SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતનાં ચરિત્રો અને રાજ્યને વિનાશ થશે.” રાજાએ આચાર્યશ્રી સાથે તેની ચર્ચા કરી. તેના ફળસ્વરૂપ રાત્રે દેવીની સામે એક પશુને રાખવામાં આવ્યું અને કહેવામાં આવ્યું, “જે દેવી ખરેખર બલિદાન ઈચ્છતાં હશે તે પશુનું ભક્ષણ કરશે.” પણ આમ થયું નહિ. પ્રતિ સ્પધીઓ નિરુત્તર બની ગયા અને કુમારપાળની અહિંસા પ્રત્યેની શ્રદ્ધા રૂઢ બની. હેમચન્દ્રાચાર્યજીની સમદષ્ટિનું એક ઉદાહરણ ઉપર આપ્યું છે, પણ આચરણ દ્વારા તે તેમણે પ્રત્યક્ષ રજૂ કર્યું તેથી તેમની ખ્યાતિ વધુ પ્રસરી. એક વખત વિહાર કરતાં તેઓ સેમિનાથ પાટણ પધાર્યા. મહારાજા કુમારપાળ પણ તે સમયે ત્યાં આવેલા હતા. કેટલાક વિનસંતોષી માણસેએ કહ્યું કે આચાર્ય, ભગવાન શિવને નમશે નહિ, પણ હેમચન્દ્રાચાર્યે તેમની ધારણા બેટી પાડી. શિવજીને સાષ્ટાંગ નમસ્કાર કરી તેમણે નીચેને શ્લેક ગાઃ “ભવબીજાકુરજનના રાગાઘાટ સમુપાગતા યસ્યા ઘલા વા વિષ્ણુ, હરે જિને વા નમસ્ત ” ભવબીજને અંકુરિત કરવાવાળા રાગદ્વેષ પર જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે તેવા ભલે બ્રહ્મા, વિષણુ, હરિ કે જિનેશ્વર ઈત્યાદિ ગમે તે નામથી સંબંધિત છે, તેને મારા નમસ્કાર છે.” મહારાગે મહારે, મહામહસ્તવ ચ ા કષાયસ્ય હતા કેન, મહાદેવઃ સ ઉચ્ચતે ” જેણે મહારાગ, મહાલ, મહામહ અને કષાયને નાશ કર્યો છે તે મહાદેવ છે.” એમ કહ્યું. આવી હતી તેમની સર્વધર્મ સમન્વયાત્મક નીતિ. ઉદાર ધર્મનીતિ, રાજાઓ પરને વિશિષ્ટ પ્રભાવ અને વિશાળ શ્રુતજ્ઞાન-વૈભવથી તેઓશ્રીએ જૈનશાસનનું ગૌરવ ખૂબ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy