SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સમતા-એકતા અનન્યભક્તિ, એકત્વભક્તિ, સ્વરૂપભક્તિ, આત્મભક્તિ કે પ્રેમસમાધિરૂ૫ ભક્તિ કહેવામાં આવે છે. આવા ભક્તના મેરેમમાં એક સાત્વિક આનંદ છવાઈ જાય છે. તેનું ચિત્ત પ્રસન્નતાથી ઊભરાઈ જાય છે, અને પિતાના પ્રિય તમની ઉપાસનામાં– સેવામાં – તે પિતાના જીવનને શેષ કાળ સમર્પણતાપૂર્વક વ્યતીત કરે છે. તેનું જીવન આંતરબાહ્ય શુદ્ધ થઈ જાય છે, અને તેની આજુબાજુ પણ એક દિવ્ય પ્રેમ અને પરમ શાંતિનું વાતાવરણ ઊભું થઈ જાય છે. આમ સ્વ-પર-કલ્યાણની ઉત્તમ શ્રેણને પામેલા તે સાધકનું જીવન હવે એક પુરુષનું – સાચા સંતનું – જીવન બની જઈ, વ્યક્તિગત અને સામૂહિક કલ્યાણની એક દીવાદાંડી સમું શોભતું રહી અનેક મુમુક્ષુસાધક ભક્તોને આધ્યાત્મિક પ્રેરણાસ્ત્રોત બની રહે છે. ઉત્તમ ભક્તનું સ્વરૂપઃ ઉત્તમ ભક્ત, ઉત્તમ જ્ઞાની અને ઉત્તમ ભેગી – આ ત્રણેય પ્રકારના મહાત્માઓના જીવનમાં તાત્વિક દષ્ટિએ વિચારતાં સમાનતા હોય છે. ભક્તના જીવનના વિકાસમાં સંવેદનશીલતાની મુખ્યતા હોય છે, જ્ઞાનીના જીવનના વિકાસમાં વિવેકની ઝળહળતી તનું મુખ્યપણે દિગ્દર્શન થાય છે અને યેગીના જીવનના વિકાસમાં દઢપણે શાંતરસ અનુસારિણી જીવનપ્રક્રિયાની મુખ્યતા જોવામાં આવે છે. ગમે તે બાહ્ય પ્રકારની સાધનાપ્રણાલી વડે આ પરત્માત્મતત્વની ઉપાસના કરવામાં આવે, તે સઘળીય ઉપાસનાનું ફળ અંતરાત્માની શુદ્ધિ અને ચિત્તની સ્થિરતા છે. આ બે તની પરમાર્થથી જ્યાં સિદ્ધિ છે ત્યાં ઉત્તમ અધ્યાત્મદશાની પ્રાપ્તિ હેય છે. છેલ્લે, આવી દશાને પામેલા પુરુષનું જીવંત વ્યક્તિત્વ કેવું હોય છે તેનું જે વર્ણન પૂર્વે મહાત્માઓએ કર્યું છે તે જાણી, તેવા પુરુષને તત્વથી ઓળખી, તેમનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી, સર્વ ભક્તસાધકે તેવી ઉત્તમ ભક્તદશાને પામવાને પ્રયત્ન કરે તે જ ભાવના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy