SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ભક્તિમાર્ગની આરાધના (૧) જેઓ જીવમાત્ર પ્રત્યે દ્વેષરહિત હોય, સૌ સાથે સમતાવાળા. ક્ષમાવાન, સંતુષ્ટ, યનવાન, દઢ નિશ્ચયી અને પ્રભુ પ્રત્યે અર્પણતાવાળા હોય, જે લેકેથી ડરતા નથી અને લેકે જેનાથી ડરતા નથી, જે ભય, હર્ષ, ઈર્ષ્યા અને સર્વ આરંભના ત્યાગી હોય તથા જે હર્ષ, દ્વેષ, શોક અને આકાંક્ષાથી રહિત અને શુભાશુભ(ક)ના ત્યાગી હોય તથા જે શત્રુમિત્રમાં, માન-અપમાનમાં, ઠંડી-ગરમીમાં, સુખદુઃખમાં તથા સ્તુતિ-નિંદામાં સમતાવાન હોય તથા નિસંગ, સહજપણે સદૈવ સંતુષ્ટ, ગૃહરહિત અને સ્થિર બુદ્ધિવાળા હોય, તે ભકતો ભગવાનને બહુ પ્રિય હેય છે. –શ્રીમદ્ ભગવદ્દગીતા : ૧૨-૧૩થી ૧૯ (રાગ-ખાજ, તાલ-ધુમાળી) (૨) વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ધુ સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે, ૧ સમદષ્ટિ ને તૃણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે જિહ્વા થકી અસત્ય ન બેલે, પરધન નવ ઝાલે હાથ રે. ૨ એહમાયા વ્યાપે નહિ જેને, દઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામનામ શું તાળી લાગી સકળ તીરથ તેના તનમાં રે. ૩ વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયે તેનું દરશન કરતાં, કુળ એકોતેર તાર્યા રે. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy