SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતોનાં ચરિત્ર પાછા ફરી રહ્યા હતા. માલવ દેશનું ઉત્તમ સાહિત્ય તેમને પ્રાપ્ત થયું હતું. તેની પૂર્તિરૂપ એક અદ્વિતીય વ્યાકરણ લખાવવાની તેમને ઈચ્છા થઈ. વિદ્વાને તેમને આંગણે આવ્યા. તેમાંથી તેમની ચતુર દષ્ટિએ આચાર્ય હેમચન્દ્રજીને ઓળખી કાઢયા અને તેમને વ્યાકરણ લખવાની વિનંતી કરી. સાહિત્ય-નિર્માણ અને અન્ય કૃતત્વ: “સિદ્ધહેમ વ્યાકરણની રચનાની આ હતી ભૂમિકા. આ વ્યાકરણની રચનાથી વિદ્વાનોની સૃષ્ટિમાં એક નવી ચમક આવી. મહારાજા સિદ્ધરાજે હાથીની અંબાડી પર સ્થાપિત કરી આ ગ્રંથરત્નને આખા નગરની પરિ. કમ્મા કરાવી. ૩૦૦ વિદ્વાનેએ તેની નકલ કરી અને દેશમાં સર્વત્ર તેને પ્રચાર કર્યો. કાશ્મીર સુધીનાં સર્વ પુસ્તકાલયમાં સિદ્ધહેમ વ્યાકરણને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થયું. ગુજરાતમાં અભ્યાસક્રમમાં આ વ્યાકરણને દાખલ કરવામાં આવ્યું અને તેને શિક્ષણ માટે વિદ્વાન અધ્યાપકની વરણી કરવામાં આવી. ૩૫૬૬ લેકે અને આઠ અધ્યાયમાં વિભાજિત આ વ્યાકરણની તુલના પાણિનીના તથા શાકટાયનના વ્યાકરણની સાથે કરવામાં આવી છે. તેના આઠ અધ્યાયમાં સાત અધ્યાય સંસ્કૃત ભાષામાં છે અને એક અધ્યાય પ્રાકૃત ભાષામાં છે. પ્રાકૃત તે સમયની લેકભાષા હતી. આથી હેમચન્દ્રાચાર્યે તેને સંસ્કૃતપ્રધાન ગ્રંથમાં ઉચિત સ્થાન આપ્યું. “ત્રિષષ્ટિશલાકાપુરુષ' નામને તેમની કૃતિમાં ૬૩ મહાપુરુષનાં જીવનવૃત્તાન્ત આલેખાયેલાં છે. તેમાં ૨૪ જિને, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવનાં પ્રેરક ચરિત્રનું આલેખન કરી આપણને પ્રેરણા આપવા ઉપરાંત તત્કાલીન સંસ્કૃતિ, ધર્મ, દર્શન, વિજ્ઞાન, કળા અને તત્વજ્ઞાનને એવી રીતે વણી લેવામાં આવ્યું છે કે સામાન્ય મનુષ્યને, ભક્તને, ઈતિહાસપ્રેમીને કે અભ્યાસી વાચકોને–સૌને માટે તે ઘણે ઉપયોગી ગ્રંથ બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy