધ્યાય સંયમ ને ત૫; દાન - આ છ અનુષાને ગૃહસ્થીના દિને દિને. –શ્રી પદ્મનંદિપંચવિંશતિઃ ૬-૭ | (દેહરા) ૩. મેક્ષમાર્ગના નેતા છે જે, કમૉલના ભેદનહાર વિશ્વતત્વના જાણનારને, વન્યું તદગુણ પ્રસિનિદાનર સર્વાર્થસિદ્ધિઃ મંગલાચરણ-શ્રી પૂજ્યપાદસ્વામી | (ચોપાઈ) ૪. જે તુમ ચરણકમલ તિહુકલ, સેવહિં તજ માયા જ જાહ ભાવ ભકિત મન હરષ અપાર, ધન્ય ધન્ય જગ તિન અવતાર, કનિકંદનમહિમાસાગર, અશરણ-શરણ સુજસ-વિસતારા નહિં સેયે પ્રભુ તુમસે પાય, તે મુજ જન્મ અકારથ જાય. –શ્રી કલ્યાણુમંદિર સ્તોત્ર : ૩૫, ૪૧ ૫. વંદન વંદન સેવન નમન વળી પૂજના રે, સમરણ સ્તવન વળી ધ્યાન દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજની રે, પ્રગટે પૂર્ણ નિધાન, એલચી, –શ્રીમદ્ દેવચંદ્રજીકૃત શ્રીમુનિસુવ્રતસ્વામીનું સ્તવન ૧. કર્મરૂપી પર્વતને. ૨. તેમના ગુણોની પ્રાપ્તિ માટે For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વજન-સેવન (મંદાક્રાંતા) ૬. થાઓ મારાં નમન તમને, અને કાપનારા, થાએ મારે નમન તમને, ભૂમિ શોભાવનારા થાઓ મારાં નમન તમને, આ૫ દેવાધિદેવ, થાએ મારાં નમન તમને, સંસતિ “કાળ જેવા –શ્રી ભક્તામર સ્તોત્ર-૨૬ (દેહરા) ૭. વંદૌ જિનદેવો, કર અતિ નિરમલ ભાવ, કમબંધકે છેદને, ઔર ન કછુ ઉપાવ, તુમ પદપંકજ પૂજતેં, વિદન રેગ રર જાય, શત્રુ મિત્રતાકે ધરે, વિષ નિરવિષતા થાય, નાથ તિહારે નામ, અઘ છિનમાંહિ પલાય, + જ દિનકર પરકાશ, અંધકાર વિનાશાય બહુત પ્રશંસા ક્યા કરું, મેં પ્રભુ બહુત અજાન, પૂજાવિધિ જાનૂ નહીં, સરન રખિ ભગવાન. (પાઈ) ૮. તુમ ચરણકમળ ગુણગાય, બહુવિધિ ભકિત કરું મન થાય જનમ જનમ પ્રભુ પાઉં તેહિ, યહ સેવાફલ જે મેહિ. કૃપા તિહારી એસી હેય, જામન મરન મિટાવે માયા બાર બાર મેં વિનતી કરું, તુમ સે ભવસાગર તરું – વિનય-દોહાવલી તથા ભાષા–શાંતિપાઠ (દેહરા) હ, કબીર યહ તને જાતા હૈ, સકે તે કૌર* લગાય, કે સેવા કર સંતકી, કે પ્રભુ ગુણ ગાય. * સંસારના કાળ = મૂર્તિમાન મોક્ષસ્વરૂપ. + પાપો ક્ષણમાત્રમાં ભાગી જાય છે. - મારા જન્મમરણ મટાડે. ૪ ગ્ય જગ્યાએ લગાવ, સફળ કર. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ભૂતિયાયની ગારાના ૧૦. બીજું કાંઈ શેાધ મા. માત્ર એક સત્પુરુષને ચેષીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અપણુ કરી દઈ વર્તો જા. પછી જો માક્ષ ન મળે તે મારી પાસેથી લેજે. Y શ્રીમદ્ રાજચંદ્ર / પત્રાંક ૭૬ ૧૧. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યપ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ, જેના ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યા છે, સેવે છે અને સેવશે. શ્રીમદ્ રાજચંદ્ર–પત્રાંક ૧૯૪ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા: જેમ જેમ સાધક ભક્તિમાર્ગની આરાધનામાં આગળ વધતું જાય છે તેમ તેમ તેના ભાવની નિર્મળતા વધતી જાય છે અને તેવા નિર્મળ ભાવવાળ ભક્ત પ્રભુનું ચિંતન-મનન-ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત કરતે જાય છે. અત્યાર સુધી સ્થળ એવી ઈન્દ્રિયેનાં આલંબનથી પ્રભુનો પરિચય કરતે હ–જેમ કે કાન દ્વારા પ્રભુના મહિમાનું શ્રવણ કરતું હતું, જીભ દ્વારા મેટા ઉચ્ચારણથી તેમનું કીર્તન કરતું હતું અને આંખે, હાથ કે પગ દ્વારા પ્રભુનાં દર્શન-પૂજન તીર્થાટન વગેરેમાં પ્રવર્તતે હતે. હવે નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ થતાં સૂક્ષમ એવા ચિત્ત દ્વારા ચિંતનને અભ્યાસ કરે છે અને તેમાં સ્થિરતા સિદ્ધ થતાં ધ્યાનની દશાને પ્રાપ્ત કરે છે. સાધના–પદ્ધતિ : ચિંતવન-ધ્યાનની સાધનાના ત્રણ પિટા. વિભાગ પાડી શકાય? (૪) જાપ: પહેલા વિભાગમાં, પ્રભુને કે ગુરુને વારંવાર અંતરમાં મહિમા લાવી, વિશેષ પ્રયત્નપૂર્વક તેમના નામને અથવા તેમણે આપેલા મંત્રને જાપ કરવાને છે. (૩) ચિંતવન: જેમનું નામ જપીએ છીએ અથવા જે મંત્રને જાપ કરીએ છીએ, તેના અર્થને અનુરૂપ ચિંતવન કરવાનું છે. એટલે કે પ્રભુના કે ગુરુના સ્વરૂપને કે તેમના ગુણેને યાદ કરવાના છે. આને સ્મરણ પણ કહે છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શક્તિમાગ ની આરાધના ૩૮ (૪) ધ્યાન : જે ચિંતવનના અભ્યાસ કરી રહ્યો છે, તેને પ્રેમભાવ, લક્ષ પ્રત્યે (સદ્ગુરુ કે પરમાત્મામાં) વર્ધમાન થતાં તલ્લીનતા ઊપજે છે, જેથી ધ્યાનની સિદ્ધિ થાય છે. (૬) જાપ : અહીં સુધી જે ભક્ત પહેાંચ્યા છે, તેનામાં વિવેક, વિનય, નિયમિતતા આદિ ગુણે! પ્રગટયા હોય છે. આવા સાધકે જાપની સાધના માટે સેવા-પૂજાના અલગ એરડા રાખવા. આ એરડ એવા હોય કે જેમાં બીજા કેાઈ સાંસારિક કાર્ય ન કરવામાં આવતાં હેય. આમ કરવાથી વાતાવરણની પવિત્રતા જળવાય છે. એરડામાં ઇષ્ટદેવ, ગુરુ કે સંતાના ફોટા રાખવાથી મનની પવિત્રતા જાળવવામાં સરળતા પડે છે. પ્રવૃત્તિમય કાળ દરમ્યાન, મંત્ર ખેલવાની કે પ્રભુનામના રટણની સિદ્ધિ કરવા શરૂઆતમાં, કેઇ પણ વસ્તુ ખાતાં-પીતાં પહેલાં પ્રભુનામ ખેલવાના નિયમ લેવા જેથી દસપંદર વખત તે પ્રભુનું નામ જીભ પર રમતું થઈ જાય. થોડા અભ્યાસ પછી તેમાં નીચે પ્રમાણે ધીમે ધીમે ઉમેરે કરતા જવું. (i) સવારે ઊંઘમાંથી ઊઠીને તરત અને રાત્રે સૂતી વખતે. (ii) ઘરમાંથી કેઈપણુ કાર્ય કરવા માટે બહાર જતી વખતે. (iii) નડ્ડાતી વખતે, ધાયેલાં કપડાં પહેરતી વખતે, ભાઇઓએ દાઢી કરતી વખતે અને બહેનાએ વાળ ઓળતી વખતે. ક્રમિક અભ્યાસ દ્વારા જે આટલા આગળ વધી શકે તે ખરેખર મહાન સાધકની કક્ષામાં આવી જાય છે, કારણ કે એક દિવસની અંદર તે લગભગ સાઠ સિત્તેર વખત પ્રભુનું નામ ખેલતા થઈ જાય છે. આ વાત થઈ પ્રવૃત્તિ દરમ્યાન જાપની. આવે ભક્ત સાધક સવાર-સાંજ થઈ શાંતપણે ત્રણ માળાના જાપ કરતા થાય. આગળ ઉપર, ધીમે ધીમે પ્રબુદ્ધ ભક્ત તેા જેમનું નામ તે જપે છે તેમનું સ્મરણ પણ કરતા થઇ જશે; કારણ કે નામનામી અભિન્ન છે. જેવી રીતે રાજાનું નામ ખેલતાં તેના મહેલ. વૈભવ, લશ્કર, અંતઃપુર, સત્તા વગેરેનું સ્મરણ થાય છે તેવી For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ne શિવન-ધ્યાન રીતે પ્રભુ કે ગુરુનું નામ લેતાં તેમનાં જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, સમાધિ, ક્ષમા, વૈરાગ્ય, પરમ સંયમ વગેરે ઉત્તમ ગુણાનું સ્મરણ વિવેકી ભક્તોને થાય છે. માટે જ નામજપના કે મ`ત્રના જપના મહિમા મહાપુરુષોએ નીચે પ્રમાણે કહ્યો છે : (દાહરા) ૧. સિદ્ધનિકે સુખકા કહે, જાને વિરલા કાય; હમસેં મૂરખ પુરુષકાં નામ મહાસુખ હોય. ઘાનત નામ સદા જપેડ, સરધાસેાં મનમાહિ”, સિવવાંછા વાંછા વિના; તાકૌ ભવદુઃખ નાહિ ધ વિલાસ ઃ સુખબત્રીસી : ૩૧-૩૨-કવિવર ઘાનતરાયજી (દે હરા) ૨, પઢનેકી હદ સમઝ હૈ, સમઝણકી હદ રાત; જ્ઞાનકી હદ હરનામ હૈ, યહ સિદ્ધાંત ઉર આન. —મહાત્મા કબીરદાસજી ૩. રામનામ ગતિ, રામનામ મતિ, રામનામ અનુરાગી; વ્હે ગયે, હું, જે હેહિ ગે આગે, તે ગનિયત અડભાગી, —વિનયપત્રિકા : ૪૬ : સ ંત તુલસીદાસ ૪, કહુ નાનક સાઈ નર સુખિયા રામનામ ગુન ગાવૈ, ઔર સફલ જગ માઈયા, નિરભય પદ નહિ પાવૈ. આ પ્રમાણે જ્યારે નામનાં રટણ અને જાપ દ્વારા નામી પ્રભુ–પરમાત્મા-સદ્દગુરુનું ચિ'તન થવા લાગે અને એ રીતે જ્યારે ચિત્તમાં પ્રભુનું સ્મરણ સુસ્થિત અને ત્યારે ભક્તના બીજી ભૂમિકામાં પ્રવેશ થાય છે જેનું નામ છે— (૬) સ્મરણ અથવા ચિંતન : જે મત્રને જાપ કરતા હાઇએ તેના અર્થનું ચિંતન કરવું અથવા જે પ્રભુનું નામ લેતા હાઇએ તેમના રવરૂપનું, મૂર્તિનું કે ગુણેાનું ચિંતન કરવું. શાંત, પવિત્ર, સૌમ્ય, સમાધિના આનંદમાં મગ્ન પરમાત્માનું ચિ'તમન કરવાથી આપણામાં પણ તેવા ભાવેનું સ્ફુરણ થાય છે; કારણ કે આત્મા, ભાવપૂર્વક જેનું જેનું ચિ'તન કરે તેના તેના જેવા For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના તે થાય છે. જો કે આ અભ્યાસની સિદ્ધિ માટે ખૂબ વિવેક, પરિશ્રમ, ધીરજ, વૈરાગ્ય, સહનશીલતા “અડગ નિશ્ચયબળ, હિંમત, ખંત, માર્ગદર્શક પ્રેરક ગુરુ, આત્મવિશ્વાસ અને અભ્યાસની જરૂર પડે છે. નામજપ અને સ્મરણ બાબત મહાપુરૂષોએ આપણને નીચે પ્રમાણે પ્રેરણા આપી છે - | (દેહરા) (૧) ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ મરણકે ચાવ નરભવ સફલે જે કરે, દાન, શીલ, તપ ભાવ, બૃહદ્ આલોચના-૨૬ : લાલા રણજિતસિંહજી (૨) શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વદુષણરહિત, કર્મમલહીન, મુક્ત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશે. ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતે જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપના ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. –શ્રી મોક્ષમાળા-શિક્ષાપાઠ ૧૩ઃ શ્રીમદ્ રાજચન્દ્ર (૩) નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવ. સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષનાં ચરિત્રનું સ્મરણ કરવું; સપુરુષના લક્ષણનું ચિંતન કરવું; પુરુષેની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્દભુત રહસ્ય ફરી ફરી નિદિધ્યાસન કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વસમ્મત કરવું, આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવાયેગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ચિતવનદયાન (દેહરા) (૪) જબ જાગે તબ રામ જપ, સેવત રામ સંભાર; ઉઠત-આઠત આતમા ! ચાલત રામ ચિતાર, સુમરન સિદ્ધિ મેં કરે, જેસે દામ કંગાલ; કહે કબીર બિસરે નહીં, પલ પલ લેત સંભાળ –કબીરજીનાં આધ્યાત્મિક પદો : ૧૪-૧ર તથા ૬-૨-૪ નામ-સ્મરણ(જાપ)ના અાસમાં ઉપયોગી મુદ્દા (૧) પવિત્રતા : પવિત્ર પુરુષના ગુણે અને ચારિત્રને યાદ કરવા માટે ભક્તમાં ભમિકારૂપ પવિત્રતા આવશ્યક છે. મેટાં વ્યસન અને સર્વ પ્રકારના દુરાચારને ત્યાગ જરૂરી છે. (૨) આહાર-વિહારની શિસ્ત : સાદો, સાત્વિક અને મિતાહાર સાધનામાં ઉપયોગી છે. ભરપેટ અને ભારે આહાર પ્રમાદજનક હોવાથી વર્યું છે. ખૂબ શારિરીક શ્રમ આસન સ્થિરતાને બાધક થઈ ચંચળતા ઉપજાવે છે તેથી અતિશય શ્રમ પણ વર્ષ છે. (૩) ભૂમિકા-ઉપાર્જન: શાંત, નિર્મળ ચિત્તથી ચિંતવનમાં જલ્દીથી સફળતા મળે છે. દૈનિક ગૃહસ્થ કાર્યોમાં રોકાયેલ ભક્ત સ્મરણ-જાપ કરવા બેસે તે પહેલાં બે-ત્રણ ભક્તિ વૈરાગ્યનાં પદે બેલે અથવા દસેય મિનિટ શાસ્ત્રવચન કરે તે તેનું ચિત્ત સ્મરણને ... એગ્ય બને છે. ચીકણું વાસણ ઉપર જેમ કલાઈ ચઢતી નથી અથવા છાર પર લીંપણ કરવાથી તે ટકતું નથી તેમ અતિશય મુખ્ય (અશાંત) અને મલિન મન પ્રભુનામમાં કે પ્રભુસ્મરણમાં ચુંટવાની યોગ્યતાવાળું હોઈ શકતું નથી. (૪) નિયત સ્થાન અને સમયઃ અમુક ચોક્કસ સમયે અને ચેકસ જગ્યાએ અભ્યાસ કરવાથી ચિત્તવૃત્તિને પ્રવાહ એક દિશામાં સહેજે સહેજે વળતે જાય છે. (૫) સાધનાનું સાતત્ય: ચિંતવન સ્મરણ દરરોજ કરવું આવશ્યક છે. થોડા દિવસેને આંતરે પડી જવાથી ચિત્તને પાછું For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના એકાગ્ર કરવામાં મુશ્કેલી પડે છે. લગ્ન, મરણ, મુસાફરી, અકસ્માત, માંદગી કે એવા વિપરીત સંજોગોમાં સમય થોડો ઓછો કરીને પણ ચિંતવનના કમને સંભાળી લેવાથી ઘણું ઘણું લાભ થાય છે. જાપમાં બેઠા પછી વચમાં બીજું કોઈ કાર્ય કરવાનું નથી. (૬) ચિંતનમાં અવલંબનની વિવિધતાને સ્વીકાર : મનુષ્યના ચિત્તને એક જ વસ્તુથી કંટાળી જવાને સ્વભાવ થઈ ગયે છે. માટે પિતાના ઈષ્ટ પરમાત્મા કે સદ્ગુરુની મૂર્તિ, મુદ્રા કે ચરિત્રપ્રસંગમાં ચિત્ત ન ચેટે તે બીજા તીર્થકર, આચાર્યો કે સંતનું સ્મરણ કરી ચિત્તને ચિંતવન કરવાની નવીન સામગ્રી આપીને રાજી કરવું, જેથી પવિત્ર ચિંતવનની ધારા લખાય અને ચિત્ત અન્ય સંસારી કે બીજી પાપમય વસ્તુઓના વિચારમાં ચાર્યું ન જાય. જે હઠ પકડી અન્ય યોગ્ય ચિંતનસામગ્રી નહીં આપીએ તે મનોનિગ્રહ થઈ શકશે નહીં અને સાધનામાં ભંગ પડશે. આ માટે જ્ઞાની પુરુષોની આજ્ઞા નીચે મુજબ છેઃ ..અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકાર તથા કલયાણુસ્વરૂપ છે. નિર્વિકલ્પ. –શ્રીમદ્ રાજચન્દ્રઃ પત્રાંક-૮૪૩ (૭) જાપમાં ઉચ્ચારણ વિશેઃ (i) મંત્રનો જાપ બહુ મેરેથી પણ નહીં અને બહુ ધીમા સ્વરમાં પણ નહીં–એ પ્રમાણે કરે. (i) મંત્રના શબ્દો ઉચ્ચાર શુદ્ધ અને સ્પષ્ટ કર. (ii) મંત્ર બોલવાની ગતિ મધ્યમ રાખવી, બહુ જલદી બોલવાથી તેના અર્થને ચિંતવનમાં પાછળ રહી જવાય છે અને બહુ ધીમી ગતિએ બોલવાથી પ્રમાદ ઊપજવાને ભય રહે છે. આ પ્રમાણે ભક્ત, જાપમાંથી સ્મરણમાં For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ચિતવન-ધ્યાન સ્મરણુ સૂક્ષ્મ થતાં – ચિત્તવૃતિ સ્થિર થતાં – ત્રીજી ભમિકામાં પ્રવેશ થાય છે જેનું નામ છે (n) ધ્યાન : પેાતાના ઇષ્ટદેવના સ્વરૂપમાં, ગુણામાં કે ચારિત્રપ્રસંગાના સ્મરણમાં જ્યારે ભક્ત એકતાર થઈ જાય છે ત્યારે તે સ્મરણમાંથી ધ્યાનમાં આવ્યા છે, એમ કહી શકાય. પરંતુ સાધનાકાળમાં સ્મરણુ અને ધ્યાનની અવસ્થાએનું આવન-જાવન થયા જ કરે છે. સાધનાપતિ : અહીં ભક્તિના વિષયનું પ્રતિપાદન ચાલે છે. ધ્યાન એ મુખ્યપણે તે યોગ-સાધનાના વિષય છે. અહીં તે માત્ર ભક્તજન, પ્રભુ-સ્મરણ કે સદ્ગુરુ સ્મરણને કેવી રીતે લખાવે છે તેનું જ સંક્ષિપ્ત વિવરણ કરીશું. આગળ ‘જાપ’ના વિષય હેઠળ જે જે મુદ્દાઓ કહ્યા હતા તે બધા અઠ્ઠીં પણ લાગુ પાડવા, ઇષ્ટની મૂર્તિનું જે માનસિક ચિત્ર અંતરમાં અંકાયું હોય તેને સ્મૃતિપટ પર સ્પષ્ટ કરવું. સામાન્ય રીતે તે મૂર્તિ કે મુદ્રા જાણે કે હૃદયપદેશમાં વિરાજિત કરેલી હોય તેમ ભાવના કરીને તેના પગ, પેટ, છાતી, ગળું, મુખકમળ, આંખા અને માથુ – એમ ભિન્ન ભિન્ન અંગો પર દૃષ્ટિને સ્થિર કરવી અને આવી રીતે વારંવાર પરિકમ્મા' કરવી. પછીથી આખી મુદ્રાનું એકસાથે ધ્યાન કરવું અને તેના વડે પોતાના આખા શરીરમાં જ્ઞાનરૂપી તેજ વ્યાપી સર્વ પ્રકારની મલિનતાને નાશ કરી રહ્યું છે એમ ભાવના કરવી. અત્યંત પ્રેમભાવને લીધે જે ધ્યાન કરી રહ્યો છે તે જાણે ધ્યેયની સાથે એક થઈ જાય છે તેવા ભાવ કરવા. બસ. આટલે સુધી પ્રયત્ન કરી શકાય છે. આગળ, ધ્યાન યથાપદવી સહજપણે લાગે છે. આનાથી આગળની ભૂમિકા છે સમતા અને એકતા, જે આપણે આગળ ઉપર જોઈશું. માહાત્મ્ય અને ફળ : સ્મરણુ શબ્દમાં ચિંતવન અને ધ્યાન અન્નને સમાવેશ થઈ જાય છે. જે વડે કરીને ભક્ત ભગવાનમાં For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના અથવા સદ્ગુરુમાં લય લગાવવાનો પ્રયત્ન કરે છે, બુદ્ધિપૂર્વકના પ્રયત્ન દ્વારા જગતની બીજી બધી વસ્તુઓને ભૂલીને, યેન કેન પ્રકારેણ (જે પણ રીતે બને તે રીતે) તે પ્રભુ-ગુરુનું જ પિતાના હૃદયમંદિરને વિશે પ્રેમપૂર્વક પ્રતિષ્ઠાપન કરે છે, તેને સ્મરણ કહીએ. અધ્યાત્મદષ્ટિએ વિચારતાં એને “ભાવના, પ્રેમ, કે “સુરતા' પણ કહી શકાય અને સર્વ સાધનાનું ફળ પણ જ્ઞાનીઓએ આ જ કહ્યું છે કે “જગતની વિસ્મૃતિ કરવી અને “સત’ના ચરણમાં રહેવું.” સંતે તેને મહિમા નીચે પ્રમાણે ગાય છેઃ | (દેહરા) ૧. જિન સમરે, જિન ચિંતવે, જિન થાવ મન શુદ્ધ તે ધ્યાતાં ક્ષણ એકમાં લહે પરમપદ શુદ્ધ –યોગસાર ઃ ૧૮-શ્રી ગિદેવ ૨. જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતે નિત્ય મારું (પરમાત્મા)નું સ્મરણ કરે છે તે નિત્ય યુક્ત ગીને, હે પાર્થ ! હું સુલભ છું. –શ્રીમદ્ ભગવદ્ગીતા : ૮-૧૪ (ધનરા ઢોલા – એ દેશી) ૩. પીઉ પીઉ કરી તમને જપું રે, હું ચાતક તુમે મેહ, મ. એક લહેરમાં દુઃખ હરે રે, વાધે બમણે નેહ, મનના માન્યા, ચન્દ્રપ્રભ જિન સાહિબા રે. –શ્રીમદ્ યશોવિજયજીકૃત ચન્દ્રપ્રભુસ્વામીનું સ્તવન ૪. હરિ હરિ એમ જ સર્વત્ર છે, તે જ પ્રતીતિ થાઓ, તેનું જ ભાન હે. તેની જ સત્તા અમને ભાસે. તેમાં જ અમારે અનન્ય, અખંડ અભેદ હે યેચ જ હતે. આજરોજ ૧૧૦ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ દિગતવનદયાન • પ્રભુચરણથી સત્ય, સંતોષ અને જ્ઞાન પમાય, પ્રભુમરણથી જાણે અડસઠ તીર્થોમાં નાહા. પ્રભુસ્મરણથી શાસ્ત્રનું સાચું રહસ્ય પ્રાપ્ત થાય. પ્રભુસ્મરણથી સહેજે ધ્યાન-સમાધિ પ્રાપ્ત થાય. પ્રભુસ્મરણથી દુઃખ-પા૫ને નાશ થઈ જાય છે. જપજી-પડી ૧૯-બ્રીગુરુ નાનક સાહેબ ૬. પ્રભુ સાથેની લય-સ્મરણની ધૂન જેને લાગી છે તેને જ લાગી છે અને તેને જ જાણી છે. તે જ “પિયુ પિયુ” પિકારે છે. એ બ્રાહી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેને જ ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકે હોય છે. –શ્રીમદ્ રાજચન્દ્રઃ પત્રાંક ૨૪૧ (દોહરા) ૭. જપ, ત૫, સંયમ સાધના, સબ સુમિરન માહિક કબીરા જાને રામજન, સુમિરન સમ કછુ નાહિં, સુમરન સે સુખ હેત હૈ, સુમરના દુઃખ જાય; કહે કબીર સુમરન કિયે, સ્વામી માંહિ સમાય. સુમરન જગમેં સાર હૈ, ઔર સકલ જ જાલ; આદિ અંત સબ શેધિયા, દૂજા દેખાં કાલ. કબીરનાં આધ્યાત્મિક પર | મંદાક્રાંતા) ૮. શાકા હે પઠન સુખદા, લાભ સત્સવતીક, સાવૃત્તોક સુજસ કહેકે, દશ ઢાં સભીક બેલુ પ્યારે વચન હિતકે, આપકા રૂપ થાઊં, તલાં સેઉ ચરણ જિનકે, મેક્ષ જે લેન પાઉ'. બૃહજિજનવાણી સંગ્રહઃ શાંતિપાઠ ભાષા (પ્રભાતિયું) હ, દયાન ધર હરિ તણું, અલ્પમતિ આળસુ, *જે થકી જન્મનાં દુ ખ જાયે અવર ધધા કરે, અરથ કાંઈ નવ સરે, | માયા દેખાડીને મૃત્યુ વહાયે. –ભક્તકવિ નરસિંહ મહેતા ૧ઃ બીજે ૨ ઃ છેતરે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના ૧૦. જય જ્ય ગુરુદેવ! નડતુ, નમોડસ્તુ નમેદસ્તુ, શરણું, શરણું શરણું, ત્રિકાલ શરણું, ભભવ શરણું, સદ્ગુરુ શરણું, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હ, વિનયવન્દન , સમયાત્મક વન્દન હો, ૩ નમોડસ્તુ જ્યગુરુદેવ શાંતિ, પરમ તારુ, પરમ સજન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણું સુરસાળ, અતિ સુકુમાર, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, “મા હણ, મા હણો' શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમળ મેરે હદયકમળમેં અખંડપણે સંસ્થાપિત રહે સંસ્થાપિત રહે, સપુરુષેક સસ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટ પર ટંકીર્ણવત્ સદેદિત જયવંત રહે, જયવંત રહે. આ પ્રકારે ચિંતવન-ધ્યાનને અપૂર્વ મહિમા અંતરમાં લાવી, તેવા ઉત્તમ ભાવ આપણું આત્માને વિષે નિરંતર ઊપજે અને સ્થિર રહે તેવા પુરુષાર્થમાં લાગવાની પ્રભુ આપણને શક્તિ આપે એ જ અભ્યર્થના! For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ લા ભૂમિકા : લઘુતા શબ્દ “અલ્પપણું” “નાનાપણું સૂચવે છે. પિતાના આત્મા વિષે આ લઘુતાને ભાવ કેને ઊપજે? જે ભાગ્યવાન ભક્તજને શ્રીસદ્દગુરુના બેધ દ્વારા ભગવાનના-પરમાત્માના અન ત અચિંત્ય અલૌકિક સ્વરૂપને જાણ્યું હોય, “અહો ! આવા અદ્ભુત ઐશ્વર્યના સ્વામી મારા પ્રભુજી છે એવી જેના અંતરમાં પ્રતીતિ થઈ હોય, તેવા ભક્તના હૃદયમાં પિતાની વર્તમાન દશાના દેનું દિગ્દર્શન થતાં જે અલ્પત્વને, તુચ્છતાને, પ્રભુનું દાસાનુદાસપણું સ્વીકારવાને અને તેને જ શરણે રહેવાને જે ભાવ ઊપજે તે સાચી લઘુતા છે. આ ભાવ ખરેખર ઊપજ કઠિણ છે અને તેથી જ શાસ્ત્રકારની શૈલીમાં પણ તેને ક્રમ શ્રવણ-કીર્તન-ચિંતવનવજન-સેવન-ધ્યાન એવી છ સાધનાભૂમિકાઓના પરિપાકરૂપે સાતમી ભૂમિકામાં ભવ્ય ભક્તોને જીવનમાં ઊપજે કહ્યો છે. સાધના-પદ્ધતિઃ સત્સંગ, સમજણ અને શ્રદ્ધા એમ ત્રણ મુખ્ય ભૂમિકાઓમાં આ સાધના વહેંચાયેલી છે. ભક્તનું અને ભગવાનનું, પિતાનું અને પરમાત્માનું શું સાચું સ્વરૂપ છે, તે જાણવાને સર્વોત્તમ ઉપાય સાચા અનુભવી પુરુષને સમાગમ કરે તે છે. જ્યાં સુધી તેમને સત્સંગ ન કરીએ ત્યાં સુધી પિતાના દે કેવી રીતે જણાય? તથા આવા પરમ માહામ્યવાન પ્રભુ છે એ પણ ક્યાંથી ખ્યાલમાં આવે? માટે જ સંતાએ કહ્યું– For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના “અનત કાળથી આથડ વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુસંતને, મૂક્યું નહિ આભમાનપ્રભુ, પ્રભુ લય લાગી નહિ, ૫ડયો ન સદૂગુરુ પાય; દીઠા નહિ નિજ દે તો, તપિયે કેણ ઉપાય? અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?” –શ્રીમદ્ રાજચન્દ્રઃ ૨૪/૧૫-૧૮-૧૯. આમ, સાચા જિજ્ઞાસુ થઈને સરળતા-વિનયાદિ ગુણો સહિત વારંવાર તેને, ભગવદ્ભક્તોને અને સત્સંગીઓને સમાગમ કર જોઈએ. વારંવાર પ્રભુના ગુણોને મહિમા સાંભળીને તે સંબંધી વિચાર કર. આવી સાધનામાં જે જે બાધક-ત હોય તેમને ત્યાગ કરે. સાત્વિકતાને ગ્રહણ કરીને, નાસ્તિક અને દુર્જનેથી દૂર રહીને, તેમ જેમ પ્રભુના ગુણેને વિચાર કરવામાં આવશે તેમ તેમ શ્રદ્ધાને આવિર્ભાવ થઈ તે પાકી થતી જશે. પ્રથમ અને મધ્યમ ભૂમિકાઓમાં અનાદિ કાળથી સેવેલાં મિથ્યા-અભિમાનના સંસ્કાર જેર કરશે, તથા ઊંઘ, ખૂબ ખાવાપીવાની વૃત્તિ, ગામના ગપાટા મારવાની ટેવ, વ્યસન વગેરે તુચ્છ વસ્તુઓ પ્રતિ ચિત્તનું વારંવાર ખેંચાઈ જવું, લેક તરફથી અને સ્વજને તરફથી ભગવદ્દભજનમાં અનેક વિદ્ગોનું ઉપજાવવું, ભવિષ્યમાં મારું શું થશે અને મને કેણ મદદરૂપ થશે એવી ચિંતા અને ભયની લાગણી થવી એ ઈત્યાદિ પ્રકારે અનેક બાહા. અને અંતર પરિબળે સત્સંગ-સવિચાર-પ્રભુભક્તિમાં વિક્ષેપરૂપ થશે તે પણ વિશ્વાસ, સદ્ગુરુમાં નિષ્ઠા અને આધીનપણું તથા સતત ભજનને અભ્યાસ કરવાથી ભગવાનનું લેકોત્તર માહાભ્ય શ્રદ્ધામાં આવશે અને પિતાના દોષોને વિશેષ વિશેષ ખ્યાલ આવતે જશે. આમ થતાં, સાચા સ્વરૂપમાં “લઘુતાને ભાસ થશે અને ભક્તિના આ પ્રકારની સાધના કેમે કરીને સારી રીતે સિદ્ધ થઈ શકશે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ હતા. ઉપરોક્ત આખી સાધનાની સાંકળમાં, યોગ્ય સત્સંગને વિધિપૂર્વક આશ્રય અને પિતાની અંતરની શ્રદ્ધા – આ બે વસ્તુઓ પાયારૂપ છે. તેને સાધનાક્રમ સંક્ષેપમાં મહાત્માઓ નીચે પ્રમાણે કહે છે: “પરંતુ તે ભક્તિ વિષયત્યાગ અને સંગત્યાગથી પ્રાપ્ત થાય છે. મુખ્યત્વે મહાત્માઓની કૃપા અથવા તે ભગવાનની કિંચિત કૃપાથી તે પ્રાપ્ત થાય છે. તે માટે મહાત્માઓને સંગ દુર્લભ, અગમ્ય અને અચૂક સાધન છે. કુસંગને સર્વથા ત્યાગ કર સ્ત્રી, ધન, નાસ્તિક અને ઘેરીનાં વચને સાંભળવા નહીં. અભિમાન, દંભ આદિકને છોડવાં તથા વાદવિવાદનું અવલંબન લેવું નહીં. અહિંસા, સત્ય, પવિત્રતા, દયા, આસ્તિક્ય આદિનું પાલન કરવું. અખંડ ભજનથી તેમાં સફળતા મળે છે.* આ પ્રમાણે જ્યાં સુધી અને જેટલા પ્રમાણમાં પિતાની ભક્તિ-શક્તિ પહોંચે છે ત્યાં સુધી અને તેટલા પ્રમાણમાં ભક્ત સાધક વિવેકપૂર્વકને ગુરુતમ પુરુષાર્થ કરે છે. આમ કરવા છતાં કેઈક કઈક ક્ષણે સાધનાકાળમાં એવી પણ આવે છે કે જ્યારે આગળ વધવું તે શું પણ જ્યાં હોઈએ ત્યાં ટકી રહેવું પણ ભક્તને માટે મુશ્કેલ બની જાય છે. આવું અનુલંઘનીય વિશ્વ આવતાં તે શું કરે? આવા કટીના કપરા કાળમાં, કાં તે તે સપુરુષના શરણે જાય અથવા તે પ્રભુનું શરણ ગ્રહણ કરી પિતે પ્રાર્થનારૂપે પ્રવર્તે છે. દરેક ભક્ત-સાધકને વધતા-ઓછા પ્રમાણમાં આવી દશાને અનુભવ થાય જ છે તેથી તે પ્રાર્થનાપ સાધનાપ્રણાલીને આપણે હવે વિચાર કરીએ. * શ્રી ભક્તિસૂત્ર (મહર્ષિ નારદજી) For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના સામાન્ય ભૂમિકા | શબ્દાન્વયની અપેક્ષાએ વિચારીએ તે પિતાના પ્રકૃષ્ટ અર્થ (પ્રઅર્થ)ની સિદ્ધિ માટે જે કાંઈ કરવામાં આવે તે પ્રાર્થના ગણી શકાય. પરંતુ મનુષ્યના આત્મવિકાસની અનેક શ્રેણિઓ હોવાને લીધે તેઓનું અભીષ્ટ (ધ્યેય, અર્થ) પણ જુદું જુદું હોય છે અને એ અપેક્ષાએ પ્રાર્થના કરનારની શ્રેણીઓ પણ અનેક છે. તેવા ભક્તોના મુખ્ય ચાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. અર્થાથી, આd, જિજ્ઞાસુ અને જ્ઞાની.* ' અર્થાથ : સૌથી નીચી કક્ષાને આ ભક્ત પિતાના સ્વાર્થને માટે પ્રભુને પ્રાર્થના કરે છે છતાં તેને પ્રભુમાં વિશ્વાસ છે, એ અપેક્ષાએ તેને ભક્ત તરીકે ગણવામાં આવ્યું છે. આત: આ ભક્ત નવી સંપત્તિ કે બીજા કોઈ સાંસારિક વૈભવને ઈચ્છતું નથી, પરંતુ પ્રાપ્ત અશ્વર્યને વિયેગ સહન કરવાની તેનામાં હજુ શક્તિ નથી, તેથી તેની રક્ષા અર્થે તે, પ્રભુને પ્રાર્થના કરે છે. જિજ્ઞાસુ: આ ભક્ત મહદ્ અંશે નિષ્કામ છે કારણ કે તે જગતના કેઈ પદાર્થોની ઈચ્છા કરતું નથી, માત્ર પરમાત્મપદના જ્ઞાનની પ્રાપ્તિની તેને ઈચ્છા છે એ અપેક્ષાએ આ ભક્ત ઊંચી કેટિને ગણી શકાય. જ્ઞાની : આ સર્વોત્તમ ભક્ત છે, તેણે તે કઈ અપેક્ષાએ * શ્રીમદ્ ભગવદ્ગીતાઃ ૭-૧૬ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ હતા પરમાત્મપદ પ્રાપ્ત કરી લીધું છે એમ કહી શક્યા. તેની ભક્તિ માત્ર અહેતુકી છે, નિઃસ્પૃહા છે, અનન્ય છે, પ્રશંસનીય છે. પ્રભુએ તેને પિતાના આત્મીયજન તરીકે સ્વીકાર્યો છે. આધ્યાત્મિક અભિગમ: મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને, આત્માની શુદ્ધિ માટે, પરમાત્મા કે સદ્દગુરુને નજર સમક્ષ રાખીને ભક્ત, ભગવાનને જે નમ્ર વિનંતી કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યાવહારિક સ્વરૂપ છે. પ્રાર્થનાનું વિજ્ઞાન સમજવા માટે અને આધ્યાત્મિક વિકાસમાં તેને યથાયોગ્ય ઉપયોગ થઈ શકે તે અર્થે, દરેક પ્રબુદ્ધ પ્રાર્થનાકારે નીચેના સિદ્ધાંતને સારી રીતે સમજવા જોઈએ? (4) લઘુતા સહિત આત્મસમર્પણ: દરેક પ્રાર્થનાકારને એ સ્પષ્ટ ખ્યાલ હવે જોઈએ કે પિતે અલ્પ શક્તિને ધરનાર છે અને જેમને પ્રાર્થના કરવામાં આવી રહી છે તે અતિ મહાન શક્તિના ધારક છે. જેના અંતરની અંદર, પિતાની વર્તમાનદશાની લઘુતાનું યથાર્થ દર્શન નથી થયું તે સર્વાપણભાવથી પ્રભુનું શરણ કેવી રીતે લઈ શકે? જ્યાં સુધી અજ્ઞાનજનિત હું, “અહમ' કે “અભિમાનને ભાવ અંતરમાં રહ્યો છે ત્યાં સુધી પ્રપન્નતા – આત્યંતિક શરણાગતિ–(Toral Unilateral Uncondi. tional surrencdr)ને ભાસ સિદ્ધ થઈ શકતું નથી. આ કક્ષાની સાધના સંપૂર્ણ રીતે સફળ થવા માટે ભક્તના અંતરમાં, વર્તમાનમાં પિતાના પુરુષાર્થથી આગળ વધવાની પોતાની સંપૂર્ણ અશક્તિની જાહેરાત અને તેના ફળરૂપે ઊપજવા ગ્ય શરણાગતિની સંપૂર્ણતા પણ દષ્ટિગોચર થાય છે. તેથી જ સંતેએ ગાયું : (૧) હે નાથ ! હું આપને સંદેશવાહક છું, દાસ છું, સેવક છું અને કિંકર છું. માટે “આ મારો છે એ પ્રમાણે આપ સ્વીકાર કરે. અધિક હું કાંઈ કહેતું નથી. વીતરાગસ્તવ/૨૦/૮ શ્રી હેમચંદ્રાચાર્યજી For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ કાનનું રક્ષણ કરો અને બેચાને અને આપની ભક્તિમાર્ગની આરાધના (૨) હે પરમાત્મા (અરિહંત) ! આપ કૃપા કરીને આ ભયાનક કુવારૂપ સંસારમાં પડેલા મુજને તેનાથી ઉદ્ધાર કરે. આપ તેમાંથી ઉદ્ધાર કરવા મુજને સમર્થ છે. તેથી હું વારંવાર આપને નિવેદન કરું છું. તમે જ દયાળુ છે, તમે જ પ્રભુ છે. અને તમે જ રક્ષક છે. તેથી મોહરૂપ શત્રુ દ્વારા જેનું માનમર્દન કરવામાં આવ્યું છે એવો હું આપની પાસે પિકારીને કહું છું. આ હું અને તે કર્મરૂપી શત્રુ બન્નેય આપની સામે હાજર છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દે, કારણ કે સજનનું રક્ષણ કરવું અને દુષ્ટને દંડ દે એ ન્યાયપ્રિય રાજનું કર્તવ્ય હોય છે. શ્રી પવનંદિપંચવિંશતઃ ૨૦-૩-૪ તથા ૯-૨૦ (દોહરો) . (૩) () દાસ કહાવા કઠિન હૈ, મેં દાસના દાસ અબ તે અસા રહું, કિ પાંવ તલકી ઘાસ, () સાહબ તુમ હી દયાલ હે, તુમ લગ મેરી દોરા જેસે કાગ જહાજ, સૂઝત ઔર ને કૌર (૪) સાહબ સો સબ હેત છે, બંદે કછુ નહિં રાઈ તે પવત કરે , પત રાઈ માંહિં, –મહાત્મા કબીરદાસજી (વાસ્તુ છંદ) (૪) મહારાજ શરણાગતપાલ, પતિતઉધારણ દીનદયાલ સુમિરન કરહુ નાય નિજ શીશ, મુજ દુઃખ દૂર કરહુ જગદીશ –શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર ૪૦– શ્રીબનારસીદાસકૃત પદ્યાનુવાદ | (દેહરા) (૫) “હું પામર શું કરી શકું?” એ નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ચહે પ્રભુછ હાથ, –શ્રીમદ્ રાજચન્દ્રઃ ૨૬૪-૫, ૧૪ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ (રાગ ધનાશ્રી) (1) તુ ગતિ તુમતિ આશરે, તુ આલંબન મુજ પ્યારે રે; વાચક યશ કહે માહરે, તું છવ જીવન આધારે રે. ગિઆ રે ગુણ તુમ તણ૦ –શ્રીમદ્દ યશોવિજયજી મહારાજકૃત મહાવીર સ્તવન (રાગ ખમાજ–તીન તાલ). (8) મારી નાડ તમારે હાથે હરિ સંભાળ લે રે, મુજને પિતાને જાણીને પ્રભુ પદ પાળજે રે. મારી નાડ વિશ્વેશ્વર શુ હજી વિસારે, બાઇ હાથ છતાં કાં હારે; મહા મૂઝારે મારે નટવર, કાળજે રે. મારી નાડ કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળે શું ગઢ ઘેરાશે? લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે મારી નાડ (૩) વિશ્વાસ જેકે ભક્તિમાર્ગની આરાધના કરતી વખતે સર્વત્ર પ્રભુમાં વિશ્વાસ તે જરૂરી છે જ, પણ આ કક્ષાએ વિશ્વાસ તેની ચરમસીમાએ પહોંચે છે. અહીં, ભક્તજન થાકી જઈને જાણે કે પ્રભુ કે સદ્દગુરુના એળે જઈ બેસે છે, જેમ કઈ બાળક બહારથી રમી આવીને, થાક્યો પાક્યો થઈ માતાના ખોળામાં જઈ પડે તેમ. જેમ બાળકને માતામાં અતૂટ વિશ્વાસ છે કે તેણી તેના પર હેતથી હાથ ફેરવી તેને થાક ઉતારશે અને ખાવાપીવાનું આપશે તે જ – પણ તેથી અનેકગણું વધારે – વિશ્વાસ ભક્તને ભગવાનમાં છે. એક લૌકિક સજજન પણ જે શરણાગતનું રક્ષણ કરે છે, તે ત્રણ લેકના નાથ એવા પરમાત્મા કે કરુણાના સાગર એવા સદ્ગુરુ કેમ સહાયક થયા વિના રહે? હા, આ એક એવા અલૌકિક, દિવ્ય પ્રેમ-સંબંધની વાત છે, જે માત્ર ભક્ત-હૃદય જ સમજી શકે છે કે જેણે પિતાનું સર્વસ્વ પ્રભુચરણે સમર્પણ કરી દીધું છે. સંતે, આ વિશ્વાસને – શ્રદ્ધાને ધર્મસાધનાનું મુખ્ય અંગ ગણે છે, યથા – (૧) શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે. –૪ર્શનપ્રાભૂત-૨ : શ્રી કુંદકુંદાચાર્ય For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના (રેલા છન્દ) ૨. જનમજનમકે દુઃખ સહે સબ સે તુમ જાને, યાદ કિયે મુજ હિયે લૉ આયુધસે મને, તુમ દયાલ જગપાલ સ્વામી એ શરન ગહી છે, જે કુછ કરને હેય, કરે પરમાન વહી હૈ. –એકીભાવસ્તોત્રઃ ૧૧ મુનિશ્રી વાદિરાજ (ભૂધરદાસજીકૃત પદ્યાનુવાદ) (દેહરા) ૩. પતિતઉદ્ધારન નાથજી, અપને બિરુદ વિચાર, ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર, જ૫ ત૨ સંવર હીન હું, વળી હું સમતા હીન કરુણાનિધિ કૃપાળુ હે! શરણ રાખ હું દીન –બ્રહદ્ આલોચનાઃ લાલા શ્રી રણજિતસિંહકૃત (પદ્ધરી છંદ) ૪. ત્રિભુવન તિહુ કાલ મંઝાર કેય, નહિ તુમ બિન નિજ સુખદાય હાય, એ ઉર યહ નિશ્ચય ભયે આજ, દુખજલધિઉતાર તુમ જિહાજ, –શ્રી દૌલતરામજીકૃત પ્રભુસ્તુતિ ૫. વિશ્વાસ, વિશ્વાસ, આપણા પિતાનામાં વિશ્વાસ, પરમાત્મામાં વિશ્વાસ. આ જ મહાનતાનું રહસ્ય છે. –સ્વામી વિવેકાનંદ (દેહરો) ૬. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુને દીન. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૨૬ (રાગ બિહાગ– ત્રિતાલ) • જિહિ સુમિરન સે અતિ સુખ પાવે સે સુમિન કયો છોડ દિયા; For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ હતા ખાસ એક ભગવાન સે, તન-મન-ધન કો ન છોડ દિયા. નામ-જ૫ન કર્યો છે. દિયા. આવા અનેક ભક્ત-સંતેએ પિતાના સર્વસ્વનું પ્રભુ-ગુરુને સમર્પણ કરી પિતાનું જીવન ધન્ય અને કૃતકૃત્ય બનાવ્યું છે. નમન છે તેમની શ્રદ્ધાને! નમન છે તેમના સમર્પણને! (%) નિસ્પૃહતાપૂર્વક નિજદેષકથનઃ પ્રાર્થના એ વ્યાપાર નથી, એ તે છે નિર્મળ પ્રતીક – ભક્તની લઘુતાનું, વિશ્વાસનું અને સમર્પણતાનું. જોકે આ જગતમાં મોટા ભાગના મનુષ્ય તે પિતાની કોઈ ને કઈ પ્રકારની વાંછાને પૂરી કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે, પરંતુ અહીં સાક્ષાત્ અધ્યાત્મસાધનામાં તેમની ગણતરી નથી. જેઓએ પ્રર્થનાના રહસ્યને જાણ્યું છે તેઓ આ જીવનમાં પ્રભુ પાસે કોઈ યાચના કરતા નથી અને પરભવમાં પણ કોઈ લૌકિક વૈભવની ઈચ્છા કરતા નથી. ભક્ત સંતેએ તે કહ્યું: (હરિગીત) જચું નહીં સુરવાસ મુનિ નરરાજ પરિજન સાથ, બુધ જાચહું તુવ ભકિત ભવ ભવ દીજિયે શિવનાથ અબ હું ભવ ભવ સ્વામી મેરે, સદા સેવક રહે કરોડ યહ વરદાન માં માફલ જાવન લહૌ • ભક્તિ પૂર્ણતા પામવાને ગ્યા ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.' આવા નિઃસ્પૃહ ભક્તો જ ભક્તિસાધનાની ચરમ સીમાને પામીને પિતાના જીવનને કૃતકૃત્ય કરે છે. * દર્શનપાઠઃ કવિવર બુધજનકૃત ૪ ભાષાસ્તુતિપાઠઃ શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૨૫૦ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના પ્રાર્થનાનું વિજ્ઞાન: અહીં જે પ્રશ્ન કરવામાં આવે કે આવા ભક્તોને કાંઈ ઈચ્છા નથી તે શા માટે તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે? શું ભગવાનને ખબર નથી કે તેના ભક્તને માટે શું ઈષ્ટ છે અને શું અનિષ્ટ છે? શું ભગવાન સર્વજ્ઞ નથી ? કરુણ સાગર નથી? ભગવાનને પ્રાર્થના કરવાથી શું સિદ્ધ થઈ શકે છે? આ પ્રશ્નનું સમાધાન નીચે પ્રમાણે જાણુ (૧) પ્રાર્થના એ પ્રાયશ્ચિત્તનું એક સ્વરૂપ છે અને પ્રાયશ્ચિત્તને સિદ્ધાંતમાં એક અંતરંગ તપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. (૨) પ્રાર્થના, મેક્ષમાર્ગની સિદ્ધિમાં, પુરુષાર્થ અને પ્રારબ્ધને સમ્યક પ્રકારે સમન્વય સાધે છે અને તેથી સ્યાદ્વાદવિદ્યાની પુષ્ટિ કરે છે, મતલબ કે ગુરુતમ પુરુષાર્થ કરવા છતાં જ્યારે સાધનામાં આગળ વધી શકાતું નથી ત્યારે ભક્ત-સાધકને પ્રભુશરણ સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતું નથી. (૩) જોકે પરમાત્મા કે સદ્ગુરુને, ભક્ત તરફથી કોઈ સ્તુતિ-ભક્તિ પ્રાર્થના વગેરેનું પ્રજન નથી, છતાં જ્યાં સુધી તે પ્રમાણે ન કરવામાં આવે ત્યાં સુધી ભક્તને અહંભાવ-મમત્વભાવ વિલય પામતું નથી અને તેમ થયા વિના પરમાર્ટ મોક્ષમાર્ગની સિદ્ધિ પણ થઈ શકતી નથી. આનાથી આગળ, પ્રાર્થના એ પ્રવેગ અને અનુભવને વિષય છે. પૌરાણિક અને ઐતિહાસિક–એમ અનેક દછતએ પ્રાર્થનાના સિદ્ધાંતની પુષ્ટિ કરી છે. મહાસતી દ્રૌપદી, મહાસતી સીતા, અંજન ચેર આદિ પૌરાણિક દાંતે છે. આચાર્યશ્રી સમંતભદ્રસ્વામી, શ્રીમાનતુંગાચાર્ય, ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા અને પ્રભુપ્રેમમસ્ત શ્રી મીરાંબાઈ આદિ અતિહાસિક દષ્ટાંત છે, આ વડે પ્રાર્થનાની સાધના-પ્રણાલીની સફળતાપૂર્વક સિદ્ધિ થાય છે. જે યુગપ્રધાન આચાર્યો, અપ્રમત્ત ગીશ્વર અને મહાજ્ઞાનીઓએ સૈદ્ધાંતિક ગ્રંથની રચના કરી છે તેમણે જ સાથે સાથે ભક્તિ, For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ લઘુતા ૫૭ પ્રાર્થના, આલેચના, પ્રાયશ્ચિત્ત આદિ વિષયક ગ્રંથની પણ રચના કરી છે. પિતાની જીવનસાધનામાં તેઓએ જ્ઞાન સાથે ભક્તિની આવશ્યકતાને અત્યંતપણે અનુભવ કરીને, તેને સ્વીકાર કરેલ છે. જેમનાં ઉપદેશામૃતને અમારા જીવન ઉપર વિશેષ ઉપકાર થયે છે એવા, જ્ઞાન ભક્તિના આરાધક મહાત્માઓમાંથી છેડા મહાત્માઓની કૃતિઓને નીચેના કઠામાં અંગુલિનિર્દેશ માત્ર કરીએ છીએ? For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-ભક્તિને સમન્વય બતાવતે કઠો મહાત્માનું શુભ નામ | જ્ઞાન-પરક કૃતિઓ ભક્તિ-પરક કૃતિઓ શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર પ્રવચનસાર પંચાસ્તિકાય નિયમસાર આદિ અનેક દશભક્તિ (પ્રાકૃત) ૧ તીર્થકર ભક્તિ ૬ આચાર્યભક્તિ ૨ સિદ્ધ-ભક્તિ ( ૭ નિર્વાણભક્તિ ૩ શ્રુત-ભક્તિ ૮ પંચપરમેષ્ઠિ ભક્તિ ૪ ચારિત્રભક્તિ ૮ નંદીશ્વર ભક્તિ ૫ અણગાર (સાધુ)ભક્તિ ૧૦ શાંતિનભક્તિ For Personal & Private Use Only શ્રી સમંતભદ્રસ્વામી ૧ યુયુનુશાસન ૨ આપ્તમીમાંસા ૩ રત્નકરંડશ્રાવકાચાર ૧ બૃહત્ સ્વયંભૂસ્તોત્ર (ચતુર્વિશતિ સ્તવન) || ૨ સ્તુતિવિદ્યા (જિનશતક) ભકિતમાર્ગની આરાધના શ્રી હેમચન્દ્રાચાર્ય ૧. સિદ્ધહેમશબ્દાનુશાસન ૨ કાવ્યાનુશાસન ૩ યોગશાસ્ત્ર ૪ પ્રમાણમીમાંસા ૧ વીતરાગસ્તાત્ર | ૨ અયોગ્ય વ્યવચ્છેદિકા ૩ અન્યયોગવ્યવદિકા ૪ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત Page #78 -------------------------------------------------------------------------- ________________ મહાત્માનું શુભ નામ | લઘુતા શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્દ શંકરાચાર્ય For Personal & Private Use Only જ્ઞાન-પરક કૃતિઓ ભક્તિપરક કૃતિઓ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧) શ્રી મોક્ષમાળા-શિક્ષાપાઠ શ્રી અપૂર્વ અવસર ૧૩/૧૪/૧૫/૩૫/૫૬/૧૦૭ (૨) પત્રાંક: ૨૦/૨૧૩/૨૨૩/૨પ૦/૨૬૩ ૪૯૩ (ઉત્તરાર્ધ) ૫૭૨/૬૮૩/૮૮૫ (૩) ઉપદેશછાયા ૪૮ (૧) વિવેકચૂડામણિ ૧ હરિસ્તુતિ ૬ દેવીભુજંગરતોત્ર (૨) આત્મબોધ ૨ ગોવિંદાષ્ટકમ્ ૭ સૌંદર્યલહરી (૩) ગીતાભાષ્ય ૩ જગનાથાષ્ટકમ્ . ૮ ક યાણવૃષ્ટિસ્તવન ૪ ગુર્વાષ્ટકમ ૯ ભવાનીભુજંગમ ૫ શિવાનંદલહેરી (૧) જ્યાં લગી આત્મા તત્ત્વ (૧) ભૂતળ ભક્તિ પદારથ મોટું ચી નહીં, ત્યાં લગી બ્રહ્મલોકમાં નાહિ રે, સાધના સર્વ જૂઠી. (૨) હરિ હરિ રટણ કર, કઠણ કળિકાળમાં, (૨) હું કરું, હું કરું એ જ દામ બેસે નહિ કામ સરશે. અજ્ઞાનતા, શકટને ભાર | (૩) નરસૈયા રંકને, પ્રીત પ્રભુશું ઘણી, જેમ શ્વાન તાણે. અવર વેપાર નહીં ભજન તેલે. ભક્તકવિ શ્રી નરસિં. મહેતા Page #79 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના અહીં ભક્તની જે નિસ્પૃહતા કહી છે, તે સાંસારિક વસ્તુઓ સંબંધી જાણવી. ભક્ત, ક્ષમા માં આગળ વધવા ભક્તિ કરવાની શક્તિ, સંયમ ધીરજ, જ્ઞાન ઇત્યાદિ પારમાર્થિક સદ્ગુણની પ્રાર્થના કરે તે તેને, કોઈ અપેક્ષાએ બાધ નથી. નિજદેષકથન એ આત્મસુધારણનું એક અગત્યનું અંગ છે, જેવી રીતે વ્યવહારજીવનમાં કેઇનું નજીકનું સ્વજન ગુજરી ગયું હોય અને તે વ્યક્તિ ન રડતી હોય તે તેને રડાવવામાં આવે છે કે જેથી તેની અંતરવ્યથા હળવી થઈ જાય, તેવી રીતે પરમાર્થમાં દિનપ્રતિદિનના જીવનથી આપણને જે દોષ લાગ્યા હોય અથવા પ્રમાદથી કોઈ મોટો દેષ થઈ ગયું હોય તે તેનું સગુરુ કે પ્રભુ સમક્ષ નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત કરવાથી તે દોષ હળવો થઈ જાય છે, અને ભક્તજન તે દોષથી મુક્ત થઈ શકે છે. આત્મશુદ્ધિની આ પ્રક્રિયાના સિદ્ધાંતમાં વિપુલપણે વિસ્તાર કર્યો છે ત્યાંથી અભ્યાસીઓએ તેનું અવલેકન કરી લેવું. અત્રે તે એટલું જ કહેવું બસ થશે કે પિતાના દોષનું કથન ખુલ્લા દિલથી કરવું જોઈએ કે પૂર્વે થયેલા ઉચ્ચ કોટિના મહાત્માઓ પણ પિતાના દેશની નિખાલસપણે કથની કરી કેવી કેવી રીતે દોષરહિત. થયા છે તે હવે આપણે જોઈએ: ૧. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે – શ્રીમદ્ આનંદઘનજી મહારાજ ક ૧. પ્રાયશ્ચિતના નવ પ્રકાર કહ્યા છે. – તત્વાર્થસૂત્રઃ ૯૨૨ ૨. દશ પ્રકારના દેથી રહિતપણે ચાર પ્રકારે આલોચના કરવાની શાસ્ત્રમાં આજ્ઞા કરી છે. –(4) ઉપરક્ત સૂગની સર્વાર્થસિદ્ધિની ટીકા – (૨) નિયમસાર – ૧૦૮ ૩, લાલા રણજિતસિંહકૃત બદ્ આલોચના તથા આલેચન-પાક. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ રાઘુતા (હરિગીત) ૧. જે અશુભભાવે દોષ કંઈ કીધા વચન, મન, કાથી; ગુરુ સમીપ નિંદા તેની કર તું, ગર્વાં કે માયા તજી, ભાવપ્રાભૂત- ૧૦૬ (હરિગીત) ૨. હંગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગેા ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લેાકને કરવા કર્યા; વિદ્યા ભણ્યા હું વાદ માટે, કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું, શ્રી રત્નાકરપચ્ચીસી : ૯ (કડખાની દેશી) ૩. તાર હા તાર પ્રભુ, મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે; દાસ અવગુણુ ભર્યા, જાણી પાતા તણેા, દયાનિધિ દીન પ૨ દયા કીજે. રાગદ્વેષે ભર્યા, મેહ વૈરી નડચો, લેકની રીતિમાં ઘણુંયે રાતા; ક્રોધવશ ધમધāા, શુદ્ધ ગુણ નવિ રમ્યા, ભર્યેા ભવમાંહી. હું... વિષયમાતા. શ્રીમદ્ દેવચન્દ્ર કૃત મહાવીર સ્વામીનું સ્તવન (દોહરા) ૪. જીરા જુ દેખન મૈં ચલા, ખુશ ન મિલિયા કાઈ; જો દિલ ખાન્ટ આપતા, સુઝ-સા બુરા ન કાઈ. 4. (રાગ–કેદાર-ત્રિતાલ) એ સમ કૌન કુટિલ ખલ કામી. જિનતનુ દિચા તાહિ બિસરાયા, અસા નિસહરામી તા ભરિ ભરિ ઉત્તર વિષયક ધાવ, જૈસે સૂકર થામી; હરિજન છાંટ હરિ-વિસુખનકી ૬૧ - . ધ્રા - મહાત્મા કબીરદાસ નિસિદિન ફરત ગુલામી ।। ૧ ।। For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ R પાપી કૌન બડા હું માતે, સૂર પતિતકા ઠૌર કહાં હૈ, ભકિતમાગ ની આરાધના સબ પતિતનસે' નામ સુનિયે શ્રીપતિ સ્વામી ।। ૨ ।। (દાહરા) S. હે પ્રભુ, હે પ્રભુ શું કહુ. દીનાનાથ દયાળ, હુ તા દોષ અનંતનું ભાજન છું. કરુણાવ, શુદ્ધભાવ મુજમાં નથી, નથી સત્ર તુજરૂપ નથી લઘુતા કે દીનતા, શુ... હુ” પરમ સ્વરૂપ, નથી આણા ગુરુદેવની અચળ કરી ઉરમાંહી, આપતણા વિશ્વાસ ૬૪ ને પરમાદર નાંહી. મૅગ નથી સત્સંગના, તથી સસેવા જોગ; કેવળ અણુતા નથી, નથી આશ્રય અનુયોગ. હુ” પામર શું... કરી શકું એવા નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક, અચિંત્ય તુજ માહાત્મ્યના નથી પ્રફુલ્લિત ભાવ, અશન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસકિત નહીં, નહીં વિરહનેા તાપ, કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેને પરિતાપ. ભકિતસ્રાગ પ્રવેશ નહીં, નહીં ભજન દદ્દે ભાત સમજ નહીં નિજ ધમની, નહીં શુભ દેશે સ્થાન, સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; રુહ ઇન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ, તુજ વિયેાગ સ્ફુરતા નથી, વચન-નયન ચમ નાહીં નહીં ઉદાસ અન-ભકતથી, તેમ ગૃહાર્દિક માહીં અહ‘ભાવથી રહિત નહીં વધમ સચય નાહીં નથી નિવૃત્તિ નિળપણે અન્ય ધર્મોની કાંઈ, એમ અન ત પ્રકારથી સાધન રહિત હુંય, નહીં એક સદ્ગુણ પણુ, સુખ બતાવું. શુય? · શ્રીમદ્ રાજચન્દ્ર : ૨૬૪ (રાલાછન્દ) આલેાચનવિધિ થકી દોષ લાગે જી ધર્નરે તે સબ દોષ વિનાશ હાઉ તુમતે જિન મેરે; For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ હતા બાર બાર ઈસ ભાંતિ મેહ, મદ, ષ, કુટિલતા, ઈષાદિત ભયે નિરિયે ભયભીતા. * સામાયિકપાઠ-ભાષા-૧૦ પંડિત શ્રી મહાચન્દ્રજી વિરચિત . (0) કરેલા દોષે ફરી ન કરવાની પ્રતિજ્ઞાઃ - પ્રાર્થનાના પ્રક્રમમાં, સાધક પિતાનાથી થઈ ગયેલા દોષને કેવી રીતે સંપૂર્ણ એકરાર કરે છે તે વાત આપણે આગળ જોઈ ગયા. જેણે અહંકાર અને માયાચાર છેડીને પિતાના દેશની કબૂલાત કરી છે તેને આશય દોષથી રહિત થઈ સંદૃગુણસંપન્ન થવાનો છે. જેને આ નિર્ધાર દઢ થયે છે, તેણે, સદ્ગુરુ કે પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવી જ રહી કે ફરીથી હવે આ દેશ નહીં કરું. જે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે તેને દેષનું પુનરાવર્તન થતું નથી, અર્થાત્ કદાચિત થઈ જાય તે પણ તે દોષની માત્રા અતિ અલ્પ હોય છે. જેમ જેમ ભક્તજન યથાર્થ નિભાવ ગ્રહણ કરીને, સાચા પ્રાયશ્ચિત્ત સહિત પ્રભુ-પ્રાર્થનાની પ્રક્રિયામાં આગળ વધતું જાય છે, તેમ તેમ તેના ભાવેની વિશુદ્ધિ થતી જાય છે અને આમ થતાં સ્વાભાવિકપણે જ તેનું આત્મબળ વૃદ્ધિગત થાય છે. પહેલાં પાપપ્રવૃત્તિઓ જેર કરી જતી હતી પણ હવે પિતાની આત્મશક્તિ અને સંકલ્પબળ વધવાથી તે તે પ્રવૃત્તિઓનું જેર ચાલતું નથી. મતલબ કે તેની સાધના માત્રાની અપેક્ષાએ અને ગુણવત્તાની અપેક્ષાએ (both Quantitatively and Qualitatively) વિકાસ પામતી જાય છે અને આમ, ઉપર ઉપરની શ્રેણિઓને સિદ્ધ કરતે થકે તે પરાભક્તિ-અનન્યભક્તિ–સમતાભાવને પામતે જાય છે. આલેચના આદિ પ્રક્રિયા દ્વારા આત્મબળ વધારી, શૂરવીર થઈ, મહાપુરૂષએ કેવી રીતે મોક્ષમાર્ગમાં વિજય મેળવ્યો છે તેનું સ્વાનુભવમુદ્રિત વર્ણન શ્રીમદ્ રાજચન્દ્રજી નીચે પ્રમાણે કરે છે? વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવયપણું જોઈને ઘણે જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિદે છે, ફરી ફરીને તિરસ્કારવૃત્તિથી જોઈ, ફરી મહંત For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શક્તિમાર્ગની આરાધના પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા ગ્ય છે.” (પત્રાંક ૮૧૯) પ્રાર્થના: ઉપસંહાર: જેમ શરીર માટે ભેજન જરૂરી છે, બાળક માટે માતા જરૂરી છે તેમ માત્ર આધ્યાત્મિક વિકાસ માટે જ નહીં પરંતુ રોજબરોજના જીવનના સંઘર્ષોથી ઉપર ઊઠવા માટે, નિર્ભય થવા માટે, મનની શાંતિ માટે અને જીવન સંગ્રામમાં પ્રેરણા, મોબળ અને નિશ્ચિતતાની પ્રાપ્તિ માટે, મનુષ્યને પ્રાર્થનાની આવશ્યકતા છે. સામાન્ય માનવીથી માંડી, મધ્યમ સાધક અને ઊંચી કેટિના માહાત્મા–સૌ કોઈને એક યા બીજા રૂપે પ્રાર્થનાની જરૂર પડે છે–પછી તે સામૂહિક હો યા વ્યક્તિગત છે. પ્રાથમિક ભૂમિકામાં સામૂહિક પ્રાર્થના વિશેષ લાભદાયક નીવડે છે કારણ કે સામૂહિક પવિત્રતાને લાભ પિતાને મળી શકે છે. ધીમે ધીમે શ્રદ્ધા-ભક્તિ વધતાં, બન્ને પ્રકારની પ્રાર્થનામાં ભક્ત જોડાઈ શકે છે અને લાભ મેળવી શકે છે. આ લેખકના આધ્યાત્મિક વિકાસમાં પ્રાર્થના, શરણુગતિ અને પ્રાયશ્ચિત્તે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તેથી સાધકોને આ સાધનનું અવલંબ બન લેવાની તેની ખાસ ભલામણ છે. વર્તમાનયુગમાં મહાત્મા ગાંધીજી, સંત વિનેબાજી, મુનિશ્રી નાનચન્દ્રજી તથા મુનિશ્રી સંતબાલજીએ સામૂહિક પ્રાર્થનાઓ યોજીને તેને લેકપ્રિય બનાવી છે. આ સાધના માટે અંતરની શ્રદ્ધા અને ભક્તિ સિવાય બીજી કોઈ મેટી સાધસામગ્રીની કે શારીરિક કષ્ટ વેઠવાની પણ જરૂર પડતી નથી, માટે સહજ-સાધ્ય એવા ભક્તિમાર્ગના આ અગત્યના અંગને સ્વીકાર કરી ભક્ત-સાધક પિતાના જીવનને ઉન્નત અને નિશ્ચિત બનાવે એ જ અભ્યર્થના, ઇતિ શિવમ. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સમHI- એTI સમતા ભૂમિકા? ભક્તિમાર્ગની આરાધનાની ચરમસીમાની આ ભૂમિકા છે. સમતા અને એકતાને ભાવાર્થ લગભગ એક થાય છે. સમતા શબ્દ સમભાવ, સમરસીભાવ, સ્વભાવનું સૂચન કરે છે. સિદ્ધાંતમાં, તેને માટે બીજા છ મુખ્ય શબ્દોને ઉપગ કરીને બધાને એકાર્યવાચક કહ્યા છે. આ છ શબ્દો છે સામ્ય, સ્વાથ્ય, સમાધિ, ગ, ચિત્તનિરોધ અને શુદ્ધોપાગ.* - સમતાની સાધના કેમે કરીને સિદ્ધ થઈ શકે છે. સરળતા, વિનય અને સમજણ વગેરે ગુણેથી સંપન્ન થઈ, શ્રવણ-કીર્તનાદિ ભક્તિના પ્રકારની ઉપાસના દ્વારા, જેમ જેમ ભક્તના ભાવેની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ સમતાની ઉત્પત્તિ થઈ તેની વૃદ્ધિ થતી જાય છે વિવેકપૂર્વકની ભક્તિના ફળરૂપે જ્ઞાનીઓએ આ સમતાની પ્રાપ્તિ કહી છે. યથા (તાટક છંદ). સમભાવી સદા પરિણામ થશે, જડ મદ અધગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવત ભવંત લહે. શ્રી મોક્ષમાળા: ૧૫-૩ * શ્રી પદ્મન દિપચવિંશતિઃ ૪-૬૪ અહીં લેક ૩ થી ૭૦ સુધી આ સમતાભાવનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. તે અભ્યાસી મુમુક્ષુઓએ અવલોકન કરવા ગ્ય છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના ભક્તિને સૂક્ષ્મ ભાવઃ સમતા એ ભક્તિની આરાધનાના પરિપાકરૂપે પ્રગટ થતે ભક્તને એક અતિ નિર્મળ, વિશુદ્ધ અને સૂક્ષમ ભાવ છે. પ્રેમ-ભક્તિમાં જેમ જેમ ભક્ત આગળ વધત જાય છે, તેમ તેમ તેના જીવનમાંથી સ્વાર્થને અંશેને વિલય થતું જાય છે, અને તેને સર્વ જેમાં પિતાના પરમ આરાધ્ય પ્રભુનું જ દર્શન થવા લાગે છે. તેવા ભક્તને મારું-તારું કાંઈ રહેતું નથી, અંતરમાં સતતપણે પ્રભુનું સ્મરણ રહેવાથી તેનું ચિત્ત એટલું બધું પ્રભુમય થઈ જાય છે કે સર્વત્ર તેને પ્રભુદર્શન જ થવા લાગે છે. તેથી જ મહાપુરુષોએ કહ્યું, “જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ સર્વ આત્માને વિષે છે. જે સ્નેહ આ આત્મા પ્રત્યે છે, તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. કઈ પ્રત્યે એ છાપણું–અધિકપણું કંઈ આત્માને વર્તતું નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે.” (શ્રીમદ્ રાજચન્દ્ર). જે આ ભક્ત હોય તે કોના પર ક્રોધ કરે? કેની નિંદા કે ઈર્ષ્યા કરે? તેના પર મેહ કરે કે તેને વિશ્વાસઘાત કરે ? તેને તે સર્વ જી પ્રત્યે સમાનતાને ભાવ ભાસે છે, તેથી જ્ઞાનીઓએ કહ્યું : ઈચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદષ્ટિથી જનાર એવા પુરુષે ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. * આ કક્ષાએ, સમતાને પામેલા મહાત્માઓનાં પરિણામની બે શ્રેણિએ વિચારી લઈએ. એક સવિકલ્પ અવસ્થા છે અને બીજ નિર્વિકલ્પ અવસ્થા છે. સવિકલ્પ અવસ્થામાં તે ભક્તજન ભક્તિના બીજા શ્રવણ-કીર્તનાદિ પ્રકારમાં પ્રવર્તે અથવા પિતાને ગ્ય બીજી પ્રવૃત્તિમાં પણ રહે, જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં આવી જાય ત્યારે તે તે પ્રભુપ્રેમમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે અને દેહનું કે જગતનું સર્વ ભાન ગુમાવી દે છે. આ દશાને * શ્રીમદ્ ભાગવતઃ ૩–૨૪–૪૭ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સમતા-એકતા ભાવસમાધિ કે પ્રેમસમાધિ કહે છે. પહેલી ભૂમિકામાં દાસાહ હતું, પછી સેઽહં થયું અને છેવટે “અહુ” માત્રના અનુભવ રહી ગયા. આ અહ' તે દેહ નહીં, વાણી નહી, મન નહી, બુદ્ધિ નહી, પરંતુ તે સર્વથી પાર રહેલું એવું શુદ્ધ, અનુપમ, સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મપદ છે, જે વાણીના વિષય નથી. આ સ્થિતિને અનુભવ તે જ છે એકતા.— એકતા જયાં ભક્ત, ભક્તિ અને ભગવાન એક થઈ જાય છે તે જ આ નિજ અનુભવપ્રમાણુ પાતાનું મૂળ સ્વરૂપ છે. આ સ્થિતિ સર્વ આધ્યાત્મિક સાધનાની ચરમસીમા છે. આરાધનાનું ફળ પણ આ જ છે અને કૃતકૃત્યતા પણ આ જ છે. આ સ્થિતિને ખરેખર જાણવા માટે તેના અનુભવ જ કરવા જોઇએ. તેને જ જ્ઞાનીએ સ્વાનુભૂતિ અથવા આત્મસાક્ષાત્કાર કહે છે અને યાગીએ નિર્વિકલ્પ સમાધિ કહે છે. તે ભૂમિકામાંથી પાછા ફર્યાં બાદ જુદા જુદા ભક્તજનાએ તેને મૂ ગાની ભાષામાં ઇશારાથી સમજાવ્યું છે. તેઓએ જે કાંઇ કહ્યું તેમાં તેનું સંપૂર્ણ ગ્દિર્શન નથી, કારણ કે તે તે અનિર્વચનીય છે, પરંતુ તેના અંગુલિનિર્દેશ માત્ર તેઓએ કર્યો. જ્ઞાનીએએ પણ તેને ગાયું. પોતપોતાની સાધનાપદ્ધતિમાં અને કથનપદ્ધતિમાં ભેદ હાવાને લીધે તથા પેાતાના અનુભવની પ્રગાઢતા વિભિન્ન હોવાને લીધે ભલે તેનું વર્ણન ભિન્ન ભિન્ન પદ્ધતિમાં થયું હોય, પરંતુ તે પદ, સ્થિતિ, અનુભૂતિ, ભાવ તા એક જ છે. સમતા-એકતાની પ્રાપ્તિની વિવિધ ભૂમિકાએ સુપાત્ર અને અભ્યાસી જીવાની વિશેષ વિચારણા અર્થે, સમતાની સાધનાના સ્વરૂપ વિષે, અત્રે, થેાડી વિચારણા, ભક્તની ભાષામાં પ્રસ્તુત કરીએ છીએ. જોકે આ વાત મુખ્યપણે તે For Personal & Private Use Only 39 : Page #87 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાની આરાધના ગુરુગમ દ્વારા સમજાય છે, તે પણ ભૂમિકા અનુસાર શેડી સમજણ અને વિચારણા અત્યારે કરી હશે તે પ્રત્યક્ષ સગુરુસમાગમમાં, ભવિષ્યમાં તે જલદીથી સમજી શકાશે એમ જાણું. તેને નિર્દેશ કરીએ છીએ? સમભાવ તે તે આત્માનું પિતાનું મૂળ સ્વરૂપ જ છે અને તેને આવિર્ભાવ મુખ્યપણે નીચે બતાવેલી ત્રણ કક્ષાએ થાય છે? (A) શ્રદ્ધાની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવને આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુદર્શન થયું એમ કહેવામાં આવે છે. | (a) સ્મૃતિની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવને. આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુપદનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. (૪) રસાસ્વાદની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવને આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુપદને ભેટો થયે એમ કહેવામાં આવે છે. સાધના જીવનના સંપૂર્ણ વિકાસની ભિન્ન ભિન્ન ભૂમિકાઓના કાળમાં, આ ત્રણને આવિર્ભાવ પરસ્પરની અપેક્ષા પણ રાખે છે અને કથંચિત એકબીજાથી નિરપેક્ષ પણ છે. આ ભાવની અભિવ્યક્તિ મહાજ્ઞાનીઓએ અને ભક્તોએ પિતપોતાની ભાષામાં અને પિતપોતાની શક્તિ-ભક્તિને અનુસરીને નીચે પ્રમાણે કરી છે. ૧ રામ સભામાં અમે રમવા ગ્યાંતાં, પસલી ભરીને રસ પીધે હરિને રસ પૂરણ પાયે• પહેલો પિયાલો મારા સદ્દગુરુએ પાયે, બીજે પિયાલ રંગની રેલી - હરિને રસ ત્રીને પિયાલે મારા રામે રેમે વ્યા, ચેાથે પિયા થઈ છું ઘેલી ... હરિને રસ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સમતા-એકતા રસબસ એકરૂપ થઈ રસિયાને સંગે, વાત ન સુઝે બીજી વાટે .. હરિને રસ મેટા જેગેશ્વરને જે સ્વને ન આવે, તે મારા મંદિરિયામાં હાલે ... હરિને રસ અખંડ હેવાતણ મારા સદગુરુએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં.. હરિને રસ ભલે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી .... હરિને રસ - (દેહરા) ૨. વતે નિજ સ્વભાવને અનુભવ, લક્ષ, પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. * ૩. “જેણે કઈ પ્રકારે ત્રણ પણું અંગીકાર કર્યું છે (શ્રદ્ધા, સ્મૃતિ, રસાસ્વાદ) તે પણ જે એકપણાથી ટ્યુત થઈ નથી અને જે નિર્મળપણે ઉદય પામી રહી છે, તેવી અનંત ચત ચિહ્નવાળી આત્મતિને અમે નિરંતર અનુભવીએ છીએ, કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી.+ સમતા અને એકતારૂપી ભાવની સાધના અને તેની અનુભૂતિને ઉલ્લાસ, અનેક મહાત્માઓએ પિતાપિતાની સાધનપદ્ધતિ, કથનપદ્ધતિ અને અનુભૂતિની તરતમાતાને અનુલક્ષીને સ્વશક્તિપ્રમાણ નીચે મુજબ વ્યક્ત કર્યો છે : (૧) “જિન (પરમાત્મા) દાતાર છે, જિન એ ભક્તા છે, આ સમસ્ત જગત જિન છે. જગતમાં સર્વત્ર જિન છે, જે જિન છે તે હું પોતે જ છું.” શ્રીજિનસ સ્ત્રનામમંત્રઃ ૩૯ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર. (૨) એક્ષપ્રાપ્તિનાં કારણેની સામગ્રીમાં ભક્તિ જ મહાન છે. પિતાના આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું તેને જ ભક્તિ કહેવામાં આવે છે. –શ્રી વિવેકચૂડામણિઃ ૩૨-શ્રીમદ્દ શંકરાચાર્ય * શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર –૧૧૧- શ્રીમદ્ રાજચન્દ્ર. + શ્રીસમયસારકળશ ઃ ૨ –આતમખ્યાતિઃ શ્રીમદ્ અમૃતચન્દ્રસૂરિ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના (૩) દેહબુદ્ધિથી હું તમારે દાસ છું, જીવબુદ્ધિથી હું તમારે અંશ છું અને તત્ત્વબુદ્ધિથી હું અને તમે એક છીએ, એમ મારી દૃઢ મતિ છે. –અધ્યાત્મરામાયણ | (દેહરા) (૪) રામ કબીરા એક હૈ, કહન સુનનકે દેય; દે કર જે કોઈ જાની, ગુરુ મિલા નહિ હેય. મેરા મન સુમિરે રામ, મેરા મન રામહિ હિ; અબ મન રામહિ હૈ ગયા, સીસનવાવ કહિ. : માલા જપૂ ન કર જપૂ, મુખતે કહું ન રામ; રામ હમારા હમકે જપે, () બેઠ કરું વિશ્રામ, –કબીરજીનાં આધ્યાત્મિક પદે (રાગ મલ્હાર) (૫) અહે! અહે! હું મુજને કહું, ન મુજ નમે મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. –શ્રીમદ્ આનંદઘનજીકૃત શાંતિનાથ સ્વામીનું સ્તવન (શ્રી શ્રેયાંસ જિન અંતરજામી....એ દેશી) (૬) દ્રવ્યસેવ વંદન નામનાદિક, અને વળી ગુણગ્રા; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિષ્કામે શ્રી. ૨ પરમ ગુણ સેવન તમયતા, નિશ્ચય દયાને દયાવે, શુદ્ધતમ અનુભવ આસ્વાદી, દેવચ દ્રપદ પાછ. શ્રી ૧૧ -શ્રીમદ્ દેવચંદ્રજીકૃત ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન ૭. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (1) તે પરાભક્તિની છેવટની હદ છે, એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમાત્માને નિરંજન અને નિદેહરૂપ ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માને સાક્ષાત્કાર થયે છે, એ દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે, તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં ઐક્યભાવને લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માને ઐક્યભાવ હોય છે અને For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સમતા-એકતા એ જ પરાભક્તિ છે. જ્ઞાની તે પરમાત્મા જ છે અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, માટે સર્વપ્રકારે ભક્તિ કરવા યંગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ, જ્ઞાનીરૂપ પરમાત્માની –ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એ શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયે છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ કેમે કરી, પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશં છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમે અરિહંતાણું” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. –શ્રીમદ્ રાજચન્દ્રઃ પત્રાંક ૨૨૫ (હરિગીત) ૮. રે આત્મ તારે! આમ તારે! શીધ્ર એને ઓળખે; સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હદયે લખે –શ્રી મોક્ષમાળા: ૬૭-૫ આ પ્રમાણે સર્વ ભક્તોને લક્ષ્યરૂપ એવી સમતા-એકતા નામની પરાભક્તિનું નિરૂપણ પૂરું કર્યું. તે ઉપસંહાર ઉપાસનાક્રમ અને તેનું ફળ : અધ્યાત્મવિકાસને લક્ષમાં રાખીને ભક્તિમાર્ગની આરાધના ભક્ત-સાધક કેવી રીતે કરે છે તેનું પુનઃસ્મરણ, સમાપ્તિ અવસરના સમયે, આપણે હવે કરી જઈએ. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના આ ભક્તિમાર્ગની આરાધના માટે સાધકે સર્વપ્રથમ સત્સંગ કરવાનું છે. જ્યાં જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય અને પ્રભુભક્તિના ભાવનું પિષણ મળે તેવા સત્સંગમાં વારંવાર પ્રેમપૂર્વક જવાથી સાધકને રુચિને રંગ ઊતરે છે, કારણ કે સાચી પ્રભુભક્તિ દ્વારા મહમાયાના ભાવ ઘટતા જાય છે, અને દિવ્યપ્રેમના (દેવ ગુરુ ધર્મની ભક્તિના) ભાવ વધતા જાય છે. આમ, ભક્ત-સાધકના જીવનમાં પાયારૂપ એવું એક અત્યંત દઢ શ્રદ્ધાબળ ઊપજે છે, જેના ઉપર ધીમે ધીમે ભક્તિ-મુક્તિરૂપી મહેલ બંધાવા લાગે છે. ઉપરોક્ત રીતિથી જેના અંતરમાં વિવેકપૂર્વકની ભક્તિને ભાવ ઉદય પામે છે તે, ભક્તિમાં બાધક એવાં કારણેથી દૂર રહે છે અને ક્રમે કરીને તે તે કારણોના ત્યાગ કરે છે કારણ કે પ્રભુની સાથે અનુસંધાન કરવામાં તે તે કારણે અંતરાયરૂપ છે. આ પ્રમાણે ભક્તજનના જીવનમાંથી વ્યસનને, સ્વાર્થમય પ્રવૃત્તિએને, અન્યાયપૂર્વકના જીવન-વ્યવહારને અને અન્ય દુર્ગુણોને વિલય થાય છે. પાપપ્રવૃત્તિ અને પાપમય ભાવો ઉપશાંત થતાં, તેના જીવનમાં અનેકવિધ સદ્દગુણેની વિશિષ્ટ વૃદ્ધિ ત્વરિત ગતિથી થાય છે અને તેનું આત્મબળ દિવસે દિવસે વધવા લાગે છે. કાળે કરીને સાધકની ભક્તિસાધના વધતી જ જાય છે, કારણ કે શ્રદ્ધા અને સમજણપૂર્વક, ભજનના ક્રમ નિરંતર, તે, વર્ધમાન કરતા જાય છે. વિવિધ પ્રકારના સાત્વિક અને તાત્વિક અનુભવેની પરંપરાઓને પામતે થકે, પિતાની શુદ્ધિને અને ભક્તિનિષ્ઠાને વધારતે થકે તે હવે પરમાત્માનાં દર્શન પિતાના દેહદેવળમાં જ પામે છે. તેને, ભગવાન પિતાના હૃદયમાં જ પ્રગટેલા વારંવાર અનુભવમાં આવે છે, અર્થાત્ આ કક્ષાએ ભક્ત, ભક્તિ અને ભગવાનની ત્રિપુટીને વિલય થતાં ભક્તિની સર્વોચ્ચ ભૂમિકાની તેને પ્રાપ્તિ થઈ જાય છે. આ દશાને જ પરાભક્તિ, For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સમતા-એકતા અનન્યભક્તિ, એકત્વભક્તિ, સ્વરૂપભક્તિ, આત્મભક્તિ કે પ્રેમસમાધિરૂ૫ ભક્તિ કહેવામાં આવે છે. આવા ભક્તના મેરેમમાં એક સાત્વિક આનંદ છવાઈ જાય છે. તેનું ચિત્ત પ્રસન્નતાથી ઊભરાઈ જાય છે, અને પિતાના પ્રિય તમની ઉપાસનામાં– સેવામાં – તે પિતાના જીવનને શેષ કાળ સમર્પણતાપૂર્વક વ્યતીત કરે છે. તેનું જીવન આંતરબાહ્ય શુદ્ધ થઈ જાય છે, અને તેની આજુબાજુ પણ એક દિવ્ય પ્રેમ અને પરમ શાંતિનું વાતાવરણ ઊભું થઈ જાય છે. આમ સ્વ-પર-કલ્યાણની ઉત્તમ શ્રેણને પામેલા તે સાધકનું જીવન હવે એક પુરુષનું – સાચા સંતનું – જીવન બની જઈ, વ્યક્તિગત અને સામૂહિક કલ્યાણની એક દીવાદાંડી સમું શોભતું રહી અનેક મુમુક્ષુસાધક ભક્તોને આધ્યાત્મિક પ્રેરણાસ્ત્રોત બની રહે છે. ઉત્તમ ભક્તનું સ્વરૂપઃ ઉત્તમ ભક્ત, ઉત્તમ જ્ઞાની અને ઉત્તમ ભેગી – આ ત્રણેય પ્રકારના મહાત્માઓના જીવનમાં તાત્વિક દષ્ટિએ વિચારતાં સમાનતા હોય છે. ભક્તના જીવનના વિકાસમાં સંવેદનશીલતાની મુખ્યતા હોય છે, જ્ઞાનીના જીવનના વિકાસમાં વિવેકની ઝળહળતી તનું મુખ્યપણે દિગ્દર્શન થાય છે અને યેગીના જીવનના વિકાસમાં દઢપણે શાંતરસ અનુસારિણી જીવનપ્રક્રિયાની મુખ્યતા જોવામાં આવે છે. ગમે તે બાહ્ય પ્રકારની સાધનાપ્રણાલી વડે આ પરત્માત્મતત્વની ઉપાસના કરવામાં આવે, તે સઘળીય ઉપાસનાનું ફળ અંતરાત્માની શુદ્ધિ અને ચિત્તની સ્થિરતા છે. આ બે તની પરમાર્થથી જ્યાં સિદ્ધિ છે ત્યાં ઉત્તમ અધ્યાત્મદશાની પ્રાપ્તિ હેય છે. છેલ્લે, આવી દશાને પામેલા પુરુષનું જીવંત વ્યક્તિત્વ કેવું હોય છે તેનું જે વર્ણન પૂર્વે મહાત્માઓએ કર્યું છે તે જાણી, તેવા પુરુષને તત્વથી ઓળખી, તેમનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી, સર્વ ભક્તસાધકે તેવી ઉત્તમ ભક્તદશાને પામવાને પ્રયત્ન કરે તે જ ભાવના. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ભક્તિમાર્ગની આરાધના (૧) જેઓ જીવમાત્ર પ્રત્યે દ્વેષરહિત હોય, સૌ સાથે સમતાવાળા. ક્ષમાવાન, સંતુષ્ટ, યનવાન, દઢ નિશ્ચયી અને પ્રભુ પ્રત્યે અર્પણતાવાળા હોય, જે લેકેથી ડરતા નથી અને લેકે જેનાથી ડરતા નથી, જે ભય, હર્ષ, ઈર્ષ્યા અને સર્વ આરંભના ત્યાગી હોય તથા જે હર્ષ, દ્વેષ, શોક અને આકાંક્ષાથી રહિત અને શુભાશુભ(ક)ના ત્યાગી હોય તથા જે શત્રુમિત્રમાં, માન-અપમાનમાં, ઠંડી-ગરમીમાં, સુખદુઃખમાં તથા સ્તુતિ-નિંદામાં સમતાવાન હોય તથા નિસંગ, સહજપણે સદૈવ સંતુષ્ટ, ગૃહરહિત અને સ્થિર બુદ્ધિવાળા હોય, તે ભકતો ભગવાનને બહુ પ્રિય હેય છે. –શ્રીમદ્ ભગવદ્દગીતા : ૧૨-૧૩થી ૧૯ (રાગ-ખાજ, તાલ-ધુમાળી) (૨) વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ધુ સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે, ૧ સમદષ્ટિ ને તૃણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે જિહ્વા થકી અસત્ય ન બેલે, પરધન નવ ઝાલે હાથ રે. ૨ એહમાયા વ્યાપે નહિ જેને, દઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામનામ શું તાળી લાગી સકળ તીરથ તેના તનમાં રે. ૩ વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયે તેનું દરશન કરતાં, કુળ એકોતેર તાર્યા રે. ૪ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ -બી ખંડ સંતમહાત્માઓoો ચરિત્રો For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો [૧] આદ્યસ્તુતિકાર શ્રી સમન્તભદ્રસ્વામી લોકોત્તર બુદ્ધિપ્રતિભા, ન્યાયશાસ્ત્રમાં નિપુણતા, અવિરત સરસ્વતી-આરાધના અને અલૌકિક જિનશાસન પ્રેમના ધારક, આદ્યસ્તુતિકાર આચાર્યશ્રી સમંતભદ્રસ્વામીએ પેાતાના જન્મથી આ ભારતની ભૂમિને લગભગ બીજા સૌકામાં વિભૂષિત કરી હતી. C જીવનપરિચય : તેમના જન્મ દક્ષિણ ભારતમાં થયા હતા. તેમના પિતા ઉરગપુરના રાજા હતા. (હાલનું ઉરપુર કે જે તામિલનાડુ રાજ્યમાં કાવેરી નદીને કાંઠે ત્રિચિનાપલ્લી પાસે આવેલું અંદર છે. ) તેઓ નાગવ ́શના એક મહાન ક્ષત્રિય રાજા હતા અને તેમનું નામ કીલિકવર્મન હતું. આચાર્યશ્રીનું પાતાનુ મૂળ નામ શાંતિવર્મા હતું. બાલ્યાવસ્થાથી જ તેએ પ્રખર બુદ્ધિશાળી હતા. તેમની ખાલ્યાવસ્થાની કંઈ વિશેષ માહિતી. ઉપલબ્ધ નથી, પરંતુ એટલુ' ચાક્કસ છે કે તેમનામાં આત્મકલ્યાણુ અને ધર્માંદ્ધારની પ્રબળ ભાવના ભરેલી હતી, અને લાકકલ્યાણને પેાતાનું જીવનધ્યેય બનાવવાની તમન્ના હતી. આ ભાવનાને સ્મૃતિમ’ત કરવા વિ. સ. ૧૯૪માં લગભગ ૧૮ વર્ષની ઉંમરે તેઓએ દીક્ષા ગ્રહણ કરી જ્ઞાન અને ત્યાગથી જીવનને મહાન બનાવવાની કલ્યાણકારી પ્રક્રિયા આરભી હતી. તેમની દીક્ષા પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી ખલાકપિચ્છ મુનિની પાસે કાંચીમાં થઈ હતી. દીક્ષા બાદ કઠોર અધ્યયન દ્વારા પોતાની For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના પ્રતિભાને ખીલવી તેઓ અલ્પ સમયમાં સિદ્ધાંત, ન્યાય, તર્ક, છન્દ, અલંકાર, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર આદિ અનેક વિદ્યાઓના પ્રકાંડ વિદ્વાન બન્યા. પરંતુ પૂર્વકર્મયુગે તેઓને ભસ્મક નામ રેગ થયું. તેઓએ ગુરુ પાસે સમાધિમરણની અનુજ્ઞા માગી પરંતુ ગુરુએ તેમનું અતિ ઉજજવલ ભવિષ્ય જોઈ અનુમતિ આપી નહીં. તેથી તેઓએ ગુરુઆજ્ઞા પ્રમાણે દીક્ષાને બુચ્છેદ કરી, ઔષધાદિને ગ્રહણ કર્યા. પ્રસિદ્ધ લેકકથા અનુસાર કાશી(દક્ષિણનું કાશી-કાંચી)માં તેમની સ્તુતિથી ચન્દ્રપ્રભુ ભગવાનની સુવર્ણ પ્રતિમા પ્રગટ થઈ. આ પ્રસિદ્ધ પ્રસંગથી તેઓની કીર્તિ સર્વત્ર વ્યાપી ગઈ. આ વખતે ત્યાંના રાજાએ તેમની વિશેષ ઓળખાણ માગી અને તેમના મહાન ચારિત્રથી પ્રભાવિત થઈ તેમની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી આચાર્યશ્રી પિતાના ગુરુ પાસે ગયા અને ફરીથી દીક્ષા લઈ ધર્મપ્રચારનું કાર્ય ચાલુ કર્યું. આ પ્રમાણે પિતાની સર્વમુખી મહાન આધ્યાત્મિક પ્રતિભાને વિકાસ કરી, કુલ લગભગ ૪૭ વર્ષ સુધી લેક-કલ્યાણ અને જિનશાસનની અદ્દભુત પ્રભાવના કરી, આદ્યસ્તુતિકારની પદવી પામેલા ભગવાન અરિહંતના પરમ ભક્ત, યુગપ્રધાન આચાર્યશ્રી સમંતભદ્રસ્વામીએ વિ. સ. ૨૪૧માં સ્વર્ગારોહણ કર્યું, જીવનકાર્યનું વિહંગાવલોકન : તેઓના કૃતિત્વના બે વિભાગ કરી શકાય ? (૧) ધર્મપ્રચાર (૨) સાહિત્યનિર્માણ (૧) ધર્મપ્રચારઃ પિતાની દીર્ધકાલીન સાધુ-અવસ્થામાં તેઓએ કાશમીરથી કન્યાકુમારી અને ઢાકાથી દ્વારકા સુધી વિહાર કર્યો. તેઓ જ્યાં જ્યાં જતા, ત્યાં તેની પ્રતિભાથી, પ્રવચનશૈલીથી, શુદ્ધ ચારિત્રથી અને અલૌકિક વાગછટાથી સૌ પ્રભાવિત થતા. તેમણે સર્વત્ર અહિંસાધર્મને અને પ્રભુ મહાવીરની અનેકાંતવિદ્યાને For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સંત-ભક્તોનાં ચરિત્ર પ્રચાર કર્યો અને ભલભલા વાદીઓને નિરુત્તર બનાવી ધર્મ-વિજ્ય પ્રાપ્ત કર્યો. તેમના આ મહાન કાર્યની અને સત્સાહિત્યની ભૂરિ ભૂરિ પ્રશંસા તેમના પછી થયેલા સર્વશ્રી જિનસેનાચાર્ય, શુભચન્દ્રાચાર્ય, વર્ધમાનસૂરિ, વાદિરાજસૂરિ, વિદ્યાનંદમુનિ, મુનિ વાદીભસિંહ, વસુનંદી આચાર્ય, ભટ્ટારક સકલકીર્તિ તથા શ્રીમદ્ રાજચન્દ્રજી આદિ અનેકાનેક મહાત્માઓએ કરેલી છે. આ ઉપરાંત અનેક શિલાલેખે પણ તેમની પુણ્યકતિનાં યશગાન ગાય છે. (૨) સસાહિત્ય નિર્માણ : આચાર્યશ્રીના રચેલા ગ્રંથ નીચે પ્રમાણે છે: ૧. બૃહત્ સ્વયંભૂતેત્ર ૨. સ્તુતિવિધ-જિનશતક ૩. દેવાગમસ્તેત્ર–આપ્તમીમાંસા ૪. યુકત્યનુશાસન પ. રનકરણ્ડકશ્રાવકાચાર ૬. જીવસિદ્ધિ ૭. તસ્વાનુશાસન ૮. પ્રાકૃત વ્યાકરણ ૯. પ્રમાણપદાર્થ ૧૦. કર્મપ્રાભૃત ટીકા અને ૧૧. ગંધહસ્તિ મહાભાષ્ય. આ ગ્રંથમાંથી પ્રથમ પાંચ ઉપલબ્ધ છે. આપણે તેમના વિષે થોડું જાણીએ જેથી સમભદ્રાચાર્યજીના ભક્તિરસમાં થોડું અવગાહન શક્ય બને. બૃહસ્વયંભૂતેત્રને ચતુર્વિશતિસ્તત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં તીર્થકરોની ક્રમશઃ ૧૪૩ પદ્યમાં સ્તુતિ કરવામાં આવી છે. પ્રત્યેક તીર્થકરની વિશિષ્ટતાનું વર્ણન કરવામાં ભાષા ને અલંકારની એવી રચના કરવામાં આવી છે કે તેથી પ્રત્યેક વર્ણન એક સુંદર સ્તુતિમય ભક્તિરસથી ભરપૂર વર્ણન બને છે ને ગાયક તથા શ્રોતાના મનને ડેલાવે છે. આ ગ્રંથનું પઠન નિત્ય કરવા જેવું છે. જિનશતકમાં ૨૪ તીર્થકરેની સ્તુતિ ૧૦૦ શ્લેકમાં ચિત્રકાવ્યના રૂપમાં, એક પ્રકારની વિશિષ્ટ શૈલીમાં કરવામાં આવી છે. ચક્ર, કમળ, મૃદંગ, ઈ. આકૃતિઓમાં અનેકાર્થી ગેય શબ્દોનો For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાગ ની આરાધના ઉપયેાગ કરીને કરવામાં આવી છે. સમન્તભદ્રજી કહે છે કે જિનેન્દ્ર ભગવાનની આરાધના કરનાર મનુષ્યના આત્મા આત્મીય તેજથી ઝગમગી ઊઠે છે. આવેા મનુષ્ય સર્વોત્કૃષ્ટ માનવી બને છે. અને તેને મહાન પુણ્યના સંચય થાય છે. .. દેવાગમસ્તેાત્ર અથવા આપ્તમીમાંસા સમંતભદ્રજીની યુગપ્રવર્તક કૃતિ છે. આ Ôાત્રમાં ૧૧૫ પદ્ય છે. આચાર્ય શ્રી અંધશ્રદ્ધાળુ નથી, પરંતુ શ્રદ્ધાને તની કસેાટી પર ચડાવીને સાચું અને શ્રદ્ધેય શું છે તેની આપણને પ્રતીતિ કરાવે છે. એકાન્તવાદી વિવિધ દર્શનાની આલાચના ભક્તિસભર પદોમાં કરવામાં આવી છે અને તે આલેાચના દ્વારા અનેકાન્તમત, સ્યાદ્વાદનું પ્રખળ સમર્થન કર્યું છે. આથી સ્યાદ્વાદના વિસ્તૃત વિવરણ અને સમર્થનના આ પ્રથમ ગ્રંથ લેખવામાં આવે છે. ચુકત્યનુશાસનમાં ભગવાન મહાવીરનું ૬૪ પદામાં સ્તવન કરવામાં આવ્યું છે અને તે સ્તવનની અંદર એકાન્તવાદી દર્શનાના દોષની સ્પષ્ટતા કરતાં વીરપ્રભુના અનેકાન્તાત્મક સર્વોદય તીર્થના ગુણાની સ્પષ્ટતા કરવામાં આવી છે. રત્નકરણ્ડક-શ્રાવકાચારનાં ૧૫૦ પદેામાં શ્રાવકના આચારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રનું વિવેચન કરી ૧૧ પ્રતિમાઓ તથા સમાધિમરણના પણ શ્રાવકધર્મમાં સમાવેશ કરેલ છે. બુદ્ધિવાદી દષ્ટિકેણુથી આલેાચના કરવાથી મનુષ્ય નૈતિકતાના માહાત્મ્યને સારી રીતે પિછાની શકે છે અને તેના પ્રત્યે તેને રુચિ ઉત્પન્ન થાય છે. આચાર્યશ્રીની માન્યતા પ્રમાણે મનની સાધના હૃદયના પરિવતનમાં પરિણમે તા જ સાચી સાધના છે. બાહ્ય આચારામાં આડંબરની છાંટ હોય છે. ચાંડાલને ત્યાં જન્મ લેનારમાં પણ સમ્યક્દર્શનને ઉર્દૂભવ થાય તે દેવા પણ તેને દેવસમાન માને છે. આ ગ્રંથમાં મુખ્યત્વે આટલી વાતાના નિર્દેશ છે: For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧. આત્મદર્શન(સમ્યગદર્શન)ને મહિમા. ૨. શ્રાવકને આઠ મૂળ ગુણેનું વિવેચન. ૩. (અરિહંત) પરમાત્માની પૂજાનું મહત્ત્વ. ૪. વ્રતનું સમ્યફ પાલન કરનાર મહાનુભાવોનાં ચરિત્રે. પ. મેહયુક્ત મુનિની અપેક્ષાએ નિર્મોહી શ્રાવકની શ્રેષ્ઠતા. ૬. સમ્યગદર્શનયુક્ત ચાંડાલને પણ દેવતુલ્ય ગણવાને ઉદાર દષ્ટિકોણ. ૭. સમાધિમરણનું સ્વરૂપ, વિધિ અને માહાભ્ય. આમ વિવિધરૂપે ધર્મનું પદ્યમય, સુંદર તથા બુદ્ધિયુક્ત આલેખન કરીને સમન્તભદ્રાચાર્યજીએ જૈનશાસનની ઉત્કાન્તિમાં અમૂલ્ય ફાળો આપ્યા છે. પરમભક્તિ, ઉત્તમ જ્ઞાન, દઢ ચારિત્ર, પરીક્ષાપ્રધાનપણની સાથે સાથે શ્રદ્ધાવનતપણું, સત્યનું અનુશીલન અને સર્વસના શાસન પ્રત્યે સર્વસમર્પણતાના ભાવવાળા આવા આચાર્યશ્રીને આપણુ વારંવાર નમસ્કાર હે ! નમસ્કાર હે ! [૨] યુગપ્રધાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર પિતાના બહુમુખી વિશિષ્ટ વ્યક્તિત્વ દ્વારા જૈન ધર્મમાં સર્વ. માન્યતા પ્રાપ્ત કરનાર આચાર્ય શ્રી સિદ્ધસેન મહાન ભક્ત, તાર્કિક, વાદી, સિદ્ધાંતજ્ઞાતા અને અનેકાંતવિઘાશિમણિ હોવાથી એક યુગપ્રધાન આચાર્ય તરીકે શોભે છે. જીવનપરિચય: આ મહાપુરુષને જન્મ ઉજજયિનીમાં કાત્યાયન ગેત્રીય બ્રાહ્મણકુળમાં થયેલ હતું. તેમના પિતાનું નામ દેવર્ષિ અને માતાનું નામ દેવશ્રી હતું. તેમને ઉદયકાળ વિ. સં. ૬૨૫ની આસપાસ લેખવામાં આવે છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિના ધરાવનાર એવા આ બ્રાહ્મણ બાળકે વૈદિક કુળ પરંપરા પ્રમાણે નાની વયમાં જ સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ આદિ શાસ્ત્રોને અભ્યાસ કર્યો હતે, અને મહાન વાદી (વાદવિવાદ દ્વારા ધર્મતત્વને નિર્ણય કરનાર અને અન્ય સાથે ધર્મસંબંધી ચર્ચા કરનાર) તરીકેની કીતિ પણ મેળવી લીધી હતી. પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીવૃદ્ધવાદીની સાથે વાદવિવાદમાં પરાજય થવાથી, તેમણે તેમનું શિષ્યત્વ સ્વીકાર કરી જૈન દીક્ષા લીધી અને તેમનું નામ કુમુદચંદ્ર રાખવામાં આવ્યું. જ્ઞાનનિપુણતા અને ચારિત્રદઢતાથી કુમુદચંદ્ર ગુરુના બધા શિષ્યમાં અગ્રગણ્યતા પ્રાપ્ત કરી લીધી હતી અને ગુરુએ પણ તેમને જ ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. આગમગ્રંથને સંસ્કૃતમાં અનુવાદ કરવાના મુદ્દા પર તેમને બાર વર્ષ સંઘથી બહિષ્કૃત કર્યાની અને પછી સન્માનપૂર્વક સંઘમાં સ્વીકાર્યાની એક ઐતિહાસિક ઘટના તેમના જીવનમાં સેંધાઈ છે. પિતાની જીવનસંધ્યાનાં વર્ષો તેમણે દક્ષિણ ભારતમાં પૃથ્વીપુર નામના ગામમાં ગાળ્યાં હતાં અને સમાધિમરણ દ્વારા સ્વરિહણ કર્યું હતું. જીવનકાર્યનું વિહંગાવલેકન: સ્થળે સ્થળે વિહારમાં ધર્મપ્રચાર કરવા ઉપરાંત તેમણે મેટા મેટા રાજાઓને પણ પ્રતિબેધ્યા હતા, જેમાં ઉજજૈનને રાજા વિક્રમાદિત્ય બીજે પણ સમાવેશ પામે છે. તેઓ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા અને તેઓએ જૈન ન્યાય, અનેકાન્ત અને ભગવદ્ભક્તિ વિષયે ઉપર લખેલા નીચેના ગ્રંથે તેમની અલૌકિક સર્વતમુખી પ્રતિભાનું દર્શન કરાવી જાય છે. તેમની ઉપલબ્ધ કૃતિઓમાં સન્મતિસૂત્ર, શ્રી કલ્યાણમંદિર સ્તંત્ર અને કેટલાક વિદ્વાનેને મતે ઢાત્રિશિકા(૩૨ શ્લેકની એક એવી ૩૨ સ્તુતિએ)ને સમાવેશ થાય છે, કે જેમાં “ન્યાયાવતાર પણ આવી જાય છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ આદિ અને આચાર્ય, હરિ તે ઉપરોક્ત કૃતિઓ સંત-ભકતનાં ચરિત્રો બને આમ્નાયના પ્રથમ કેટિના પ્રાચીન અને અર્વાચીન અનેક મહાન આચાર્યોએ તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે, જેમાં સર્વશ્રી અકલંક આચાર્ય, જિનસેન આચાર્ય, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિ આદિ અનેક છે. - ઉપરોક્ત કૃતિઓમાંથી અને આપણે માત્ર કલ્યાણમંદિર તેત્ર વિષે ટૂંકમાં વિચારીશું. ૩. કલ્યાણ મંદિર સ્તોત્રઃ અત્યંત ભક્તિભાવથી સભર આ સ્તેત્રમાં ૪૪ પદો છે. ભગવાન પાર્શ્વનાથની તેમાં સ્તુતિ કરેલી છે. તે ભગવાનના નામથી સંસારનાં દુખે ક્ષીણ થાય છે. હરિ, હર, બ્રહ્મા વગેરે મહાપુરુષોને પરાજિત કરનાર કામને ભગવાને પરાજિત કરેલ છે, ક્રોધને તે તેમણે નવમા ગુણસ્થાનકે જીતી લીધે છે અને ક્ષમાથી ક્રોધ જીતી શકાય છે તે પિતાના જીવનથી સાબિત કરી બતાવ્યું છે. આમ, ભગવાનના વિવિધ ગુણને મહિમા ગાઈને સૌ કોઈને ભક્તિભાવથી તેમાં લીન થવાને ઉપદેશ કર્યો છે. પરંતુ ભાવશૂન્ય ભક્તિ નિરર્થક છે, ભાવપૂર્વક કરેલી ભક્તિ જ સાર્થક બને છે એ સિદ્ધાંત નીચેના લેકમાં તેમણે પ્રતિપાદિત કર્યો છે: आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि नूनन चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबान्धव! दुःखपात्रम् । यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः॥ કલ્યાણમંદિર સ્તોત્રઃ ૩૮ હે ભગવાન! મેં આપનું નામ પણ સાંભળ્યું છે, આપની પૂજા પણ કરી છે અને આપનાં દર્શન પણ કર્યાં છે, પણ દુખ મારે કેડો છેડતું નથી, તેનું કારણ એ છે કે મેં ભક્તિભાવપૂર્વક આપનું ધ્યાન કર્યું નથી. માત્ર આડંબરથી જ આ સર્વ કર્યું છે, ભાવપૂર્વક નહિ. જે ભાવપૂર્વક ભક્તિ, પૂજા કે સ્તવન કર્યું હોત તે સંસારનું આ દુઃખ મારે ભોગવવું ન પડત. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ભકિત માગને આરાધના [૩] મહાકવિ શ્રી માનતુંગાચાર્ય પિતાની અંતરંગ શ્રેષ્ઠ ભક્તિ અને ચમત્કારિક કવિત્વ દ્વારા શ્રીષભદેવ ભગવાનના અદ્ભુત સ્તંત્રની – શ્રી ભક્તામર સ્તંત્રની – રચના કરનાર શ્રી માનતુંગાચાર્ય સાતમી શતાબ્દીને એક મહાન સપુરુષ થઈ ગયા. જીવનપરિચયઃ આચાર્યશ્રીના જીવન સંબંધી અપૂર્ણ અને વિવાદાસ્પદ માહિતી ઉપલબ્ધ થાય છે. તેમના જન્મસ્થળ, કુળ કે ગુરુપરંપરા વિષે પણ પ્રમાણપૂર્વકની નક્કર હકીકતને અભાવ વર્તે છે. માત્ર તેઓ રાજા હર્ષ કે રાજા ભેજના સમયમાં થયા હોવા જોઈએ એવી વિદ્વાનોની માન્યતા છે. ડો. કીથ તથા પં. શ્રી ગૌરીશંકર ઓઝા વગેરે ઇતિહાસવેત્તાઓએ પિતાના સંશોધન દ્વારા તેમને હર્ષકાલીન માન્યા છે. સમ્રાટ હર્ષને રાજયકાળ ઈ. સ. ૬૦૬ થી ૬૪૭ છે, તેથી આચાર્યશ્રી પણ સાતમી શતાબ્દીમાં વિદ્યમાન હતા અને પ્રસિદ્ધ સંસ્કૃત મહાકવિ બાણના સમકાલીન હતા. તેમના જમાનામાં પરમાત્માની સ્તુતિ દ્વારા ચમત્કાર બતાવવાની એક પ્રકારની પ્રણાલિકા સર્વત્ર પ્રવર્તતી હતી. જૈન ગુરુઓ પાસે આવી વિદ્યા છે કે કેમ એ પ્રશ્ન ઊઠતાં તેના સમાધાન માટે આચાર્યશ્રીને આહ્વાન સ્વીકારવું પડેલું. જોકે તેઓનું સ્પષ્ટ વિધાન હતું કે મારા પ્રભુ તે વીતરાગી છે તેથી સ્તુતિ-નિંદાનું પરમાર્થથી તેને કોઈ પ્રયજન નથી, પરંતુ પ્રભુના આશ્રિત દેવતાએની સ્તુતિથી લૌકિક ચમત્કાર બની શકે. લેકકથા અનુસાર આચાર્યશ્રીને લેખંડની બેડીના બંધનમાં મૂકવામાં આવ્યા. તેઓએ પરમાત્માની સ્તુતિરૂપે જે પ્રસિદ્ધ તેત્રની રચના કરી તેના પ્રભાવથી તેમની બેડીઓ તૂટી ગઈ અને જિનશાસનને જયજયકાર * “પ્રભાવકયરિતમાં જણાવ્યા પ્રમાણે તેઓ બનારસના વિદ્વાન શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા અને તેમની માતાનું નામ ધનશ્રી હતું. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતોનાં ચરિએ થયે અને પરમાત્માની સાચી ભક્તિથી આત્મવિશુદ્ધિની સાથે લૌકિક રિદ્ધિસિદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે એ સિદ્ધાંત પ્રગરૂપે સિદ્ધ થયા. યથા – (દોહરા) તુમ પદ૫કજ પૂજ, વિદન રેગ કર જાય; શત્રુ મિત્રતાકે ધી, વિષ નિરવિષતા થાય, આચાર્યશ્રીની સૌથી પ્રસિદ્ધ રચના ભક્તામરસ્તેત્ર છે. પ્રાકૃતમાં લખાયેલું ભયહરસ્તેત્ર પણ તેમની કૃતિ માનવામાં આવે છે. ભક્તામર સ્તોત્રમાં ૪૮ ક દ્વારા ભગવાન ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. સંસ્કૃત ભાષા, કાવ્યચમત્કાર, અલંકાર વગેરે દષ્ટિએથી જોતાં એક ઐતિહાસિક સ્તુતિકાવ્ય છે. બધાય લેક એકમાત્ર વસંતતિલકા છંદમાં લખાયા છે. કલ્યાણમંદિરતેત્ર સાથે આ તેત્રનું ઘણું સામ્ય છે. સમસ્ત જૈન સમાજમાં આ સ્તંત્રને ખૂબ જ મહિમા છે અને હજારો ભક્તજને દરરોજ તેને મુખપાઠ કરે છે. તેના પર અનેક ટીકાટિપ્પણ થયેલાં છે અને તેને અતુ. વાદ હિંદી, ગુજરાતી, મરાઠી વગેરે અનેક ભાષાઓમાં થયેલું છે. આવી ભાવપ્રેરક, પ્રભુગુણવાચક શ્રેષ્ઠ કૃતિના રચયિતા ભક્તપ્રવર આચાર્યશ્રીના ચરણકમળમાં નમસ્કાર કરી, તેમનાં એકબે પદ્યનું આસ્વાદન ગુજરાતીમાં કરીએ – જે જેને ભજે તે તેના જે થાય એ ન્યાયને પ્રતિપાદિત કરતું એવું એક, અને પરમાત્મપદને પામવાને શ્રેષ્ઠ ઉપાય પરમાત્માને જાણીને, માનીને તેમને ભજવા એ જ છે, એવા સિદ્ધાંતને રજૂ કરતું બીજું - એમ બે પદો નીચે પ્રમાણે છે: (મંદાક્રાંતા) એમાં કાંઈ નથી નવીનતા નાથ! દેવાધિદેવ! ભકત સવે પદ પ્રભુ તણું પામતા નિત્યમેવ, For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ F ભક્તિમાગ ની આરાધના લેાકા સેવે કદી ધનિકને તા ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય. ગા૧૦ના ટા મોટા મુનિજન તને માનતા નાથ તેા તે તેજસ્વી છે. રવિ સમ અને દૂર અજ્ઞાતથીયે; સારી રીતે અમર બનતા આપને પામવાથી, સુકિત માટે નવ કદી બીજો માનને માગ આથી. ારા * [%] ઋષભયોાગાથાકાર શ્રી જિનસેન પેાતાના દીઘ`કાલીન સંયમજીવનના મોટો ભાગ જેમણે શ્રીઋષભદેવ, શ્રીપાર્શ્વપ્રભુ અને શ્રીભરત ચક્રવર્તી આદિ પવિત્ર પુરાણુપુરુષાનાં ગુણકીર્તન,ગુણુસ્મરણુ અને ગુણુ-આલેખનમાં ગાળ્યે, એવા આચાર્ય શ્રીજિનસેનસ્વામીએ ભારતની ભૂમિને નવમી શતાબ્દીમાં પેાતાના જન્મથી પવિત્ર કરી હતી. જીવનપરિચય : તેમના જીવન વિષે જે માહિતી પ્રાપ્ત છે તે પરથી એમ જણાય છે કે તેઓના જન્મ વિક્રમ સંવત ૮૧૦ની આજુબાજુ કર્ણાટક કે મહારાષ્ટ્રમાં થયા હશે. તેઓએ બાળબ્રહ્મચારી અવસ્થામાં જ સંયમ ગ્રહણ કર્યાં હતા અને એકદરે લગભગ ૯૫ વર્ષના આયુષ્યમાં અનેક સ્વ-પર-કલ્યાણનાં કાર્યો કર્યાં હતાં. તેનું શરીર એકવડા ખાંધાનું અને શરીર-સૌષ્ઠવ સામાન્ય હતુ. તેઓના મુખ્ય ગુરુનું નામ વીરસેન હતું, તથા જયસેનનું પણ તેઓએ ગુરુ તરીકે સ્મરણ કરેલું છે. મહાપુરાણમાં જે જે આચાર્યને તેમણે નમસ્કાર કર્યા છે તે પરથી તેઓ શ્રીસમંતભદ્રસ્વામીની પરંપરામાં થયા છે એમ વિદ્વાનાનું માનવું છે. તેઓએ પાલાના દીર્ઘ જીવનકાળમાં વિસ્તૃત વિહાર કર્યાં હાય તેમ નિર્દેશા મળે છે અને દક્ષિણમાં ધારવાડ જિલ્લાથી માંડી ઉપર વડોદરા થઈ ચિત્તોડની ભૂમિને પણ તેમણે પાવન કરી હતી. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ સાત-ભાતનાં ચરિત્રો જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ આચાર્યશ્રીએ પિતાના જીવનને મેટો કાળ મલખેડ(માન્ય ખેટ)માં ગાજે હતું, જે તે વખતે મહારાજા અમેઘવર્ષની રાજધાની હતી. આ સ્થાન વર્તમાનમાં લગભગ ધારવાડ જિલ્લામાં માનવામાં આવે છે. વિશિષ્ટ સંયમ, અગાધ વિદ્વત્તા, અલૌકિક કવિત્વ, નિરંતર જ્ઞાનાર્જન અને ઉગ્ર તપસ્યા દ્વારા તેમની કીર્તિ સર્વત્ર વ્યાપી ગઈ હતી. ગુણભદ્ર અને વિનયસેન જેવા સમર્થ મુનિઓ અને અમેઘવર્ષ, અકાલવર્ષ અને કાદિત્ય જેવા મહારાજાઓ અને સામતે તેમના ચરણોને ભક્તિપૂર્વક સેવતા હતા તે તેમની અલૌકિક અને લૌકિક મહત્તાને સહજપણે સિદ્ધ કરે છે. મહારાજા અમેઘવર્ષે ઉત્તરાવસ્થામાં તેમની પાસે દીક્ષા લઈ મુનિ પદ ગ્રહણ કર્યું હતું. તેઓએ રચેલા પાંચ ગ્રંથ માનવામાં આવે છેઃ (૧) આદિપુરાણ (૨) પાર્શ્વયુદય કાવ્ય (૩) ધવલા-ટીકા (૪) વર્ધમાનપુરાણ (અપ્રાપ્ય) (૫) પાશ્વ સ્તુતિ (અપ્રાપ્ય) આ ઉત્તમ રચનાઓ પરથી તેમના મહાન વ્યક્તિત્વને ખ્યાલ આવી શકે છે, જયધવલા ટકા વીસ હજાર શ્લેકપ્રમાણ તેમના ગુરુએ લખેલ. પાછળના ચાલીસ હજાર શ્લેકેની રચના તેમણે પિતે કરેલી છે, જે તેમના અગાધ સિદ્ધાંતજ્ઞાનનું દ્યોતક છે. અત્રે માત્ર તેમના આદિપુરાણને સંક્ષેપમાં વિચાર કરીશું. આદિપુરાણ: ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યને આ એક મેટો કેશ છે. જોકે તેમાં મુખ્યપણે શ્રીષભદેવ, ભરત ચક્રવર્તી વગેરે મહાપુરુષનાં ચરિત્રોનું વર્ણન છે છતાં પ્રસંગે પાત્ત તેમાં ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, સમાજ-વ્યવસ્થા, રાજનીતિ, અર્થશાસ્ત્ર, For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના ધર્મતીર્થો, ચાર ગતિઓનું સ્વરૂપ, દાન-તપ પુણ્ય-પાપ અને મોક્ષ આદિ તત્ત્વનું વિવરણ વગેરે અનેક વિષયને એવી રીતે આવરી લેવામાં આવ્યા છે કે આ શાસ્ત્ર વિદ્વાનોને, સાહિત્યકારોને, કવિએને, અભ્યાસીઓને, મુમુક્ષુઓને, મુનિજનેને કે સામાન્ય વાચકવર્ગને પણ શુદ્ધ બેધ સાથે શિષ્ટ મને રંજનની સામગ્રી પૂરી પાડે છે. ૪૭ પર્વોમાં રચાયેલું આ એક મહાન પુરાણ-શાસ્ત્ર છે. ૧૨ અને ૧૩ પર્વોમાં ઇષભદેવના ગર્ભ અને જન્મકલ્યાણકોનું, ૧૫મા પર્વમાં તેમના શરીરસૌદર્યનું, ૧૬મા પર્વમાં પુત્ર-પુત્રીઓના જન્મનું અને ત્યાર પછી ૨૨મા પર્વ સુધી ભગવાનના વૈરાગ્ય, દીક્ષા, તપ, શ્રેયાંસ રાજા દ્વારા ભગવાનને શેરડીના રસનું આહારદાન, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને ધર્મસભા(સમવસરણ)નું વર્ણન છે. પાછળનાં પર્વોમાં ભરત, બાહુબલિ વગેરે મહાપુરુષનાં ચરિત્રનું વર્ણન છે. આ પ્રમાણે પિતાની બહુમુખી પ્રતિભાથી જેમણે પિતાનું જીવન ધન્ય બનાવ્યું છે, આપણને ભગવાનનાં ચરિત્રોનું અને સશુણનું રસપાન કરાવ્યું છે અને ભારતીય સંસ્કૃતિ અને જૈન વાડમયને સમૃદ્ધ કર્યું છે તેવા આચાર્યશ્રીને “ભગવજિનસેન એવા પૂજ્ય નામથી વિભૂષિત કરનારે એગ્ય જ કર્યું છે. આવા મહાન આચાર્યને ફરી ફરી નમસ્કાર કરીએ છીએ. ૩ સૌમ્યમૂર્તિ આચાર્ય શ્રી અમિતગતિ જેમનાં વચનામૃતનું પાન કરવાથી ભવ્ય ભક્તજનોના અંતરમાં શાંતિ, સદાચાર, સમતા અને પ્રભુભક્તિને ઉદય થાય છે એવા શ્રી અમિતગતિ આચાર્ય વિક્રમની ૧૨મી શતાબ્દીમાં ઉજ્જૈન-ધારાનગરીની આજુબાજુના પ્રદેશમાં વિહાર કરતા હતા. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતનાં ચરિત્ર ૮૯ જીવનપરિચય: તેમના જીવન વિષે થોડી જ વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે. તેમને જન્મ વિદ્વાનેએ લગભગ વિ. સં. ૨૦૨૫ની આજુબાજુ નિર્ધારિત કર્યો છે. તેમના બાળપણની કાંઈ વિગતે મળતી નથી, તેમના સાહિત્ય પરથી તેઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલે મનાય છે. માળવાના પ્રસિદ્ધ રાજા ભેજના કાકા મહારાજા મુંજના સમયમાં તેઓ વિદ્યમાન હતા અને મુંજ રાજા જે અનેક વિદ્વાને કવિઓ અને સાહિત્યકારોનું પોતાના રાજદરબારમાં સન્માન કરતે હતે તેમાં શ્રી અમિતગતિનું સ્થાન બહુ ઊંચું હતું. જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ માથુરસંઘની ગુરુપરપરામાં તેઓને આચાર્ય પદ પ્રાપ્ત થયું હતું તેને ઉલેખ નીચે પ્રમાણે છેઃ વીરસેન દેવસેન અમિતગતિ (પ્રથમ) નેમિણ માધવસેન આપણુ ચરિત્રનાયક અમિતગતિ (દ્વિતીય) તેઓના રચેલા ગ્રંથે નીચે પ્રમાણે છે : (૧) સુભાષિતરત્નસંદેહ (૨) ધર્મપરીક્ષા (૨) ઉપાસકાચાર For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના (૪) પંચસંગ્રહ (૫) આરાધના (૬) ભાવનાાત્રિશતિકા (સામયિક પાઠ) સુભાષિતરત્નસરાહ: ગ્રંથનું નામ સૂચવે છે તે પ્રમાણે જુદા જુદા ૩૨ વિષયે ઉપર ૯૨૨ પદ્યોમાં આ ગ્રંથની રચના થઈ છે. માયા, અહંકારનિરાકરણ, ઈન્દ્રિયનિગ્રહ, સ્ત્રી-ગુણ દેવ, કેપ-લભ-નિરાકરણ, જ્ઞાનનિરૂપણ, ચારિત્રનિરૂપણ, વ્યસનનિરાકરણ, શ્રાવકધર્મ, બાર પ્રકારનાં તપ વગેરે સાધકને ઉપયોગી અનેક વિષયે ઉપર આ ગ્રંથમાં ઉપદેશ કર્યો છે. ધમપરીક્ષા: આ ગ્રંથ આચાર્યો માત્ર બે માસમાં રચ્ચે હતું અને તેમાં કથાઓ દ્વારા અનેકાન્તધર્મનું મંડન કરેલ છે. ઉપાસકાચાર: આ ગ્રંથ અમિતગતિશ્રાવકાચાર એ નામથી પ્રસિદ્ધ છે. તેના ૧૫ અધ્યાય અને ૧૩૫ર લેક છે. ગૃહસ્થને ઉપગી સર્વ પ્રકારના બેધ ઉપરાંત ૧૧૪ પદ્યમાં ધ્યાનનું વર્ણન વિસ્તારથી કરેલ છે. આરાધના: શિવાર્યકૃત ભગવતી આરાધનાને આધાર લઈ ગ્રંથરચના કરવામાં આવી છે. ભાવનાદ્વાવિંશતિકાઃ ૩૨ પદ્યોના એક નાના પ્રકરણરૂપે આ ગ્રંથની રચના છે. એનું બીજું નામ સામાયિક-પાઠ છે. આત્મભાવના ભાવવા માટે ખૂબ ઉપગી હોવાથી તેને અનેક ભાષાઓમાં અનુવાદ થયેલ છે. તેનાં ચેડાં પદો ગુજરાતીમાં જોઈએ – (હરિગીત) સૌ પ્રાણુ આ સંસારનાં, મિત્ર મુજ વહાલાં થો. સગુણમાં આનદ માનું, મિત્ર કે વેરી હો; દુખિયા પ્રતિ કરુણ અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામે હૃદયમાં સ્થિરતા, For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકોનાં ચરિત્ર મુજ બુદ્ધિના વિકારથી, કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી; કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી, સૌ દેષ મુકિત પામવા, માગું ક્ષમા હું હૃદયથી. જે જ્ઞાનમય સહજ આત્મ તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યુગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા , આત્મથી જે આત્મમાં. –લોક સંખ્યા ૧, ૮, ૨૫ પંચસંગ્રહઃ ૧૩૭૫ શ્લોકપ્રમાણ આ એક ગહન સૈદ્ધાંતિક ગ્રંથ છે. જેને પાંચ પ્રકરણમાં વિભાજિત કર્યો છે. ગ્રંથ માત્ર અભ્યાસી અને વિદ્વાને દ્વારા જ સમજી શકાય તે છે. આ ગ્રંથ ઉપરાંત, બૃહત્ સામયિકપાઠ નામને ૧૨૦ કલેકપ્રમાણ બીજે પણ એક તેમને રચેલે ગ્રંથ મળે છે. આ સિવાય બીજા અનેક ગ્રંથ ઉપલબ્ધ નથી. આ પ્રમાણે સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હોવા ઉપરાંત, આપણા ચરિત્રનાયક એક આદર્શ મુનિ, શાંત-ગંભીર સાહિત્યકાર, સિદ્ધહસ્ત કવિ, મહાન ભક્ત અને ઉદારતા ક્રાન્તિકારી વિચારક છે. તેમના ઉત્તમ બોધથી આપણને આત્મસાધનામાં અનેક પ્રકારે પ્રેરણા મળે છે. મહાપ્રભાવક શ્રી હેમચન્દ્રાચાર્યજી જેમનાં મંગળમય અને ગૌરવશાળી કાર્યોની આધુનિક ઈતિહાસ પણ સાક્ષી પૂરે છે તે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે ગુજરાતની અને જૈનધર્મની જે અપ્રતિમ સેવા કરી છે તેને ગુજરાત કદી પણ વીસરી શકશે નહિ. નવ વર્ષનાં વહાણું વહી ગયાં છતાં, તેમણે ઉચ્ચ કક્ષાનું, સર્વજનહિતકર For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના અને વિવિધ વિષયને સ્પર્શતું જે અનુપમ સાહિત્ય આપણને ભેટ આપ્યું છે તેને જેટો મળ દુર્લભ છે. જીવનપરિચય: શ્રમણ સંસ્કૃતિના આ ઉજવલ રતનને જન્મ ઈ. સ. ૧૧૪પમાં કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે ધંધુકામાં માતા પાહિણીની કૂખે થયું હતું. પુત્રરત્ન ગર્ભમાં હતું ત્યારે માતા પાહિણીને એવું સ્વપ્ન લાગ્યું કે પિતે પુત્રરત્નને ગુરુચરણે ભક્તિભાવપૂર્વક સમર્પણ કરી રહી છે. તેણીએ શ્રી દેવચન્દ્રસૂરિજીને સ્વપ્નની વાત કરી. ગુરુએ કહ્યું, “પાહિણી, તારી કૂખે જૈનશાસનની અદ્વિતીય સેવા કરનાર, પુત્રરત્નને જન્મ થશે.” ગુરુના કથનાનુસાર દેદીપ્યમાન પુત્રરત્નને પ્રાપ્ત કરી માતા કૃતકૃત્ય થઈ. પુત્રનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું. એકદા માતા પાહિણી પુત્રને લઈને ગુરુનાં દર્શન કરવા ગયા. દેવચન્દ્રસૂરિજી બાળકના મેં પરની સૂક્ષ્મ રેખાઓમાં તેમના ઉચ્ચતમ વ્યક્તિત્વને પારખી ગયા અને ધર્મસંઘને માટે બાળકની માગણી કરી. બાળકના જન્મ પહેલાં પિતાને આવેલ સ્વપ્નને યાદ કરી માતાએ પ્રસન્નતાપૂર્વક ધર્મસંઘને પિતાને એકને એક પુત્ર અર્પણ કર્યો. લધુવયમા દીક્ષા આપી ન શકાય પરંતુ બાળકની અસાધારણ બુદ્ધિમત્તા અને તેનાં અન્ય લક્ષણોને દષ્ટિમાં રાખી નવ વર્ષની વયે ઈ. સ. ૧૧૫૪ની સાલમાં ચાંગદેવને દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ મુનિ સેમચન્દ્ર રાખવામાં આવ્યું. પિતાથી પ્રખર બુદ્ધિ વડે ટૂંક સમયમાં મુનિ સેમચન્દ્રજીએ તર્કશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, સાહિત્ય ઈત્યાદિ અનેકવિધ વિદ્યાઓનું અધ્યયન કર્યું. તેમની અગાધ શક્તિઓ જોઈ ગુરુએ તેમને ૨૧ વર્ષની ઉંમરે નાગૌર (રાજસ્થાન) મુકામે આચાર્યપદ પર આરૂઢ કર્યા ને તેમનું હેમચન્દ્ર નામ રાખવામાં આવ્યું. માતા પાહિણીએ પણ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. માળવા પર વિજય મેળવી સિદ્ધરાજ જયસિંહ પાટણ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતોનાં ચરિત્ર પાછા ફરી રહ્યા હતા. માલવ દેશનું ઉત્તમ સાહિત્ય તેમને પ્રાપ્ત થયું હતું. તેની પૂર્તિરૂપ એક અદ્વિતીય વ્યાકરણ લખાવવાની તેમને ઈચ્છા થઈ. વિદ્વાને તેમને આંગણે આવ્યા. તેમાંથી તેમની ચતુર દષ્ટિએ આચાર્ય હેમચન્દ્રજીને ઓળખી કાઢયા અને તેમને વ્યાકરણ લખવાની વિનંતી કરી. સાહિત્ય-નિર્માણ અને અન્ય કૃતત્વ: “સિદ્ધહેમ વ્યાકરણની રચનાની આ હતી ભૂમિકા. આ વ્યાકરણની રચનાથી વિદ્વાનોની સૃષ્ટિમાં એક નવી ચમક આવી. મહારાજા સિદ્ધરાજે હાથીની અંબાડી પર સ્થાપિત કરી આ ગ્રંથરત્નને આખા નગરની પરિ. કમ્મા કરાવી. ૩૦૦ વિદ્વાનેએ તેની નકલ કરી અને દેશમાં સર્વત્ર તેને પ્રચાર કર્યો. કાશ્મીર સુધીનાં સર્વ પુસ્તકાલયમાં સિદ્ધહેમ વ્યાકરણને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થયું. ગુજરાતમાં અભ્યાસક્રમમાં આ વ્યાકરણને દાખલ કરવામાં આવ્યું અને તેને શિક્ષણ માટે વિદ્વાન અધ્યાપકની વરણી કરવામાં આવી. ૩૫૬૬ લેકે અને આઠ અધ્યાયમાં વિભાજિત આ વ્યાકરણની તુલના પાણિનીના તથા શાકટાયનના વ્યાકરણની સાથે કરવામાં આવી છે. તેના આઠ અધ્યાયમાં સાત અધ્યાય સંસ્કૃત ભાષામાં છે અને એક અધ્યાય પ્રાકૃત ભાષામાં છે. પ્રાકૃત તે સમયની લેકભાષા હતી. આથી હેમચન્દ્રાચાર્યે તેને સંસ્કૃતપ્રધાન ગ્રંથમાં ઉચિત સ્થાન આપ્યું. “ત્રિષષ્ટિશલાકાપુરુષ' નામને તેમની કૃતિમાં ૬૩ મહાપુરુષનાં જીવનવૃત્તાન્ત આલેખાયેલાં છે. તેમાં ૨૪ જિને, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવનાં પ્રેરક ચરિત્રનું આલેખન કરી આપણને પ્રેરણા આપવા ઉપરાંત તત્કાલીન સંસ્કૃતિ, ધર્મ, દર્શન, વિજ્ઞાન, કળા અને તત્વજ્ઞાનને એવી રીતે વણી લેવામાં આવ્યું છે કે સામાન્ય મનુષ્યને, ભક્તને, ઈતિહાસપ્રેમીને કે અભ્યાસી વાચકોને–સૌને માટે તે ઘણે ઉપયોગી ગ્રંથ બને છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ (3 ; ભકિતમાર્ગની આરાધના આ ઉપરાંત “અભિધાન ચિન્તામણિ, હેમ અનેકાર્થ સંગ્રહ', દેશી-નામમાલા” અને “નિઘંટુ કોષ એ ચાર ગ્રંથમાં તેમણે જ્ઞાનને અમૂલ્ય ભંડાર આપણને બ છે. વળી પ્રમાણ-મીમાંસા, યેગશાસ્ત્ર, વીતરાગસ્તવન, અર્ણરીતિ વગેરે બીજા ગ્રંથેથી પણ તેઓએ પિતાની અનેકવિધ પ્રતિભાને ખ્યાલ આપે છે. આમ કુલ સાડાત્રણ કરોડથી પણ વધુ ગ્લૅકવાળું તેમનું સાહિત્ય આપણે અમૂલ્ય વારસે છે. અનેક સાહિત્યકારે તેમની આસપાસ વીંટળાચેલા રહેતા. તેમના પ્રશિક્ષણ કેન્દ્રમાં એક સાથે ૮૪ કલમે કામ કરતી હતી. અહિંસામય વીતરાગધર્મની પ્રભાવનામાં તેમને ગુજરાતના બે મહાન રાજવીઓને સહકાર સાંપડયો હતે. સિદ્ધરાજ જયસિંહ તેમના પરમ મિત્ર ને પ્રશંસક બની ગયા હતા. આ મહાનુભાવની સમદષ્ટિ કેવી હતી તેને ખ્યાલ સિદ્ધરાજે પૂછેલા એક પ્રશ્નને તેમણે જે ઉત્તર આપ્યું હતું તે પરથી મળે છે. સિદ્ધરાજે એક વખત પૂછયું, “ક ધર્મ શ્રેષ્ઠ છે?” જવાબમાં હેમચન્દ્રાચાર્ય શંખપુરાણમાં આવેલા એક ન્યાયનું દષ્ટાન્ત આપ્યું અને કહ્યું, જેમ વૃષભને મરતાં મરતાં સંજીવની ઔષધિ મળી ગઈ, તેમ સત્યશોધન કરવામાં કઈ પણ પૂર્વગ્રહ વિના વિવેકબુદ્ધિને વેગ્ય ઉપગ કરી સત્યનું સંશોધન કરશે તે તમને તે અવશ્ય લાધશે.” કેવી હતી આ વિશુદ્ધ વિવેકબુદ્ધિ! સિદ્ધરાજના સ્વર્ગવાસ પછી કુમારપાળ ગુજરાતની ગાદી પર આવ્યા. કુમારપાળ પર આચાર્યશ્રીએ અનેક ઉપકાર કર્યા હતા. આથી ઉપકારવશ કુમારપાળે રાજસિંહાસન પર આરૂઢ થતાં રાજ્યને આચાર્યશ્રીના ચરણમાં સમર્પિત કર્યું. આચાર્યશ્રીએ તેને અસ્વીકાર કરી કુમારપાળને સૂચના કરી કે તેણે રાજ્યમાં અમારિ કે વગડાવ. આ રીતે રાજ્યમાં “અમારિ ઘેષણ કરવામાં આવી. તેનાથી ઈર્ષ્યાન્વિત થયેલા કેટલાક રાજપુરુષોએ રાજાના કાન ભંભેર્યા, “દેવીને બલિદાન નહિ મળે તે કેપ કરશે For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતનાં ચરિત્રો અને રાજ્યને વિનાશ થશે.” રાજાએ આચાર્યશ્રી સાથે તેની ચર્ચા કરી. તેના ફળસ્વરૂપ રાત્રે દેવીની સામે એક પશુને રાખવામાં આવ્યું અને કહેવામાં આવ્યું, “જે દેવી ખરેખર બલિદાન ઈચ્છતાં હશે તે પશુનું ભક્ષણ કરશે.” પણ આમ થયું નહિ. પ્રતિ સ્પધીઓ નિરુત્તર બની ગયા અને કુમારપાળની અહિંસા પ્રત્યેની શ્રદ્ધા રૂઢ બની. હેમચન્દ્રાચાર્યજીની સમદષ્ટિનું એક ઉદાહરણ ઉપર આપ્યું છે, પણ આચરણ દ્વારા તે તેમણે પ્રત્યક્ષ રજૂ કર્યું તેથી તેમની ખ્યાતિ વધુ પ્રસરી. એક વખત વિહાર કરતાં તેઓ સેમિનાથ પાટણ પધાર્યા. મહારાજા કુમારપાળ પણ તે સમયે ત્યાં આવેલા હતા. કેટલાક વિનસંતોષી માણસેએ કહ્યું કે આચાર્ય, ભગવાન શિવને નમશે નહિ, પણ હેમચન્દ્રાચાર્યે તેમની ધારણા બેટી પાડી. શિવજીને સાષ્ટાંગ નમસ્કાર કરી તેમણે નીચેને શ્લેક ગાઃ “ભવબીજાકુરજનના રાગાઘાટ સમુપાગતા યસ્યા ઘલા વા વિષ્ણુ, હરે જિને વા નમસ્ત ” ભવબીજને અંકુરિત કરવાવાળા રાગદ્વેષ પર જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે તેવા ભલે બ્રહ્મા, વિષણુ, હરિ કે જિનેશ્વર ઈત્યાદિ ગમે તે નામથી સંબંધિત છે, તેને મારા નમસ્કાર છે.” મહારાગે મહારે, મહામહસ્તવ ચ ા કષાયસ્ય હતા કેન, મહાદેવઃ સ ઉચ્ચતે ” જેણે મહારાગ, મહાલ, મહામહ અને કષાયને નાશ કર્યો છે તે મહાદેવ છે.” એમ કહ્યું. આવી હતી તેમની સર્વધર્મ સમન્વયાત્મક નીતિ. ઉદાર ધર્મનીતિ, રાજાઓ પરને વિશિષ્ટ પ્રભાવ અને વિશાળ શ્રુતજ્ઞાન-વૈભવથી તેઓશ્રીએ જૈનશાસનનું ગૌરવ ખૂબ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના જ વધાર્યું છે. આચાર્ય હેમચન્દ્રજીને યુગ ગુજરાતમાં જન ધર્મના ઉત્કર્ષને સુવર્ણયુગ હતે. સિદ્ધરાજ જયસિંહ, મહારાજા કુમારપાળ, મંત્રી બાહડ, વગેરે ઉપરના આચાર્યશ્રીના વિશિષ્ટ પ્રભાવથી અનેક નવાં જિનમંદિર નિર્માણ થયાં કે તેમને પુનરુદ્ધાર થયે. રામચન્દ્ર, ગુણચન્દ્ર, ઉદયચન્દ્ર, બાલચન્દ્ર વગેરે અનેક શિષ્યએ તેમનું કોપકારનું અને ધાર્મિક શિક્ષણનું કાર્ય ચાલુ રાખ્યું. વર્તમાન યુગમાં શ્રીમદ્ રાજચન્દ્રજી, શ્રી આનંદશંકર ધ્રુવ તથા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ વિવિધ પ્રકારે તેમને ગુણાનુવાદ કરેલ છે. એકંદરે ૮૪ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ઈ. સ. ૧રરમાં પાટણ મુકામે તેઓએ સ્વર્ગારોહણ કર્યું. [૭] મેધાવી મહાકવિ આશાધર અનેકવિધ વિદ્યામાં પારંગતપણથી, દીર્ઘ અખે વિસ્તૃત સાહિત્યની રચનાથી, વિશિષ્ટ અને વિશાળ વિદ્વાન શિષ્ય પરંપરાના નિર્માણથી અને પવિત્ર સદાચારમય જીવનથી મધ્યયુગના પ્રબુદ્ધ જૈન મહાપુરુષોમાં શ્રી આશાધરજીનું સ્થાન અગ્રગણ્ય ગણી શકાય છે. જીવનપરિચય: તેઓ મૂળ નાગૌર પાસે આવેલા માંડલગઢ (મેવાડ)ના નિવાસી હતા. તેમને જન્મ વિ. સં. ૧૨૩૦માં લગભગ થયું હતું. તેમના પિતાનું નામ સલક્ષણ અને માતાનું નામ શ્રીરત્ની હતું. તેમનાં ધર્મપત્ની સરસ્વતીદેવી હતાં જેથી તેમને છાહડ નામના એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી. લગભગ વીસ વર્ષની ઉંમરે તેઓ ધારાનગરીમાં આવીને વસ્યા હતા, કારણ કે તે જમાનામાં મહમ્મદ શેરીએ અજમેર, દિલહી અને મેવાડના વિવિધ ભાગો ઉપર સત્તા હાંસલ કરી લીધી For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતનાં ચરિત્રો હતી તેથી ધર્મસાધનામાં વિદ્ધ થવાની સંભાવના હતી. તેઓએ તેમના વિદ્યાગુરુ પંડિત શ્રી મહાવીર પાસેથી શિક્ષણ લઈ અ૫કાળમાં વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત, અધ્યાત્મ, જૈનાચાર, કાવ્ય, ભાષા, આયુર્વેદ આદિ અનેક વિષયેનું સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કરી પિતાની અગાધ બુદ્ધિશક્તિને પરિચય આપ્યું હતું. તેમના સમયમાં ધારાનગરીમાં વિજયવર્મા નામને રાજા રાજ્ય કરતે હતું અને જ્યારે તેમણે સાગારધર્મામૃત નામનું શાસ્ત્ર લખ્યું ત્યારે જતુગિદેવનું રાજ્ય ચાલતું હતું. પિતાના જીવનનાં છેલ્લાં ઘણું વર્ષો (ચાળીસથી પણ વધારે) તેઓએ ધારાનગરીથી વીસેક માઈલ દૂર આવેલા નલકપુર(નાલછા)માં નિવાસ કરી એકાંત, શાંત જગ્યાએ રહેવાનું પસંદ કર્યું હતું. અહીં રહ્યા ત્યારથી ગુડવ્યવહારને ત્યાગ કરી, એકાગ્રપણે સરસ્વતીની આરાધનામાં રહી, શ્રીનેમિનાથ પ્રભુના ચૈત્યાલયના આશ્રયે તેઓએ પિતાની વિશિષ્ટ કૃતસાધનામાં સાવિકપણે જીવન વિતાવ્યું હતું, તેથી તેઓને અષિતુલ્ય ગણવામાં આવ્યા છે. તેઓના. દેહવિલય વિષે ચોકકસ માહિતી મળતી નથી પણ વિ. સં. ૧૩૧૦ની આજુબાજુ તેઓએ જીવનસમાપન કર્યું હશે એમ ઇતિહાસકારે માને છે. સાહિત્યનિમણુ, શિષ્ય પરંપરા અને બહુકૃત વ્યક્તિત્વ: પિતાની તીણ પ્રજ્ઞા અને અવિરત સાહિત્યસાધના વડે તેઓએ અનેક વિષ ઉપર પિતાની સિદ્ધહસ્ત કલમ ચલાવી હતી. તેઓએ વીસ સંસ્કૃત ગ્રંથ રચ્યા હતા જેમાંના વધારે અગત્યના નીચે પ્રમાણે છે: (૧) સાગારધર્મામૃત () જ્ઞાનદીપિકા (૨) અનગારધર્મામૃત (૫) ઈબ્રોપટીકા (૩) અધ્યાત્મરહસ્ય (૬) જિનયજ્ઞકલ્પ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ (૭) આરાધનાસારટીકા (૮) ક્રિયાકલાપ (૯) રત્નત્રયવિધાન ભકિતમાગ ની આરાધના (૧૦) અમરકોશટીકા (૧૧) ભરતેશ્વર-અભ્યુદય (૧૨) ત્રિષષ્ઠિ-સ્મૃતિશાસ્ત્ર સાગાર-અનગાર-ધર્મામૃત: ગૃહસ્થ અને મુનિના આચારાનું વિવરણ કરતા આ એક મહત્ત્વના ગ્રંથ છે. ગૃહસ્થધનું વર્ણન આઠે અધ્યાયેામાં વિસ્તારથી કર્યું છે, જેમાં સાત વ્યસનાના ત્યાગ, મદ્ય-માંસ-મધુને ત્યાગ, અહિંસાદિ અણુવ્રતનું ગ્રહણુ, પ્રભુપૂજા, ગુરુની ઉપાસના, સુપાત્રદાન આદિ અનેક આચારનું સાંગોપાંગ વર્ણન કરેલું છે. વળી, આત્મદર્શન સહિત જેમ જેમ શ્રાવક, સંયમમાર્ગમાં આગળ વધતા જાય તેમ તેમ તેની પાક્ષિક, નૈષ્ઠિક અને સાધક એવી ત્રણ કક્ષાએનું વૈજ્ઞાનિક વર્ણન છે. આર'ભપરિગ્રહના ક્રમિક ત્યાગ કરતા થકા, ઉપર ઉપરની સંયમશ્રેણીને સ્પર્શતા થકો, શુદ્ધિ અને સ્થિરતાને વધારતા થકા શ્રાવક કેવી રીતે અંતે સલ્લેખના દ્વારા મૃત્યુ-મહાત્સવ ઊજવીને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે તેનું સુંદર, ભાવવાહી, પ્રેરક અને સર્વાંગસંપૂર્ણ શબ્દચિત્ર અહી રજૂ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ (ધર્મામૃત) જ્ઞાનપીઠ તરફ્થી તથા અગાસ આશ્રમ તરફ્થી મહાર પડેલા છે. અધ્યાત્મરહસ્ય: ૭૨ પદ્યોમાં યાગમાગનું સંક્ષેપમાં વર્ણન કરતા આ સુ ંદર ગ્રંથ વીર-સેવા મંદિર તરફ્થી પ્રકાશિત કરવામાં આવ્યા છે. સ્વાત્મા, શુદ્ધાત્મા, સદ્ગુરુ, દૃષ્ટિ, શ્રુતિ, મનનું સ્વરૂપ વગેરે યાગાભ્યાસી અને અધ્યાત્મસાધકાને ઉપયાગી અનેક પારિ ભાષિક શબ્દોના સુંદર રીતે અર્થ સમજાવ્યેા છે. તેનું બીજું નામ ચેાગેાદ્દીપન' છે. જિનયજ્ઞકલ્પમાં મ’દ્વિરનિર્માણ, મૂર્તિનિર્માણ, જિનપૂજા, અભિષેકવિધિ વગેરેનું વર્ણન છે. ત્રિષષ્ઠિ-સ્મૃતિશાસ્ત્ર અને ભરતેશ્વરઅભ્યુદયમાં પૂર્વે થયેલા પવિત્ર પુરુષાનાં ચરિત્રોનું પ્રેરક વર્ણન છે. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતોનાં ચરિત્રો શ્રીમાન આશાધરજીના અનેક સમર્થ શિષ્ય હતા, જેમાં મુખ્યપણે વાદીન્દ્ર વિશાલકીર્તિ, પંડિતવર્ય દેવચન્દ્ર તથા વિનયચન્દ્ર, મહાકવિ મદને પાધ્યાય તથા બિલ્ડણ મંત્રી અને મદનકીર્તિ તથા ઉદયસેન નામના નિગ્રંથ મુનિઓને પણ સમાવેશ થાય છે. આ બધા શિષ્યએ પિતાના ગુરુ પ્રત્યેને અહંભાવ પ્રગટ કરતાં તથા અન્ય દર્શનના વિદ્વાનોએ પણ આ મહાપુરુષની પ્રશંસા કરતાં તેમને “નયવિશ્વચક્ષુ, “પ્રજ્ઞાપુંજ”, “કલિ-કાલિદાસ વગેરે વિશિષ્ટ સન્માનસૂચક શબ્દોથી સંબોધ્યા છે. આવા અનેક ગુણેના ધારક, મૌલિક ચિંતક અને લેખક હોવા ઉપરાંત મહાકવિ શ્રી આશાધરજી એક મહાન શ્રદ્ધાળુ ભક્ત પણ હતા તે તેમની પૂજા અને તીર્થંકરાદિનાં ચરિત્રોનાં વર્ણન ઉપરથી સહેજે જાણી શકાય છે. ૩. [૮] ભક્તિસાહિત્યકાર શ્રીસકલકીર્તિ મધ્યયુગમાં સંસ્કૃત સાહિત્યને પ્રચાર-પ્રસાર કરી, અનેક નવા ગ્રંથની રચના કરી, વિવિધ તીર્થકરે અને પુરાણપુરુષનાં ચરિત્રો લખી, જેમણે જૈનધર્મની ગુજરાત, રાજસ્થાન વગેરે પ્રદેશોમાં ખૂબ પ્રભાવના કરી તે શ્રી સકલકીતિ આચાર્યને સમય વિક્રમ સંવત ૧૪૪૩ થી ૧૪ને મનાય છે. જીવનપરિચયઃ તેઓશ્રીને જન્મ વિ. સં. ૧૪૪૩માં ગુજરાતના અણહિલપુર પાટણમાં થયે હતે. પિતાનું નામ કર્મસિંહ અને માતાનું નામ શેભા હતું. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને શુભ સ્વપ્ન આવતાં ઉજજવળ પુત્રરત્નની પ્રાપ્તિની આગાહી કરવામા આવી હતી. પુત્રને જન્મ થતાં તેનું નામ પૂર્ણસિંહ રાખવામાં આવ્યું હતું. તેઓનું શરીરસ્વાચ્ય, શરીરસૌષ્ઠવ અને શરીરસૌંદર્ય For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધન અદ્ભુત હતું અને તેઓ બત્રીસ લક્ષણના ધારણ કરનાર હતા. પાંચ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવતાં, પિતાની કુશાગ્ર બુદ્ધિને સૌને પરિચય કરાવી, થેડા જ કાળમાં શાસ્ત્રનિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. ચૌદ વર્ષની વયે માતાપિતાએ તેમનાં લગ્ન કર્યા, પરંતુ તેમનું ચિત્ત સંસારમાં લાગતું જ નહિ અને અઢાર વર્ષની વયે અપાર સંપત્તિને ત્યાગ કરી તેઓ ભટ્ટારક શ્રી પદ્મનંદી પાસે ચાલ્યા ગયા. ચેત્રીસમે વર્ષે તેમને આચાર્ય પદવીની પ્રાપ્તિ થઈ હતી, અને તેઓએ ધર્મપ્રચારનું કાર્ય દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ચાલુ કરી દીધું હતું. એકંદરે છપ્પન વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિ. સં. ૧૪૯હ્ના પિષ મહિનામાં ગુજરાતમાં મહેસાણા મધ્યે તેઓએ સ્વર્ગારોહણ કર્યું. જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ: પંદરમા સૈકામાં પશ્ચિમ ભારતમાં સ્વાધ્યાયને, ભગવદ્ભક્તિ અને જૈનધર્મને સૌથી વિશેષ પ્રચાર-પ્રસાર કરવાનું શ્રેય શ્રીસકલકીતિને ફાળે જાય છે. બાંસવાડા, શિહી, ઉદેપુર, રતનપુર, મહેસાણા, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં તેમણે ખૂબ પરિભ્રમણ કર્યું અને અનેક નવીન જિનમંદિરની સ્થાપના કરી જેમાં ગલિયાકેટ, સાગવાડા, આબુ અને ઈડરમાં કરેલી પ્રતિષ્ઠાઓ વિશેષ પ્રસિદ્ધિને પામી છે. વર્તમાનમાં તેઓએ રચેલી અનેક વિષયોને સ્પર્શતી ૩૭ કૃતિઓ વિષે જાણવા મળે છે, જેમાં ૨૯ કૃતિઓ સંસ્કૃતમાં છે અને આઠ કૃતિઓ રાજસ્થાનમાં છે. તેમની રાજસ્થાની કૃતિઓમાં વચ્ચે વચ્ચે ગુજરાતી શબ્દોને પ્રવેગ પણ થયેલું છે. સંસ્કૃત કૃતિઓમાં શ્રી શાંતિનાથ, શ્રીદ્ધમાન અને શ્રીમલિનાથનાં તથા બીજા મહાપુરુષનાં ચરિત્રોનું સુંદર, ભાવવાહી, ચમત્કૃતિપૂર્ણ વર્ણન છે. શ્રીસલકીતિ આચાર્યનું વ્યક્તિત્વ વિવિધલક્ષી છે. સાહિત્યસર્જક, ધર્મપ્રચારક, મહાન કવિ, ઉગ્ર તપસ્વી તથા સિદ્ધાંત, કર્મશાસ્ત્ર, ભગવદ્ભક્તિ, અધ્યાત્મ, ભાષા, છંદ, અલંકાર, આચાર For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતનાં ચરિત્રો ૧૦૧ આદિ વિવિધ વિષયના મહાન પતિ તરીકે તેઓનું ઐતિહાસિક વ્યક્તિત્વ આપણને એક યુગપ્રધાન આચાર્યની સ્મૃતિ કરાવી જાય છે. મૂળ પૂર્વાચાર્યોની શુદ્ધ પરંપરાઓને સાચવવામાં તેઓએ આપેલું ગદાન ચિરસ્મરણીય રહેશે. મહાત્મા કબીરદાસજી ભારતની મધ્યયુગની સંતપરંપરામાં જેમનું અપ્રતિમ સ્થાન છે અને ઘટઘટવાસી રામની સાથે જેમણે અલખ લગાવી હતી તેવા શ્રી કબીરદાસજી પ્રેમભક્તિને એક મહાન પુરસ્કર્તા થઈ ગયા. જીવનપરિચય: તેમના જીવન વિશે અધિકૃત માહિતી મળતી નથી. કબીરજીને જીવનકાળ વિ. સં. ૧૪૫૬ થી ૧૫૪૯ વચ્ચેને માનવામાં આવે છે. બનારસ પાસે લહરા તળાવમાં બાળ સ્વરૂપે તેઓ મળી આવ્યા હતા. નીરુ અને નીમા નામનાં વણકર દંપતીએ કબીરને ઉછેર કર્યો હતે. અરબી ભાષામાં કબીરને અર્થ “મહાન” થાય છે. કબીરનું જીવન અનેક રહસ્યોથી આચ્છાદિત છે. તેમની કિશોરકાળની કારકિર્દી તથા કેળવણી વિશે ખાસ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેમના જીવન વિશે જે માહિતી મળે છે તેના ઉપરથી કહી શકાય કે તેઓ વણકર હતા, અત્યંત ગરીબીમાં ઊછર્યા હતા, સિકંદર લેદીના શાસનકાળ દરમિયાન તેઓ બનારસમાં રહેતા હો, રામાનંદ નામના ગુરુના તેઓ શિષ્ય હતા અને તેમને પિતાને પણ અનેક શિષ્ય હતા. તેઓએ કઈ પ્રકારનું લૌકિક શિક્ષણ લીધું નહતું છતાં તેમની કૃતિઓ પરથી જણાય છે કે તેઓને સમસ્ત ભારતીય દર્શનનું અને ઈસ્લામ વિશેનું સારું જ્ઞાન હતું. આ જ્ઞાન તેઓના પૂર્વભવેના ઊંચા સંસ્કાર અને બાળપણથી જ તેઓએ સેવેલા For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના રાત્સમાગમનું ફળ ગણી શકાય. બાલ્યાવસ્થાથી જ તેમનું મન ધર્મ તરફ ઢળેલું હતું અને કલાક સુધી તેઓ કઈ કોઈ વાર તે ઊંડા ચિંતનમાં ડૂબી જતા. તેઓને સંત-સમાગમ બહુ પ્રિય હતું અને આદર તથા શ્રદ્ધાભાવ સહિત તેઓ સાધુઓની સેવા. કરતા. તેઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલે મનાય છે. તેમની પત્નીનું નામ લેઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી. હતું. તેના જીવન અને બેધ ઉપરથી તેઓને ગૃહકાર્યમાં તદ્દન અનાસક્તભાવ હતું તેમ જાણી શકાય છે. સમસ્ત મનુષ્ય પ્રત્યેના. તેમના પ્રેમથી, તેમની મધુર, હૃદયસ્પર્શી વાણી અને વાર્તાલાપથી અને વિશિષ્ટ પુણ્યપ્રભાવથી જનતાના બધાય સ્તરના લેકે તેમના પ્રત્યે મેટી સંખ્યામાં આકર્ષાયા હતા. કબીરજીને શાંતિમય અને સંતોષી જીવન પ્રિય હતું. દાનવૃત્તિ તેમનામાં નાનપણથી જ દષ્ટિગોચર થતી હતી. તે જમાનામાં પ્રવર્તમાન અનેક વિરોધાભાસી વિચારધારાઓ વચ્ચે રહીને પણ એક સત્યશોધક, ક્રાન્તિકારી પ્રવીર તરીકે તેમણે મનુષ્યનાં હદને જોડવાને જ પ્રયત્ન કર્યો. જે કે દરેક મહાત્માની પેઠે તેમને અનેક કસોટીમાંથી પસાર થવું પડયું, તે પણ પિતાની સજજનતા, સરળતા, સ્વચ્છતા અને પરમાત્મનિષ્ઠાથી તેઓ તેમાંથી હેમખેમ પાર ઊતર્યા અને જનસમાજમાં પ્રીતિ અને આદરને પાત્ર બન્યા. કબીરજીની પ્રેરક વાણી : સાદી સરળ ભાષા અને સુંદર મને હારી શૈલીમાં શેભતી તેમની પ્રેરક વાણી તેમના હદયમાંથી જ સીધી વહી રહી હોય તે ભક્ત-સાધકને અનુભવ થાય છે. ભિન્ન-ભિન્ન સમયે તેઓએ કરેલે ઉપદેશ બીજક નામના. ગ્રંથમાં સંગૃહીત થયેલું જોવામાં આવે છે, પરંતુ તેમાં પણ પ છળથી રચાયેલાં પદને ઉમેરી દેવામાં આવ્યાં હોય એમ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતનાં ચરિ ૧૦૭ વિદ્વાનેનું માનવું છે. અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયની હિંદી પરિષદ પ્રગટ કરેલી કબીર-ગ્રંથાવલિ' વિદ્વાનો દ્વારા તેમની સૌથી વધારે અધિકૃત રચના માનવામાં આવે છે, જેમાં બસ પદ, સાડા સાત સાખીઓ અને બીજાં પણ ઘણું પદોને સમાવેશ થાય છે. તેમના પછી થયેલા અનેક ભક્ત સંતે એ મુક્ત કંઠે તેમની પ્રશંસા કરી છે. પરમતત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી, કબીરજી અને નરસિંહ મહેતા વિશે પિતાને આદરભાવ વ્યક્ત કરતાં કહે છેઃ મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિસ્પૃહા હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, તેમ કર્યા સિવાય કે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યા ગયે છે, તથાપિ તેમની દારિદ્રાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે, અને એ જ એમનું સબળ માહાત્ય છે. પરમાત્માએ એમના “પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઈચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તે રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય.” –શ્રીમદ્ રાજચન્દ્ર, પત્રાંક ૨૩૧ વર્તમાનકાળમાં ડા. શ્રી હજારીપ્રસાદ ત્રિવેદીએ કબીરજીના સાહિત્યને સારે અભ્યાસ કરેલ તથા શ્રી રવીન્દ્રનાથ ટાગેરે તેમનાં સો પદેને અંગ્રેજી અનુવાદ કરેલે; જેથી પાશ્ચાત્ય દેશમાં પણ કબીરજીનું સાહિત્ય પ્રચાર પામ્યું છે. કબીરજીએ પિતાના ઉપદેશમાં ભક્ત-સાધકને ઉપયોગી એવા વિધવિધ વિષય પર પ્રકાશ પાડ્યો છે. ધર્મ અને અધ્યાત્મજ્ઞાન, પ્રેમ અને ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યજીવન એ કેઈ એક જ મત, પંથ કે સંપ્રદાયને ઈજા નથી. ઊંચ-નીચ કે રાજારંક ઈત્યાદિના ભેદભાવ વિના સાદાઈ, સત્ય, સરળતા, સદાચાર, For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભકિતમાર્ગની આરાધના અખૂટ આત્મવિશ્વાસ, સનામનું રટણ અને સદ્દગુરુએ બતાવેલી આજ્ઞાનું આરાધન કરવાથી મનુષ્ય ઉચ્ચ અધ્યાત્મદશાને પ્રાપ્ત કરી શકે છે. ધર્મ એ માત્ર કોઈ બાહ્ય આડંબરમાં કે ક્રિયાકાંડમાં સમાયેલું નથી પરંતુ પિતાના આચારવિચારની શુદ્ધિમાંથી પ્રગટે છે. તેને માત્ર ધર્મસ્થાનક પૂરતું મર્યાદિત રાખવાનો નથી પણ રોજબરોજના જીવનમાં વણી લેવાનું છે. સામાન્ય મનુષ્ય પણ પિતાનું ગૃહકાર્ય કરતાં કરતાં, યથાર્થ સમજણ અને પ્રેમથી પ્રભુનામનું રટણ કરે તે તેનું જીવન પણ દયાળુ, પ્રેમમય, દિવ્ય અને નિર્ભય બની શકે છે. આવા વિધવિધ બેધની પ્રરૂપણું કરતાં તેમનાં ડાં પદો વિચારીએ? (દોહરા) ૧ આત્મા ઔર પરમામા, અલગ રહે બહુ કાલ; સુંદર મેલા કર દિયા, સદગુરુ મિલા દલાલ. ૨ થી ૫૦ ૫૦ જગ મુવા, પંડિત ભયા ન કોય; ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હેય. ૩ રાઈ બાંટા બીસવાં, ફિર બીસનકા બીસ અસા મનુવા જે કરે, તાહિ મિલે જગદીસ. ૪ યહ તન વિષકી વેલડી, ગુરુ અમૃતકી ખાન શીશ દિયે જે ગુરુ મિલે, તે ભી સસ્તા જાન, ૫ પ્રેમ ન બાડી ઊપજે, પ્રેમ ન હાટ બિકાય; રાજા પરજા જેહિ રુચે, શીશ દેઈ લે જાય, ૬ પ્રિયતમકે પતિયાં લિખ, જે કહું હેય વિદેસ; તન મેં, મન મેં નનમેં, તાકે કહા સદસ, ૭ કામ, ક્રોધ, લાલચ, ઇન ભક્તિ ન હોય, ભક્તિ કરે કેઈ સૂરમા, જાતિ બરન કુલ બેય. ૮ માનુખ જનમ દુલભ હૈ, હેઈ ન બારંવાર પાક ફલ જા ગિરિ પરા, બહુરિ ન લાગે ડાર. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સંત-ભક્તોનાં ચરિત્રો [૧૦] ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા પશ્ચિમ ભારતમાં અનન્ય એવી પ્રેમભક્તિના પ્રથમ પ્રવર્તક, ગુજરાતી ગિરાના આદ્યકવિ તથા પરમાત્મપ્રેમને ધરાઈ ધરાઈને પીવાથી અને પિવરાવવાથી સમસ્ત ભારતમાં ઉત્તમ વૈષ્ણવજન તરીકે પ્રસિદ્ધ એવા શ્રી નરસિંહ મહેતાએ, સંતની અને શૂરાએની સેરઠભૂમિને પિતાના જીવન-કવનથી પાવન કરી હતી. જીવનપરિચય : તેઓને જન્મ વિ. સં. ૧૮૬૬ની આજુબાજુ ભાવનગર પાસેના તળાજા ગામમાં થયેલ હતું. તેઓ જન્મ વડનગરા નાગર હતા. નાનપણમાં માતાપિતાને વિયેગ થવાથી તેઓ મોટાભાઈ સાથે જૂનાગઢ રહેવા ગયા હતા, જે તેમની કર્મભૂમિ રહી. નાનપણથી જ નરસિંહને ભજનકીર્તનની રુચિ હતી. વળી ગિરનારની તળેટીમાં રહેવાથી અનેક સત્સંગીઓને, સંતને અને હરિભક્તોને સમાગમ મળી રહે. મંદિરમાં અને મહાદેવમાં પૂજામાં, કીર્તનમાં કે હરિકથામાં તેમને રસ વધતે જોઈ, તેમને સંસાર પ્રત્યે આકર્ષવા લગભગ ૧૪૮૪માં માણેક સાથે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં, પરંતુ ભવિતવ્ય કઈક જુદું જ હતું. बहूनां जन्मनामन्ने ज्ञानवान मां प्रपद्यते । વાસુદેવ સર્વમતિ જ મમિ સુહુર્રમઃ |* જીવન-પરિવર્તન : નવપરિણીત નરસિંહને આજીવિકા ન રળતે જોઈને ભાભી મહેણું મારે છે અને નરસિંહ વગડાની વાટે ચાલતાં એક જૂના ગેપીનાથ મહાદેવના મંદિર પાસે આવી પ્રભુની સાથે સાત સાત દિનરાત સુધી અલખ લગાવે છે. ઉત્કટ પ્રભુપ્રેમમાં તલ્લીને નરસિંહ, દેહભાન ભૂલી જાય છે, પરમાત્મદર્શનને પામે છે અને તેને “દિવ્યચક્ષુની પ્રાપ્તિ થાય છે. યથા– * શ્રીમદ્ ભગવદ્દગીતા, અ. ૭, શ્લો. ૧૯. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભકિતમાર્ગની આરાધના ( ઝૂલણા છંદ) “અચેત ચેતન થયે, ભવ તણે અઘ ગયે, સૂતી ઊઠી મારી આદ્ય વાણી; કીડી હુતો તે કુંજર થઈ ઊટિયે, પૂરણ બ્રહ-શું દયાન ચેટયું.” આ પ્રસંગ પછી નરસિંહ, પ્રભુની ભક્તિમાં વિશેષપણે રહેવા લાગે છે અને ભાઈ-ભાભીની ઈચ્છા પ્રમાણે જુદો રહે છે. ધર્મપત્ની પણ દરેક પ્રકારે અનુકૂળ થઈને રહે છે. તેમની આજીવિકા કઈ રીતે ચાલતી હશે અને પુત્ર શામળ તથા પુત્રી કુંવરબાઈ સહિત સૌને નિર્વાહ કેવી રીતે થતું હશે તે વિષે કાંઈ માહિતી મળતી નથી, પણ દિવસે દિવસે નરસિંહની ભક્તિની યશગાથા ચારે દિશાઓમાં ફેલાતી જાય છે. બહારમાં જેમ જેમ ભક્તિગંગા અખલિતપણે તેમની કલમમાંથી વહેવા લાગે છે તેમ તેમ દિવ્યપ્રેમની અને પ્રભુમસ્તીની ભરતી પણ તેમના જીવનમાં વૃદ્ધિગત થતી જાય છે અને અતૂટ શ્રદ્ધાવાળા ભક્તનાં સઘળાં કામ પરમેશ્વરની કૃપાથી પાર પડી જાય છે. પુત્રને વિવાહ, પુત્રીનું મામેરું, હૂંડી અને હાર એવા ચારેય પ્રસંગેની કસેટીમાંથી નરસિંહ શુદ્ધ ભક્તસ્વરૂપે પાર ઊતરે છે. તેમના જીવનકાળમાં જ પુત્ર અને પત્નીને વિયેગ થયેલ આલેખવામાં આવ્યું છે અને વિ. સં. ૧૫૩૬ની આસપાસ તેમની જીવનલીલા સંકેલાઈ હશે એમ વિદ્વાનોનું માનવું છે. જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ : એક મહાન ભક્ત અને શ્રેષ્ઠ કવિ તથા કીર્તનકાર તરીકે નરસિંહ મહેતાનું વ્યક્તિત્વ ઊપસી આવે છે. તેમની વાણીમાં રહેલા પ્રભુપ્રેમના રસમાં મહાલવામાં સૌ કોઈ ભક્ત સાધકોને તૃપ્તિને અનુભવ થાય છે. તેમના રચેલા સાહિત્યમાં મુખ્યત્વે નીચેની કૃતિઓ છેઃ (૧) સ્વચરિત્રાત્મક કૃતિઓ (૨) આખ્યાને (૩) કૃષ્ણપ્રીતિનાં પદે (૪) ઉપદેશાત્મક પદો (૫) જ્ઞાનભક્તિનાં પદે For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ સત-ભક્તોનાં ચરિત્રા અત્રે આધ્યાત્મિક દૃષ્ટિને લક્ષમાં રાખીને તેમનાં થાડાં પદાનું વિહંગાવલેાકન કરીએ. સમતાની સાધના : સર્વ પ્રકારની સાધનાનું લક્ષ સમતાભાવને પ્રાપ્ત કરવા તે જ છે. જે કાંઈ જીવનમાં અને તે વિષે હર્ષ–શાક ન કરતાં ( ઝૂલા છંદ ) જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણા ખરખરો ફોક કરવા,.. હું કરું, હું કરુ” એ જ અજ્ઞાનતા, શફ્ટના ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિન્સડાણુ છે સર એણી પેરે, જંગી-જોગેશ્વરા કઈક જાણે. આવી વિચારણા વડે રાગદ્વેષના ભાવાને લ'ખાવવા નહિ પણ પ્રભુ જે કાંઈ કરે છે તે મારા હિતમાં જ છે એવા નિશ્ચળ ભાવ કેળવવેા. જડસ્વરૂપી ખાદ્ય ક્રિયાકલા। કે કરું શાસ્ત્રજ્ઞાન— આ બન્નેમાંથી કોઈ પણ ખરેખર પરમાર્થને સાધી શકતાં નથી. વિવેકપૂર્વકના જીવન દ્વારા, સત્ય પરમાત્મતત્ત્વની ઉપાસના સાચા પ્રેમસહિત કરીને, પાપાચરણરહિત થવાનું છે; અને આ કાર્ય કરે તે જ સાચા વૈષ્ણવ છે-ભક્ત છે-સંત છે. સાંપ્રદાયિક ક્રિયાઓમાં જ ધર્મ માનવે તે પ્રભુભક્તનું લક્ષણ નથી, પણ જીવનશુદ્ધિને અનુસરવું એ જ મુખ્ય ધર્મ છે એમ તેઓનું કહેવું છે; યથા— ( ઝૂલણા છંદ ) (i) જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યા નહી, ત્યાં લગી સાધના સર્વ તૂટી. ...એ છે પુરપચ સહુ પેટ ભરવા તણા આતમાામ પરિભ્રા ન જોયા; ભણે નરસૈયા તે તત્ત્વચિ'તન વિના, રત્નચિતામણિ જન્મ ખાયા. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ (ii) કુળને તજશે ને હરિને ભજશે, ભણે નરસૈયા હિરે તેને મળશે; ભકિતમાગ ની આરાધના સહેશે. સસારનું મહેણુ રે; બીજી વાત વહાશે વહાણુ રે. (રાગ ખરાજ-તાલ માળી) (iii) વૈષ્ણવજન તા તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે; પરદુઃખે ઉપકાર કરે તાયે મન અભિમાન ન આણે રે... માહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેનાં મનમાં રે; રામનામ-શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. લાભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈંયા તેનુ દરશન કરતાં, કુળ એકેતર તાર્યા રે. નરસૈંયા એક મહાન કવિ છે, રસસ્રષ્ટા છે. છંદ લય-ભાષાને જ્ઞાતા છે, ઉત્તમ સજ્જન અને ભક્ત છે, ક્રાન્તિકારી વિચારક અને સમર્થ ઉપદેશક છે; પરંતુ આવા ખહુમુખી અને તેજસ્વી વ્યક્તિત્વની નિષ્પન્નતાનું મુખ્ય કારણ જો અમે કાંઈ પણ જાણતા હાઇએ તે તે છે તેના પ્રભુ પ્રત્યેનો અનન્ય, અસ્ખલિત, આત્યતિક અને અલૌકિક દિવ્યપ્રેમ. તેની પ્રાપ્તિ માટે જ એ આપણને પ્રેરણા કરી જાય છે : ( ઝૂલણા છં૬) (૧) સરસ ગુણુ હિર તણા જે જને અનુસર્યાં, તે તણા સુજશ તા જગત મેલે; નરસયા ૨'કને પ્રીત પ્રભુ-શું ઘણી, અવર વેપાર નહીં ભજન તાલે. (૨) અકળ અવિનાશી એ, તથ જ જાયે કળ્યા, અષણધની માંહે મહાલેઃ નરસે યાચા સ્વામી સફળ વ્યાપી રહ્યો, પ્રેમના તતમાં સત આવે. (૩) પરપણ પરહરા, સાર હ્રદયે ધરા, ઊચરા સુખ હરિ' અથળ વાણી, નરસેયા ! હરિ તણી ભકિત ભૂલીશ નહિ, ભકિત વિના બીજું પાણી. ** For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સંત-શકોનાં ચરિત્રો ૧૦૯ [૧૧] પ્રભુપ્રેમદીવાની મીરાંબાઈ અનેક સદીઓ વીતી જવા છતાં જેનાં પ્રભુપ્રેમનાં પદો આજે પણ ભક્તહદયના તારને ઝણઝણાવીને તેનામાં પ્રભુભક્તિને સંચાર કરે છે તેવાં ભક્તશિરોમણિ મીરાંબાઈના નામથી ગુજરાતરાજસ્થાનમાં કયે ભક્ત પરિચિત નથી? આપણા દેશનાં તેઓ એક મહાન ભક્ત કવયિત્રી થઈ ગયાં. જીવનપરિચય : મીરાંબાઈને જન્મ વિ. સં. ૧૫૬૦માં મારવાડમાં મેડતા પાસે આવેલા કુડકી ગામમાં થયેલ હતું. તેમના પિતાશ્રીનું નામ રતનસિંહ રાઠોડ હતું. બાળપણથી જ તેઓ મોટા ભાગને સમય કૃષ્ણભક્તિમાં ગાળતાં. માત્ર ચાર વર્ષની વયે તેમણે ધાર્મિક વૃત્તિ કેળવવા માંડી હતી. એક વખત તેમના ઘર આગળથી વરઘોડે પસાર થઈ રહ્યો હતે. વરરાજાને સુંદર રીતે શણગાર્યા હતા. બાળવયની મીરાંએ વરરાજાને જોઈ ભેળા ભાવે પૂછયું, “હું બા, મારો વર કેણુ છે ” જવાબમાં માતાએ અડધું મજાકમાં અને અડધું ભક્તિભાવથી કહ્યું, “મારી વહાલી મીરાં, આ ભગવાન શ્રીકૃષ્ણ એ જ તારે વર છે.” ત્યારથી બાળમીરાંએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું. આધુનિક ઈતિહાસ પ્રમાણે, લગભગ ૧૩ વર્ષની વયે મીરાંબાઈનું લગ્ન મેવાડના રાણું સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયેલું. તેઓ પત્ની તરીકે અત્યંત કર્તવ્યનિષ્ઠ હતાં. ગૃહકાર્ય પતાવીને તેઓ કૃષ્ણભક્તિમાં લીન રહેતાં. પાંચેક વર્ષના સાસરવાસ પછી ભેજરાજનું મૃત્યુ થતાં તેઓ વિધવા થયાં. મીરાં વિષે એવી અફવાઓ ઉડાવવામાં આવતી કે તેઓ અત્યંત મુક્ત રીતે સાધુઓ સાથે હરેફરે છે. મીરાને પણ સાધુઓ પ્રત્યે ખૂબ આદરભાવ હતું અને તેમને સત્સમાગમ હિંમતપૂર્વક કરતાં અને એક રજપૂતાણીની અદાથી કહેતાઃ “પુણ્યકે મારગ ચાલતાં, ઝક મારો સંસાર. આમ છતાં સંત તરીકે મીરાંની For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભક્તિમાગ ની આરાધના ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાતાં તેમના દિયર વિક્રમાર્જિતે, મીરાંની કસોટી કરવા કરંડિયામાં નાગ મેકલ્યા કે ઝેરના પ્યાલા માકલ્યા. આ બધી કસોટીમાંથી પણ મીરાંખાઈ પાર ઊતરી ગયાં. પણુ તેમના કાકા વીરમદેવે તેમને વિ. સં. ૧૫૯૧માં મેડતા ખેલાવી લીધાં અને આ રીતે મીરાંએ મેવાડ છોડ્યું. વિ. સં. ૧૫૫માં કાકાનું મૃત્યુ થતાં મીરાંબાઈ પાતાની ખાલસખી લલિતા સાથે યાત્રા કરવા વૃન્દાવન જવા નીકળ્યાં. ત્યાં પ્રસિદ્ધ ભક્ત શ્રી જીવા ગાસાંઈએ તેમને સ્ત્રી જાણીને દર્શન આપવાની ના કહી. આના જવાબમાં જ્યારે મીરાંબાઇએ વૃન્દાવનમાં એકમાત્ર શ્રીકૃષ્ણ જ પુરુષ છે” એવી પરમાર્થ-વાત લખી માકલી ત્યારે શ્રીગેાસાંઈજીને પેાતાની ભૂલને પશ્ચાત્તાપ થયા અને પછી પાતે જ મીરાંબાઈને મળવા ગયા અને પ્રભુકીર્તનના લાભ લીધે. મીરાંએ સંત તુલસીદાસને પણ કુટુંબીજના તરફથી થતી કનડગત અંગે એક પત્ર લખ્યા હતા, જેના ઉત્તર તુલસીદાસજીની ‘વિનયપત્રિકા’માં પ્રગટ થયેલા જાકે પ્રિય ન રામ વૈદેહી તળિયે તાહિ કાતિ વૈરીસમ, જષિ પરમ સનેહી— આ પદ્મથી આપેલા. દ્દિલ્હીના શહેનશાહ અકખર અને પ્રસિદ્ધ સંગીતકાર તાનસેન પણ ગુપ્તરૂપે એક વખત મીરાંખાઈનાં ભજન સાંભળવા આવ્યા હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન થયા હતા, તથા રત્નને હાર મૂર્તિ સમક્ષ ભેટરૂપે મૂકયો હતા. પ્રસિદ્ધ ભક્ત રૈદાસને મીરાંએ ગુરુ માન્યાનું કહેવાય છે, પરંતુ આ ગુરુપણું પ્રત્યક્ષ ન હેાતાં પરાક્ષ હાવાની વધારે સંભાવના લાગે છે. વિ. સં. ૧૯૨૪માં, ચિત્તોડથી હારીને તેમના દિયર ઉદયસિંહે ઉદયપુર વસાવ્યું. અહીં પણ દુષ્કાળ આદિ અનેક સંકટોના તેમને સામના કરવા પડયો ત્યારે તેમને પેાતાનાં પરમસંત ભાભી મીરાંખાઈ યાદ આવ્યાં. રાણાએ તેમને પેાતાના રાજ્યની શાંતિ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સહભકતનાં સપિ અને આબાદી માટે દ્વારકાથી પાછાં બોલાવવા બ્રાહાણુમંડળી અને કુલ-પુરોહિતને મોકલ્યાં. મીરાંનું સંત-હૃદય લેકનું દુઃખ સાંભળી દ્રવી ઊઠયું. તેઓ પોતાના પ્રભુની રજા લેવા મંદિરના અંદરના ભાગમાં ગયાં, પરંતુ મંદિરમાંથી પાછાં બહાર આવ્યાં જ નહીં. લેટોએ, તેઓ પ્રભુમાં સમાઈ ગયાં એમ માની લીધું. મીરાંબાઈના પદો : મીરાંબાઈએ ભારતના અનેક પ્રાંતમાં વિહાર કર્યો હતે. તેમનાં પદો રાજસ્થાની, ગુજરાતી, હિંદી અને વ્રજભાષામાં મળી આવે છે. તેમાંના ઘણું પદ પ્રક્ષિપ્ત પણ ગણવામાં આવે છે, એટલે કે અન્યનાં રચેલાં તેમના નામે ચઢાવી દેવામાં આવ્યાં છે. મીરાં જન્મજાત કવયિત્રી છે. તેમની કવિતામાં રહેલી વેધક શક્તિનું કારણ એ છે કે તેનું કાવ્ય તે તેમની અંતરંગ પ્રેમ ઊર્મિનું સહજપણે પ્રવહેલું શબ્દ-વાહન છે. તેમાં પ્રભુ-મિલનને તલસાટ છે, સરસતા છે, સાહજિકતા છે, વિરહીપણું છે, દાસત્વભાવ છે, ગુરભક્તિ છે અને આત્યંતિક સમર્પણતા હોવાને લીધે પ્રસન્નતા પણ છે. તેમાં રહેલી ગેયતા અને લયબ હતા તેને કપ્રિય અને લેકગ્ય બનાવે છે. વર્તમાનકાળમાં તેમનાં પદેને પ્રચાર-પ્રસાર કરવાનું મુખ્ય શ્રેય પ્રસિદ્ધ બંગાળી લેખક શ્રી દિલીપકુમાર રૉયને ફાળે જાય છે. દિલ્હીના પ્રસિદ્ધ “બિરલા મંદિરમાં પણ મીરાંબાઈનાં શેડાં પદે “સંતવાણીના વિભાગમાં ભીંત પર લખવામાં આવ્યાં છે. હવે આપણે મીરાંબાઈનાં થોડાં પદે જઈએ (૧) ઘડી એક નહિ આવડે, તુમ દરસણ બિન માય; તુમ હૈ મેરે પ્રાણથ, કે સુ કવન હેય... પંથ નિહાફ ડગર બુહારં, ઊભી મારગ જોય મીરાં કે પ્રભુ! કબ મિલેગે ? તુમ મિલિયાં સુખ હોય. ૧. રસ્તો. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભકિતમાર્ગની આરાધના (૨) સતગુરુ ઓખદ એસી દીલ્હી, રુમ રુમ ભઇ ચાઈના સતગુરુ જસા વેદ ન કેઈ પૂછે વેદ પુરાના. (રાગ તિલક કામોદ). (૩) પાયે જેને રામરતન ધન પામે. ટેક વસ્તુ અમેલિક દી મેરે સતગુરુ કિરપા કર અ૫ના. ૧ જનમ જનમકી પૂંછ પાઈ, જગમેં સભી ખેવાયો. મારા ખરચે ન ખટે વાકો શેર ન લટ દિન દિન બઢત સવાય, ૩ સતકી નાવ છેવટિયા સતગુરુ, ભવસાગર તર આયા. ૪ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જશ ગાયો. ૫. (રાગ કાફી–તીન તાલ) () રામનામસ પીજ, મનુભા રામ-નામ-રસ પીજે. તજ મુસદ સતસંગ બઠ નિત હરિચરચા સુનિ લીજે ! કાચ કોઇ મદ લોભ મેહ બહા ચિત્તસે જ, મીરાં કે પ્રભુ ગિરધર નાગર, તાહિક રંગ ભીજે. આવાં આવા અનેક પદો જેમણે પિતાની આનંદ-ઉમિઓની ફલશ્રુતિરૂપે આપણને આપ્યાં, અને જે દ્વારા સૌ સાધકને પિતાની ભક્તિની આરાધનામાં અનેક પ્રકારે પ્રેરણા મળે છે તેવા પ્રેમમસ્ત મીરાંબાઈને અંજલિ આપતાં કવિએ સાચું જ કહ્યું છે: “રાતી માતી પ્રેમકી, વિષમ ભગતિકી મેહ, શમ-અમe માતી રહે, ધન મીરાં સાહ!” ૧. ઓષધ, દવા. ૨. શાંતિ. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સંત-ભાતનાં ચરિત્રો ૧૧૪ પરમ સ ચાગ અને અને ઉના અને જેના આપી ગયા છે સરીના [૧૨] પરમભક્ત અધ્યાત્મયોગી શ્રીઆનંદઘનજી જ્ઞાન, ભક્તિ અને યુગની આરાધના દ્વારા, અંતરમાં જ આનંદને ભંડાર ભર્યો છે એ જેમણે સ્વાનુભવ કર્યો હતો, તેવું જ આત્માનંદનિર્ભર જીવન જેઓ જીવ્યા હતા અને જેના ફળરૂપે આપણને ઉત્તમ વીશી અને અનેક અધ્યાત્મપદની પ્રસાદી જેઓ આપી ગયા છે તે, શ્રીમદ્ આનંદઘનજી, સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા તેમ વિવિધ પ્રમાણે દ્વારા જાણી શકાય છે. તેમની વીશી અને પદ પરથી એમ અનુમાન કરવામાં આવ્યું છે કે તેઓ ગુજરાતમાં જન્મ્યા અને વિહર્યા હતા. જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ મારવાડમાં ગયા હોય તે સંભવિત છે. તેઓ શ્રીમદ્ યશવિજયજી ઉપાધ્યાયના સમકાલીન હતા. દીક્ષા અને સાધના જ્ઞાન અને વૈરાગ્યના ગે તેમણે તપાગચ્છીય મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને તેમનું દીક્ષા નામ લાભાનંદજી હતું. તેમનું ચિત્ત વૈરાગ્ય અને અધ્યાત્મથી રંગાયેલું હતું અને હમેશાં મધ્યસ્થ દષ્ટિથી સત્યને નિહાળવાની અને સત્યને આદર કરવાની તેમને તત્પરતા હતી. ગચ્છભેદની તકરારેથી અલિપ્ત રહી તે અધ્યાત્મજ્ઞાન વડે પિતાના આત્માની શુદ્ધિ પ્રત્યે લક્ષ આપતા હતા. તેઓ સદૈવ વિચારતા હતા કે કર્મની સાથે અનાદિ કાળથી આત્માને સંગ થયું છે તે હવે કેમ અને કયા ઉપાયે વડે સંસારમાંથી વહેલા મુક્ત થવાય? રાગદ્વેષ જ સંસારની અભિવૃદ્ધિનું મૂળ કારણ છે અને આગના જ્ઞાનનું ફળ ચારિત્ર્યની અપ્રમત્તદશાએ આરાધના કરવી તે જ છે એમ તેમણે દઢપણે માન્યું હતું ને તેને જીવનમાં ઉતાર્યું હતું. આજુબાજ સાધુઓને શિથિલાચાર જેઈ નિન્દાને સ્થાને તેમના For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ભકિતાબી શાલના દિલમાં વૈરાગ્ય અને કરુણાભાવ વૃદ્ધિ પામવા લાગે. જેમ જેમ તેમની જ્ઞાનદશા વધતી ગઈ તેમ તેમ તેઓ ઘણે કાળ ધ્યાનમાં ગાળતા હતા. પૂર્વના સાધુઓની પેઠે સ્મશાન, વન, ગુફા ઈત્યાદિ સ્થાનમાં કાર્યોત્સર્ગ કરીને ધ્યાન કરવાની તેમની અભિલાષા અને વૃત્તિ હતી. નિસ્પૃહતા અને લોકસંગત્યાગ: એક કિંવદંતી અનુસાર તેઓશ્રી ગુજરાતના કેઈ શહેરમાં પર્યુષણનું વ્યાખ્યાન વાંચતા હતા. તે શહેરમાં એ રિવાજ હતું કે શેઠ આવે પછી જ વ્યાખ્યાન શરૂ થાય. સભા ભરાઈ ગઈ અને શ્રીમદે કલ્પસૂત્રનું વાચન શરૂ કર્યું. કેઈએ તેમને યાદ આપી કે શેઠના આવ્યા પહેલાં વાચન થઈ શકે નહિ. આનંદઘનજી છેડે સમય પાટ પર બેસી રહ્યા ને શેઠને સમાચાર કહેવડાવ્યા, પણ શેઠ લાંબા સમય સુધી આવ્યા જ નહિ. તેથી તેમણે વિચાર્યું કે આ રીતે શ્રાવકના શિષ્ટાચારના બંધનમાં રહી આગમથી વિરુદ્ધ પણે વર્તવું એ યંગ્ય નથી, તેથી તેમણે વ્યાખ્યાન શરૂ કર્યું. શેઠ તરત જ આવ્યા અને પિતાના આવ્યા પહેલાં વ્યાખ્યાન આરંભવા માટે ગુસ્સે થયા. આનંદઘનજીએ કહ્યું કે શ્રાવકેના આવા પ્રતિબંધથી આગની મહત્તા લેપાય અને તે રીતે મારે સાધુધર્મ હણાય. આ હું પસંદ કરતા નથી. શેઠે જ્યારે કહ્યું કે મારા કહ્યા પ્રમાણે ન વર્તાય તે મારા ઉપાશ્રયમાં રહી શકાશે નહિ. આનંદઘનજીએ તત્ક્ષણ નિર્ણય કર્યો કે ગૃહસ્થને બંધનમાં રહી ધર્મ વિરુદ્ધ આચરણ કરવું તેના કરતાં ગામેગામ વિહાર કર અને ધ્યાન તથા સાધુધર્મની વિવિધ ક્રિયાઓનું પાલન કરવામાં મગ્ન રહેવું, તે જ શ્રેયસ્કર છે. ગુરુ સમક્ષ તેમણે પિતાની ઈચ્છા પ્રદર્શિત કરી અને ગુરુએ તેમની ગ્યતા તથા શાસ પ્રત્યેની દઢ શ્રદ્ધા જોઈને તેમને અનુજ્ઞા આપી કે જે રીતે તમારામાં શુદ્ધ ચારિત્ર્યની અભિવૃદ્ધિ થાય તે પ્રમાણે આચરણ કરે' આ પ્રમાણે ગુરુની આજ્ઞા મળવાથી માત્ર આવશ્યક For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ . ૧૧૫ સંત-ભકતનાં ચરિત્ર ઉપકરણે લઈને તેઓશ્રી ગામેગામ વિચારવા લાગ્યા. જ્ઞાન, તપ અને સાધનાના ત્રિવેણીસંગમથી આત્મસ્વરૂપ તેમનામાં દઢ થયું હતું અને તે રીતે જ તેઓ વિહરતા હતા. તેમનું સાધુ અવસ્થાનું નામ લાલાનંદજી હતું, પરંતુ તે આત્માના આનંદમાં મસ્ત રહેતા હતા તેથી લકે તેમને આનંદઘનના નામથી ઓળખતા હતા અને તે નામથી જ સંબોધતા હતા. ગિરિરાજ આબુની ગુફાઓ તથા તળાજા, ગિરનાર, ઈડર, તારંગા વગેરે સ્થળોએ એકાન્તમાં રહીને ધ્યાન ધરનાર આનંદઘનજી જગતનું ને પિતાના શરીરનું ભાન ભૂલી જતા. અનેક હિંસક પશુઓ પણ તેમની સમીપ શાંત થઈ જતાં. શ્રીમદ્ યશોવિજયજી પણ એક જગ્યાએ જણાવે છે તે મુજબ આનંદઘનજીના સહવાસથી તેમને અધ્યાત્મને રંગ લાગે. હતે. આત્મસ્વરૂપમાં લીન રહેનાર આ મહાત્માના મુખમાંથી જે વાણી નીકળી છે તેની ગેડી પ્રસાદીને આપણે આસ્વાદ લઈએ. ઉપદેશને સાર : દુર્ગાનમાંથી મુક્ત થનાર જ સુધ્યાનમાં સ્થિર થઈ શકે છે. તેમણે ૬૩ પ્રકારનાં દુર્ગાને વર્ણવ્યાં છે. જેને ત્યાગ આવશ્યક છે. પરમાત્માને, સ્વામી કે મિત્ર જે પ્રકારે કલ્પીને તેમાં સ્થિર થઈએ તે પહેલાં પોતાની પાત્રતા પ્રત્યે લક્ષ આપવાનું તેઓશ્રી આપણને સૂચવે છે. ભગવાનના ચાકર કે મિત્ર બની તેની સાથેની એકરૂપતા પ્રાપ્ત કરવા યોગ્ય ગુણેના વિકાસની અને તે ખીલવવા કેટલાક આત્મભેગની તૈયારી રાખવી જોઈએ. આ માટે દુર્ગાનનું સ્વરૂપ સમજી તેને મનથી ત્યાગ કરી મનને તેમાંથી મુક્ત કરવા ઉપર તેઓશ્રી ભાર મૂકે છે. ધ્યાન કરવાની ઈચ્છાવાળાએ ૬૩ દુર્ગાનેને અહિતકારી માની, મનને શુભધ્યાનમાં સ્થિર કરવાને મહાવરો રાખે. શુભધ્યાનમાં મન લાગે તે માટે દુર્ગાનની સાથે કુસંગતિને પણ ત્યાગ કરવાને તેઓશ્રી બોધ આપે છે. આટલું કરતાં એગ્ય ગુણોને વિકાસ કરી શકાય For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભકિતમાર્ગની આરાધના છે. અધ્યાત્મજ્ઞાન આમાં મદદરૂપ બને છે, ને ધીમે ધીમે પરમાત્મસ્વરૂપમાં લીન થવાની કેડીએ પ્રગતિ કરી શકાય છે. આનંદઘનજી એમ માનતા હતા કે મનને વશ કરવાથી મુક્તિ મળે છે. શુભાશુભ અધ્યવસાયેનું કારણ મન છે, અને આ અધ્યવસાયેનું પરિણામ કર્મબંધન છે. મનમાં ઉદ્દભવતા રાગાદિ અધ્યવસાયે જે ટળે તે આત્મા પરમાત્મારૂપ થાય. વળી તેઓ પ્રતિમાપૂજાને આવશ્યક ગણતા હતા. તેઓશ્રી કહેતા કે સાકારનું ધ્યાન કર્યા પછી નિરાકાર ધ્યાનની યેગ્યતા આવે છે. આત્માના પરિણામની ચંચળતાને તેઓ ભય ગણાવતા અને તેને ત્યાગ કરી આત્માના સ્થિર પરિણામ કરવા તે જ અભય છે, તેમ ઉપદેશતા. આનંદઘનજીકૃત વીશીમાં તીર્થકરના ગુણેની સ્તુતિ કરવામાં આવી છે. આ વીશીની રચના પ્રભુભક્તિની આંતરિક સરવાણીઓ ફૂટતાં થયેલી છે અને તેથી તે હદયંગમ બને છે. પ્રભુની સમક્ષ વિવિધ રૂપે કેવી રીતે સ્તવના કરી શકાય તે તેમાં બતાવેલું છે. જેમ કે, પ્રભુની આગળ પિતાના દેષને પ્રકટ કરી પ્રભુની ક્ષમા યાચવી તેને સ્વદેશપ્રકટન-સ્તવના કહેવામાં આવે છે. તેમના કહેલા ઉપદેશ વડે પ્રભુની સ્તુતિ કરવી તેને ઉપદેશસ્તવના કહેવાય છે. તેમનાં પદોમાં તેમના આંતરિક ગુણ વિકાસની આપણને ઝાંખી થાય છે. દા.ત., સાતમાં પદમાં યેગને અનુભવ વર્ણવીને ગજ્ઞાનને પરિચય આપે છે. આઠમા પદમાં સુમતિ ઈત્યાદિ પાત્ર વડે સ્વાનુભવથી આત્મજ્ઞાનને પ્રગટ વાચા આપી છે. દશમા પદમાં પણ આધ્યાત્મિક પાત્રોના માધ્યમથી સ્વાનુભવને શબ્દાંક્તિ કરેલ છે. તેમને અંતિમ ઉપદેશ ખરેખર મનનીય છે. મેડતામાં તેમના નામની એક દેરી છે તે પરથી અનુમાન થાય છે કે તેમને દેહોત્સર્ગ મેડતામાં થયેલ હતું. તેમના ઉપદેશને સાર એ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતોનાં ચરિ ૧૧૭ હતું કે “મેહને છતી આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી, એ આ જીવનને હેતુ છે. સાધુઓએ રાગ, દ્વેષ, નિન્દા, ઈત્યાદિ દોષોને જીતી અન્યને તેને ઉપદેશ આપે. અનંત એવા આ સંસારને પાર પામવા માટે વીતરાગવાણીનું શરણ લેવું, તે જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. સર્વ પ્રકારના ભય અને સર્વ પ્રકારના સંગને ત્યાગ કરીને પરમાત્માની ભક્તિમાં તન્મય બનવું જોઈએ. શરીરના અણુ પર પણ મમત્વ રાખવું એ એક્ષપ્રાપ્તિમાં વિદન છે. જે જોવાનું છે, જે અનુભવવાનું છે, તે સહુ આત્મામાં જ છે. રાગશ્રેષના ત્યાગી એવા ત્યાગીઓની સેવા કરવાથી આ દોષને ત્યાગ કરવાની કૂંચી હાથ લાગશે. સંસારમાં શાન્તિને માર્ગ એક નિવૃત્તિ જ છે. વૈરાગ્યભાવથી પિતાના આત્માનું ભાવિ નિર્મળ કરવા હરહમેશ પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યાં ગુણ હોય ત્યાંથી તે ગુણ લે. ગુણીને રાગ ધારણ કરવો અને આત્માને શુદ્ધ ગુણમાં રમણતા કરવી. કર્મરૂપ દેષથી આખી દુનિયા દેશી છે. એમાંથી જે દોષરહિત થવા પ્રયત્ન કરે છે તે જ ખરો મુમુક્ષુ છે.” ઉપસંહારઃ આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે તુછ મતમતાંતરેથી પાર શુદ્ધ આત્માની સાધનાની તેમણે જે અલખ જગાવી, તેનું પ્રતિબિંબ તેમની વાણીમાં પડે છે. તેમની અનુભવવાણીમાં એજસ, પ્રસન્નતા, પ્રભુભક્તિ, ક્રાન્તિકારી આગમાનુસારીપણું અને અધ્યાત્મમસ્તીનાં આપણને દર્શન થાય છે. તેઓનાં પદે વિવિધ રાગ અને છંદમાં ગુજરાત અને રાજસ્થાનમાં વિશેષપણે ગવાય છે અને અનેક સાધકોને પ્રેરણું આપે છે. શ્રીમદ્દ યશોવિજયજી, શ્રીમદ્ જ્ઞાનસારજી, શ્રીજ્ઞાનવિમળસૂરિ, શ્રીમદ્ રાજચન્દ્રજી, શ્રી આત્મારામજી મહારાજ તથા શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ વગેરે અનેક મહાત્માઓએ તેઓના પ્રત્યે જે બહુમાન તથા આદર-સત્કારને ભાવ પ્રદર્શિત કર્યો છે તે પરથી તેમની ઉચ્ચ અધ્યાત્મદશાને સૌને ખ્યાલ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના આવી શકે છે. આવા આનંદઘનજી મહારાજ આપણને સૌને ભક્તિની સાચી આરાધનામાં વિશેષપણે પ્રેરક બને એ જ અભ્યર્થના. # શાંતિઃ . [૧૩] ભક્ત-કવિશ્રી ઘનતરાયજી અનેક ભાવમય ભજન, પૂજા અને આધ્યાત્મિક પદોના રચયિતા તથા શાસ્ત્રોના પદ્યાનુવાદકર્તા, અધ્યાત્મકવિવર સંત શ્રી ઘાનતરાયજી, ઉત્તર ભારતમાં થયેલા વિશિષ્ટ પ્રતિભાશાળી હિંદી કાવ્યકારો અને લેખકોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. જીવનપરિચય તેમના જીવન વિષે થોડી જ માહિતી મળે છે. તેમને જન્મ વિ. સં. ૧૭૩૩માં આગ્રા મુકામે થયે હતું. તેમના પિતાશ્રીનું નામ શ્યામદાસ હતું. માત્ર પંદર વર્ષની નાની વયે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. તેઓને લાલજી નામે એક પુત્ર પણ થયું હતું. વિ. સં. ૧૭૭૭માં તેઓએ સમેતશિખરની યાત્રા પણ કરી હતી. ઘાનતરાયજીની કૃતિઓ: (૧) તેમને ધર્મ વિલાસ' નામને ગ્રંથ સુપ્રસિદ્ધ છે. તેનું સંકલન તેઓએ પિતે જ વિ. સં. ૧૭૮૦માં કરેલ છે. તેમાં ૩૩૩ પદ, અનેક પૂજાપાઠ અને ૪૫ વિષયે ઉપર કવિતાઓ સંગૃહીત કરેલી છે. ભગવાન કષભદેવના. જન્મસમયનું વર્ણન અતિરેચક છે. અરે મન ભજ ભજ દીનદયાળ, જાકે નામ લેત ઈક ખિનમેં, કટે કટિ અઘજાલ, જેવાં પદમાં નામસ્મરણને મહિમા સારી રીતે પ્રતિપાદિત કરેલ છે. ઉપદેશશતકમાં ૧૨૧ પદ્ય છે. કવિએ આત્મસૌંદર્યને અનુભવ કરી વાચક સમક્ષ એવા સુરેખ રૂપમાં મૂક્યો છે કે વાચક સહેજે તેના સહભાગી થઈ શકે. માનવહૃદયને સ્વાર્થની સંકુચિત સુષ્ટિમાંથી ઊંચે લઈ જઈ લેકકલ્યાણની ભાવભૂમિ પર સ્થિત કરી. કવિએ બતાવ્યું છે કે મને વિકાર આ સાધનથી નિર્મૂળ કરી For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સત-ભકતાનાં ચરિત્રો ૧૧૯ શકાય છે. આ ઉપરાંત તેમણે ઇષ્ટદેવને નમસ્કાર, ભક્તિની આવશ્યકતા, મિથ્યાત્વ અને સમ્યક્ત્વના મહિમા, ગૃહવાસનું દુઃખ, ઇન્દ્રિયાનું દાસત્વ, નરક-નિગોદનું દુઃખ, પુણ્યપાપની મહત્તા, ધર્મની ઉપાદેયતા, જ્ઞાનીઅજ્ઞાનીનું ચિંતન, આત્માનુભૂતિનું વિશેષપણું, શુદ્ધ આત્મસ્વરૂપ અને નવતત્ત્વ ઇત્યાદિ વિષયાનું સુંદર વિવેચન કર્યું છે. ભવસાગર પાર કરવાના કવિએ સુંદર ઉપાય અતાવ્યા છે : (સવૈયા ત્રેવીસા) કાઢુકા સાચ કરે મન મૂરખ, સાચ કરે છુ હાથ ન અડે, પૂરવ ક સુભાસુલ સરચિત સે નિચે અપના તલ દેહ. તાહિ નિવારનકા બલવન્ત, તિહુઁ જગમાહિં ન કાઉ લસ હે”, તાતે હિ સાચ તા સમતા ગહિ, જ્યો' સુખ હાઈ જિનંદ કહે છે”. ઉપરના પદથી કવિએ સમતાનું અવલ મન લેવા સૂચવ્યું છે, ને કહ્યું છે કે સમષ્ટિ જ આત્મસ્વરૂપના આસ્વાદ માણી શકે છે. આગમવિલાસ : આ ગ્રંથમાં કવિનાં ૪૬ કાવ્યા છે. તેનું સંકલન તેમના મૃત્યુ ખાદ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહમાં મહુધા સૈદ્ધાન્તિક વિષયાની ચર્ચા હાવાથી તેને ‘આગમવિલાસ’ નામ આપવામાં આવ્યું છે. ભેદવજ્ઞાન કે આત્માનુભવ : કવિની આ એક અનન્ય રચના છે. તેમણે આમાં જીવદ્રવ્ય અને પુદ્ગલાદિ દ્રવ્યાનું વિવેચન કરેલું છે. કવિને અપ્રતિમ શ્રદ્ધા છે કે આત્મતત્ત્વરૂપી ચિંતામણિ પ્રાપ્ત કરતાં સરસ્ત ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. આત્મતત્ત્વ પ્રાપ્ત થતાં વિષયામાંના રસ નષ્ટ થાય છે : મૈં એક શુદ્ધ જ્ઞાની, નિમ ળ સુભાવ જ્ઞાતા, દૃગ સાત ચરત ધારી, થિર ચેતના હમારી, . અમ ચિદાનન્દ પ્યારા, હમ આવસે” નિહારા, ઉપરોક્ત કૃતિઓ ઉપરાંત તેઓશ્રીએ દ્રવ્યસંગ્રહ અને તત્ત્વસાર ગ્રંથાના હિંદ્દી ભાષામાં જે ભાવાનુવાદ કર્યો છે તે For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ભક્તિમાર્ગની આરાધના ઉપરથી તેમની અંતરંગ આત્મસાધનાને, અધ્યાત્મદષ્ટિસંપન્નતાને, કાવ્યનિપુણતાને અને સિદ્ધાંતજ્ઞાનના પ્રભુત્વને વાચકવર્ગને સહેજે ખ્યાલ આવી જાય છે. આ સાથે જ્યારે તેમણે રચેલી પૂજા અને ભક્તિપદોને સુમેળ સાધીએ ત્યારે તેમની સમ્યગસાધના પ્રત્યે આપણે અત્યંત આદરભાવ ઊપજે છે. તેમની થોડી અધ્યાત્મપ્રસાદીને આસવાદ લઈ આ કથન આપણે પૂરું કરીએ (અ) સદગુરુસ્તુતિઃ | (સવૈયા એકત્રીસા) કાસના બેલે બેના, જે બેલે તે સાત દેના, દેખ નાહી જૈનાતી રાગી દેશી હેઈ કે આસ દાસી જાને પાખ૩ માયા મિથ્યા દૂર નાઍ, રાધા હિમાહીં રામૈ, સુધી દ્રષ્ટી જોઈ કે. ઈન્દ્રી કેઈ દેશે નહીં, આ૫ જાને આપા માહીં. તે પા મેખ ઠાંહીપ કમ મિલ જોઈ કે, એસે સાધુ બદૌ માની, હીયા વાચા કાયા ઠાની, જાત કીજે આપ જ્ઞાની ભમ બુદ્ધિ બેઈ કં. (૧) જનસજન-સ્વરૂપ | (સવૈયા એકત્રીસા) વિદ્યાસી વિવાદ કરે, ધનસ ગુમાન ધરે, બલસો લઈ લરે મૂઢ આધવ્યા. ગ્યાન ઉર ધારત હૈ, દાનકે સભારત હં, પર નિવારત ઉં, તીન ગુન સાધ. પરદુખ દુખી, સુખી હેત હૈ ભજનમાહિં, ભવરુચિ નહીં દિન જાત હૈ અરાધ: દેહસતી દુબલે હૈ, મનસેતી ઉજલે હૈ, સાંતિભાવ ભરે ઘટ, પ ના ઉપાધૌ. ૧. સુખ. ૨. આંખો વડે. ૩. આશારૂપી દાસી જેના ચરણ ધુએ છે. ૪. સુબુદ્ધિ. ૫. ક્ષસ્થાન. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતનાં ચરિત્રો (૪) ધમઆરાધનાનું ફળ | (સયા એકત્રીસા) નક પસુતે નિકાસ કરે સ્વગ મહિં વાસ, સંકટકો નાસ સિવપદક અરૂર હૈ. દુખિયાકી દુખ હરે, સુખિયાકૌ સુખ કરે વિઘન વિકાસ મહામંગલક મૂર છે. ગજ સિહ ભાગ જાય, આગ નાગ હ પલાય, રન રેગ દધિ બંધ સબે કષ્ટ ચૂર હૈ, અને દયાધમકી પ્રકાસ કૌર ઠૌર છે હુ, તિહું લેક તિહું કાલ આનંદકી પૂર હૈ. (૩) પ્રકીર્ણ શિક્ષાત્મક દેહરા : (૧) ચેતન તુમ તો ચતુર હૈ, કહા ભયે મતિહીન, સે નર ભવ પાયકે, વિષયનમેં ચિત દીન, (૨) નરકી સભા રૂપ હૈ, રૂપ સેભ ગુનવાન ગુનકી સભા ગ્યાન તેં, ગ્યાન છિમાત૨ જાન. (૩) બાલપને અગ્યાન મતિ, જોબન મદકર લીન વૃદ્ધને કહે સિથિલતા, કહો ધરમ કબ કીન, (૪) જેસે વિર્ષ સુહાત છે, તેમેં ધર્મ સહાય સો નિહેરો પરમારથી, સુખ પા અધિકાય, (૫) એક કનક અરુ કામિની, એ દેન દિઢ બંધ ત્યાગે નિચે મેખ હૈ, ઔર બાત સબ બંધ. (૧) સમરથ પ્રીતમ પ્રભુ બડે, તિન સેવૌ મન લાય; ઇહ પર ભી ઈન સમ નહીં, મનવાંછિત સુખદાય, ૧. ઉદધિ–સમુદ્ર. ૨. ક્ષમાથી. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ભકિતમાગ ની આરાધના [ ૧૪ ] પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી વીસમી શતાબ્દીમાં આપણા દેશમાં થયેલા ઉચ્ચ કોટિના સંતાની પહેલી હરાળમાં જેએનું સ્થાન છે તેવા, જ્ઞાન-ભક્તિવૈરાગ્યની પરમ પવિત્ર ત્રિવેણીના સંગમરૂપ શ્રીમદ્ રાજચન્દ્રજી એક વિશિષ્ટ અને અલૌકિક વ્યક્તિત્વના ધારક મહાપુરુષ થઈ ગયા. જીવનપરિચય ઃ તેઓશ્રીના જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશના મારખી તાલુકાના વવાણિયા ગામે વિ. સં. ૧૯૨૪ના કાર્તિક સુદ પૂનમને દિવસે થયા હતા; જે દિવસે ભગવાન સંભવનાથના અને શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યજીનેા પણ જન્મદિવસ આવે છે. તેમના પિતાશ્રીનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવાખા હતું. નાનપણથી જ તેમનામાં દાદા તરફથી વૈષ્ણવધર્મના અને માતા તરફથી જૈનધર્મના સંસ્કારોનું સિંચન થયું હતું. જાતિસ્મરણજ્ઞાન : તેમની બુદ્ધિશક્તિ અને સ્મૃતિ ખાળપણથી જ ખીલેલી હતી અને એક જ વાર પાઠ કરવાથી તેની સ્મૃતિમાં તે રહી જતા. સાત વર્ષની વયે વિ. સં. ૧૯૩૧માં, તેમના એક સ્વજન શ્રી અમીચંદજી સદ ંશથી મૃત્યુ પામ્યા. તેમના અગ્નિસંસ્કારના દશનથી શ્રીમદ્જીને જાતિસ્મરણુજ્ઞાન થયું હતું અને ક્રમે કરીને તેમની જ્ઞાનશક્તિ વિશેષ ખીલી હતી. આઠ વર્ષની 'મરથી તેએ કવિતા બનાવતા. દસ વર્ષની વયથી તેઓએ જૈનધર્મનાં પ્રતિક્રમણાદિ સૂત્રોને અવલેાકયાં હતાં અને તેમાં કહેલી દયા અને મૈત્રીથી તેએ ખૂબ પ્રભાવિત થયા હતા. આ સમય દરમ્યાન ઉચ્ચ કક્ષાના સ્વતંત્ર લેખા અને ઉપયોગી નિબધા લખવાની શક્તિ તેમણે સંપાદન કરી લીધી હતી. પંદર વર્ષની અવસ્થા પ્રાપ્ત કરતા સુધીમાં તે તેમણે પોતાના અધ્યયન દ્વારા અનેક વિષયાનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ સત-ભક્તોનાં ચરિત્રો ૧૨૩ અવધાનશક્તિ : સાળ વર્ષની વયથી તેમાં અવધાન કરવાની શક્તિ પ્રગટી હતી અને ૮, ૧૨, ૧૬, પર અને છેલ્લે ૧૦૦ અવધાન કરીને શતાવધાની તરીકેની તેની ખ્યાતિ સમસ્ત ભારતમાં વ્યાપ્ત થઈ ગઈ હતી. પરંતુ આ શક્તિને આત્મકલ્યાણની સાધનામાં વિઘ્નરૂપ જાણીને તેઓએ તેને ત્યાગ કર્યાં હતા. ડેવી અલૌકિક નિસ્પૃહતા ! આવી તીવ્ર સ્મરણશક્તિ ઉપરાંત તેઓમાં અતીન્દ્રિય સ્પર્શશક્તિ અને રસાસ્વાદશક્તિ પણ પ્રગટી હતી જેથી જોયા વગર હાથથી જ સ્પર્શ દ્વારા પુસ્તકને એળખી લેતા અને રસાઈના સ્વાદ ચાખ્યા વિના મતાવી દેતા. વિ. સં. ૧૯૪૪માં તેને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થયેા હતા અને પછીનાં બે વર્ષોમાં તેનું અંતરમથન વધતું જતું હતું. આ સમયે તેએ પ્રકાશે છેઃ (દાહરા) લઘુવયથી અદ્ભુત થયા, તત્ત્વજ્ઞાનના બધા એ જ સુચવે એમ કે ગતિ-આગતિ માં શેાધ જે સસ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયા, લવશ કા શી ત્યાંય ? (ચોપાઇ) જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સદા મા કલેશ, ઉદાસીનતાને જ્યાં વાસ, સફળ દુઃખના છે ત્યાં નાશ. ‘કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશે। તાપણુ એકાંતથી જેટલા સંસારક્ષય થવાના છે, તેને સામે હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાના નથી.’ વિ. સં. ૧૯૪૭માં તેઓને શુદ્ધ આત્મજ્ઞાનના ઉદય થયે હતા. યથા - ઓગણીસસેને સુડતાલીસે; સમકિત શુદ્ધ પ્રકાશ્યુ રે, શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું' રે..ધન્ય For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભક્તિમાર્ગની આરાધના એકાંતવાસ અને નિવૃત્તિ પ્રત્યે : વિ. સં. ૧૯૪૭ પછીને કાળ શ્રીમદ્જીના જીવનમાં વધતી જતી એકાંતસાધનાને હતું, જેમાં ૧૫૧ પછી તે તેમની નિવૃત્તિક્ષેત્રની સાધના ખૂબ જ વેગવંતી બની હતી. ૧૯૪૭માં રાળજ(ખંભાત)માં, ૧૯૫૧માં હડમતિયા(સૌરાષ્ટ્ર)માં, ૧૯૫રમાં કાવિઠા, વડવા, રાળજ, વવાણિયા, મેરબી અને સાયલામાં, ૧૯૫૪માં મૅરબી તથા ઉત્તરસંડામાં, ૧૯૫૫માં ઈડરની આસપાસનાં જંગલ અને પહાડોમાં અને ૧૯૫૬માં ધરમપુરમાં તેઓશ્રી રહ્યા હતા. અહીં મુખ્યપણે તેઓ સ્વાધ્યાય, મૌન, ચિંતન-મનનમાં પિતાને સમય વિતાવતા. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુઓ-મુમુક્ષુઓ-મુનિઓને પણ તેમના સમાગમનો લાભ મળતે; પરંતુ મુખ્યપણે પિતાને જે અપૂર્વ અવસર – બાહ્યાંતર નિગ્રંથપદ – પ્રગટ કરવું હતું તે પ્રગટાવવા માટે જાણે કે આ એક ઘનિષ્ટ તૈયારી (Intensive Training Period)ને કાળ તેમના માટે યુનિક તૈયારી 40 હતું તે પ્રગટ વિ. સં. ૧૫૬માં તેઓશ્રીનું શરીર સ્વાથ્ય બગડવા લાગ્યું હતું. તેઓએ સર્વસંગ-પરિત્યાગની તૈયારી કરીને માતાજી પાસે તેની આજ્ઞા પણ માગી લીધી હતી, પરંતુ શરીર ધીમે ધીમે વધારે કૃશ થવા લાગ્યું અને વિ. સં. ૧૫૭ના ચૈત્ર વદ પાચમને મંગળવારના દિવસે બપોરે ૨-૦૦ વાગ્યે તેઓએ રાજકોટમાં આ પાર્થિવ શરીરને ત્યાગ કરી સ્વર્ગારોહણ કર્યું. સાહિત્યનિર્માણ અને જીવનકાર્યઃ શ્રીમદ્ રાજચન્દ્ર વર્તમાન કાળના એક યુગપ્રધાન પુરુષ હતા. તેમના જીવનમાં તેમના પૂર્વભવની આરાધનાની સ્પષ્ટ ઝલક મળી આવે છે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ચિંતનશીલતા, અદ્ભુત સ્મરણશક્તિ, જન્મજાત કવિત્વ, અપૂર્વ ઉપદેશકપણું, લેકકલ્યાણની ભાવના, સર્વધર્મસમભાવ, વિશિષ્ટ જૈનધર્માનુરાગ, વિશ્વ વાત્સલ્ય, સિદ્ધહસ્ત લેખકપણું, પ્રચુર વિદ્યાપ્રેમ, વચનાતિશય, ઉત્કૃષ્ટ સાધકપણું ઈત્યાદિ અનેક સદ્દગુણેથી For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ સંત-ભકતનાં ચરિત્રો વિભૂષિત તેમનું બહુમુખી વ્યક્તિત્વ આજે પણ ઘણુ મુમુક્ષુઓને પ્રેરણા આપે છે. “શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્રનામના ૧૪૨ ગાથાના શાસ્ત્રમાં તેઓએ ગાગરમાં સાગર ભરવાની કહેવતને ચરિતાર્થ કરી છે. સાધકે માટે આ શાસ્ત્ર ખૂબ ખૂબ ઉપયોગી છે. સરળ ગુજરાતી ભાષામાં રચાયેલું હોવાથી તેને સહેલાઈથી સમજી શકાય છે. તેમાં જે રીતે “છ પદ' (આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મેક્ષ છે, મેક્ષને ઉપાય છે)ની સિદ્ધિ કરી છે તે ઉપરથી તેમની અગાધ મેધાવી પ્રતિભાને ખ્યાલ સૌ કેઈને આવી શકે છે. મેક્ષમાળા” નામનું નાનું શાસ્ત્ર તથા અપૂર્વ અવસર” અને બીજા અનેક કાવ્ય દ્વારા તેમણે આપણને ઉત્તમ આધ્યાત્મિક સાહિત્યને વારસે આપે છે. તેઓએ સ્થાપેલા પરમકૃત-પ્રભાવક મંડળ તરફથી પૂર્વાચાર્યોનાં લખેલાં અનેક શાસ્ત્રો પ્રગટ થયાં છે. પશ્ચિમ ભારતમાં મૂળ સંઘના ઉત્તમ સાહિત્યને પ્રકાશમાં લાવવાનું મુખ્ય શ્રેય આ સંસ્થાને ફાળે જાય છે. તેઓના સાન્નિધ્યને પામીને શ્રીમદ્દ લઘુરાજસ્વામી, સૌજન્યમૂતિ શ્રી સૌભાગ્યભાઈ, પ્રજ્ઞાવંત શ્રી અંબાલાલભાઈ તથા સત્યાભિલાષી શ્રી જૂઠાભાઈ પ્રમુખ અનેક સાધક આત્માઓએ પિતાનું શ્રેય. સાધ્યું હતું. મહાત્મા ગાંધીજી પર તેમને અત્યંત પ્રભાવ પડ્યો હતે અને સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યને બેધ તેમણે શ્રીમદ્જી પાસેથી મેળવ્યું હતું. તેમના સ્મારકરૂપે નાનીમેટી ચાળીસેક સંસ્થાઓ ભારતમાં વિદ્યમાન છે પણ તે મધ્યે અગાસ, વડવા, વવાણિયા, હમ્પી, દેવલાલી, મેરબી, ઘાટકોપર અને અમદાવાદની સંસ્થાઓ મુખ્ય છે. આવા લૌકિક અને લકત્તર ગુણેથી અલંકૃત આ મહાપુરુષને સાચી અંજલિ ત્યારે જ આપી કહેવાય કે જ્યારે તેમના જીવનમાંથી રૂડી રૂડી વસ્તુઓને વિવેકપૂર્વક ગ્રહણ કરી આપણું જીવનને આપણે સદાચારી, પવિત્ર, પ્રજ્ઞાસંપન્ન અને સાધનામય, બનાવીએ. તથાસ્તુ. કે શાંતિઃ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ . પૂએઈગર 2 માતા પણ ૧૨ ભક્તિયાગની આરાધના [૧૫] ભક્ત-કવિશ્રી નાનચન્દ્રજી મહારાજ સર્વ જીવે સાથે મૈત્રીભાવ, જન્મજાત કવિત્વ, સુમધુર સ્વરસહિત ભક્તિગીતનું પ્રસ્તુતીકરણ, સહજ-પરેપકારવૃત્તિ અને સર્વધર્મસમભાવ આદિ વિશિષ્ટ ગુણેની સૌરભથી પશ્ચિમ ભારતમાં પાંચ દાયકાઓથી પણ અધિક સમય સુધી ધર્મજાગૃતિને સંદેશ આપનાર શ્રીનાનચન્દ્રજી મહારાજ વર્તમાન શતાબ્દીના એક મહાન ભક્ત-સંત થઈ ગયા. જીવનપરિચય: પૂ. મહારાજશ્રીને જન્મ સૌરાષ્ટ્રના સાયલા ગામમાં વિ. સં. ૧૯૩૩ના માગશર સુદ એકમને ગુરુવારના રેજ થયું હતું. પિતા પાનાચંદભાઈ અને માતા રળિયાતબાઈનું કુટુંબ ખાનદાન, ઉદાર અને સંસ્કારી ગણાતું. બાળપણનું નામ નાગરભાઈ હતું. નાની ઉંમરમાં માતાપિતાની છત્રછાયાને વિયાગ થવાથી ભાઈ-ભાભી સાથે રહેવાનું થયું પરંતુ ભાઈને પણ દેહવિલય થયે. નાગરભાઈને વૈરાગ્યભાવની ઉત્પત્તિનું નિમિત્ત મળી ગયું. વિ. સંવત ૧૯૫૭માં તેઓએ પૂ. શ્રી દેવચન્દ્રજી મહારાજ પાસે કરછના અંજાર ગામમાં દીક્ષા લીધી. લીંબડીના આઠ વર્ષના સ્થિરવાસ સહિત શેડાં વર્ષોમાં જ પિતાની આગવી બુદ્ધિપ્રતિભાથી તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ અને બીજા પણ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા ચાતુર્માસ કરીને, ગુરુદેવની સેવામાં રહ્યા અને તેમને દેહવિલય થયે ત્યાર પછી તેઓએ સંઘના આગ્રહથી મુંબઈ ભણી પ્રયાણ કર્યું. અહીં ઘાટકોપરમાં તેઓનાં કુલ ત્રણ માસાં થયાં, જેથી સ્થાનિક જૈન સમાજમાં ખૂબ પ્રમાણમાં ધાર્મિક અને સામાજિક જાગૃતિ આવી. આમ છતાં મુખ્યપણે તેઓનાં વિહારસ્થળે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહ્યાં, જ્યાં ન For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતનાં ચારિત્રો ૧૨૭ જૈન-જૈનેતર જનતામાં તેમણે સદાચાર, નિર્બસનતા અને પ્રાર્થનાના સંસ્કાર રેડયા. એકંદરે ૬૪ વર્ષનું દીર્ઘ સંયમી જીવન વિતાવી, વિ. સં. ૨૦૨૧ના માગશર વદ ને દિવસે, સાયલા મુકામે તેઓએ મહાપ્રયાણ કર્યું. સાહિત્યસર્જન અને જીવનકાર્ય જન્મથી જ સુંદર કાવ્ય બનાવવાની શક્તિ અને પ્રાર્થનાને વિશિષ્ટ અભ્યાસ હોવાને લીધે તેઓએ ધર્મ-આરાધનાને લગતાં સંખ્યાબંધ (લગભગ ૪૦૦) સુંદર, ગેય પદોની વિવિધ છંદમાં રચના કરી છે, જે પ્રાર્થનામંદિર', અને “સુબેધસંગીત માળા” (ભાગ ૧-૨-૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલાં સંપાદિત કરેલાં “સંસ્કૃતકાવ્યાનંદ ભાગ ૧-૨-૩ તથા “માનવતાનું મીઠું જગત ગ્રંથ પણ પ્રકાશિત થયા છે. તેઓની સાહિત્યપ્રસાદીને ચેડે રસાસ્વાદ નીચે રજૂ કરેલ છે. (અ) કાવ્યપ્રસાદી: પ્રાથના (હરિગીત અથવા ભરવાની ઢબ) હે નાથ ! ગ્રહ અમે હાથ રહીને સાથે માર્ગ બતાવજે, નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પડ એહ પઢાવો; પ્રભુ, અસત આચરતાં ગણું નિજબાળ સત્ય સુણાવજે, અન્યાય પા૫ અધર્મ ન ગમે વરૂપ એ સમજાવજે. બગડે ન બુદ્ધિ કટિલ કાર્યો બાધ એહ બતાવજે, વિભુ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજે સહુ દૂષિત વ્યવહાર થકી દીનબંધુ દૂર રખાવજે, છે યાચના અમ કર થકી સકાચ નિત્ય કરાવજે. ૨ પ્રભુ ! સત્ય ન્યાય-દયા-વિનય-જળ હદયમાં વરસાવજે, બદનામ કામ હરામ થાય ને એહ ટેક રખાવ, હે દેવના પણ દેવ ! અમ ઉર પ્રેમ પર વહાવજે, પાપાચરણની પા૫વૃત્તિ હે દયાળ! હઠાવો, ૩ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ભકિતમાર્ગની આરાધના સુખ-સંપ-સજજનતાનેવિનયચશ રસ અધિક વિસ્તાર, સેવા ધરમના શેખ અમ અણુ અણુ વિશે ઉભરાવો શુભ “સંતશિષ્ય સધાય છે એ વિવેક વધાર, આનંદ-મંગળ આ૫વાની અરજને અવધારશે. ૪ - ગુરુ મહારાજને વિનતો (રાગદેશ. ઢબ-વિમળા નવ કરશો ઉચાટ) ગુરુ મુક્ત થવાને અપૂવ માર્ગ બતાવો રે; બતાવી ગુપ્ત રહસ્ય, નહિ જાણેલ જણાવો રે, ટેક ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણને પાર ન આવ્યું; લાયકાત ગુરુ નાલાયકામાં લાવો રે. ગુરુ. ૧ તિમિર તમામ સ્થળ છવાયુ, હિત-અહિત જરા ન જણાયું; અધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. ગુરુ૦ ૨ દદના છે અનેક દેશે, જડતા સામું કદી નવ લેશે વિશાળ દષ્ટિ કરીને અમી વરસાવજે રે. ગુરુ. ૩ ઊદવે સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિદને આવી નડે છે; આ અગવડની સરસ દવા સમજાવજે રે, ગુરુ. ૪ અલગ રહે અકળામણ મારી, નિબળતા રહે સદાય ન્યારી દયા કરી ગુરુ એવી ચાંપ દબાવો રે. ગુરુ. ૫ અંજન નેત્રે અજબ લગાવે, સત્ય રહસ્ય મને સમજાવે; શંકા કરી ઊપજે નહિ એમ શમાવજે રે. ગુરુ. ૬ જનમ-મરણ જાયે ગુરુ મારા, નીકળીને દે રહે ન્યારા સંતશિષ્યને એવું સ્વરૂપ સમજાવજે રે. ગુરુ. ૭ વિરલા (રાગ–પીલુ અથવા આશા) આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે. ટેક એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે. આતમ સદગુરુસંગ કરે કેઈ વિરલા, અમૃતફા કેઈ વિરલા ખાવે. આમ અંતરમાં જાગે જન વિરહા, કદને વિરલા હઠાવે. આતમ તજવાનું ત્યાગે કેઈ વિરલા, જ્ઞાનનદીમાં વિરલા નહાવે, આતમ આતમ રમણ કરે કેઈવિરલા, અમરબુદ્ધિ વિરલા અજમાવે. સાતમ સમજે આત્મસમા સહુ વિરલા, દયાન પ્રભુનું વિરલા દાવે. આમ અપીદે પ્રભુ અર્થે વિરહા, “સંતશિષ્ય' વિરલા સમજાવે. આતમ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ સાકતાનાં પારિત્રો () અધ્યાત્મબોધ (૧) જીવન અને ધન વિવેકપૂર્વકની વિચારણા માણસ. ના જીવન માટે પૈસા છે, પૈસા માટે માણસનું જીવન નથી. જગતમાં દેખાતું બધું સૌંદર્ય આત્માને લીધે છે. શરીર અને આભૂષણની કિંમત આત્માને લીધે છે. આત્માનું અનિષ્ટ કરી જડ કમી પાછળ દોડનાર પાગલ છે, મૂર્ખ છે. હદયમાં માણસાઈના દીવા પ્રગટાવો અને પરમાત્માના સ્મરણથી તે પવિત્ર સ્થળે થેડીવાર વિરામ લેતાં શીખજે.ફક્ત પિટ ભરવા માટે રાતદિવસ વ્યવસાયમાં વાણીના બેલની માફક જોડાવું અને પ્રજા વધારવી, તેના માટે ચિંતાઓ સેવવી, તેના પર અનેક વિટંબણુઓ વેઠવી અને છેવટે કશું આત્મધન મેળવ્યા વિના બધું છોડીને ચાલ્યા જવું એ શું બરાબર છે? જીવન શા માટે? આવ્યા શા માટે? ક્યાંથી આવ્યા? પાછા કયાં જવાનું? સાથે શું શું આવવાનું? આપણે કેશુ? શું કરીએ છીએ? આ બધા આત્મા સંબંધી વિચારે નવરાશ મળે કરતા રહેશે. હંમેશા સત્સંગ, સદુવાચન કરતા રહેવું. તમારું શ્રેય તેમાં છે. બાકી તે આ બધાં દયે એક વખત નકામાં થવાનાં છે. ત્રુટિઓ તે માનવમાત્રમાં હેય પણ શ્રેયાથીએ ગુણગ્રાહક થવું. તમારા ઘરમાં સૌને પ્રભુસ્મરણનું કહેશે. (૨) સત્સંગ, સહવાચન અને સગુણ દ્વારા પ્રભુમય જીવન પ્રભુ સન્મુખ થવાને પ્રયાસ સતત રાખે. એ જ ઉપગ, એ જ ચિંતન, એ જ લગની, એવાં જ વાચને, એ જ સંગ એ બધાં નિમિત્તો મદદગાર થાય છે. વાચનથી વધુ વખત ચિંતનમાં ગાળવે. આસક્તિ ઘટે, સેવાભાવ વધે, વાણી-વિચાર પર સંયમ રખાય તે વાત લક્ષમાં રાખશે. દયા, પ્રેમ, સેવા, ભક્તિના રણે પ્રગટાવવા માટે તમને મળેલા બધા પેગ સારા છે માટે ભાવેને વિકાસ થાય એ ખૂબ લક્ષમાં રાખશે. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ભકિતમાગી આસના ' (૩) સ્વરૂપના જ્ઞાનથી મૃત્યુ પર વિજય: જીવનને વિકાસ એ જ જીવનનું રહસ્ય છે. વિકાસને ઉપાય સદ્દવિચાર, સદાચાર એ સદ્દવિચારનું પરિણામ. સમય, શક્તિ, સાધન અને સમજણને દુરુપયેાગ ન થાય તેવી કાળજી તે પણ સદ્દવિચારથી ઉદ્ભવે છે. મૃતશીલ પદાર્થના અતિ અને હંમેશના પરિચયથી આત્મા પણ મૃતશીલ જે પામર અને ભયગ્રસ્ત બન્યું છે. આત્મા, પરના અધ્યાસે ક્ષણે ક્ષણે મરી રહ્યો છે, કે જે સ્વભાવે જોતાં અમર અવિનાશી છે. પિતાના ભાનમાં આવનાર મૃત્યુને જીતી શકે છે. (૪) સાધનામાર્ગ: દષ્ટિ ભક્તિ: નામસ્મરણ સાધનાને અમૂલ્ય સમય અને અમૂલાં સાધનેને સદુપયોગ કરવા, અંતરદષ્ટિ પ્રયત્નપૂર્વક પ્રગટાવવા અને ધ્યેયને વળગી રહેવા ખૂબ જાગૃતિ રાખશે. ખૂબ લક્ષપૂર્વક ભાવ પ્રતિક્રમણ કરીને, હૃદય શુદ્ધ કરી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં, તેમનું નામેચ્ચારણ કરતાં કરતાં શયન કરશે. પરમાત્માના નામસ્મરણમાં અમેઘ શક્તિ છે, અજબ તાકાત છે, માત્ર શરત એ છે કે એ પ્રત્યે શ્રદ્ધા, એકાગ્રતા અને પ્રેમ જોઈએ. બધામાં અતૂટ સંપ, ઐક્ય જળવાઈ રહે એવાં મધુર, મીઠાં, પ્રેમાળ, નિભી વર્તન રાખશે. ઉપયોગી અભ્યાસની, અનુભવની, પ્રસંગની નોંધ રાખતા રહેશે. તમારામાં ભરેલ આનંદ-પ્રેમના પ્રવાહની મોજ માણતા રહેશે. કદીયે નિરુત્સાહી, નિરાશાવાદી, હિતવીર્ય, બુતપ્રભ ન થશે. સદાય આનંદમાં, પ્રસન્નચિત્ત રહો એ જ ભલામણ છે. (૫) વકતાઓના જીવનમાં અનુભવશુન્યતા સ્વાનુભવ કરવાની તે આપણા સમાજમાં પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. વ્યાખ્યાનમાં જે કહેવાય છે તે વાંચેલું, ગેખેલું, સાંભળેલું અને એકઠું કરેલું જ મેટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની ટેવ જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પિતાની જાતને શોધી, એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કાંઈ મેળવી For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સંત-ભકતોનાં ચરિત્રો શકે અને મેળવે તે કાંઈક આપી શકે. કેઈને ક્રિયાનું, કેઈને આચારનું, કેઈને શાસ્ત્રો ભણવાનું તે કઈને વક્તા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેને નાશ કર ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ જ નથી! ઉપસંહાર ધર્મપ્રચાર, સમાજ સુધારણા અને સાધુસંગઠનમાં પણ તેઓએ અમૂલ્ય ફાળો આપે છે. તેમના મુખ્ય શિષ્યોમાં મુનિ શ્રી ચુનીલાલજી અને મુનિ શ્રી સંતબાલજી છે. વળી, ભિન્ન ભિન્ન સ્થળોમાં તેમણે પાઠશાળાઓ, પુસ્તકાલયે, ઉપાશ્રયે અને ઔષધાલયની સ્થાપના માટે પ્રેરણા કરી છે, જેમાં લીંબડીનું સમૃદ્ધ અને સુવ્યવસ્થિત શ્રી દેવચંદ્રજી પુસ્તકાલય, બોરીવલીની જનરલ હોસ્પિટલ તથા શ્રી સર્વોદય ઉદ્યોગ મંદિર, અને અમદાવાદ તથા લીંબડીનાં જૈન વિદ્યાથીગૃહ, સાયલાનું પુસ્તકાલય, દવાખાનું અને પાઠશાળા વગેરે મુખ્ય છે. આમ, સમાજ અને સંઘને પિતાની આગવી પ્રતિભાથી વિશિષ્ટપણે ઉપકાર કરનાર, સ્વ-પર-કલ્યાણરત શ્રી નાનચન્દ્રજી મહારાજ ગુજરાતના એક મહાન સાધક-સંત અને પ્રસિદ્ધ કીર્તનકાર થઈ ગયા. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ બીજે ખંડપ્રેરણાત્મક પદો-ધૂળ-ભyળો For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ જ મજE-ભૂષા- પE-સંચર પંચ મંગળપદને નમસ્કાર શ્રી પરમારને નમ = | ૨) નો સિદ્ધા । (३) णमो आइरियाणं શ્રી સ નમઃ | = | (૪) મો જ્યાdi | (૧) નો સ્ટોપ સવ્વસાહૂળ (૧) દેહસહિત પરમાત્માને નમસ્કાર હે! (૨) દેહરહિત પરમાત્માને નમસ્કાર હે! (૩) આચારપ્રધાન મુનિ મહારાજેને નમસ્કાર હે ! (૪) જ્ઞાનપ્રધાન મુનિ મહારાજને નમસ્કાર હે ! (૫) વિશ્વના સમસ્ત આરાધક મુનિ મહારાજેને નમસ્કાર હે! (સવિયા એકત્રીસા) વિશ્વકી વિભૂતિ વિનશ્વર વિચારિ જિન, દેહ ગેહ સનેહ ત્યાગી તપ ધારા હૈ, ધારાધર સમ પાપપુંજકે પ્રભંજન હૈ, કરમ કરિન્દકે મૂગિન્દ્ર બની મારા હૈ. કામ-ક્રોધ, મેહ-મદ, લેભ-ક્ષોભ, માન-છલ, સકલ ઉપાધિકે સમાધિસે વિડારા હૈ. પાય બંધ કેવલ, સુધિ દિયે જગ જન, એસે જિનદેવકે નમે નમે હમારા હૈ. (૨) (છપ્પય) અચલ ધામ વિશ્રામ, નામ નિચે પદ મંડિત, યથાજાત પરકાશ, ખાસ જહં સદા અખંડિત For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના ભાસહિ લેકાલેક, છેક સુખ સહજ વિરાજહિં, પ્રણમહિ આપુ સહાય, સર્વગુણમંદિર છાજહિ; ઈહ વિધિ અનંત જિય સિદ્ધમહિ, જ્ઞાનપ્રાન વિલસંત નિત; તિન તિન ત્રિકાલ વંદત “ભવિકી, ભાવસહિત નિત એકચિત્ત. (૩). (હરિગીત) પરિપૂર્ણ પંચાગારમાં, વળી ધીર ગુણ ગંભીર છે; પંચેન્દ્રિ-ગજના દર્પ-દલને દક્ષ શ્રી આચાર્ય છે. (૪) રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે, જિનાવરકથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. (૫) નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચહવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. કા નમસ્કાર મહામંત્રનો મહિમા (સયા એકત્રીસા) મહામંત્ર યહે સાર, પંચ પર્મ નમસ્કાર, ભૌજલ ઉતારે પાર, ભવ્ય આધાર હૈ, વિક્વક વિનાશ કરે, પાપકર્મ નાશ કરે, આતમ પ્રકાશ કરૈ પૂરવકે સાર હૈ, દુખ ચકચૂર કરે, દુર્જનકે દૂર કરે, સુખ ભરપૂર કર, પરમ ઉદાર હૈ, તિહું લેક તારકે, આતમ સુધારનકે, જ્ઞાન વિસતારનકે, યહૈ નમસ્કાર હૈ. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ભજન-ધૂન-પદ-સ થય [૧] વૈરાગ્યપ્રેરક પદા (૧) ( રાગ ખેલાવલ ) ધરીરી... (૨) જિય જાને મેરી સફલ સુત વનિતા ધન યૌવન માતા, ગર્ભતણી વેદન વિસરીરી.-જિય જાને સુપના રાજ સાચ કરી માનત, રાચત છાંઢુ ગગન ખદરીરી, આઈ અચાનક કાલ તાપચી, ગહેગા જયું નાહર૧ બકરીરી.-જિય જાને અતિદ્ધિ અચેત કહ્યુ ચેતત નાંહિ, પકરી ટેક હારિલ લકરીરી,૨ આનંદધન હીરા જન છાંડી, નર મેહ્યો માયા કકરીરી.−જિય જાને. (૨) (રાગ મનજારા, તાલ ત્રિતાલ) દો દિનકા જગમેં મેલા, સખ ચલા ચલીકા ખેલા ા ટેક ડા કોઈ ચલા ગયા કોઈ જાવે, કોઈ ગઠડી માંધ સિધાવેજી, કોઈ ખડા તૈયાર અકેલા. ॥ ૧ કર પાપ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયાજી, સૉંગ ચલે ન એક અધેલા. ૫૨૫ સુત નાર માત પિતુ ભાઇ, કેાઈ અંત સહાયક નાહીંજી, કો' ભરે પાપકા ઠેલા. 430 ॥ ૩ ॥ યહ નશ્વર સખ સંસારા, કર ભજન ઈંશકા પ્યારાજી; બ્રહ્માનંદ કહે સુન ચેલા. ॥૪॥ (૩) ( ગઝલ ) ખલક સખ રૈનકા સપના, સમજ મન કોઈ નહીં અપના, કઠણ હું લાભકી ધારા, મહુત સબ જાત સંસારા.-ખલક, ૧. હિંસક પશુ. ૨. હારિલ પ`ખી લાકડી પકડી લીધા પછી છેાડતું નથી તેમ, For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભકિતમાર્ગની આરાધના ઘડા જે નરકા ફૂટા, પત્તા જે ડારસે ટૂટા, એસી નર જાન જિંદગાની, સમજ મન ચેત અભિમાની –ખલક, ભૂલે મત દેખ તન ગેરા, જગતમેં જીવન થેરા, તો મદ લેભ ચતુરાઈ, રહો નિઃશંક જગમાંહીં.–ખલક કુટુંબ પરિવાર સુત દારા, ઉસી દિન હૈ ગયા ન્યારા, નિલ જબ પ્રાન જાવેગ, કોઈ નહીં કામ આવેગા.–ખલક, સદા મત જાને યહ દેહા, લગાવે રામસે નેહા, કટેરી જમકી તબ ફાંસી, કહે કબીર અવિનાશી—ખલક, (રાગ કાફ, ત્રિતાલ) રે મન ! મૂરખ જનમ ગવાયે. ટેક કરિ અભિમાન વિષયરસ રાઓ, શ્યામ સરન નહિ આયે–રે મન! યહ સંસાર ફૂલ સેમરકે, સુન્દર દેખિ ભુલાયે, ચાખન લાગે રૂઈ ગઈ ઉડી, હાથ કછુ નહિં આવે.-રે મન ! કહા ભયે અબકે મન સરો, પહિલે નાહિં કમાયે, કહત ‘સૂર’ ભગવંત ભજન બિન, સિર ધુનિધુનિ પછિતાયે.-રે મન! (ભજનતાલ કવાલી) અબ તે છોડ જગતકી લાલસા રે સુમરો સર્જનહાર–રેક બાલાપન ખેલનમેં યે, જોબન મોહ્યો નાર, બૂઢાપન તન જર્જર હવે, મન તૃષ્ણા વિસ્તાર-અબ તેલ પલપલ છિનછિન ઉમરા જાવે, જેસે અંજલિધાર, ગયા વખત ફિર હાથ ન આવે, કીજે જતન હજાર-અબ તેરા માતપિતા નારી સુત બાંધવ, સ્વારથકા વ્યવહાર, અંતકાલ કઈ સંગ ન જાવે, મનમેં દેખ વિચાર–અબ તેરા For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાજપન-પદ સંજય ૧૩૯ સ્વપ્ન સમાન જગતકી રચના, જૂઠા સબ સંસાર, બ્રહ્માનંદ ભજન કર હરિકા, પાવે મેક્ષ દુવાર–અબ તે જૂઠી ઝાકળની પિછેડી મનવાજી મારા શીદ રે જાણીને તમે ઓઢી ?...મનવાજી (૨) સેડ રે તાણને મનવા સૂવા જ્યાં જશે ત્યાં તે શ્વાસને સેજારે જાશે ઊડીમનવાજી બળતા બપેર કેરાં, અરાંપરાં ઝાંઝવામાં તરસ્યા હાંફે રે દેડી દેડી... મનના મરગલાને પાછા રે વાળ વીરા સાચા સરવરિયે ઘોને જેડી...મનવાજી સાચા દેખાય તે તે કાચા મનવાજી મારા જૂઠાં રે જાગર્તિનાં મતી શમણાને ક્યારે મેરે સાચાં મેતી મેગરાજી ચૂન ચૂની લેજે એને ગેતી....મનવાજી એવું રે ઓઢે મનવા એવું રે પિ મનવા સ્થિર રે દીવાની જેમ જાતિ, ઉઘાડી આંખે વીરા એવા જ ઊંઘવા કે, - કેઈ ના શકે ? સુરતા તેડી....મનવાજી . [૨] પ્રભુભક્તિનાં પદો (રાગ મિશ્ર પીલું–તાલ દીપચંદી) ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું, રહે ચરણ કમળમાં ધ્યાન પ્રભુ એવું માગું . For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના તારું મુખડું પ્રભુજી હું જોયા કરું, રાત દહાડે ભજન તારાં બેલ્યા કરું, રહે અંત સમય તારું ધ્યાન પ્રભુ એવું માગું છું. મારી આશા નિરાશા કરજે નહિ, મારા અવગુણ હૈયામાં ધરજે નહિ, શ્વાસે શ્વાસે રહે તારું નામ પ્રભુ એવું માગું છું. મારાં પાપ ને તાપ શમાવી દેજે, તારા ભક્તોને શરણમાં રાખી લેજે, આવી દેજે દરશન દાન પ્રભુ એવું માગું છું. (ગઝલ) તુમ્હારે દર્શ બિન સ્વામી, મુઝે નહિ ચેન પડતી હૈ, છબી ઘેરાગ તેરી સામને, આખકે ફિરતી હૈ. (ટેક) નિરાભૂષણ વિગત દૂષણ, પરમ આસન મધુર ભાષણ નજર તેને કી નાસા કી, અની પર સે ગુજરતી હૈ. ૧ નહીં કર્મો કા ડર હમકે, કિ જબ લગ ધ્યાન ચરણન મેં તેરે દર્શન સે સુનતે હૈ, કરમ રેખા બદલતી હૈ, ૨ મિલે ગર સ્વર્ગ કી સમ્પત્તિ, અચશ્મા કૌનસા ઇસ મેં, તુમ્હ જે નયન ભર દેખે, ગતી દુરગતિ કી ટરતી હૈ. ૩ હજારે મૂર્તિમાં હમને બહુતસી, જગત મેં દેખી, શાંત મૂરત તુમ્હારીસી, નહીં નજરે મેં ચઢતી હૈ. ૪ જગત સિરતાજ હે જિનરાજ, “સેવક કે દરશ દીજે; તુમ્હારા કયા બિગડતા હૈ, મેરી બિગડી સુધરતી હૈ. ૫ (રાગ મિશ્ર ઝિંઝટી–તાલ કરવા) પરમ કૃપાળુ દીન દયાળુ, જીવનના આધાર પ્રભુજી, સચરાચર જગદીશ્વર ઈશ્વર, ઘટઘટમાં વસનાર. પ્રભુજી. ૧ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ભજનધન-પદ સચય ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણુઓ સહુ ભાગે મારી; માયાનું આ ઝેર ઉતારે, અમૃતના સિંચનાર. પ્રભુજી. ૨ અંધારું અંતર ઓરડીએ, પલ પલમાંહી પાપે પડીએ; ભક્તિની જ્યોતિ પ્રગટાવે, પ્રકાશના કરનાર. પ્રભુજી. ૩ જોગીશ્વર ના જાણે ભેદે, ગુણલા ગાતાં થાકે વેદે; પામર કયાંથી જાણે પુનિત, ગુણગણના ભંડાર. પ્રભુજી. ૪ (૧૦) (રાગ યમનkયાણુ-તાલ કરવા) સહજામસ્વરૂપ, ટાળે ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી; પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે સ્વામી ! જય જય જિનેન્દ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચન્દ્ર હે દેવા; હું શરણ તમારે, આ દ્વારે, ચઢ હારે કશું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી. સહજા૦૧ જય મંગલકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ અભયપદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ આ લક્ષચોરાસી, ખાણ જ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી. | સહજા૨ નવ જે કદાપિ, દેશે તથાપિ, કુમતિ કાપી હે ભ્રાતા; મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિ દાતા હે ત્રાતા; કૃતિએ નવ જેશે, અતિશય દોષે, સઘળા ખેશ સ્વામી. સહજા૦૩ હું પામર પ્રાણીનું દુઃખ જાણી, અંતર આણને તારે ઘર ધંધાધાણી, શિર લઈ તાણી, ભટક્યો ખાણ ભવ ખારે. મને રસ્તે ચડાવે, કદી ન ડગાવે, ચિત્ત રખાવે દુઃખ વામી. સહજ ૪ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર ભકિતમાર્ગની આરાધના ઉત્તમ ગતિ આપે, સદુધર્મ સ્થાપે, કિલિવષ કાપ હાથ ગ્રહી; પ્રકાશે પ્રતાપે, અખિલ અમાપ, ભવદુઃખ કાપે નાથ સહી; અવનીમાં તમારે, સૌથી સારે, જે શુભ ધારે સુખધામી સહજ૦૫ (૧૧) (રાગ તિલક કામદ, તીન તાલ) પાયે જી મૈને રામ રતન ધન પાયે. વસ્તુ અમેલિક દી મેરે સતગુરુ, કિરપા કર અપના. પાછળ જનમ જનમકી પૂંજી પાઈ, જગમે સભી ખોવાય. પાછો ખરચેન ખૂટે વાકો ચાર ન લૂટે, દિન દિન બઢત સવા. પાજી સતકી નાવ, ખેવટિયા સતગુરુ, ભવસાગર તર આયે. પાયજી મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જસ ગાવે. પાયજી ૧૨) (રાગ ધનાશ્રી) તારાં દર્શન માત્રથી દેવ, જમણું ભાગી રે મેં તે લેક લાજની કુટેવ, સરવે ત્યાગી રે. (૧) સહજાત્મનું નિરખી સ્વરૂપ, ઠરે છે નેણું રે રૂડાં લાગે છે રસકૂપ, વહાલાં તારાં વેણ રે (૨) મેં તે પ્રીતિ કરી પ્રભુ સાથ, બીજેથી તેડી રે હવે શ્રી સદ્ગુરુ સંગાથ, બની છે જેડી રે (૩) મેં તે પરિહર્યા પટ આઠ, નથી કાંઈ છાને રે મેં તે મેત્યે સર્વ ઉચાટ, માને કે ન માને છે (૪) મેં તે હૃદય રડાવી લેક, રાખ્યા હતા રાજી રે હવે એમ ન બનશે ફેક, બદલી ગઈ બાજી રે (૫) તેડે દાસની આશને પાશ, પૂર આશા રે મને તે તમારા સુખરાશ, છે દઢ વિશ્વાસા રે (૬) For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ -ભજન-ધૂન-પદ-સંચય જોઈ હૃદયનેત્ર વનક્ષેત્ર, પધારે પ્રીતે રે તારા રત્નત્રયની સાથ, રહે રસ રીતે રે (૭) (૧૩) (રાગ સારંગ) હમ મગન ભયે પ્રભુ ધ્યાનમે. ટેક વિસર ગઈ દુવિધા તન મનકી, અચિર સુત ગુણ ગાનમેં. ૧ હરિ હર બ્રહ્મ પુરંદરકી રિદ્ધ, આવત નહિ કોઈ માન ચિદાનંદકી મેજ મચી હૈ, સમતા રસકે પાનમેં હમ ઇતને દિન તું નહિ પિછા, મેરે જનમ ગમા અજનમે અબ તે અધિકારી છે કે, પ્રભુ ગુણ અખય ખજાનમેં હમ, ગઈ દીનતા સબ હિ હમારી, પ્રભુ ! તુજ સમકિત દાન પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, આવત નહિ કે માનમેં હમ, જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કેઈ કે કાનમેં તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કેઈ સાનમેં હમ, પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જય, સે તે ન રહે નાનમેં વાચક યશ કહે મેહ મહા અરિ, જિસ લિયે હૈ મેદાનમેં. હમ (૧૪) અરિહંત નમે ભગવંત નમે, પરમેશ્વર શ્રી જિનરાજ નમે પ્રથમ જિનેશ્વર પ્રેમે ખિત, સીધ્યાં સઘળાં કાજ મે. અ. ૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમે અજરઅમર અદ્ભુત અતિશય નિધિ, પ્રવચનજલધિ મયંકનમે.અ૦૨ તિયણ ભવિયણ જન મન વંછિય, પૂરણ દેવરસાલા નમે લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમે. અ૦ ૩ સિદ્ધ બુદ્ધ તું જગજન સજજન, નયનાનંદન દેવ નમે સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ. ૪ ૧. ચંદ્ર. ૨. દેવત, કલ્પતરુ. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ભક્તિસાગની આરાધના તું તીર્થંકર સુખકર સાહિબ, તું નિષ્કારણુ બંધુ નમા; શરણાગત ભવિને હિતવત્સલ, તુંદ્ધિ કૃપારસ સિંધુ નમે. અ૦ ૫ કેવળજ્ઞાનાદશે દર્શિત, લેાકાલેાક સ્વભાવ નમે; નાશિત સકલ કલ'ક કલુષપણ, દુરિત ઉપદ્રવ ભાવ નમે. અ૦ ૬ જગચિંતામણિ જગદ્ગુરુ, જગહિતકારક જગજનનાથ નમે; ધાર અપાર મહેાધિ તારણુ, તું શિવપુરના સાથ નમે. અ૦ ૭અશરણુ શરણુ નીરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમા; આધ ક્રિયા અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ નમા. અ૦ ૮ (૨૧) (હરિગીત) તુમ તરણ તારણ, ભનિવારણ, ભવિકમન આનંદને; શ્રી નાભિનંદન, જગતવંદન, આદિનાથ નિરંજના-હા પ્રભુ આદિ. તુમ આદિનાથ અનાદિ સેવું, સેય પદ પૂજા કરું, કે લાસગિરિ પર ઋષભ જિનવર, પદકમલ હિરદે ધરું-હા પ્રભુ પદકમલ.. તુમ અજિતનાથ અજીત જીતે, અષ્ટકર્મ મહાબલી, ઇહુ વિરદ સુનકર સરન આયા, કૃપા કીન્ત્યા નાથજી.-હા પ્રભુ કૃપા, તુમ ચંદ્રવદન સુચંદ્ર લંછન, ચંદ્રપુરી પરમેશ્વર, મહાસેન નંદન જગતનંદન, ચંદ્રનાથ જિનેશ્વરા.-હા પ્રભુ ચંદ્રનાથ. તુમ શાંતિ પાંચ કલ્યાણ પૂજો, શુદ્ધ મન વચ કાય જૂ, દુભિક્ષ ચારી પાપનાશન, વિઘન જાય પલાય જૂ.-હા પ્રભુ વિધન. તુમ ખાલબ્રહ્મ વિવેકસાગર, ભવ્યકમલ વિકાસના, શ્રીનેમિનાથ પવિત્ર દિનકર, પાપતિમિર વિનાશને-હે પ્રભુ પાપતિમિર જિન તજી રાજુલ રાજકન્યા, કામસેના વશ કરી, ચારિત્રરથ ચઢી હોય ફૂલહા, જાય શિવરમણી વરી. હા પ્રભુ જાય. કંદ દ` સુસ લન, કમઠ શઠ નિર્મદ કિયા, અશ્વસેનન જૈન જગતવંદન, સકલસંઘ મંગલ કિયા.-હા પ્રભુ સકલ. જિન ધરી બાલકપણે દીક્ષા, કમઠમાન વિદારક, શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્ર કે પદ, મૈં નમા શિરધાર કૈ.-હા પ્રભુ મેં નમાં. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ભજન-ધૂન-પદ-સંચય તુમ કર્મવાતા મોક્ષદાતા, દીન જાનિ દયા કરે, સિદ્ધાર્થનંદન જગતવંદન, મહાવીર જિનેશ્વર-હે પ્રભુ મહાવીર છત્ર તીન હૈ, સુરનર મેહે, વીનતી અવધારિયે, કર જોડિ સેવક વીનવે, પ્રભુ આવાગમન નિવારિયે-હે પ્રભુ આવાગમન. અબ હેલ ભવભવ સ્વામી મેરે, મેં સદા સેવક રહે, કર જેડ જે વરદાન માગું, મેક્ષફલ જાવત લોં–હે પ્રભુ મેક્ષફલ. જે એકમાંહી એક રાજત, એકમાંહિ અનેકને, ઈક અનેકકી નહીં સંખ્યા, નમ્ સિદ્ધ નિરંજને-હે પ્રભુ નમું. (ભુજગપ્રયાત છંદ) નરેદ્ર ફણીન્દ્ર સુરેન્દ્ર અધીસં. શદ્ર સુ પૂજૈ ભજૈ નાય શીશ; મુનીંદ્ર ગણેદ્ર નમે એડિ હાથં નમે દેવદેવં સદા પાર્શ્વનાથં. ગજેદ્ર મૃગેંદ્ર ગહ્યો તૂ છુડા મહા આગ લાગતૈ' તું બચાવે; મહાવીરતે યુદ્ધમૈ તૂ જિત મહારગ બંધૌ તૂ છુડાવે. દુખી દુઃખહર્તા સુખી સુખકર્તા સદા સેવકે મહાનંદ ભર્તા હરે યક્ષ રાક્ષસ્સ ભૂત પિશાચં. વિષે ડાકિની વિબકે ભય અવાચં. દરિદ્રીનકે દ્રવ્ય કે દાન દીને અપુત્રીનકી તેં ભલે પુત્ર કોને મહા સંકટોસે નિકારે વિધાતા સ સંપદા સર્વ કે દેહિ દાતા. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના મહારકે વકે ભય નિવારે મહાપૌનકે પુજતે તુ ઉબારે મહાક્રોધકી અગ્નિકે મેઘ-ધારા મહાભ શૈલેશક વા ભારા. મહામહ અંધેરક જ્ઞાન-ભાને મહાકર્મ કાંતારકે દૌ પ્રધાન જ્યિ નાગ નાગિન અધલેક સ્વામી હર્યો માન તૂ દેત્યકે હે અકામી. તુહી કલ્પવૃક્ષ તુહી કામધેન, તુહી દિવ્ય ચિંતામણિ નાગ એન. પશુ નકકે દુઃખતે તૂ છુડાવે મહાસ્વર્ગમૈ મુક્તિમૈં તૂ બસાવૈ. ૭ કરે લેહકે હેમ પાષાણુ નામી રટનામસે ક્યાં ન હ ક્ષગામી કરે સેવા તાકી કરે દેવ સેવા સુનૈ બૈન સહી લહૈ જ્ઞાન મેવા. જપે જાપ તાકે નહીં પાપ લાગે ધરે ધ્યાન તાકે સબ દેષ ભાગે બિને તેહિ જાને ધરે ભવ ઘરે તુમ્હારી કૃપાતે સરે કાજ મેરે. ૯ (દેહરા) ગણધર ઇદ્ર ન કર સકે, તમ વિનતી ભગવાન “વાગત પ્રીતિ નિહારકૈ, કીજે આપ સમાન. ૧૦ (૧૭) (રાગ ધનાશ્રી–તાલ કરવા) સેવે ભવિયાં વિમલ જિનેસર, હુલ્લડ સજજન સંગા જી; એવા પ્રભુનું દરિશન લેવું, તે આલસમાં ગંગા જી. સે. ૧ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ 10 -ભજન-ધન-૧દસંચય અવસર પામી આલસ કરશે, તે મૂરખમાં પહેલે ; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલું છે. સે. ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડે છે; વિકટ ગ્રંથિ જે પિળ પિળિયે, કર્મ વિવર ઉઘાડે . સે૩ તત્વપ્રીતિકર પાણી પાયે, વિમલાલેકે આંજી – લેયણ ગુરુ પરમા દિએ તવ, જમ નખે સવિ ભાજી જી. સે. ૪ જામ ભાગે તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખેલી છે; સરલ તણે જે હઈડે આવે, તે જણાવે બેલીજી. સે. ૫ શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચું છે; કેડિ કપટ જે કોઈ દિખાવે, તેહિ પ્રભુ વિણ નવિ રાવ્યું છે. સે. ૬ (૧૮) . (રાગ આશા - તાલ દીપચંદી) સુણે શાંતિ જિણુંદ સેભાગી, હું તે થયે હું તુજ ગુણરાગી; તમે નિરાગી ભગવંત, જોતાં કેમ મલશે તત સુણે૧ હું તે ક્રોધ કષાયને ભરિયે, તું તે ઉપશમ રસને દરિયે; હું તે અજ્ઞાને આવરિયે, તુ તે કેવલ કમલા વરિ. સુણે ૨ હું તે વિષયરસને આશી, તે તે વિષયા કીધી નિરાશી, . હું તે કર્મને ભારે ભાર્યો, તે તે પ્રભુ ભાર ઉતાર્યો સુણે ૩ હું તે મોહ તણે વશ પડિયે, તું તે સઘલા મેહને નડિયે - હું તે ભવ સમુદ્રમાં ખંત, તું તે શિવ મંદિર પહોતે. સુણ:૪ મારે જન્મ મરણને જેરે, તે તે તેથી તેહને દોરે; મારે પાસે ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુ. ૫ મુને માયાએ મૂક્યો પાશી, તું તે નિરબંધન અવિનાશી; હું તે સમક્તિથી અધૂર, તુ તે સકલ પદારથે પૂરે. સુણે ૬ મારે છે તું હિ પ્રભુ એક, તારે મુજ સરીખા અનેક હું તે મનથી ન મૂકું માન, તું માનહિત ભગવાન. સુણે૭ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાગ ની આરાધના. ૧૪. મારું કીધું તે શું થાય, તું તા રંકને કરે રાય; એક કરો મુજ મહેરબાની, મારા મુજરા લેજો માની. સુષ્ણેા૦ ૮ એક વાર જો નજરે નીરખા, તે કરા મુજને તુમ સરીખા; જો સેવક તુમ સરીખા થાશે, તે ગુણુ તમારા ગાશે. સુણા૦ ૯ ભવાભવ તુજ ચરણની સેવા, હું તે માગું દેવાધિદેવા; સામું જુએને સેવક જાણી, એવી ઉયરત્નની વાણી સુણા૦ ૧૦ ( ૧૯ ) (રાગ મિશ્ર ખમાજ-તાલ રૂપક ) શ્રીશીતલજિન ભેટિયે, કરી ભક્તે આખું ચિત્ત રા તેહથી છાનું કહેા કછ્યું, જેને સોંપ્યા તન મન વિત્ત હા-શ્રી ૧ દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હા; તે ભહુ ખજવાર તગતગે, તું દિનકર તેજસ્વપરૂ હા....શ્રી૦ ૨ માટે જાણી આદર્યાં, દારિદ્ર ભાંજો જગતાત હા; તું કરુણાવંત શિમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત હા....શ્રી ૩ અંતરજામી સિવિલહેા, અમ મનની જે છે વાત ઢા; મા આગળ મોસાળના, શા વરણવવા અવદાત હે....શ્રી ૪ જાણા તેા તાણ્યા કશ્યું ? સેવા ફળ દીજે દેવ હા; વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હા....શ્રી ૫ [૩] સત્સંગ-સદ્ગુરુ-માહાત્મ્યનાં પદો (૨૦) (રાગ જંગલા તાલ ૩) આજ સખી સતગુરુ ઘર આયે મેરે મન આનંદ ભયે રી ટેકા દર્શનસે સખ પાપ વિનાશે દુઃખ દરિદ્ર સખ દૂર ગયા રી. આજ૦ ॥૧॥ ૨. આગિયા. ૩. સૂર્ય. ૧. સાગર. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ I૪ -ભજન-ધૂન-પદ-સંચય અમૃત બચન સુનત તમ ના ઘટ ભીતર પભુ પાપ લ રી. આજ. પરા જન્મ જન્મ કે સંશય ટૂટે ભવભય તાપ મિટાય દયે રી. આજ આવા બ્રહ્માનંદ દાસ દાસનક ચરણ કમલ લિપટાય રહ્યો રી. આજ (૨૧) (રાગ ભરથરી –દેહા) તે ગુરુ મેરે મન બો, ભવજલધિ જિહાજ; આપ તિરહિં પર તારહી ઐસે શ્રી ઋષિરાજ. તે ગુરુ. ૧ મહમહારિપુ જાનિકે, છાંડ્યો સબ ઘરબાર; હેય દિગમ્બર વન બસે, આતમ શુદ્ધ વિચાર. તે ગુરુ. ૨ રેગ ઉરગ-વિલ વધુ ગિ, ભેગ ભુજંગ સમાન, કદલીતરુ સંસાર હૈ, ત્યાખ્યા સબ યહ જાન. તે ગુરુ. ૩ રત્નત્રયનિધિ ઉર ધરેં, અરુ નિગ્રંથ ત્રિકાલ, માર્યો કામખવીસ, સ્વામી પરમદયાલ. તે ગુરુ. ૪ પંચમહાવ્રત આદર, પચે સમિતિ સમેત, તીન ગુપતિ પાલૈ સદા, અજર અમર પદ હેત. તે ગુરુ. ૫ ધર્મ ધરે દશલક્ષની, ભાર્થે ભાવન સાર, સહૈ પરીષહ બીસÒ, ચારિત-રતનભંડાર. તે ગુરુ. ૬ જેઠ તપે રવિ આકરો, સૂખે સરવર નીર, શિલશિખર મુનિ તપ તપૈ', દાર્ગે નગન શરીર. તે ગુરુ. ૭ પાવસ ન ડરાવની, બરસે જલધર ધાર, તરુતલ નિવર્સે તબ યતી, બાજૈ ઝંઝા વ્યાર, તે ગુરુ. ૮ શીત પડે કપિ મદ ગલી, દાહૈ સબ વનરાય, તાલ તરંગનિકે તZ, ઠાડે ધ્યાન લગાય. તે ગુરુ ૯ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભકિતમાર્ગની આરાધના. ઈહિ વિધિ દદ્ધરતપ તપેં, તને કાલ મંઝાર, લાગે સહજ સ્વરૂપમૈ, તનસે મમત નિવાર. તે ગુરુ. ૧૦ પૂરવ ભંગ ન ચિંતવે, આગમ બ છે નાહિ, ચહગતિકે દુખ ડરે, સુરતિ લગી શિવમાંહિ. તે ગુરુ. ૧૧ રંગમહલમેં પૌઢતે કોમલ સેજ બિછાય, તે પચ્છિમ નિશિ ભૂમિ, સર્વે સંવરિ કાય. તે ગુરુ. ૧૨ ગજ ચઢિ ચલતે ગરવ, સેના સજિ ચતુરંગ, નિરખિ નિરખિ પગ ને ધરે, પાર્લે કરુણા અંગ. તે ગુરુ. ૧૩ વે ગુરુ ચરણ જહાં ધરે, જગમે તીરથ તેહ, સે રજ મમ મસ્તક ચઢે, “ભૂધર” માંગે એહ. તે ગુરુ૦૧૪ (૨૨) (રાગમિશ્ર ઝિંટી તાલ કરવા). પરકમ્મા કરીને લાગું પાય રે, સદ્ગુરુજી મારા. તમે મલ્યાથી મહા સુખ થાય છે, વિશ્વભર વા'લા. ૧ ભટકી ભટકીને આવ્યા શરણે રે, સદ્ગુરુજી મારા. રાખે તમારે ચરણે રે, વિશ્વભર વા’લા ૨ દીનબંધુ દિન પ્રતિપાલ રે, સદ્દગુરુજી મારા. હું છું અજ્ઞાની નાનું બાળ રે, વિશ્વભર વા'લા. ૩ નજર કરે તે લીલા નીરખું રે, સદ્ગુરુજી મારા. . હદય કમળમાં ઘણું હરખું રે, વિશ્વભર વાલા. ૪ માયાના બંધથી છોડાવે રે, સગુરુજી મારા. ભક્તિના ભેદ બતાવે રે, વિશ્વભર વા'લા. ૫ ત્રિવિધ તાપ શમા રે, સદ્દગુરૂજી મારા. ભવસાગર પાર ઉતારે રે, વિશ્વભર વાલા. ૬ તૃષ્ણના પૂરમાં તણાયે રે, સદ્ગુરુજી મારા. બૂડતાં બાંય મારી ગ્રહે રે, વિશ્વભર વા'લા. ૭ કામી ક્રોધી ને લેભી જાણી રે, સગુરુજી મારા. રામ અને લેજે તારી રે, વિશ્વભર વા'લા. ૮ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ (૨૩) (રાગ માઢ-તાલ દાદરા) જ્ઞાની એનું નામ જેને મેહ ગયે છે તમામ ભાઈ જ્ઞાની એનું નામ... ટેકા કંચનને તે કાદવ જાણે, રાજ વૈભવ અસાર " સ્નેહ મરણ સમાન છે જેને, મેટાઈ લીંપણગાર. ભાઈ જ્ઞાની ચમત્કાર છે ઝેર સરીખા, રિદ્ધિ અશાતા સમાન જગમાંહિ પૂજ્યતા પામવી, જાણે અનર્થની ખાણ. ભાઈ જ્ઞાની ભેગવિલાસ છે જાળ સમાન, અરુ કાયાને જાણે રાખ ઘરવાસ જેને ભાલા જેવ, કુટુંબ કાર્ય છે જાળ. ભાઈ જ્ઞાની લેકમાંહી લાજ વધારવી, જેને મુખની લાળ કીતિ ઈરછા મેલ જેવી, પુણ્ય છે વિષ્ટા સમાન. ભાઈ જ્ઞાની દેહ છતાં જેની દશા છે, વતે દેહાતીત બનારસી એવા જ્ઞાની ચરણે, કરે વંદન અગણિત. ભાઈ જ્ઞાની (૨૪) (ગઝલ તાલ-ધમાલ) બિના સતસંગ કે મેરે, નહીં દિલક કરારી હૈ ! ટેક જગતકે બીચમેં આયા, મનુજકી દેહકે પાકર, ફસાયા જાલ માયાકે, યાદ પ્રભુકી બિસારી હૈ. ૧ બિના સકલ સંસારકે અંદર, નહીં હિતકર હૈ કેઈ; નજર ફેલાય કર દેખા, સભી મતલબકે યારી હૈ. ૨ બિના કિયે જપ નેમ તપ પૂજન, ફિર તીરથકે ધામે, ન જાના રૂ૫ ઈશ્વરકા, ઉમર સારી ગુજારી હૈ. ૧ ૩ બિના ફટે અજ્ઞાનકા પરદા, કટે સબ કર્મકે બંધન; વે બ્રહ્માનંદ સંતનકા, સમાગમ મેક્ષકારી હૈ. કે ૪ બિના For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ - ભકિતમાર્ગની આરાધના (૨૫) (રાગ ભૈરવીતીન તાલ) સંત પરમ હિતકારી, જગત માંહી બધુવા પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી ૧ પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિ સમ સબ દુઃખહારી ૨ ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત જગતસે ન્યારી ૩ બ્રહ્માનંદ સંતનકી સેબત, મિલત હૈ પ્રગટ મુરારી ૪ ' (૨૬). (રાગ હમીર-તીન તાલ) ગુરુ બિન કૌન બતાવે બાટ બડા વિકટ યમ ઘાટ છે ધ્રુવ બ્રાંતિકી પહાડી નદિયા બિચમે અહંકાર કી લાટ છે કામ ક્રોધ દો પર્વત ઠાડે લભ ચેર સંઘાત -૨ મદ મત્સરક મેહ બરસત હે માયા પવન વહે દાટ છે ૩ કહત કબીર સુનો ભાઈ સાથે કક્યો તરના યહ ઘાટ ૪ (૨૭) (રાગ મિશ્ર ભૂપાલી– તાલ કરવા) શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેનાં બદલે નહિ બતમાન રે, ચિત્તની વરતી જેની સદાય નિરમળી જેને મા'રાજ થયા મેરબાન રે....શીલવંત ભાઈ રે! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં જેને પરમારથમાં પ્રીત રે; For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ જન-ધૂન-સંચય - મન ક્રમ વાણીએ વચનુંમાં ચાલે ને * રૂડી પાળે એવી રીત રે...શીલવંત ભાઈ રે ! આઠે પિર મનમસ્ત થઈ રેવે જેને જાગી ગયે તુરીયાને તાર રે, નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનને આહાર રે...શીલવંત ભાઈ રે ! સંગર્યું તમે જ્યારે એવાની કરશે ને ત્યારે ઊતરશે ભવપાર રે.... ગંગાસતી એ બેલિયાં ને જેને વચનુંની સાથે વેવાર રે...શીલવંત (૨૮) (રાગ મિશ્ર માઢ-તાલ હીંય–કેરવા) શાંતિ પમાડે તેને સંત કહીએ તેના દાસના દાસ થઈ રહીએ તેમા ભક્તને આધીન થઈ રહીએ... શાંતિ વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ન જાણ્યું ત્યારે પંડ્યાને માર શીદ ખાઈએ... શાંતિ લીધે વેળા ને ચાર જ્યારે લૂટે ત્યારે તેની સંગતે શીદ જઈએ... શાતિ કલ્પવૃક્ષ સેવ્યું ને દારિદ્ર ઊભું ત્યારે તેની છાયાએ શીદ જઈએ... શાંતિ રાજની ચાકરી ને ભૂખ નહિ ભાંગી ત્યારે તેના ભાર શીદને રહીએ... શાંતિ કર્યા ગુરુ ને ભૂલ નવી ભાગી ત્યારે તેને ચેલા શીદ થઈએ.... શાંતિ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ભકિતમાર્ગની આરાધના ગળી ખાધી ને રેગ જ્યારે ઊભે ત્યારે તેની ગાળી શીદ ખાઈએ... શાંતિ નામ અનામ મારા ગુરુએ બતાવ્યું તે તે રાખ્યું છે મારે હૈયે શાંતિ સર્વના માંહી છે ને સર્વથી ન્યારા બાપુ એવા ભક્તને નિત્ય ચાહીએ... શાંતિ (૨૮) (રાગમિશ્ર માઢ તાલ કરવા) સંગત સંતનકી કર લે, જામકા સાર્થક કછુ કર લે. ઉત્તમ દેહી નર પાયા પ્રાણ, ઇસકા હિત કછુ કર લે, સદ્ગુરુ શરણ જાકે બાબા, જનમ મરણ દૂર કર લે. સંગત કહસે આવે કહાંકુ જાવે, યે કુછ માલૂમ કર લે; દે દિનકી જિંદગાની યાર, હોશિયાર હેકર ચલ લે. સંગત કૌન કિસીકે જેરુ લડકે, કૌન કિસીકે સાલે; જબલગ પલે મેં પૈસા ભાઈ, તબલગ મીઠા બોલે. સંગત કહત કબીરા સૂને ભાઈ સાધે, બાર બાર નહીં આના; અપના હિત કછુ કર લે ભયા, આખર અકેલા જાના. સંગત (૩૦) (રાગ ભૈરવઃ ઢબ-જે કઈ પ્રેમઅંશ અવતરે.) મનુષ્યને જન્મ ફરી નહિ મળે, કદી તનનાવા બેઠી તળે. ટેક ખરેખરી તું જ કરી લે, અંતરમાં અટક-પ્રાણિયા અંતરકેસર ને કસ્તુરી કેવડો, તેલ વિષે શું તળે? મનુષ્યને ૧ કલ્પતરુને કેરે મૂકી, બાથ ભીડી બાવળ-મૂર્ખ તે બાથઠંડકનાં તજી થઈ ઠેકાણું, કાં બળતામાં બળે?....મનુષ્યને ૨ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ આજના-ન-દ-જય ભજ અને તજ અવર કામ તે, તાપ ત્રિવિધ ટળે સર્વ તુજ તાપપવિત્ર થાવા, પાપ તજવા, પ્રભુને ભજ પળે પળે મનુષ્યને ૩ કાં અવળઈ કરી અંતરમાં, આમતેમ આફળે-મફતને આમતેમમૂર્ણ વિના સાચા મેતકણ, કણ ઘંટીએ દળે? મનુષ્યને ૪ પરમેશ્વરને પંથ તજી, કાં ભ્રષ્ટ પંથમાં ભળે? અરે કાં ભ્રષ્ટ“સંતશિષ્ય કહે નહિ સમજે તે, ખેટ જણાશે ખળે. મનુષ્યને ૫ [૪] મનુષ્યની દુર્લભતા દર્શાવનારાં પદો (૩૧) (રાગ સેરઠ) જિંદગી સુધાર બંદે યહી તેરે કામ છે. ટેકા માનુષી દેહ પાઈ, હરિસેન પ્રીત લાઈ વિષ કે જાલ માંહી, ફસિયા નિકામ હૈ. ૧ અંજલિકે નીર જૈસે, જાવત શરીર તૈસે ધરે અબ ધીર કેસે, બીતત તમામ હૈ. ૨ ભાઈ બંધુ મિત્ર નારી, કોઈ ન સહાયકારી કાલ યમ પાશધારી, સિરપે મુકામ હૈ. ૩ ગુરુકી શરણ જા, પ્રભુકા સ્વરૂપ ધ્યા બ્રહ્માનંદ મક્ષ પોવે, સબ સુખધામ હૈ. ૪ (૩૨) (રાગ દેશ) રાત્રે જ વિચારો આજ કમાયા શું અહીં રે શાંત પળે અવલેકે નિજ ઘરમાં ઊંડે જઈ રે...રાત્રે કરવાનાં શાં કાર્યો કીધાં, નહીં કરવાનાં ક્યાં ત્યજી દીધાં લાભ ખેટમાં વધેલ બાજી છે કઈ રે રાત્રે For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના જે જે આજે નિશ્ચય કરિયા, અમલ વિષે કેવા તે ધરિયા સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે...રાત્રે લેવાનું શું શું મેં લીધું, ત્યજવાનું શું શું તજી દીધું કઈ બાજુથી મારી ભૂલ હજી રહી રે રાત્રે કશું કરું કરતા નથી કંઈ કરતે ધ્યાન પ્રભુનું હજી નથી ધરતે વાત કરતાં શુભ વેળા જાયે વહી રે. .રાત્રે જન્મ ધર્યો છે જેને માટે, મન હજુ કર્યું ને તેને માટે સંતશિષ્ય શું જવાબ આપીશ, ત્યાં જઈ રે. રાત્રે (૩૩) (રાગ દેશ અથવા પૂર્વત્રિતાલ) નહિ ઐસે જન્મ વારંવાર | ધ્રુવ | ક્યા જાનું કછુ પુણ્ય પ્રગટે, માનુસા અવતાર નહિ બઢત પલપલ ઘટત છિન છિન, ચલત ન લાગે બાર બિરછકે જે પાન ટૂટે, લાગે નહિ પુનિ ડાર ...નહિ. ભવ સાગર અતિ જોર કહિયે, વિષમ ઓખી ધાર સુરતક નર બાંધે બેડા, બેગિક ઉતરે પાર ...નહિ. સાધુ સંતા તે મહંતા, ચલત કરત પુકાર દાસી મીરાં લાલ ગિરિધર, જીવના દિન ચારન (૩૪). (રાગ મિશ્ર ખમાજ-તાલ કરવા) મનુષ્ય દેહનું ટાણું રે, વાલીડા પાછું નહીં તે મળે. અને મને તારે નહીં આવે વારંવાર. મનુષ્યા બળદ થઈને ચીલા રે, વાલીડા ઘણુ કાપશે હે છે, અને ખાવા પડશે, પણ કેર રે માર, આરડિયાના ગોદા રે, વાલીડા તમને વાંગશે હે છે. મનુષ્કા ૧. સખત ૨. નાવ. ૩. જલદી For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ભજન-ધન-પદ-સંચય ઊંટ જ થઈને રે વાલીડા, બાજે ઘણે લાદેશે હે જી અને ખાવાં પડશે, કેથેરી કેરાં રે પાન, જીભલડીમાં કાંટા રે વાલીડા, તમને લાગશે હે છે. મનુષ્યા, ઝાડ થઈને રે વાલીડા, વનમાં સૂરશે હો જી. અને ખાવા પડશે કુહાડી કેરા રે માર, ડાળે ને પાંખડીએ રે પંખીડાં માળા ઘાલશે હે છે. મનુષ્યા, ગુરુને પ્રતાપે રે જેઠીરામ બોલિયા હે છે, ને જેઠીરામ ઘટ રે ગંગાજી કરે રે દાસ. મનુષ્કા (૩૫) (રાગ મિશ્ર માઢ-તાલ કરવા) આપ સ્વભાવમેં રે, અબધુ સદા મગન મેં રહના, જગત જીવ હૈં કર્માધીના, અચરિજ કછુઆ ન લીના. આપ૦ તુમ નહીં કેરા, કેઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા, તેરા હૈ સે તેરી પાસમે, અવર સર્બ અનેરા. આપ૦ વધુ વિનાશી, તું અવિનાશી, અબ હૈ ઉનકે વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આપ૦ રાગ ને રીસા, દય ખવીસ, યે તુમ દુઃખ કા દીસા, જબ તુમ ઉનકે દૂર કરીશા, તબ તુમ જગકા ઈશા. આ૫૦પરકી આશ સદા નિરાશા, યે હૈ જગ જન ફાસા, તે કાટકું કરે અભ્યાસ, લો સદા સુખ વાસા. આપ૦ કબીક કાજી, કબીક પાજી, કબીક હુઆ અપભ્રાજી, કબીક જગમેં કીતિ ગાજી, સબ પુદ્ગલકી બાજી. આ૫૦ શુદ્ધ ઉપગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મનહારી, કર્મ કલંકફ દૂર નિવારી, જીવ વરે શિવનારી. આપ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના આત્મા અને આત્મજ્ઞાન સંબંધી પદે (૩૬) (રાગ મિશ્ર પહાડી-તાલ કરવા) અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતે તેનું ધ્યાન ધરે આ રે કાયા ઘર આતમ હીરે ભૂલી ગયા ભવમાંહી ફરો...અલખ૦ ધ્યાન ધારણ આતમ પદની કરતાં ભ્રમણ મિટ જાવે આત્મ તત્વની શ્રદ્ધા હવે તે અનહદ આનંદ મન પાવે...અલખ૦ વિષયારસ વિષ સરીખે લાગે ચેન પડે નહિ સંસારે જીવન મરણ પણ સરખું લાગે આતમપદ ચીને ત્યારે......અલખ૦ હલકો નહિ ભારે એ આતમ કેવળ જ્ઞાન તણે દરિયે બુદ્ધિસાગર પામતા તે ભવસાગર ક્ષણમાં તરિયે....અલખ૦ . (૩૭) - આત્મકતન (રાગ મિશ્ર પીલુ-તાલ કરવા) હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આતમરામ. ટેક મેં વહ હું જે હૈ ભગવાન, જે મેં હું વહ હૈ ભગવાન, - અંતર યહી ઊપરી જાન, વે વિરાગ હૈં રાગ વિતાન. ૧ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ જ-ન-દ-સંચય મમ સ્વરૂપ હૈસિદ્ધ સમાન, અમિત-શક્તિ સુખ-જ્ઞાન-નિધાન; કિંતુ આશવશ યા જ્ઞાન, બના ભિખારી નિપટ અાન. ૨ સુખ-દુઃખ દાતા કોઈ ન આન, મેહ રાગ રુષ દુઃખકી ખાન; નિજ નિજ પરક પર જાન, ફિર દુઃખકા નહિ લેશ નિદાન. ૩ જિન શિવ ઈશ્વર બ્રહ્મા રામ, વિષ્ણુ બુદ્ધ હરિ જિસકે નામ; રાગ ત્યાગ પહું નિજધામ, આકુલતાકા ફિર ક્યા કામ. ૪ હેતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા ક્યા કામ; દૂર હટ પરકૃત પરિણામ, સહજાનંદ રહું અભિરામ. પ (૩૮) (ગઝલ-તાલ દાદરા) અપનેકે આપ ભૂલકે હેરાન હો ગયા. માયાકે જાલમેં ફસા વીરાન હે ગયા. ટેક જડદેહકે અપના સ્વરૂપ માન મન લિયા. દિનરાત ખાનપાન કામકાજ દિલ દિયા, . . પાનીમેં મિલકે દૂધ એક જાન હૈ ગયા. માયાકે છે ? વિષકે દેખદેખકે લાલચમેં આ રહા, . દીપકર્મો જ પતંગ જાયકે સમા રહા, વિના વિચારકે સદા નાદાન હૈ ગયા. માયાકે છે ૨ કર પુણ્ય પાપ સ્વર્ગ નરક ભેગતા ફિરે, - તૃષ્ણાકી ઓરસે બંધા સદા જનમ ધરે, પી કરકે મહકી સુરા બેભાન હે ગયા. માયાકેલા સતસંગમેં જાકર સદા દિલમે બિચાર છે, બદનમેં અપને આપ રૂપ નિહાર લે,.. બ્રહ્માનંદ મિલે મેશ જભી જ્ઞાન હે ગયા. માયાકે. ૪ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના (૩૯) (પ્રભાતિયાને રાગ ઃ ઝૂલણા છંદ) જ્યાં લગી આતમાતત્વ ચીજો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારે એમ એળે ગયે, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી, થયું ઘેર રહી દાન દીધે. શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યો, શું થયું વાળ વેચન કીધે. શું થયું તપ ને તીરથ કીધા થકી - શું થયું માળ રહી નામ લીધે. શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, થયું ગંગાજલ પાન કીધે. શું થયું વેદ વ્યાકરણ વાણી વહે, શું થયું રાગ ને રંગ જાયે. શું થયું ખટ દરશન સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આયે. એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયે. ભણે નરસૈયે કે તત્વ દર્શન વિના, રત્ન ચિંતામણિ જન્મ છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ જન-ધૂન-ષદ-સાય (૪૦) (રાગ માઢતાલ કરવા) હમ તે કબહુ ન નિજ ઘર આયે પરઘર ક્િત બહુત ટ્વિન ખીતે નામ અનેક ધરાયે પ્રાટેક પરપદ નિજપદ માનિ મગન હૈ, પરપરનતિ લપટા । શુદ્ધ યુદ્ધ સુખકન્દ મનેહર, ચેતન-ભાવ ન લાગે ! ૧ નર, પશુ, દેવ, નરક નિજ જાન્યા, પરજય બુદ્ધિ લડાયે । અમલ, અખંડ, અતુલ, અવિનાશી, આતમ ગુન નહિ ગાયે ॥ ૨ યહુ બહુ ભૂલ ભઈ ઠુમરી ફિર કહા કાજ ‘ઢૌલ' તો અજહું વિષયન કી, સતગુરુ વચન ૧૧ (૪૧) (રાગ માલક સતાલ કેરવા) અલખ દેશમે' વાસ હમારા, માયાસે હમ હૈ ન્યારા નિર્મલ જ્યેતિ નિરાકાર ઠુમ, હરદમ હુમ ધ્રુવકા તારા અલખ॰ પછતાયે । સુહાયે ॥ ૩ સુરતા સંગે ક્ષણ ક્ષણ રહેના, દુનિયાદારી દૂર કરણી સાહ` જાપકા ધ્યાન લગાના, મેક્ષ મહલકી નિસરણી અલખ પઢના ગંણુના સબહી જૂઠા, જખ નહીં આતમ પિછાના વર વિના કયા જાન તમાસા, લુણુ બિન ભેાજન ખાના અલખ૦ આતમજ્ઞાન વિના જન જાણેા, જગમે' સઘળે અંધિયારા સદ્ગુરુ સંગે આતમજ્ઞાને, ઘટ ભીતરમેં ઉજિયારા અલખ૦ સખસે ન્યારા હમ સખમાંહી, ગાતા-ગ્નેયપણા ધ્યાવે બુદ્ધિસાગર ધન ધન જગમે, આપ તરેકુ' પર તારે. અલખ॰ ૧૧ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શકિતમાગ ની શાણપના (૪૨) (રાગ મિશ્ર ઝિ ંઝોટી-તાલ કેરવા) મૈ દર્શનજ્ઞાન સ્વરૂપી ', મૈં સહજાનંદ સ્વરૂપી હૂં. હૂં જ્ઞાનમાત્ર પરભાવશૂન્ય, હૂં સહેજજ્ઞાનદ્દન સ્વયં પૂર્ણ, હૂં સત્ય સહજઆનંદધામ, મૈં સહજાનંદ-૰ મૈં દર્શનજ્ઞાન૦૧ હૂ ખુદ્દકા હી કર્તા લાક્ડા, પરમેં મેરા કુછ કામ નહીં, પરકા ન પ્રવેશ ન કાર્ય યહાં, મૈં' સહજાનંદ૦ મેં દર્શનજ્ઞાન૦ ૨ આઙ્ગ ઉતર્` રમ લૂં નિજમેં, નિજકી નિજમેં દુવિધા હી કથા, નિજ અનુભવરસસે સહેજ તૃપ્ત, મૈ' સહજાન’૪૦–મ દર્શનજ્ઞાન૦૩ (૪૩) (શલક્ષણીધમ સ્વરૂપ) (રાગ : ઝિંઝોટી – તાલ કેરવા) ભવિજન ભાવ ધરીને જિનદશા આરાધીએ રે, ધર્મનાં અંગ વિચારી તે સમભાવે સાધીએ રે, ભવિજન૦ ૧ પ્રથમ અંગ ક્ષમા કહ્યું, ધર્મતણું મહામૂલ, શાંત સુધારસ સેવીએ, ક્રોધ કરી નિર્મૂળ; ભલે કાઈ ક્રાધ કરી મરણાંત ઉપસર્ગ કરે રે, છતાં સમભાવે રહી સાધક તે પર કરુણા ધરે રે. વિજન૦ ૨ ઝુ અંગ માત્ર કહ્યું ધર્મતણેા આધાર, નમ્રપણાને સાષીએ ત્યાગી માન વિકાર; ભલે કાઈ ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર આવી નમે રે, છતાં થઈ સ્થિર સ્વભાવે સાધક સ્વાતમમાં શમે રે. ભવિજન૦ ૩ ત્રીજું અંગ આવ કહ્યું ધરીએ તે નિજભાવ, ત્યાગી માયાશલ્યને કરીએ શુદ્ધ સ્વભાવ; કિંચિત્ દોષ થતાં સ્વાતમ નિંદી તે ચેાચીએ રે, ગુર્વાદ્ધિક કને વળી સ્પષ્ટ કરી આલેચીએ રે. ભવિજન૦ ૪ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ભજન-ધૂન-પદ-સંચય ૧૬૩ ચોથું અંગ નિર્લોભતા શુદ્ધ હૃદયથી ધાર, તૃષ્ણ પુદ્ગલ ભાવની ત્યાગી સર્વ પ્રકાર; ભલે મહાચકવર્તીની રિદ્ધિ કે હાય દીનતા રે, છતાં ત્યાં ભાવ વિષે સાધકને હોય સમાનતા રે. ભવિજન ૫ પંચમ તે સત્યને કહ્યું ધર્મતણું મૂળ અંગ, તજીએ નહીં તે ટેકને દુઃખને હોય પ્રસંગ; ભલે મહાસાગર કે કદી જાય ડગી મેરગિરિ રે, તથાપિ સત્ય ન ચૂકે સાધક દેહ જતાં જરી રે. ભવિજન ૬ શૌચ અંગ છઠ્ઠ કહ્યું ચિત્ત વિષે તે ધાર, શુદ્ધિ મનની સાધવા, કરીએ તવ વિચાર; દર્શન મેહ જતાં ત્યાં મિથ્યાભાવ ટળી જશે રે, ક્ષય થઈ ભાવ શુભાશુભ ત્યાં મનની શુદ્ધિ થશે રે. ભવિજન ૭ - સસમ તે સંયમને કહ્યું, ધર્મઅંગ સુખરૂપ, તે સત્તર ભેદે સેવીએ લક્ષી જિન સ્વરૂપ અંતર્મુખ ઉપગે રહી તે પદ આરાધીએ રે, અપ્રતિબદ્ધ વિહારી થઈ સ્વરૂપને સાધીએ રે. ભવિજન ૮ અષ્ટમ તે તપને કહ્યું, ધર્મઅંગ સુખ સાજ, તે દ્વાદશભેદે સેવીએ ચેતન શુદ્ધિ કાજ, કરી ય ભાવ પ્રત્યેના ભગતનું નિર્લોભતા રે, આવે ઘર પરિષહ પણ નહિ મનને ક્ષોભતા રે. ભવિજન. ૯ નવમું બ્રહ્મચર્યને કહ્યું ધર્મ અંગ બળવાન, ત્રિગે તે સેવીએ રાખી નિજ પદ ભાન; ભલે કઈ દેવસુંદરી મેહવશ થઈ આવી છળે રે, છતાં ત્યાં દેહ છતાં પણ સાધક મનથી નહીં ચળે રે. • ભવિજન ૧૦ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના દસમું અકિંચન કહ્યું ધર્મ અંગ નિજભાવ, તત્વમય દષ્ટિ કરી, કરીએ શુદ્ધ સ્વભાવ છું હું સહજસ્વરૂપી દેહથકી ભિન્ન આત્મા રે, રહી તે લક્ષ સેવે સાધક પદ પરમાત્મા રે. ભવિજન ૧૧ અંગ કહાં દસ ધર્મનાં જિન વચન પરમાણ, તે સમભાવે સેવતાં પામે પદ નિર્વાણ સ્વાતમ કરુણ લાવી તે સૌ જન વિચારીએ રે, નિજપદ અથે તે કહે ધ્યાનવિજય સ્વીકારીએ રે. ભવિજન ૧૨. પ્રકીર્ણ પદો (૪૪) (રાગ લાવણી) પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જે પથ્ય પળાય નહિ; તે તેનું ફળ લેશ ન નામે, ભવ રેગ કરી જાય નહિ. ટેક -પહેલું પચ્ચ અસત્ય ન વદવું, નિંદા કેઈની થાય નહિ, નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. જીવ સકલ આતમ સમ જાની, દિલ કોઈનું દુભવાય નહિ, પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. -ભ દઉં કે દુનિતાથી, અંતર અભડાવાય નહિ. પરનારી માતા સમ લેખી, કદી કુદષ્ટિ કરાય નહિ હું પ્રભુને, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસે જાય નહિ.' જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહિ. ૪ -શક્તિ છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ સ્વાર્થ તણા પણ કામ વિષે, કદી અધર્મને અચરાય નહિ. ૫ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ભજન-ધૂન- પાય કિયું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ; હું મોટે મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ. ૬ -નામતણા અતુલિત મહિમાને વ્યર્થ વખાણ મનાય નહિ, કપટ દગા છળ પ્રપંચ માયા, અંત સુધી અદરાય નહિ. ૭ જનસેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ; ઊંચ નીચને ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ. ૮ –નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકી કદી કાય નહિ; એ પચ્ચેનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ. ૯ પષ્ય રસાયણ બને સેવે, માથામાં લલચાય નહિ તે બહરિદાસ તણા સ્વામીને, મળતાં વાર જરાય નહિ. ૧૦ (રાગજળ ભરવા દીયે જમુના તણું રે) મહાવીર તણુ ભક્ત એને માનવા રે, પહેરે સત્ય-શીલના જે શણગાર. મહા૦ ૧ સત્યાસત્ય સ્વાવાદથી સમજે છે રે, દિવ્ય-દષ્ટિ વડે એહ દેખનાર. મહા૨ નિભી મૃદુ હૃદય પ્રેમથી ભર્યા રે, વિશ્વ વાત્સલ્યમય એને વ્યવહાર. મહા. ૩ મેરમ વીર વચનથી વ્યાપી રહ્યાં રે, દિવ્ય ગુણમણિઓના ભંડાર. મહા૪ જેણે તનમનધન અમ્ય પ્રભુચરણમાં રે, શ્વાસોચ્છવાસ એનું રટણ રટનાર, મહા૫ ગ્રંથિભેદ કરી ભેદ જ્ઞાન પામિયા રે, સ્વપર શાસ્ત્ર તણે શે જેણે સાર. મહા૬ સંતશિષ્ય જેને પરવાને પ્રભુને મળે રે, - ભવસાગરમાં તે નહિ ભમનાર. મહા ૭ " For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના પ્રાર્થના અને આરતી (૪૬) (રાગ મિશ્ર જયજયવંતી-તાલ કરવા) હે પ્રભે આનંદદાતા જ્ઞાન હમકે દીજિયે, શીઘ સારે દુર્ગુણેકે દૂર હમસે કીજિયે; લીજિયે હમકે શરણમેં હમ સદાચારી બને બ્રહ્મચારી, ધર્મરક્ષક વીર વ્રતધારી બને....હે પ્રભ૦ પ્રેમસે હમ ગુરુજનેંકી નિત્ય હી સેવા કરે, સત્ય બેલેં, જૂઠ ત્યાગે મેલ આપસમેં કરે; નિંદા કિસીકી હમ કિસીસે ભૂલ કર ભી ના કરે, દિવ્ય જીવન હો હમારા, તેરે યશ ગાયા કરે પ્રત્યે (રાગ-વાઘેશ્રી, ભૈરવી-દૂર કાં પ્રભુ !-એ ઢબ) આટલું તે આપજે ભગવન! મને છેલ્લી ઘડી, ના રહે માયા તણું બંધન મને છેલ્લી ઘડી. આભ આ જિંદગી મેંઘી મળી પણ જીવનમાં જાગે નહીં; અંત સમય મને રહે સાચી સમજ છેલ્લી ઘડી. આ જ્યારે મરણશય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી; શુદ્ધ ભાવના પરિણામ હો ત્યારે મને છેલ્લી ઘડી. આe. હાથપગ નિર્બળ બને ને શ્વાસ છેલે સંચરે; એ દયાળુ! આપજે દર્શન મને છેલ્લી ઘડી. આ હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાન્તિભરી નિદ્રા અને છેલ્લી ઘડી. આ અગણિત અધર્મો મેં કર્યા, તન-મન-વચન યોગે કરી; કહે ક્ષમાસાગર ! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. આe અંત સમયે આવી મુજને, ના દમે ઘટ દુમને જાગ્રતપણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી. આ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ જાવુ-પક ના થાય (૪૮) | (દેહરા) ઝળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છે, ગંજનગંજ ગુમાન; અભિવંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ૨ ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન વિદાહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર-ભરણ ભીતિહરણ, સુધાકરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન, અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫ આનંદી અપવર્ગી તું અકળ ગતિ અનુમાન આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ નિરાકાર નિર્લેપ છે, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭ સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સેંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૮ સંકટ શેક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન ઈચ્છા વિકળ અચળ કરે, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તેફાન, કરુણાળું કરુણા કરે, ભયભંજન ભગવાન. ૧૦ કિકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે નેહે હરે, ભયભંજન ભગવાન. ૧૧ શક્તિ શિશુને આપશે, ભક્તિ-મુક્તિનું દાન તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૩ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ-મર્મ મન ધ્યાન; સંપ જપ વણ કપ દે, ભયભંજન ભગવાન. ૧૪ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન, હર બ્રમણ ભારત તાણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અનનું, દે સુખ સુધા સમાન આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ વિનય વિનંતી રાયની, ધરે કૃપાથી ધ્યાન, માન્ય કરે મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭ (૪૯) (ગઝલ-રાગ પીલુ) પ્રભુ મેરે દિલમેં સદા યાદ આના, દયા કરકે દર્શન તુમ્હારા દિલાના. એ ટેકો સદા જાનકર દાસ અપને ચરણકા, મુઝે દીનબંધુ ન દિલસે ભુલાના. પ્રભુ ! ૧ સભી દેષ જજોકે મેરે હજારે, - ક્ષમા કરકે અપને ચરણમેં લગાના. પ્રભુ છે ૨ | કિયા કામ કેઈ ન તેરી ખુશીકા, અપના બિરદ દેખ, મુઝકો નિભાના. પ્રભુત્ર ૩ છે ફસાયા હું માયાકે ચક્કરમેં ગહરા, બ્રહ્માનંદ બંધનસે મુઝકે છુડાના. પ્રભુ છે ૪ (૫૦). (રાગ આશાવરી) અવધૂ ક્યા માંગૂં ગુનાહીના, વે ગુનગનિ ન પ્રવીના...અવધૂ ગાય ન જાનું બજાય ન જાનું, ન જાનું સુરસેવા રીઝ ન જાનું રિઝાય ન જાનૂ, ન જાનું પદસેવા અવધૂ. ૧ છે For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ભજન-ધૂન-પદ-સપય વેદ ન જાનેં કિતાબ ન જાનું, જાનૂ ન લચ્છન છંદા; તરકવાદ વિવાદ ન જાનું, ન જાનું કવિફંદા...અવધૂ૦૨ જાપ ન જાનું જુવાબ ન જાનૂ, ન જાનું કથવાતા; ભાવ ન જાનું ભગતિ ન જાનૂ, જાનૂન સીરા તાતા..અવધુ ૩ ગ્યાન ન જાનું, વિગ્યાન ન જાનૂ, ન જાનૂ ભજનામા (પદનામા); આનંદઘન પ્રભુકે ઘર દ્વારે, ૨ટન કરૂં ગુણધામા.અવધૂ૦૪ (૫૧), અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. હે પરમેશ્વર! શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય! મારા હૃદયમાં આવ. શીલના સ્વામી! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને જોગવવાને તે આપ્યું તે હું ના ચાહું. તે નિષ્પાપ, પૂર્ણપવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારા પવિત્ર વચનથી મારાં પાપ છે. હે આનંદ! મને આનંદથી ભરપૂર કર. મને તારી તરફ ખેંચ. હે દેવ! મેં તારી આજ્ઞા તેડી છે, તે મારે હવે શું હવાલ થશે? હું પાપમાં મૂડી રહ્યો છું. હું હરઘડી પા૫ના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારું કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પિતા તરફ બેલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પિસ, માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કર્યું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. " તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મેહશત્રુના કબજામાંથી મને છેડાવ. હું બાળક છું, માટે દર સમય For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ, તું મારામાં રહે જે તારી કૃપાનજર થઈ તે પૂરી કર. | તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝિલાવ. તારે સર્વે મહિમા મને દેખાડ. તું આનંદ છે, તે પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તે નિર્ભય છે, તું એક, શુદ્ધ અને નિત્ય છે, તે અબાધિત છે, તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર. દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વે વિદને દૂર કર, જેથી સ્થિરતા આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું. મારી સે શુભેચ્છા તારા વચન પસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર. મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ. તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામે છું તે સર્વે શક્તિ હું બેટા વા પાપના કામમાં ન વાપરું અને ફેગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ. તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં; કોઈને દુઃખનું કારણ ન થાઉં; માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. બેટા મરથ અને વ્યર્થ વિચારથી હંમેશા બચાવ. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ભજન-ધૂન-પદ-સંચય (૫૨) છેપરમાત્મ–આરતી # જય જય અવિકારી, સ્વામી જય જય અવિકારી હિતકારી ભયહારી (૨) શાશ્વત સ્વવિહારી છે જય જય૦ કામ ક્રોધ મદ લેભ ન માયા સમરસ સુખધારી સ્વામી સમરસ સુખધારી ધ્યાન તુમ્હારા પાવન (૨) સકલ કલેશહારી... જય જય૦ હે સ્વભાવમય જિન તુમી ચીના ” ભવ સંતતિ ટારી સ્વામી ભવસંતતિ તારી તુવ ભૂલત ભવ ભટકત (૨) સહત વિપત ભારી... જય જય૦ પર સંબંધ બંધ દુખ કારણ, કરત અહિત ભારી, સ્વામી કરત અહિત ભારી પરમ બ્રહ્મકા દર્શન (૨) ચહુંગતિ દુખહારી... જય જય૦ જ્ઞાનમૂર્તિ હે સત્ય સનાતન મુનિમન સંચારી સ્વામી મુનિમન સંચારી નિર્વિકલ્પ શિવનાયક (૨) શુચિગુણ ભંડારી... જય જય૦ બસે બડે હે સહજ જ્ઞાનઘન સહજ શાંતિચારી સ્વામી સહજ શાંતિચારી ટલે ટહૈ સબ પાતક (૨) પરબલ બલધારી જય જય૦ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગની આરાધના [૮] શાંતિદાયક ધૂનો (૧) જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ ૐ ગુરુદેવ ગુરુદેવ, ગુરુદેવ, કે ગુરુદેવ. (૨) સહજાનંદી, શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મસ્વરૂપ દેહ વિનાશી, હું અવિનાશી આનંદઘન હું આતમા. દેહ મરે છે, હું નથી મરતે, અજર અમર પદ માહ. (૩) દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. () સહજાત્મસ્વરૂપ પરમગુરુ (૫) આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. (૬) પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. (૭) સંત સુશાન્ત સતતં નમામિ, ભવાબ્ધિ પિત શરણં વ્રજામિ. (૮) અજર અમર અવિનાશી આનંદઘન શુદ્ધસ્વરૂપી મેં આત્મા અજર૦ સદ્ગુરુ! તેરે ચરણકમલમેં, શાશ્વત સુખકે પાયા હૂં..અજર૦ પ્રભુ! જે પદ તાકે છે પદ માટે પદપ્રાપ્તિકે આયા હું અજર૦ (૯) અરિહંત, અરિહંત, અરિહંત, અરિહંત, ભગવંત, ભગવંત, ભગવંત, ભગવંત. તારા આત્માની રિદ્ધિને આવે નહિ અંત–અરિહંત તારી ભક્તિથી ભવ્ય પામે ભવકેરે અંત-અરિહંત તારા પરમપદને પામવાને હદયમાં ખંત-અરિહંત તારા શરણે આવેલાને સ્વીકારે સંત-અરિહંત તારા શરણે આવેલાને ઉગારે સંત–અરિહંત For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ભજન-ધૂન-૧દસંચય (૧૦) મન વાળ્યું વળે સદ્ગુરુવરથી-(૨) અભ્યાસ અને વૈરાગ્ય થકી-(૨) મન વાળ્યું. સદ્ગુરુવરથી નિજ અનુભવથી-(૨) મન વાળ્યું. (૧૧) પ્રભુ! અંતરયામી દેવ અહો!–(૨) ધ્રુવ મુનિપુંગવ! પ્રેરક, નાથ અહે, મમ જીવનકે અધિનાયક હે; ચિત્ત-શાંતિનિકેતન! પ્રેમનિધે! મમ મંદિરકે ઉજિયારે છે–પ્રભુ, પિતુ માતુ સહાયક સ્વામિ સખા, તુમ હી એક નાથ હમારે હે; જિનકે કછુ ઔર આધાર નહીં તિનકે તુમ હી રખવારે છે–પ્રભુ, જગ આશ્રય! જગપતિ! જગવંદન! તુમ અનુપમ અલખ નિરંજન હે; અબ આય પડે તુમ ચરણે મેં ભવસે તુમ હમકે પાર કરે–પ્રભુ, (૧૨) ઋષભ જય, પ્રભુ પારસ જય જય-(૨) મહાવીર જય, ગુરૂ ગૌતમ જય જય-(૨) (૧૩) દર્શન જ્ઞાન રમણ એક્તાન, કરતાં પ્રગટે અનુભવજ્ઞાન દેહ આત્મ જેમ પગને મ્યાન, ટળે ભ્રાંતિ અવિરતિ અજ્ઞાન ૧ સાતા દ્રષ્ટા શાશ્વત ધામ, સચ્ચિદાનંદ છું આતમરામ ધ્યાતા, ધ્યાન, ધ્યેય ગતકામ, હું સેવક ને હું છું સ્વામ ારા For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સંદર્ભ ગ્રંથાની સૂચિ અધ્યાત્મપદાવલી—ૐા. રાજકુમાર જૈન (ભારતીય જ્ઞાનપીઠ) આત્મસિદ્ધિશાસ્ત્ર—શ્રીમદ્ રાજચંદ્રજી - આદિપુરાણુ - આચાર્ય‘શ્રી જિનસેન (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન) આશ્રમ-ભજનાવલ — (નવજીવન પ્રકાશન મંદિર) ઇષ્ટાપદેશ શ્રી પૂજયપાદસ્વામી (પરમશ્રુત-પ્રભાવક મંડળ) ઉપદેશછાયા શ્રીમદ્ રાજચન્દ્ર - કશ્મીર — હેનરીપ્રસાદ દ્વિવેદી (રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ) કશ્મીરનાં આધ્યાત્મિક પદો — (સસ્તું સાહિત્યવધ ક કાર્યાલય) ખીરસ્વામીની અમૃતવાણી — (ક્ખીર કીતિમંદિર સંસ્થા, કાશી) જન્મશતાબ્દી સ્મૃતિગ્રંથ (શ્રી ચિત્તમુનિ, માટુંગા જૈન સ્થા, સધ) જિનેન્દ્ર સ્તવન મજરી — (સ્વાધ્યાયમંદિર, સાનગઢ) જીવનસાધના—મુકુલભાઈ કલાથી, (શ્રીમદ્ રાજચંદ્રે પાઠશાળા, અમદાવાદ) જૈનધમ કે પ્રભાવક આચાર્ય —સાધ્વી શ્રી સંઘમિત્રા (જૈન વિશ્વભારતી) જૈન સાહિત્યના સ`ક્ષિપ્ત ઇતિહાસ—માહનલાલ દલીચંદ દેસાઈ તત્ત્વાર્થ સૂત્ર—આચાર્ય શ્રી ઉમાસ્વામી (નાથૂરામ પ્રેમી-સંપાદિત) તીર્થંકર મહાવીર ઔર ઉનકી આચાર્ય પરંપરા, ભાગ ૧, ૨, ૩, ૪ —ડા. તેમીચંદ્ર શાસ્ત્રી ધર્મ હિંદુ—આચાય હરિભદ્રસૂરિ (જૈન પત્ર આફિસ, હાથી બિલ્ડિંગ, મુંબઈ) ધર્મ વિલાસ—અધ્યાત્મકવિ શ્રી ઘાનતરાયજી (નિષ્કુ યસાગર પ્રેસ, મુંબઈ) નરસિંહ મહેતા—જીવન અને કવન—ડૉ. ધીરુભાઈ પરીખ નિયમસાર—આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી (સ્વાધ્યાય મ`દિર, સેનગઢ) નિત્યક્રમ—(શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) પદ્મનંદ્વિપ ચવિંશતિ—આચાય પદ્મનંદિ (જૈન સંસ્કૃતિ સં. સૌંધ, સાલાપુર) પ્રમુખ ઐતિહાસિક જૈન પુરુષ ઔર મહિલાએ —હૈં।. જ્યેાતિપ્રસાદ (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન) પાઁચ પરમાગમ—આચાર્ય શ્રી કુંદકુ ંદસ્વામી (શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય - મ`દિર, સેાનગઢ) પ્રાચીન મુક્તિ-સગ્રહ— For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સાશ ગયાની શિ પ્રાથ નામ જરી શ્રી શિવાનંદ અધ્વર્યુ (ગુજરાત દિવ્યજીવન સંધ) પ્રાર્થના મંદિર—શ્રી નાનચંદ્રજી મહારાજસંપાદિત (દે, સા. પુ. લીંબડી) પ્રીતમદાસજીની વાણી G ૧૭૫ બૃહદ્ આલાચના—લાલા રણજિતસિંહ અહજ્જિનવાણી સંગ્રહ—શ્રી પન્નાલાલજી ખાકલીવાલ શક્ત વિશેષાંક યાણુ’ (ગારખપુર). ભક્તિસૂત્ર—મહર્ષિ નારદ (દિવ્યજીવન સંધ પ્રકાશિત) ભક્તિ વિશેષાંક—‘કલ્યાણુ’ (ગેારખપુર) ભગવનામ-પ્રાથના વિશેષાંક—‘કલ્યાણુ' (ગોરખપુર) -ભજનપદપુષ્પિકા દેવચન્દ્રજી (પ્રકાશન મદિર, લીબડી) ભાવપાહુડ—આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી (પાટની ગ્રંથમાળા પ્રકાશન) ભૂધરવિલાસ—કવિવર ભૂધરદાસજી (જૈન પુસ્તક ભવન, લકત્તા) મીરાંબાઈ : એક મનન—ડૉ. મજમુદાર (પ્રાચ્ય વિદ્યામંદિર, વડાદરા) માક્ષમાળા—શ્રીમદ્ રાજચંદ્ર. રાવાણી અને અમીરસઝરણુાં—(શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, મારખી) રામચરિતમાનસ—સંત તુલસીદાસ. વિદ્ રત્નમાલા—પં. નાથૂરામ પ્રેમી (જૈનમિત્ર કાર્યાલય, મુંબઈ) વિવેચૂડામણિ—શ્રીમદ્ શકરાચાય વીર શાસનકે પ્રભાવક આચા—શ્રી જોહરાપુરકર કાસલીવાલ, (ભારતીય જ્ઞાનપીઠ). શ્રીમદ્ આનંદધનજી—શ્રી બ્રુદ્ધિસાગરજી (અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળ) શ્રીમદ્ ભગવદ્ગીતા (દિવ્યજીવન સંધ, ઋષિકેશ) શ્રીમદ્ ભાગવત (શ્રી ડાંગરેજી મહારાજની ટીકા) શ્રીમદ્ રાજય—(અગાસ આશ્રમ, આવૃત્તિ ઈ. સ. ૧૯૫૧) સમયસાર—આચાર્ય કુંદકુંદસ્વામી (પરમશ્રુત-પ્રભાવક મંડળ) સમયસાર-નાટક—અધ્યાત્મકવિ શ્રી ખનારસીદાસજી સુમંતભદ્ર-ભારતી—૫. જુગલકિાર મુખ્તાર (વીર-સેવા-મ°દિર) સર્વાર્થ સિદ્ધિ આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી (જ્ઞાનપીઠ પ્રકાશન) સ્વાધ્યાયમાળા ભાગ ૧, ૨ —સગ્રાહક સ્વામી શ્રી મનુવ જી સ્વાધ્યાય સંચય— (શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, દેવલાલી) For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનાં પ્રકાશનો ૨૦-૦૦ ૦. ૦ ૧૦-૦૦ ૧૦-૦૦ ' છે . 8 ૦ (૧) ભક્તામર-સ્તોત્ર ૧૫૦ (૨) બોધસાર ૫-૦૦ (૩) સાધના-સોપાન ( આ ન્નતિને કમ) ૫-૦૦ ચારિત્ર્યસુવાસ (પ્રેરણાત્મક પ્રસંગો) (૫) સાધક-સાથી ભાગ ૧-૨ (૬) અધ્યાત્મને પંથે (૭) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા - ૨-૦૦ (૮) તસ્વસાર (પ્રાકૃત-સંસ્કૃત હિંદી-ગુજરાતી) ૧૫૦૦૦ (૯) ધ્યાન : એક પરિશલન (૧૦) ભક્તિમાર્ગની આરાધના (૧૧) બારસ અણુફખા (પ્રાકૃત-હિંદી) ૨-૦૦ (૧૨) બારસ અવેફખા (પ્રાકૃત, હિન્દી-ગુજરાતી ગદ્યપદ્યાનુવાદ સહિત) (૧૩) પારાયણત્રય ૨-૦૦ (૧૪) શાંતિપથ-દશન ખંડ ૧-૨ (ગુજરાતી અનુવાદ) ૧૦+૧૫ (૧૫) દૈનિક ભક્તિ-સ્વાધ્યાય (૧૬) Guidelines to Mahavir.Darshan ૫-૦૦ (૧૭) Adhyatmagnan Praveshika . (૧૮) અર્વાચીન જેન તિધરે ૨૫-૦૦ (૧૯) શ્રી ગુરમાહાસ્ય (ર) આત્મસ્મૃતિ ગ્રંથ (સંસ્થા દશાબ્દી ગ્રંથ) ૪૦-૦૦ (૨૧) “દિવ્યવનિ (સાખી ગ્રંથ) ૭-૦૦ (રર) આ. કુન્દ્રકુન્દાચાય વિશેષાંક ૧૫-૦૦ જીવનવિકાસ સાહિત્યમાલા-અંતર્ગત (૧) મનમંદિરની મહેલાતો ૫-૦૦ (૨) પુછપમાલા ૧-૦૦ (૩) અનંતને આનંદ ૧૫-૦૦ (૪) કમ-રહસ્ય ૬-૦૦ (૫) સાધક-ભાવના ૬-૦૦ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર * કોબા-૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર) ૫-૦૦ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only