SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાર્ગની આરાધના પણું ઈચ્છે છે અને તેથી કઈ પણ પ્રકારની મેહાંધતાને વિશે રુચિપૂર્વક – બુદ્ધિપૂર્વક પ્રવર્તતા નથી. આમ કરવા માટે ખાવામાં, પીવામાં, હરવાફરવામાં, વાતચીતમાં, ધંધા વ્યાપારમાં, લેણદેણમાં, કૌટુંબિક સબંધમાં કે અન્ય કોઈ પણ કાર્યમાં તે ભક્ત તીવ્ર પણે આસક્ત થઈ જતું નથી. જગતના સમસ્ત પદાર્થો પ્રત્યેની મેહમાયાને ઘટાડવાનો પ્રયત્ન ભક્તજન નિરંતર કર્યા જ કરે છે. માટે જ કહ્યું છે? (દેહરા) વિષયને લગી પ્રીતડી, તબ હરિ અંતર નાહિં, જબ હરિ અંતર બસે, પ્રીતિ વિષયસે નાહિં. – કબીરનાં આધ્યાત્મિક પદે ૧-૬-૧ આ પ્રમાણે ઉપર વર્ણવેલા ગુણે જ્યારે ભક્તના જીવનમાં પ્રગટે છે અને પરિપકવતાને પામે છે ત્યારે તે ખરેખર ભક્તિની આરાધનામાં ત્વરાથી આગળ વધે છે. આવા ભક્તનું સુંદર શબ્દચિત્ર શ્રીરામચરિતમાનસમાં દૃષ્ટિગોચર થાય છે ? (ચે પાઈ) સરલ સુભાવ ન મન કુટિલાઈ ! જથા લાભ સંતોષ સદાઈ છે બૈર ન બિગ્રહ આસ ન ત્રાસા સુખમય તાહિ સદા સબ આસા. અનારંભ અનિકેત ' અમાની અનધર અરષદ" વિજ્ઞાની છે પ્રીતિ સદા સજજન સંસર્ગ તૂન સમ વિષય સ્વર્ગ અપવર્ષા | આ જે ભક્ત તેણે કેની ભક્તિ કરવી ? અને શા માટે કરવી? એમ પ્રશ્ન થાય તેને ઉત્તર એ છે કે તેણે ભગવાનની, સદ્દગુરુની અને શુદ્ધ ધર્મપ્રરૂપક શાસ્ત્રની ભક્તિ કરવી. આવી ભક્તિનું પ્રયોજન પિતાના ચિત્તને નિર્મળ અને સ્થિર કરવાનું છે કારણ કે આવા નિર્મળ હદયમાં જ ભગવાનના દર્શન સહેજે થઈ શકે છે. કહ્યું છે કે ૧. ઘર વગરના ૨. વિનયી ૩. પાપરહિત ૪. ક્ષમાવાન ૫. કુશળ ૬. માણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy