SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : આ ઉત્તમ શ્રવણરૂપી ધર્મ ભગવાન ઋષભદેવ પાસેથી તેમના અડ્ડાણ પુત્રોએ, શ્રી શુકદેવજી પાસેથી પરીક્ષિત રાજાએ, ભગવાન મહાવીર સ્વામી પાસેથી શ્રી ગૌતમ સ્વામીએ, શ્રી ભદ્રબાહુ સ્વામી પાસેથી સમ્રાટ ચંદ્રગુપ્ત, શ્રી હેમચંદ્રાચાર્ય પાસેથી મહારાજા કુમાળ પાળે અને સમર્થ શ્રી રામદાસ પાસેથી છત્રપતિ શિવાજીએ ગ્રહણ કર્યો હતો, અને તેને યથાર્થપણે જીવનમાં ઉતારી પિતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. આપણે પણ આ શ્રવણધર્મને પ્રેમથી – ભાવથી સ્વીકારી ધન્ય બનીએ. કીર્તન ભૂમિકા : શ્રવણરૂપી ધર્મને અંગીકાર કરવાથી જેના હૃદયમાં પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે દિવ્યપ્રેમની ઉત્પત્તિ થઈ છે તેવા ભગવદ્ગુણેના આરાધક ભક્તજને પિતાના ઈષ્ટ-માર્ગદર્શના ગુણાનુવાદ અને સંકીર્તન કરવા સહજપણે પ્રેરાય છે. સજ્જનેને સ્વભાવ જ એ છે કે તેઓ પિતા ઉપર થયેલે ઉપકાર ભૂલતા નથી અને તેથી પરમાત્મા સદ્દગુરુનાં યશોગાન કરવા માટે તેઓ ઉલ્લાસભાવથી પિતાનાં તન-મન-ધન સર્વ સમર્પણ કરે છે. પરમાત્માના દિવ્ય ગુણાનું અને ચરિત્રોનું ભાવપૂર્વક માટે સ્વરેથી અન્ય જીવે પણ સાંભળી શકે તેવી રીતે ઉચ્ચારણ કરવું તેને સંકીર્તન નામને ભક્તિને બીજો પ્રકાર કહે છે. કીર્તનની સાધનાપદ્ધતિ: સામાન્ય રીતે, યચિત મન-વચન કાયાની શુદ્ધિ સહિત સંધ્યાકાળ પછીના સમયે આ સાધના કરવામાં આવે છે જેથી અન્ય મનુષ્ય પણ પિતાના વ્યવસાયમાંથી નિવૃત્તિ મેળવી તેને લાભ લઈ શકે. આવી સત્કથાના પણ બે પ્રકાર મુખ્ય છે: પહેલા પ્રકારમાં નાનાં નાનાં આધ્યાત્મિક પદો, ભજને કે ધૂને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy