SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના “અનત કાળથી આથડ વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુસંતને, મૂક્યું નહિ આભમાનપ્રભુ, પ્રભુ લય લાગી નહિ, ૫ડયો ન સદૂગુરુ પાય; દીઠા નહિ નિજ દે તો, તપિયે કેણ ઉપાય? અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?” –શ્રીમદ્ રાજચન્દ્રઃ ૨૪/૧૫-૧૮-૧૯. આમ, સાચા જિજ્ઞાસુ થઈને સરળતા-વિનયાદિ ગુણો સહિત વારંવાર તેને, ભગવદ્ભક્તોને અને સત્સંગીઓને સમાગમ કર જોઈએ. વારંવાર પ્રભુના ગુણોને મહિમા સાંભળીને તે સંબંધી વિચાર કર. આવી સાધનામાં જે જે બાધક-ત હોય તેમને ત્યાગ કરે. સાત્વિકતાને ગ્રહણ કરીને, નાસ્તિક અને દુર્જનેથી દૂર રહીને, તેમ જેમ પ્રભુના ગુણેને વિચાર કરવામાં આવશે તેમ તેમ શ્રદ્ધાને આવિર્ભાવ થઈ તે પાકી થતી જશે. પ્રથમ અને મધ્યમ ભૂમિકાઓમાં અનાદિ કાળથી સેવેલાં મિથ્યા-અભિમાનના સંસ્કાર જેર કરશે, તથા ઊંઘ, ખૂબ ખાવાપીવાની વૃત્તિ, ગામના ગપાટા મારવાની ટેવ, વ્યસન વગેરે તુચ્છ વસ્તુઓ પ્રતિ ચિત્તનું વારંવાર ખેંચાઈ જવું, લેક તરફથી અને સ્વજને તરફથી ભગવદ્દભજનમાં અનેક વિદ્ગોનું ઉપજાવવું, ભવિષ્યમાં મારું શું થશે અને મને કેણ મદદરૂપ થશે એવી ચિંતા અને ભયની લાગણી થવી એ ઈત્યાદિ પ્રકારે અનેક બાહા. અને અંતર પરિબળે સત્સંગ-સવિચાર-પ્રભુભક્તિમાં વિક્ષેપરૂપ થશે તે પણ વિશ્વાસ, સદ્ગુરુમાં નિષ્ઠા અને આધીનપણું તથા સતત ભજનને અભ્યાસ કરવાથી ભગવાનનું લેકોત્તર માહાભ્ય શ્રદ્ધામાં આવશે અને પિતાના દોષોને વિશેષ વિશેષ ખ્યાલ આવતે જશે. આમ થતાં, સાચા સ્વરૂપમાં “લઘુતાને ભાસ થશે અને ભક્તિના આ પ્રકારની સાધના કેમે કરીને સારી રીતે સિદ્ધ થઈ શકશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy