SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતનાં ચરિત્રો ૧૦૧ આદિ વિવિધ વિષયના મહાન પતિ તરીકે તેઓનું ઐતિહાસિક વ્યક્તિત્વ આપણને એક યુગપ્રધાન આચાર્યની સ્મૃતિ કરાવી જાય છે. મૂળ પૂર્વાચાર્યોની શુદ્ધ પરંપરાઓને સાચવવામાં તેઓએ આપેલું ગદાન ચિરસ્મરણીય રહેશે. મહાત્મા કબીરદાસજી ભારતની મધ્યયુગની સંતપરંપરામાં જેમનું અપ્રતિમ સ્થાન છે અને ઘટઘટવાસી રામની સાથે જેમણે અલખ લગાવી હતી તેવા શ્રી કબીરદાસજી પ્રેમભક્તિને એક મહાન પુરસ્કર્તા થઈ ગયા. જીવનપરિચય: તેમના જીવન વિશે અધિકૃત માહિતી મળતી નથી. કબીરજીને જીવનકાળ વિ. સં. ૧૪૫૬ થી ૧૫૪૯ વચ્ચેને માનવામાં આવે છે. બનારસ પાસે લહરા તળાવમાં બાળ સ્વરૂપે તેઓ મળી આવ્યા હતા. નીરુ અને નીમા નામનાં વણકર દંપતીએ કબીરને ઉછેર કર્યો હતે. અરબી ભાષામાં કબીરને અર્થ “મહાન” થાય છે. કબીરનું જીવન અનેક રહસ્યોથી આચ્છાદિત છે. તેમની કિશોરકાળની કારકિર્દી તથા કેળવણી વિશે ખાસ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેમના જીવન વિશે જે માહિતી મળે છે તેના ઉપરથી કહી શકાય કે તેઓ વણકર હતા, અત્યંત ગરીબીમાં ઊછર્યા હતા, સિકંદર લેદીના શાસનકાળ દરમિયાન તેઓ બનારસમાં રહેતા હો, રામાનંદ નામના ગુરુના તેઓ શિષ્ય હતા અને તેમને પિતાને પણ અનેક શિષ્ય હતા. તેઓએ કઈ પ્રકારનું લૌકિક શિક્ષણ લીધું નહતું છતાં તેમની કૃતિઓ પરથી જણાય છે કે તેઓને સમસ્ત ભારતીય દર્શનનું અને ઈસ્લામ વિશેનું સારું જ્ઞાન હતું. આ જ્ઞાન તેઓના પૂર્વભવેના ઊંચા સંસ્કાર અને બાળપણથી જ તેઓએ સેવેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy