SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ત્યાં, આધ્યાત્મિક દૃષ્ટિની મુખ્યતા રાખીને અત્રે પૃષ્ઠ ૧૫ ઉપર બતાવ્યા પ્રમાણે તે તે શબ્દોના અર્થ કરવા અને સમજવા વાચકોને વિનતી છે. સપ્રદાયબુદ્ધિને વશ થઈ પોતાના મત પંથના કોઈ ભગવાન, સંત મહાત્મા કે અન્ય કોઈ વ્યક્તિવિશેષ પ્રત્યે જ પ્રીતિ કરવી એ સાચા સાધકની દૃષ્ટિ નથી. ગુણાની અધિકતાને લઇને, તે તે પુરુષોના વ્યક્તિત્વની સાચી તેમના ગુણેમાં અનુરક્ત થઈ તેવા ગુણેા પોતે પુરુષાર્થ કરવા તે જ પારમાર્થિક ભક્તિ છે. આ વાત ફરી ફરી વિચારી, સાધકે દૃષ્ટિરાગ કે વ્યક્તિરાગ છેાડી ગુણાનુરાગ કેળવવા યેાગ્ય છે. પરંતુ એળખાણ કરીને, પણ પ્રગટ કરવાના ગ્રંથની ઉપયેાગિતા : (૧) નિજભાવનાની વૃદ્ધિ ; આ ગ્રંથ લખતી વખતે અને સંપાદન કરતી વખતે અનેક શાસ્ત્રો, મહાપુરુષોનાં ચિત્રો અને પદ-ભજના વગેરે વાંચવાનું, વિચારવાનું અને અભ્યાસવાનું સૌભાગ્ય લેખકને પ્રાપ્ત થયું, તે દ્વારા તેની ધભાવનામાં વૃદ્ધિ થઈ છે. (૨) પાથેયનું એકીકરણ સમયની તંગીના આ જમાનામાં ભક્તસાધકોને એક જ ગ્રંથમાં ભક્તિમાર્ગનું વિવિધલક્ષી અને ઉપયાગી પાથેય મળી રહે, જેથી તેમને અનેક ગ્રંથોના આશ્રય કરવાને પરિશ્રમ અને સમય બચી જાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. (૩) અધ્યાત્મજીવનમાં ભક્તિનું વિશિષ્ટ સ્થાન: ઘણા મુમુક્ષુએ એમ માનતા હોય છે કે અધ્યાત્મશાસ્ત્રો વાંચીને જ્ઞાનની પ્રાપ્તિ કરી લઈશું, તેમાં સદ્ગુરુ કે પરમાત્માની ભક્તિની શી આવશ્યકતા છે?' બુદ્ધિની મલિનતા દ્વારા કુત ના આશ્રય કરવાથી ઊપજેલે તેમના આવા ભ્રમ આ ગ્રંથના સમ્યક્ પરિશીલનથી દૂર થવા યાગ્ય છે. (૪) અધ્યાત્મ-સ’ગીતથી ભાવવિશુદ્ધિઃ આ ગ્રંથના પ્રથમ ખંડમાં આ પેલાં વિવિધ અવતરણાનું, તથા તૃતીય ખંડમાં ઉધૃતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy