SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ભકિતમાગી આસના ' (૩) સ્વરૂપના જ્ઞાનથી મૃત્યુ પર વિજય: જીવનને વિકાસ એ જ જીવનનું રહસ્ય છે. વિકાસને ઉપાય સદ્દવિચાર, સદાચાર એ સદ્દવિચારનું પરિણામ. સમય, શક્તિ, સાધન અને સમજણને દુરુપયેાગ ન થાય તેવી કાળજી તે પણ સદ્દવિચારથી ઉદ્ભવે છે. મૃતશીલ પદાર્થના અતિ અને હંમેશના પરિચયથી આત્મા પણ મૃતશીલ જે પામર અને ભયગ્રસ્ત બન્યું છે. આત્મા, પરના અધ્યાસે ક્ષણે ક્ષણે મરી રહ્યો છે, કે જે સ્વભાવે જોતાં અમર અવિનાશી છે. પિતાના ભાનમાં આવનાર મૃત્યુને જીતી શકે છે. (૪) સાધનામાર્ગ: દષ્ટિ ભક્તિ: નામસ્મરણ સાધનાને અમૂલ્ય સમય અને અમૂલાં સાધનેને સદુપયોગ કરવા, અંતરદષ્ટિ પ્રયત્નપૂર્વક પ્રગટાવવા અને ધ્યેયને વળગી રહેવા ખૂબ જાગૃતિ રાખશે. ખૂબ લક્ષપૂર્વક ભાવ પ્રતિક્રમણ કરીને, હૃદય શુદ્ધ કરી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં, તેમનું નામેચ્ચારણ કરતાં કરતાં શયન કરશે. પરમાત્માના નામસ્મરણમાં અમેઘ શક્તિ છે, અજબ તાકાત છે, માત્ર શરત એ છે કે એ પ્રત્યે શ્રદ્ધા, એકાગ્રતા અને પ્રેમ જોઈએ. બધામાં અતૂટ સંપ, ઐક્ય જળવાઈ રહે એવાં મધુર, મીઠાં, પ્રેમાળ, નિભી વર્તન રાખશે. ઉપયોગી અભ્યાસની, અનુભવની, પ્રસંગની નોંધ રાખતા રહેશે. તમારામાં ભરેલ આનંદ-પ્રેમના પ્રવાહની મોજ માણતા રહેશે. કદીયે નિરુત્સાહી, નિરાશાવાદી, હિતવીર્ય, બુતપ્રભ ન થશે. સદાય આનંદમાં, પ્રસન્નચિત્ત રહો એ જ ભલામણ છે. (૫) વકતાઓના જીવનમાં અનુભવશુન્યતા સ્વાનુભવ કરવાની તે આપણા સમાજમાં પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. વ્યાખ્યાનમાં જે કહેવાય છે તે વાંચેલું, ગેખેલું, સાંભળેલું અને એકઠું કરેલું જ મેટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની ટેવ જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પિતાની જાતને શોધી, એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કાંઈ મેળવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy