SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતોનાં ચરિએ થયે અને પરમાત્માની સાચી ભક્તિથી આત્મવિશુદ્ધિની સાથે લૌકિક રિદ્ધિસિદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે એ સિદ્ધાંત પ્રગરૂપે સિદ્ધ થયા. યથા – (દોહરા) તુમ પદ૫કજ પૂજ, વિદન રેગ કર જાય; શત્રુ મિત્રતાકે ધી, વિષ નિરવિષતા થાય, આચાર્યશ્રીની સૌથી પ્રસિદ્ધ રચના ભક્તામરસ્તેત્ર છે. પ્રાકૃતમાં લખાયેલું ભયહરસ્તેત્ર પણ તેમની કૃતિ માનવામાં આવે છે. ભક્તામર સ્તોત્રમાં ૪૮ ક દ્વારા ભગવાન ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. સંસ્કૃત ભાષા, કાવ્યચમત્કાર, અલંકાર વગેરે દષ્ટિએથી જોતાં એક ઐતિહાસિક સ્તુતિકાવ્ય છે. બધાય લેક એકમાત્ર વસંતતિલકા છંદમાં લખાયા છે. કલ્યાણમંદિરતેત્ર સાથે આ તેત્રનું ઘણું સામ્ય છે. સમસ્ત જૈન સમાજમાં આ સ્તંત્રને ખૂબ જ મહિમા છે અને હજારો ભક્તજને દરરોજ તેને મુખપાઠ કરે છે. તેના પર અનેક ટીકાટિપ્પણ થયેલાં છે અને તેને અતુ. વાદ હિંદી, ગુજરાતી, મરાઠી વગેરે અનેક ભાષાઓમાં થયેલું છે. આવી ભાવપ્રેરક, પ્રભુગુણવાચક શ્રેષ્ઠ કૃતિના રચયિતા ભક્તપ્રવર આચાર્યશ્રીના ચરણકમળમાં નમસ્કાર કરી, તેમનાં એકબે પદ્યનું આસ્વાદન ગુજરાતીમાં કરીએ – જે જેને ભજે તે તેના જે થાય એ ન્યાયને પ્રતિપાદિત કરતું એવું એક, અને પરમાત્મપદને પામવાને શ્રેષ્ઠ ઉપાય પરમાત્માને જાણીને, માનીને તેમને ભજવા એ જ છે, એવા સિદ્ધાંતને રજૂ કરતું બીજું - એમ બે પદો નીચે પ્રમાણે છે: (મંદાક્રાંતા) એમાં કાંઈ નથી નવીનતા નાથ! દેવાધિદેવ! ભકત સવે પદ પ્રભુ તણું પામતા નિત્યમેવ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy