SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 18 લયબદ્ધ કરેલાં ભક્તિ પદોનું, ભજનનું, ગાથાઓનું, ધૂનેનું, મંત્રોનું કે એવાં બીજાં પદોનું શાંત પવિત્ર વાતાવરણમાં રહીને, લયબદ્ધ અધ્યાત્મસંગીત સહિત ભાવપૂર્વક ઉચ્ચારણ કરતાં વિશિષ્ટ ભાલાસ, રોમાંચ, પવિત્ર સ્પંદનનું વેદના અને ભાવની વિશુદ્ધિ આદિ અનેક પ્રકારની અનુભૂતિ થાય છે. આ કારણથી બને તેટલાં પદોના છંદ, રાગ, ઢાળ તે તે પદોને મથાળે આપ્યા છે. આવી વ્યક્તિ વારંવાર કરવા વાચકવર્ગને ખાસ ભલામણ છે. આ અથે જિજ્ઞાસુઓએ જાણકાર કે નિષ્ણાત અનુભવી સંગીતજ્ઞ ભક્ત પાસે થોડો સમય (છબાર મહિના) અભ્યાસ કરે. આ અભ્યાસ પૂરો કરીને, પિતે જ્યાં રહેતા હોય ત્યાં પાંચ દસ જિજ્ઞાસુ ભક્તો ભેગા મળી, જે લયબદ્ધ ભાવભક્તિને પ્રગ કરશે તે તેમણે શાસ્ત્રોક્ત “કીર્તન નામની ભક્તિ કરી ગણાશે; જે જનસામાન્યને વિશેષપણે રુચિકર અને પ્રેરક હેવાથી ધીમે ધીમે એક અગત્યનું ધર્મપ્રભાવનાનું કારણ બનશે. આવા ઉચ્ચ કક્ષાના ભાવમય અધ્યાત્મસંગીતની આ કાળમાં ખૂબ આવશ્યકતા છે, અને સ્વ-પર-કલ્યાણમાં – પવિત્રતાની પ્રાપ્તિમાં – તે ખૂબ સહાયભૂત થાય છે એ લેખકના જીવનને પ્રગાઢ અનુભવ છે. છેલ્લે, આ ગ્રંથમાં જે કાંઈ પણ સારભૂત લાગે તે સદ્દગુરુ સંતની કૃપાનું ફળ છે એમ જાણી, વિવેકી સજજને તેને અપનાવશે અને તેમાં રહી ગયેલી ત્રુટિઓ પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને, ઉદાર ચિત્ત રાખી, લેખકને ક્ષમા કરશે એવી ભાવના ભાવી વિરમું છું. ૩ શાંતિઃ –લેખક ર કરી ગણ ધીમે એક અધ્યાત્મવિત્રતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy