SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના આ ભક્તિમાર્ગની આરાધના માટે સાધકે સર્વપ્રથમ સત્સંગ કરવાનું છે. જ્યાં જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય અને પ્રભુભક્તિના ભાવનું પિષણ મળે તેવા સત્સંગમાં વારંવાર પ્રેમપૂર્વક જવાથી સાધકને રુચિને રંગ ઊતરે છે, કારણ કે સાચી પ્રભુભક્તિ દ્વારા મહમાયાના ભાવ ઘટતા જાય છે, અને દિવ્યપ્રેમના (દેવ ગુરુ ધર્મની ભક્તિના) ભાવ વધતા જાય છે. આમ, ભક્ત-સાધકના જીવનમાં પાયારૂપ એવું એક અત્યંત દઢ શ્રદ્ધાબળ ઊપજે છે, જેના ઉપર ધીમે ધીમે ભક્તિ-મુક્તિરૂપી મહેલ બંધાવા લાગે છે. ઉપરોક્ત રીતિથી જેના અંતરમાં વિવેકપૂર્વકની ભક્તિને ભાવ ઉદય પામે છે તે, ભક્તિમાં બાધક એવાં કારણેથી દૂર રહે છે અને ક્રમે કરીને તે તે કારણોના ત્યાગ કરે છે કારણ કે પ્રભુની સાથે અનુસંધાન કરવામાં તે તે કારણે અંતરાયરૂપ છે. આ પ્રમાણે ભક્તજનના જીવનમાંથી વ્યસનને, સ્વાર્થમય પ્રવૃત્તિએને, અન્યાયપૂર્વકના જીવન-વ્યવહારને અને અન્ય દુર્ગુણોને વિલય થાય છે. પાપપ્રવૃત્તિ અને પાપમય ભાવો ઉપશાંત થતાં, તેના જીવનમાં અનેકવિધ સદ્દગુણેની વિશિષ્ટ વૃદ્ધિ ત્વરિત ગતિથી થાય છે અને તેનું આત્મબળ દિવસે દિવસે વધવા લાગે છે. કાળે કરીને સાધકની ભક્તિસાધના વધતી જ જાય છે, કારણ કે શ્રદ્ધા અને સમજણપૂર્વક, ભજનના ક્રમ નિરંતર, તે, વર્ધમાન કરતા જાય છે. વિવિધ પ્રકારના સાત્વિક અને તાત્વિક અનુભવેની પરંપરાઓને પામતે થકે, પિતાની શુદ્ધિને અને ભક્તિનિષ્ઠાને વધારતે થકે તે હવે પરમાત્માનાં દર્શન પિતાના દેહદેવળમાં જ પામે છે. તેને, ભગવાન પિતાના હૃદયમાં જ પ્રગટેલા વારંવાર અનુભવમાં આવે છે, અર્થાત્ આ કક્ષાએ ભક્ત, ભક્તિ અને ભગવાનની ત્રિપુટીને વિલય થતાં ભક્તિની સર્વોચ્ચ ભૂમિકાની તેને પ્રાપ્તિ થઈ જાય છે. આ દશાને જ પરાભક્તિ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy