SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતોનાં ચરિ ૧૧૭ હતું કે “મેહને છતી આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી, એ આ જીવનને હેતુ છે. સાધુઓએ રાગ, દ્વેષ, નિન્દા, ઈત્યાદિ દોષોને જીતી અન્યને તેને ઉપદેશ આપે. અનંત એવા આ સંસારને પાર પામવા માટે વીતરાગવાણીનું શરણ લેવું, તે જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. સર્વ પ્રકારના ભય અને સર્વ પ્રકારના સંગને ત્યાગ કરીને પરમાત્માની ભક્તિમાં તન્મય બનવું જોઈએ. શરીરના અણુ પર પણ મમત્વ રાખવું એ એક્ષપ્રાપ્તિમાં વિદન છે. જે જોવાનું છે, જે અનુભવવાનું છે, તે સહુ આત્મામાં જ છે. રાગશ્રેષના ત્યાગી એવા ત્યાગીઓની સેવા કરવાથી આ દોષને ત્યાગ કરવાની કૂંચી હાથ લાગશે. સંસારમાં શાન્તિને માર્ગ એક નિવૃત્તિ જ છે. વૈરાગ્યભાવથી પિતાના આત્માનું ભાવિ નિર્મળ કરવા હરહમેશ પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યાં ગુણ હોય ત્યાંથી તે ગુણ લે. ગુણીને રાગ ધારણ કરવો અને આત્માને શુદ્ધ ગુણમાં રમણતા કરવી. કર્મરૂપ દેષથી આખી દુનિયા દેશી છે. એમાંથી જે દોષરહિત થવા પ્રયત્ન કરે છે તે જ ખરો મુમુક્ષુ છે.” ઉપસંહારઃ આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે તુછ મતમતાંતરેથી પાર શુદ્ધ આત્માની સાધનાની તેમણે જે અલખ જગાવી, તેનું પ્રતિબિંબ તેમની વાણીમાં પડે છે. તેમની અનુભવવાણીમાં એજસ, પ્રસન્નતા, પ્રભુભક્તિ, ક્રાન્તિકારી આગમાનુસારીપણું અને અધ્યાત્મમસ્તીનાં આપણને દર્શન થાય છે. તેઓનાં પદે વિવિધ રાગ અને છંદમાં ગુજરાત અને રાજસ્થાનમાં વિશેષપણે ગવાય છે અને અનેક સાધકોને પ્રેરણું આપે છે. શ્રીમદ્દ યશોવિજયજી, શ્રીમદ્ જ્ઞાનસારજી, શ્રીજ્ઞાનવિમળસૂરિ, શ્રીમદ્ રાજચન્દ્રજી, શ્રી આત્મારામજી મહારાજ તથા શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ વગેરે અનેક મહાત્માઓએ તેઓના પ્રત્યે જે બહુમાન તથા આદર-સત્કારને ભાવ પ્રદર્શિત કર્યો છે તે પરથી તેમની ઉચ્ચ અધ્યાત્મદશાને સૌને ખ્યાલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy