SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ સંત-ભક્તોનાં ચરિત્રો [૧૦] ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા પશ્ચિમ ભારતમાં અનન્ય એવી પ્રેમભક્તિના પ્રથમ પ્રવર્તક, ગુજરાતી ગિરાના આદ્યકવિ તથા પરમાત્મપ્રેમને ધરાઈ ધરાઈને પીવાથી અને પિવરાવવાથી સમસ્ત ભારતમાં ઉત્તમ વૈષ્ણવજન તરીકે પ્રસિદ્ધ એવા શ્રી નરસિંહ મહેતાએ, સંતની અને શૂરાએની સેરઠભૂમિને પિતાના જીવન-કવનથી પાવન કરી હતી. જીવનપરિચય : તેઓને જન્મ વિ. સં. ૧૮૬૬ની આજુબાજુ ભાવનગર પાસેના તળાજા ગામમાં થયેલ હતું. તેઓ જન્મ વડનગરા નાગર હતા. નાનપણમાં માતાપિતાને વિયેગ થવાથી તેઓ મોટાભાઈ સાથે જૂનાગઢ રહેવા ગયા હતા, જે તેમની કર્મભૂમિ રહી. નાનપણથી જ નરસિંહને ભજનકીર્તનની રુચિ હતી. વળી ગિરનારની તળેટીમાં રહેવાથી અનેક સત્સંગીઓને, સંતને અને હરિભક્તોને સમાગમ મળી રહે. મંદિરમાં અને મહાદેવમાં પૂજામાં, કીર્તનમાં કે હરિકથામાં તેમને રસ વધતે જોઈ, તેમને સંસાર પ્રત્યે આકર્ષવા લગભગ ૧૪૮૪માં માણેક સાથે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં, પરંતુ ભવિતવ્ય કઈક જુદું જ હતું. बहूनां जन्मनामन्ने ज्ञानवान मां प्रपद्यते । વાસુદેવ સર્વમતિ જ મમિ સુહુર્રમઃ |* જીવન-પરિવર્તન : નવપરિણીત નરસિંહને આજીવિકા ન રળતે જોઈને ભાભી મહેણું મારે છે અને નરસિંહ વગડાની વાટે ચાલતાં એક જૂના ગેપીનાથ મહાદેવના મંદિર પાસે આવી પ્રભુની સાથે સાત સાત દિનરાત સુધી અલખ લગાવે છે. ઉત્કટ પ્રભુપ્રેમમાં તલ્લીને નરસિંહ, દેહભાન ભૂલી જાય છે, પરમાત્મદર્શનને પામે છે અને તેને “દિવ્યચક્ષુની પ્રાપ્તિ થાય છે. યથા– * શ્રીમદ્ ભગવદ્દગીતા, અ. ૭, શ્લો. ૧૯. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy