SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતનાં ચરિત્રો હતી તેથી ધર્મસાધનામાં વિદ્ધ થવાની સંભાવના હતી. તેઓએ તેમના વિદ્યાગુરુ પંડિત શ્રી મહાવીર પાસેથી શિક્ષણ લઈ અ૫કાળમાં વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત, અધ્યાત્મ, જૈનાચાર, કાવ્ય, ભાષા, આયુર્વેદ આદિ અનેક વિષયેનું સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કરી પિતાની અગાધ બુદ્ધિશક્તિને પરિચય આપ્યું હતું. તેમના સમયમાં ધારાનગરીમાં વિજયવર્મા નામને રાજા રાજ્ય કરતે હતું અને જ્યારે તેમણે સાગારધર્મામૃત નામનું શાસ્ત્ર લખ્યું ત્યારે જતુગિદેવનું રાજ્ય ચાલતું હતું. પિતાના જીવનનાં છેલ્લાં ઘણું વર્ષો (ચાળીસથી પણ વધારે) તેઓએ ધારાનગરીથી વીસેક માઈલ દૂર આવેલા નલકપુર(નાલછા)માં નિવાસ કરી એકાંત, શાંત જગ્યાએ રહેવાનું પસંદ કર્યું હતું. અહીં રહ્યા ત્યારથી ગુડવ્યવહારને ત્યાગ કરી, એકાગ્રપણે સરસ્વતીની આરાધનામાં રહી, શ્રીનેમિનાથ પ્રભુના ચૈત્યાલયના આશ્રયે તેઓએ પિતાની વિશિષ્ટ કૃતસાધનામાં સાવિકપણે જીવન વિતાવ્યું હતું, તેથી તેઓને અષિતુલ્ય ગણવામાં આવ્યા છે. તેઓના. દેહવિલય વિષે ચોકકસ માહિતી મળતી નથી પણ વિ. સં. ૧૩૧૦ની આજુબાજુ તેઓએ જીવનસમાપન કર્યું હશે એમ ઇતિહાસકારે માને છે. સાહિત્યનિમણુ, શિષ્ય પરંપરા અને બહુકૃત વ્યક્તિત્વ: પિતાની તીણ પ્રજ્ઞા અને અવિરત સાહિત્યસાધના વડે તેઓએ અનેક વિષ ઉપર પિતાની સિદ્ધહસ્ત કલમ ચલાવી હતી. તેઓએ વીસ સંસ્કૃત ગ્રંથ રચ્યા હતા જેમાંના વધારે અગત્યના નીચે પ્રમાણે છે: (૧) સાગારધર્મામૃત () જ્ઞાનદીપિકા (૨) અનગારધર્મામૃત (૫) ઈબ્રોપટીકા (૩) અધ્યાત્મરહસ્ય (૬) જિનયજ્ઞકલ્પ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy