SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂગમ વિના પિતાની અલ્પમતિથી જેઓએ જ્ઞાનમાર્ગની આરાધનાને પ્રયત્ન કર્યો તેમાંના નવ્વાણું ટકા ઉપરાંતમાં શુષ્કજ્ઞાનીપણું, ઉદ્ધતાઈ, આડંબર, અતિવાચાળપણું, મિથ્યા અહંકાર, સ્વચ્છેદાધીનપણું, એકાંતનું પ્રતિપાદન, એકાંતનું આચરણ અને અંતરનું દ્વિધાપણું પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેમની આવી દશા હોય તેમનામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેની ભૂમિકા પણ સંભવતી નથી તે પછી આત્મજ્ઞાન તે કેવી રીતે સંભવે ? આમ, જ્ઞાનમાર્ગની આરાધનાનું આ કાળે દુરારાધ્યપણું જાણવું. ગમાર્ગ અર્થાત ધ્યાનમાર્ગ આત્મસાધનાની આ એક અગત્યની સુસિદ્ધ થયેલી પ્રાચીન પદ્ધતિ છે. બીજા અનેક મહાત્માઓ મધ્યે મહર્ષિ પતંજલિએ આ પદ્ધતિને આઠ વિભાગમાં વહેચીને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપે તેનું પદ્ધતિ સર વર્ણન કરેલું છે. પરંતુ આ પદ્ધતિમાં પણ પ્રત્યક્ષ ગુરુની અત્યંત આવશ્યકતા છે, નહિતર રોગાદિકના ઉપદ્રવથી કે રિદ્ધિસિદ્ધિની લાલસામાં પડી જવાથી સાધકનું આ માગે શીધ્ર પતન થવા સંભવ છે. વળી આ માર્ગને પામ સામાન્ય સદગૃહસ્થ માટે દુર્ગમ છે કારણ કે સાચા તત્વજ્ઞાનની પ્રાપ્તિ સહિત કમે કરીને તેમાં આહારજય, નિદ્રાજ્ય, આસન, ઈન્દ્રિયજય અને મને કરે પડે છે. આવી પ્રગરૂપ, પદ્ધતિસરની આધ્યાત્મિક સાધના મુખ્યપણે વ્યવસ્થિત ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા અભ્યાસ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. ત્રણેય આર્યપરંપરાઓમાં (વેદોક્ત, બૌદ્ધ અને જેન) આ કાળે આવી શુદ્ધ પરંપરાગત તાત્વિક સાધના પ્રાયે દષ્ટિગોચર થતી નથી. આવા સંજોગોમાં પ્રગરૂપ ધ્યાનમાર્ગની સમ્યફપણે આરાધના કરવી મોટા ભાગના સાધકને માટે કઠિન છે અને તેથી સ્વાભાવિક રીતે જ મોટા ભાગના સાધનો માટે મુખ્યપણે ભક્તિમાર્ગની આરાધના સહજ, સરળ, નિર્વિન, રૂચિકર અને શ્રેયસ્કર જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy