SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ભકત અને ભગવાન ૧. પ્રવચન મંજન ને સદગુરુ કરે, દેખે પરમનિધાન જિનેશ્વર! હૃદયનયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર! ધર્મ જિનેશ્વર ગાઉં રંગરું –શ્રીમદ્ આનંદઘનજીકૃત ધર્મનાથ સ્વામીનું સ્તવન (દેહરા) ૨. મન ઐસા નિમજ ભયા, જૈસે ગગાનીર પછે પાછે હરિ ફિરે, કહત કબીર કબીર સરળ હૃદય સહિત એવી શુદ્ધ વસ્તુનું અવલંબન લેવું જોઈએ કે જેની સાથે સંપર્ક થતાં, પરિચય થતાં, મગ્નતા થતાં ભક્તનું જીવન પણ ત્વરાથી શુદ્ધિને પ્રાપ્ત કરે. (૧) ભગવાન અથવા પરમાત્મા : લૌકિક કાર્યોમાં આપણે જેવા થવું હોય તે આદર્શ ખ્યાલમાં રાખીને તે આદર્શની આરાધના કરીએ છીએ. જેમ કે ધનને આથી રાજાને સેવે છે અથવા ભારતને દેશભક્ત મહાત્મા ગાંધીજી અથવા સુભાષચંદ્ર બેઝને ખ્યાલમાં રાખીને પિતાનું જીવન ઘડે છે. પરમાર્થ માર્ગમાં આ જ પ્રમાણે ભક્ત પણ તેવા પરમાત્માને ભજે છે, જેમાં સર્વ સદ્ગુણે પૂર્ણપણે પ્રગટી ગયા હોય. પરમાત્માના અનન્ત ગુણે મણે તેમનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ અને વક્તાપણું મુખ્ય છે. જ્ઞાનને રેકનારાં એવાં જ્ઞાનાવરણીય કર્મોને, આનંદને રોકનારી એવી ચિત્તની અસ્થિરતાને અને વક્તાપણાને શેકનાર એવા પક્ષપાતને અને અલ્પજ્ઞતાને જેમણે પૂર્ણપણે પરાભવ કર્યો છે અને તેના ફળસ્વરૂપે જેઓએ પૂર્ણ જ્ઞાનાનંદદશા સહિત સર્વોત્કૃષ્ટ વક્તાપણું પ્રગટ કર્યું છે તેવા વીતરાગ પરમાત્માની ભક્તિ વિવેકી ભક્તોને પરમ પ્રિય હોય છે. આવા પરમ શાંત ભાવને પ્રાપ્ત થયેલા પરમાત્મા, જેમના દર્શનથી ભક્તમાં અત્યંત શાંત, શીતળ, ઉપશમ, પવિત્ર ભાવેની ઊર્મિઓ જાગે તેમને ભજવાથી ભક્તનું કાર્ય શીધ્ર સિદ્ધ થાય છે. તેમનું સંક્ષિપ્ત સ્વરૂપ સત્યરૂએ આ પ્રમાણે વર્ણવ્યું છે: Jain Education International For Pe For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy