SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (3 ; ભકિતમાર્ગની આરાધના આ ઉપરાંત “અભિધાન ચિન્તામણિ, હેમ અનેકાર્થ સંગ્રહ', દેશી-નામમાલા” અને “નિઘંટુ કોષ એ ચાર ગ્રંથમાં તેમણે જ્ઞાનને અમૂલ્ય ભંડાર આપણને બ છે. વળી પ્રમાણ-મીમાંસા, યેગશાસ્ત્ર, વીતરાગસ્તવન, અર્ણરીતિ વગેરે બીજા ગ્રંથેથી પણ તેઓએ પિતાની અનેકવિધ પ્રતિભાને ખ્યાલ આપે છે. આમ કુલ સાડાત્રણ કરોડથી પણ વધુ ગ્લૅકવાળું તેમનું સાહિત્ય આપણે અમૂલ્ય વારસે છે. અનેક સાહિત્યકારે તેમની આસપાસ વીંટળાચેલા રહેતા. તેમના પ્રશિક્ષણ કેન્દ્રમાં એક સાથે ૮૪ કલમે કામ કરતી હતી. અહિંસામય વીતરાગધર્મની પ્રભાવનામાં તેમને ગુજરાતના બે મહાન રાજવીઓને સહકાર સાંપડયો હતે. સિદ્ધરાજ જયસિંહ તેમના પરમ મિત્ર ને પ્રશંસક બની ગયા હતા. આ મહાનુભાવની સમદષ્ટિ કેવી હતી તેને ખ્યાલ સિદ્ધરાજે પૂછેલા એક પ્રશ્નને તેમણે જે ઉત્તર આપ્યું હતું તે પરથી મળે છે. સિદ્ધરાજે એક વખત પૂછયું, “ક ધર્મ શ્રેષ્ઠ છે?” જવાબમાં હેમચન્દ્રાચાર્ય શંખપુરાણમાં આવેલા એક ન્યાયનું દષ્ટાન્ત આપ્યું અને કહ્યું, જેમ વૃષભને મરતાં મરતાં સંજીવની ઔષધિ મળી ગઈ, તેમ સત્યશોધન કરવામાં કઈ પણ પૂર્વગ્રહ વિના વિવેકબુદ્ધિને વેગ્ય ઉપગ કરી સત્યનું સંશોધન કરશે તે તમને તે અવશ્ય લાધશે.” કેવી હતી આ વિશુદ્ધ વિવેકબુદ્ધિ! સિદ્ધરાજના સ્વર્ગવાસ પછી કુમારપાળ ગુજરાતની ગાદી પર આવ્યા. કુમારપાળ પર આચાર્યશ્રીએ અનેક ઉપકાર કર્યા હતા. આથી ઉપકારવશ કુમારપાળે રાજસિંહાસન પર આરૂઢ થતાં રાજ્યને આચાર્યશ્રીના ચરણમાં સમર્પિત કર્યું. આચાર્યશ્રીએ તેને અસ્વીકાર કરી કુમારપાળને સૂચના કરી કે તેણે રાજ્યમાં અમારિ કે વગડાવ. આ રીતે રાજ્યમાં “અમારિ ઘેષણ કરવામાં આવી. તેનાથી ઈર્ષ્યાન્વિત થયેલા કેટલાક રાજપુરુષોએ રાજાના કાન ભંભેર્યા, “દેવીને બલિદાન નહિ મળે તે કેપ કરશે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy