SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના અને વિવિધ વિષયને સ્પર્શતું જે અનુપમ સાહિત્ય આપણને ભેટ આપ્યું છે તેને જેટો મળ દુર્લભ છે. જીવનપરિચય: શ્રમણ સંસ્કૃતિના આ ઉજવલ રતનને જન્મ ઈ. સ. ૧૧૪પમાં કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે ધંધુકામાં માતા પાહિણીની કૂખે થયું હતું. પુત્રરત્ન ગર્ભમાં હતું ત્યારે માતા પાહિણીને એવું સ્વપ્ન લાગ્યું કે પિતે પુત્રરત્નને ગુરુચરણે ભક્તિભાવપૂર્વક સમર્પણ કરી રહી છે. તેણીએ શ્રી દેવચન્દ્રસૂરિજીને સ્વપ્નની વાત કરી. ગુરુએ કહ્યું, “પાહિણી, તારી કૂખે જૈનશાસનની અદ્વિતીય સેવા કરનાર, પુત્રરત્નને જન્મ થશે.” ગુરુના કથનાનુસાર દેદીપ્યમાન પુત્રરત્નને પ્રાપ્ત કરી માતા કૃતકૃત્ય થઈ. પુત્રનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું. એકદા માતા પાહિણી પુત્રને લઈને ગુરુનાં દર્શન કરવા ગયા. દેવચન્દ્રસૂરિજી બાળકના મેં પરની સૂક્ષ્મ રેખાઓમાં તેમના ઉચ્ચતમ વ્યક્તિત્વને પારખી ગયા અને ધર્મસંઘને માટે બાળકની માગણી કરી. બાળકના જન્મ પહેલાં પિતાને આવેલ સ્વપ્નને યાદ કરી માતાએ પ્રસન્નતાપૂર્વક ધર્મસંઘને પિતાને એકને એક પુત્ર અર્પણ કર્યો. લધુવયમા દીક્ષા આપી ન શકાય પરંતુ બાળકની અસાધારણ બુદ્ધિમત્તા અને તેનાં અન્ય લક્ષણોને દષ્ટિમાં રાખી નવ વર્ષની વયે ઈ. સ. ૧૧૫૪ની સાલમાં ચાંગદેવને દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ મુનિ સેમચન્દ્ર રાખવામાં આવ્યું. પિતાથી પ્રખર બુદ્ધિ વડે ટૂંક સમયમાં મુનિ સેમચન્દ્રજીએ તર્કશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, સાહિત્ય ઈત્યાદિ અનેકવિધ વિદ્યાઓનું અધ્યયન કર્યું. તેમની અગાધ શક્તિઓ જોઈ ગુરુએ તેમને ૨૧ વર્ષની ઉંમરે નાગૌર (રાજસ્થાન) મુકામે આચાર્યપદ પર આરૂઢ કર્યા ને તેમનું હેમચન્દ્ર નામ રાખવામાં આવ્યું. માતા પાહિણીએ પણ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. માળવા પર વિજય મેળવી સિદ્ધરાજ જયસિંહ પાટણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy