SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાર્ગની આરાધના બેલાવવામાં આવે છે અને બીજો પક્ષ તેને ઝીલે છે. આવા ક્રમની સાધનામાં એકતારે, હાર્મોનિયમ કે એવા કોઈ સંગીતના મૃદુ સાધન સહિત મેટેથી ઉચ્ચારણ કરી પિતાના અને અન્યના ભાવને જગાડવામાં આવે છે અને એ રીતે ચિત્તશુદ્ધિને પ્રગ કરવામાં આવે છે. આ પ્રકારને ભાવના અથવા ભજન કહીએ. બીજા પ્રકારને પારાયણ કહીએ. અહીં કેઈ એક પ્રસિદ્ધ શાસ્ત્રનું ક્રમશઃ વાચન કરવામાં આવે છે, અને મુખ્ય કથાકાર તે તે શાસ્ત્રના રહસ્યને જાણનાર, અનુભવી અને પ્રસિદ્ધ વક્તા હોય છે. આવું શાસ્ત્રપારાયણ દિવસમાં ત્રણ કલાકથી માંડીને છ કલાક સુધી સામાન્યપણે રાખવામાં આવે છે. એક સવારની અને એક બપોરની એમ બે કે ત્રણ બેઠકોમાં ધર્મવાર્તા સંભળાવવામાં આવે છે, જેમાં શાસ્ત્રોક્ત ચરિત્ર કે તત્વને સમજાવવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મની પ્રણાલીમાં તે આ પ્રકાર પ્રસિદ્ધ છે જ, પરંતુ વીતરાગદર્શનમાં પણ સિદ્ધાંતોએ આ પ્રકારને સ્વાધ્યાયરૂપી તપના ચેથા અને પાંચમા પેટાવિભાગરૂપે પ્રતિપાદિત કરી આમ્નાય (ષ) અને ધર્મોપદેશના નામથી તેની પ્રસિદ્ધિ કરી છે.* ઉત્તમ સંકીર્તનકાર એક વિરલ વિભૂતિ : માત્ર ઉચ્ચ કેટિને આત્મા સંત હોય તે જ ઉત્તમ સંકીર્તનકાર થઈ શકે છે, કારણ કે તેની વિશિષ્ટ સિદ્ધિ માટે પૂર્વજન્મના પ્રભુપ્રેમના સંસ્કાર, વર્તમાન જીવનમાં બાળપણથી જ ધર્મ અને સદાચારને અભ્યાસ, ગુરુપરંપરા દ્વારા વ્યક્તિગત શિસ્તનું અનુશીલન, શ્રી દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અંતરાત્માના આસ્વાદપૂર્વકની યથાર્થ ભક્તિ, છંદ-સંગીત-ભાષા-સ્વર પર વિશિષ્ટ પ્રભુત્વ અને જીભ ઉપર જાણે કે સ્વયં સરસ્વતી જ બિરાજમાન થયાં હોય તે સહજ-સ્કૃતિ સ્પષ્ટ-મિષ્ટ-વાગુ રણકાર ઈત્યાદિ અનેક સુદઢ પાસાંઓની આવશ્યકતા છે. આવા લૌકિક અને લત્તર ગુણેના ધારક સંત. * તત્વાર્થસૂત્ર : ૯-૨૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy