SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૧૫ સંત-ભકતનાં ચરિત્ર ઉપકરણે લઈને તેઓશ્રી ગામેગામ વિચારવા લાગ્યા. જ્ઞાન, તપ અને સાધનાના ત્રિવેણીસંગમથી આત્મસ્વરૂપ તેમનામાં દઢ થયું હતું અને તે રીતે જ તેઓ વિહરતા હતા. તેમનું સાધુ અવસ્થાનું નામ લાલાનંદજી હતું, પરંતુ તે આત્માના આનંદમાં મસ્ત રહેતા હતા તેથી લકે તેમને આનંદઘનના નામથી ઓળખતા હતા અને તે નામથી જ સંબોધતા હતા. ગિરિરાજ આબુની ગુફાઓ તથા તળાજા, ગિરનાર, ઈડર, તારંગા વગેરે સ્થળોએ એકાન્તમાં રહીને ધ્યાન ધરનાર આનંદઘનજી જગતનું ને પિતાના શરીરનું ભાન ભૂલી જતા. અનેક હિંસક પશુઓ પણ તેમની સમીપ શાંત થઈ જતાં. શ્રીમદ્ યશોવિજયજી પણ એક જગ્યાએ જણાવે છે તે મુજબ આનંદઘનજીના સહવાસથી તેમને અધ્યાત્મને રંગ લાગે. હતે. આત્મસ્વરૂપમાં લીન રહેનાર આ મહાત્માના મુખમાંથી જે વાણી નીકળી છે તેની ગેડી પ્રસાદીને આપણે આસ્વાદ લઈએ. ઉપદેશને સાર : દુર્ગાનમાંથી મુક્ત થનાર જ સુધ્યાનમાં સ્થિર થઈ શકે છે. તેમણે ૬૩ પ્રકારનાં દુર્ગાને વર્ણવ્યાં છે. જેને ત્યાગ આવશ્યક છે. પરમાત્માને, સ્વામી કે મિત્ર જે પ્રકારે કલ્પીને તેમાં સ્થિર થઈએ તે પહેલાં પોતાની પાત્રતા પ્રત્યે લક્ષ આપવાનું તેઓશ્રી આપણને સૂચવે છે. ભગવાનના ચાકર કે મિત્ર બની તેની સાથેની એકરૂપતા પ્રાપ્ત કરવા યોગ્ય ગુણેના વિકાસની અને તે ખીલવવા કેટલાક આત્મભેગની તૈયારી રાખવી જોઈએ. આ માટે દુર્ગાનનું સ્વરૂપ સમજી તેને મનથી ત્યાગ કરી મનને તેમાંથી મુક્ત કરવા ઉપર તેઓશ્રી ભાર મૂકે છે. ધ્યાન કરવાની ઈચ્છાવાળાએ ૬૩ દુર્ગાનેને અહિતકારી માની, મનને શુભધ્યાનમાં સ્થિર કરવાને મહાવરો રાખે. શુભધ્યાનમાં મન લાગે તે માટે દુર્ગાનની સાથે કુસંગતિને પણ ત્યાગ કરવાને તેઓશ્રી બોધ આપે છે. આટલું કરતાં એગ્ય ગુણોને વિકાસ કરી શકાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy