SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સમHI- એTI સમતા ભૂમિકા? ભક્તિમાર્ગની આરાધનાની ચરમસીમાની આ ભૂમિકા છે. સમતા અને એકતાને ભાવાર્થ લગભગ એક થાય છે. સમતા શબ્દ સમભાવ, સમરસીભાવ, સ્વભાવનું સૂચન કરે છે. સિદ્ધાંતમાં, તેને માટે બીજા છ મુખ્ય શબ્દોને ઉપગ કરીને બધાને એકાર્યવાચક કહ્યા છે. આ છ શબ્દો છે સામ્ય, સ્વાથ્ય, સમાધિ, ગ, ચિત્તનિરોધ અને શુદ્ધોપાગ.* - સમતાની સાધના કેમે કરીને સિદ્ધ થઈ શકે છે. સરળતા, વિનય અને સમજણ વગેરે ગુણેથી સંપન્ન થઈ, શ્રવણ-કીર્તનાદિ ભક્તિના પ્રકારની ઉપાસના દ્વારા, જેમ જેમ ભક્તના ભાવેની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ સમતાની ઉત્પત્તિ થઈ તેની વૃદ્ધિ થતી જાય છે વિવેકપૂર્વકની ભક્તિના ફળરૂપે જ્ઞાનીઓએ આ સમતાની પ્રાપ્તિ કહી છે. યથા (તાટક છંદ). સમભાવી સદા પરિણામ થશે, જડ મદ અધગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવત ભવંત લહે. શ્રી મોક્ષમાળા: ૧૫-૩ * શ્રી પદ્મન દિપચવિંશતિઃ ૪-૬૪ અહીં લેક ૩ થી ૭૦ સુધી આ સમતાભાવનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. તે અભ્યાસી મુમુક્ષુઓએ અવલોકન કરવા ગ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy