SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ભક્તિમાર્ગની આરાધના એકાંતવાસ અને નિવૃત્તિ પ્રત્યે : વિ. સં. ૧૯૪૭ પછીને કાળ શ્રીમદ્જીના જીવનમાં વધતી જતી એકાંતસાધનાને હતું, જેમાં ૧૫૧ પછી તે તેમની નિવૃત્તિક્ષેત્રની સાધના ખૂબ જ વેગવંતી બની હતી. ૧૯૪૭માં રાળજ(ખંભાત)માં, ૧૯૫૧માં હડમતિયા(સૌરાષ્ટ્ર)માં, ૧૯૫રમાં કાવિઠા, વડવા, રાળજ, વવાણિયા, મેરબી અને સાયલામાં, ૧૯૫૪માં મૅરબી તથા ઉત્તરસંડામાં, ૧૯૫૫માં ઈડરની આસપાસનાં જંગલ અને પહાડોમાં અને ૧૯૫૬માં ધરમપુરમાં તેઓશ્રી રહ્યા હતા. અહીં મુખ્યપણે તેઓ સ્વાધ્યાય, મૌન, ચિંતન-મનનમાં પિતાને સમય વિતાવતા. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુઓ-મુમુક્ષુઓ-મુનિઓને પણ તેમના સમાગમનો લાભ મળતે; પરંતુ મુખ્યપણે પિતાને જે અપૂર્વ અવસર – બાહ્યાંતર નિગ્રંથપદ – પ્રગટ કરવું હતું તે પ્રગટાવવા માટે જાણે કે આ એક ઘનિષ્ટ તૈયારી (Intensive Training Period)ને કાળ તેમના માટે યુનિક તૈયારી 40 હતું તે પ્રગટ વિ. સં. ૧૫૬માં તેઓશ્રીનું શરીર સ્વાથ્ય બગડવા લાગ્યું હતું. તેઓએ સર્વસંગ-પરિત્યાગની તૈયારી કરીને માતાજી પાસે તેની આજ્ઞા પણ માગી લીધી હતી, પરંતુ શરીર ધીમે ધીમે વધારે કૃશ થવા લાગ્યું અને વિ. સં. ૧૫૭ના ચૈત્ર વદ પાચમને મંગળવારના દિવસે બપોરે ૨-૦૦ વાગ્યે તેઓએ રાજકોટમાં આ પાર્થિવ શરીરને ત્યાગ કરી સ્વર્ગારોહણ કર્યું. સાહિત્યનિર્માણ અને જીવનકાર્યઃ શ્રીમદ્ રાજચન્દ્ર વર્તમાન કાળના એક યુગપ્રધાન પુરુષ હતા. તેમના જીવનમાં તેમના પૂર્વભવની આરાધનાની સ્પષ્ટ ઝલક મળી આવે છે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ચિંતનશીલતા, અદ્ભુત સ્મરણશક્તિ, જન્મજાત કવિત્વ, અપૂર્વ ઉપદેશકપણું, લેકકલ્યાણની ભાવના, સર્વધર્મસમભાવ, વિશિષ્ટ જૈનધર્માનુરાગ, વિશ્વ વાત્સલ્ય, સિદ્ધહસ્ત લેખકપણું, પ્રચુર વિદ્યાપ્રેમ, વચનાતિશય, ઉત્કૃષ્ટ સાધકપણું ઈત્યાદિ અનેક સદ્દગુણેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy