________________
હતા.
ઉપરોક્ત આખી સાધનાની સાંકળમાં, યોગ્ય સત્સંગને વિધિપૂર્વક આશ્રય અને પિતાની અંતરની શ્રદ્ધા – આ બે વસ્તુઓ પાયારૂપ છે. તેને સાધનાક્રમ સંક્ષેપમાં મહાત્માઓ નીચે પ્રમાણે કહે છે:
“પરંતુ તે ભક્તિ વિષયત્યાગ અને સંગત્યાગથી પ્રાપ્ત થાય છે. મુખ્યત્વે મહાત્માઓની કૃપા અથવા તે ભગવાનની કિંચિત કૃપાથી તે પ્રાપ્ત થાય છે. તે માટે મહાત્માઓને સંગ દુર્લભ, અગમ્ય અને અચૂક સાધન છે. કુસંગને સર્વથા ત્યાગ કર સ્ત્રી, ધન, નાસ્તિક અને ઘેરીનાં વચને સાંભળવા નહીં. અભિમાન, દંભ આદિકને છોડવાં તથા વાદવિવાદનું અવલંબન લેવું નહીં. અહિંસા, સત્ય, પવિત્રતા, દયા, આસ્તિક્ય આદિનું પાલન કરવું. અખંડ ભજનથી તેમાં સફળતા મળે છે.*
આ પ્રમાણે જ્યાં સુધી અને જેટલા પ્રમાણમાં પિતાની ભક્તિ-શક્તિ પહોંચે છે ત્યાં સુધી અને તેટલા પ્રમાણમાં ભક્ત સાધક વિવેકપૂર્વકને ગુરુતમ પુરુષાર્થ કરે છે. આમ કરવા છતાં કેઈક કઈક ક્ષણે સાધનાકાળમાં એવી પણ આવે છે કે જ્યારે આગળ વધવું તે શું પણ જ્યાં હોઈએ ત્યાં ટકી રહેવું પણ ભક્તને માટે મુશ્કેલ બની જાય છે. આવું અનુલંઘનીય વિશ્વ આવતાં તે શું કરે? આવા કટીના કપરા કાળમાં, કાં તે તે સપુરુષના શરણે જાય અથવા તે પ્રભુનું શરણ ગ્રહણ કરી પિતે પ્રાર્થનારૂપે પ્રવર્તે છે. દરેક ભક્ત-સાધકને વધતા-ઓછા પ્રમાણમાં આવી દશાને અનુભવ થાય જ છે તેથી તે પ્રાર્થનાપ સાધનાપ્રણાલીને આપણે હવે વિચાર કરીએ.
* શ્રી ભક્તિસૂત્ર (મહર્ષિ નારદજી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org