SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતાબી શાલના દિલમાં વૈરાગ્ય અને કરુણાભાવ વૃદ્ધિ પામવા લાગે. જેમ જેમ તેમની જ્ઞાનદશા વધતી ગઈ તેમ તેમ તેઓ ઘણે કાળ ધ્યાનમાં ગાળતા હતા. પૂર્વના સાધુઓની પેઠે સ્મશાન, વન, ગુફા ઈત્યાદિ સ્થાનમાં કાર્યોત્સર્ગ કરીને ધ્યાન કરવાની તેમની અભિલાષા અને વૃત્તિ હતી. નિસ્પૃહતા અને લોકસંગત્યાગ: એક કિંવદંતી અનુસાર તેઓશ્રી ગુજરાતના કેઈ શહેરમાં પર્યુષણનું વ્યાખ્યાન વાંચતા હતા. તે શહેરમાં એ રિવાજ હતું કે શેઠ આવે પછી જ વ્યાખ્યાન શરૂ થાય. સભા ભરાઈ ગઈ અને શ્રીમદે કલ્પસૂત્રનું વાચન શરૂ કર્યું. કેઈએ તેમને યાદ આપી કે શેઠના આવ્યા પહેલાં વાચન થઈ શકે નહિ. આનંદઘનજી છેડે સમય પાટ પર બેસી રહ્યા ને શેઠને સમાચાર કહેવડાવ્યા, પણ શેઠ લાંબા સમય સુધી આવ્યા જ નહિ. તેથી તેમણે વિચાર્યું કે આ રીતે શ્રાવકના શિષ્ટાચારના બંધનમાં રહી આગમથી વિરુદ્ધ પણે વર્તવું એ યંગ્ય નથી, તેથી તેમણે વ્યાખ્યાન શરૂ કર્યું. શેઠ તરત જ આવ્યા અને પિતાના આવ્યા પહેલાં વ્યાખ્યાન આરંભવા માટે ગુસ્સે થયા. આનંદઘનજીએ કહ્યું કે શ્રાવકેના આવા પ્રતિબંધથી આગની મહત્તા લેપાય અને તે રીતે મારે સાધુધર્મ હણાય. આ હું પસંદ કરતા નથી. શેઠે જ્યારે કહ્યું કે મારા કહ્યા પ્રમાણે ન વર્તાય તે મારા ઉપાશ્રયમાં રહી શકાશે નહિ. આનંદઘનજીએ તત્ક્ષણ નિર્ણય કર્યો કે ગૃહસ્થને બંધનમાં રહી ધર્મ વિરુદ્ધ આચરણ કરવું તેના કરતાં ગામેગામ વિહાર કર અને ધ્યાન તથા સાધુધર્મની વિવિધ ક્રિયાઓનું પાલન કરવામાં મગ્ન રહેવું, તે જ શ્રેયસ્કર છે. ગુરુ સમક્ષ તેમણે પિતાની ઈચ્છા પ્રદર્શિત કરી અને ગુરુએ તેમની ગ્યતા તથા શાસ પ્રત્યેની દઢ શ્રદ્ધા જોઈને તેમને અનુજ્ઞા આપી કે જે રીતે તમારામાં શુદ્ધ ચારિત્ર્યની અભિવૃદ્ધિ થાય તે પ્રમાણે આચરણ કરે' આ પ્રમાણે ગુરુની આજ્ઞા મળવાથી માત્ર આવશ્યક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy