SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિત માગને આરાધના [૩] મહાકવિ શ્રી માનતુંગાચાર્ય પિતાની અંતરંગ શ્રેષ્ઠ ભક્તિ અને ચમત્કારિક કવિત્વ દ્વારા શ્રીષભદેવ ભગવાનના અદ્ભુત સ્તંત્રની – શ્રી ભક્તામર સ્તંત્રની – રચના કરનાર શ્રી માનતુંગાચાર્ય સાતમી શતાબ્દીને એક મહાન સપુરુષ થઈ ગયા. જીવનપરિચયઃ આચાર્યશ્રીના જીવન સંબંધી અપૂર્ણ અને વિવાદાસ્પદ માહિતી ઉપલબ્ધ થાય છે. તેમના જન્મસ્થળ, કુળ કે ગુરુપરંપરા વિષે પણ પ્રમાણપૂર્વકની નક્કર હકીકતને અભાવ વર્તે છે. માત્ર તેઓ રાજા હર્ષ કે રાજા ભેજના સમયમાં થયા હોવા જોઈએ એવી વિદ્વાનોની માન્યતા છે. ડો. કીથ તથા પં. શ્રી ગૌરીશંકર ઓઝા વગેરે ઇતિહાસવેત્તાઓએ પિતાના સંશોધન દ્વારા તેમને હર્ષકાલીન માન્યા છે. સમ્રાટ હર્ષને રાજયકાળ ઈ. સ. ૬૦૬ થી ૬૪૭ છે, તેથી આચાર્યશ્રી પણ સાતમી શતાબ્દીમાં વિદ્યમાન હતા અને પ્રસિદ્ધ સંસ્કૃત મહાકવિ બાણના સમકાલીન હતા. તેમના જમાનામાં પરમાત્માની સ્તુતિ દ્વારા ચમત્કાર બતાવવાની એક પ્રકારની પ્રણાલિકા સર્વત્ર પ્રવર્તતી હતી. જૈન ગુરુઓ પાસે આવી વિદ્યા છે કે કેમ એ પ્રશ્ન ઊઠતાં તેના સમાધાન માટે આચાર્યશ્રીને આહ્વાન સ્વીકારવું પડેલું. જોકે તેઓનું સ્પષ્ટ વિધાન હતું કે મારા પ્રભુ તે વીતરાગી છે તેથી સ્તુતિ-નિંદાનું પરમાર્થથી તેને કોઈ પ્રયજન નથી, પરંતુ પ્રભુના આશ્રિત દેવતાએની સ્તુતિથી લૌકિક ચમત્કાર બની શકે. લેકકથા અનુસાર આચાર્યશ્રીને લેખંડની બેડીના બંધનમાં મૂકવામાં આવ્યા. તેઓએ પરમાત્માની સ્તુતિરૂપે જે પ્રસિદ્ધ તેત્રની રચના કરી તેના પ્રભાવથી તેમની બેડીઓ તૂટી ગઈ અને જિનશાસનને જયજયકાર * “પ્રભાવકયરિતમાં જણાવ્યા પ્રમાણે તેઓ બનારસના વિદ્વાન શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા અને તેમની માતાનું નામ ધનશ્રી હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy