SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના આવી શકે છે. આવા આનંદઘનજી મહારાજ આપણને સૌને ભક્તિની સાચી આરાધનામાં વિશેષપણે પ્રેરક બને એ જ અભ્યર્થના. # શાંતિઃ . [૧૩] ભક્ત-કવિશ્રી ઘનતરાયજી અનેક ભાવમય ભજન, પૂજા અને આધ્યાત્મિક પદોના રચયિતા તથા શાસ્ત્રોના પદ્યાનુવાદકર્તા, અધ્યાત્મકવિવર સંત શ્રી ઘાનતરાયજી, ઉત્તર ભારતમાં થયેલા વિશિષ્ટ પ્રતિભાશાળી હિંદી કાવ્યકારો અને લેખકોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. જીવનપરિચય તેમના જીવન વિષે થોડી જ માહિતી મળે છે. તેમને જન્મ વિ. સં. ૧૭૩૩માં આગ્રા મુકામે થયે હતું. તેમના પિતાશ્રીનું નામ શ્યામદાસ હતું. માત્ર પંદર વર્ષની નાની વયે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. તેઓને લાલજી નામે એક પુત્ર પણ થયું હતું. વિ. સં. ૧૭૭૭માં તેઓએ સમેતશિખરની યાત્રા પણ કરી હતી. ઘાનતરાયજીની કૃતિઓ: (૧) તેમને ધર્મ વિલાસ' નામને ગ્રંથ સુપ્રસિદ્ધ છે. તેનું સંકલન તેઓએ પિતે જ વિ. સં. ૧૭૮૦માં કરેલ છે. તેમાં ૩૩૩ પદ, અનેક પૂજાપાઠ અને ૪૫ વિષયે ઉપર કવિતાઓ સંગૃહીત કરેલી છે. ભગવાન કષભદેવના. જન્મસમયનું વર્ણન અતિરેચક છે. અરે મન ભજ ભજ દીનદયાળ, જાકે નામ લેત ઈક ખિનમેં, કટે કટિ અઘજાલ, જેવાં પદમાં નામસ્મરણને મહિમા સારી રીતે પ્રતિપાદિત કરેલ છે. ઉપદેશશતકમાં ૧૨૧ પદ્ય છે. કવિએ આત્મસૌંદર્યને અનુભવ કરી વાચક સમક્ષ એવા સુરેખ રૂપમાં મૂક્યો છે કે વાચક સહેજે તેના સહભાગી થઈ શકે. માનવહૃદયને સ્વાર્થની સંકુચિત સુષ્ટિમાંથી ઊંચે લઈ જઈ લેકકલ્યાણની ભાવભૂમિ પર સ્થિત કરી. કવિએ બતાવ્યું છે કે મને વિકાર આ સાધનથી નિર્મૂળ કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy