SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સહભકતનાં સપિ અને આબાદી માટે દ્વારકાથી પાછાં બોલાવવા બ્રાહાણુમંડળી અને કુલ-પુરોહિતને મોકલ્યાં. મીરાંનું સંત-હૃદય લેકનું દુઃખ સાંભળી દ્રવી ઊઠયું. તેઓ પોતાના પ્રભુની રજા લેવા મંદિરના અંદરના ભાગમાં ગયાં, પરંતુ મંદિરમાંથી પાછાં બહાર આવ્યાં જ નહીં. લેટોએ, તેઓ પ્રભુમાં સમાઈ ગયાં એમ માની લીધું. મીરાંબાઈના પદો : મીરાંબાઈએ ભારતના અનેક પ્રાંતમાં વિહાર કર્યો હતે. તેમનાં પદો રાજસ્થાની, ગુજરાતી, હિંદી અને વ્રજભાષામાં મળી આવે છે. તેમાંના ઘણું પદ પ્રક્ષિપ્ત પણ ગણવામાં આવે છે, એટલે કે અન્યનાં રચેલાં તેમના નામે ચઢાવી દેવામાં આવ્યાં છે. મીરાં જન્મજાત કવયિત્રી છે. તેમની કવિતામાં રહેલી વેધક શક્તિનું કારણ એ છે કે તેનું કાવ્ય તે તેમની અંતરંગ પ્રેમ ઊર્મિનું સહજપણે પ્રવહેલું શબ્દ-વાહન છે. તેમાં પ્રભુ-મિલનને તલસાટ છે, સરસતા છે, સાહજિકતા છે, વિરહીપણું છે, દાસત્વભાવ છે, ગુરભક્તિ છે અને આત્યંતિક સમર્પણતા હોવાને લીધે પ્રસન્નતા પણ છે. તેમાં રહેલી ગેયતા અને લયબ હતા તેને કપ્રિય અને લેકગ્ય બનાવે છે. વર્તમાનકાળમાં તેમનાં પદેને પ્રચાર-પ્રસાર કરવાનું મુખ્ય શ્રેય પ્રસિદ્ધ બંગાળી લેખક શ્રી દિલીપકુમાર રૉયને ફાળે જાય છે. દિલ્હીના પ્રસિદ્ધ “બિરલા મંદિરમાં પણ મીરાંબાઈનાં શેડાં પદે “સંતવાણીના વિભાગમાં ભીંત પર લખવામાં આવ્યાં છે. હવે આપણે મીરાંબાઈનાં થોડાં પદે જઈએ (૧) ઘડી એક નહિ આવડે, તુમ દરસણ બિન માય; તુમ હૈ મેરે પ્રાણથ, કે સુ કવન હેય... પંથ નિહાફ ડગર બુહારં, ઊભી મારગ જોય મીરાં કે પ્રભુ! કબ મિલેગે ? તુમ મિલિયાં સુખ હોય. ૧. રસ્તો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy