SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાર્ગની આરાધના ભક્તિને સૂક્ષ્મ ભાવઃ સમતા એ ભક્તિની આરાધનાના પરિપાકરૂપે પ્રગટ થતે ભક્તને એક અતિ નિર્મળ, વિશુદ્ધ અને સૂક્ષમ ભાવ છે. પ્રેમ-ભક્તિમાં જેમ જેમ ભક્ત આગળ વધત જાય છે, તેમ તેમ તેના જીવનમાંથી સ્વાર્થને અંશેને વિલય થતું જાય છે, અને તેને સર્વ જેમાં પિતાના પરમ આરાધ્ય પ્રભુનું જ દર્શન થવા લાગે છે. તેવા ભક્તને મારું-તારું કાંઈ રહેતું નથી, અંતરમાં સતતપણે પ્રભુનું સ્મરણ રહેવાથી તેનું ચિત્ત એટલું બધું પ્રભુમય થઈ જાય છે કે સર્વત્ર તેને પ્રભુદર્શન જ થવા લાગે છે. તેથી જ મહાપુરુષોએ કહ્યું, “જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ સર્વ આત્માને વિષે છે. જે સ્નેહ આ આત્મા પ્રત્યે છે, તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. કઈ પ્રત્યે એ છાપણું–અધિકપણું કંઈ આત્માને વર્તતું નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે.” (શ્રીમદ્ રાજચન્દ્ર). જે આ ભક્ત હોય તે કોના પર ક્રોધ કરે? કેની નિંદા કે ઈર્ષ્યા કરે? તેના પર મેહ કરે કે તેને વિશ્વાસઘાત કરે ? તેને તે સર્વ જી પ્રત્યે સમાનતાને ભાવ ભાસે છે, તેથી જ્ઞાનીઓએ કહ્યું : ઈચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદષ્ટિથી જનાર એવા પુરુષે ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. * આ કક્ષાએ, સમતાને પામેલા મહાત્માઓનાં પરિણામની બે શ્રેણિએ વિચારી લઈએ. એક સવિકલ્પ અવસ્થા છે અને બીજ નિર્વિકલ્પ અવસ્થા છે. સવિકલ્પ અવસ્થામાં તે ભક્તજન ભક્તિના બીજા શ્રવણ-કીર્તનાદિ પ્રકારમાં પ્રવર્તે અથવા પિતાને ગ્ય બીજી પ્રવૃત્તિમાં પણ રહે, જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં આવી જાય ત્યારે તે તે પ્રભુપ્રેમમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે અને દેહનું કે જગતનું સર્વ ભાન ગુમાવી દે છે. આ દશાને * શ્રીમદ્ ભાગવતઃ ૩–૨૪–૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy