SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ અને આચાર્ય, હરિ તે ઉપરોક્ત કૃતિઓ સંત-ભકતનાં ચરિત્રો બને આમ્નાયના પ્રથમ કેટિના પ્રાચીન અને અર્વાચીન અનેક મહાન આચાર્યોએ તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે, જેમાં સર્વશ્રી અકલંક આચાર્ય, જિનસેન આચાર્ય, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિ આદિ અનેક છે. - ઉપરોક્ત કૃતિઓમાંથી અને આપણે માત્ર કલ્યાણમંદિર તેત્ર વિષે ટૂંકમાં વિચારીશું. ૩. કલ્યાણ મંદિર સ્તોત્રઃ અત્યંત ભક્તિભાવથી સભર આ સ્તેત્રમાં ૪૪ પદો છે. ભગવાન પાર્શ્વનાથની તેમાં સ્તુતિ કરેલી છે. તે ભગવાનના નામથી સંસારનાં દુખે ક્ષીણ થાય છે. હરિ, હર, બ્રહ્મા વગેરે મહાપુરુષોને પરાજિત કરનાર કામને ભગવાને પરાજિત કરેલ છે, ક્રોધને તે તેમણે નવમા ગુણસ્થાનકે જીતી લીધે છે અને ક્ષમાથી ક્રોધ જીતી શકાય છે તે પિતાના જીવનથી સાબિત કરી બતાવ્યું છે. આમ, ભગવાનના વિવિધ ગુણને મહિમા ગાઈને સૌ કોઈને ભક્તિભાવથી તેમાં લીન થવાને ઉપદેશ કર્યો છે. પરંતુ ભાવશૂન્ય ભક્તિ નિરર્થક છે, ભાવપૂર્વક કરેલી ભક્તિ જ સાર્થક બને છે એ સિદ્ધાંત નીચેના લેકમાં તેમણે પ્રતિપાદિત કર્યો છે: आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि नूनन चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबान्धव! दुःखपात्रम् । यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः॥ કલ્યાણમંદિર સ્તોત્રઃ ૩૮ હે ભગવાન! મેં આપનું નામ પણ સાંભળ્યું છે, આપની પૂજા પણ કરી છે અને આપનાં દર્શન પણ કર્યાં છે, પણ દુખ મારે કેડો છેડતું નથી, તેનું કારણ એ છે કે મેં ભક્તિભાવપૂર્વક આપનું ધ્યાન કર્યું નથી. માત્ર આડંબરથી જ આ સર્વ કર્યું છે, ભાવપૂર્વક નહિ. જે ભાવપૂર્વક ભક્તિ, પૂજા કે સ્તવન કર્યું હોત તે સંસારનું આ દુઃખ મારે ભોગવવું ન પડત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy