SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના એકાગ્ર કરવામાં મુશ્કેલી પડે છે. લગ્ન, મરણ, મુસાફરી, અકસ્માત, માંદગી કે એવા વિપરીત સંજોગોમાં સમય થોડો ઓછો કરીને પણ ચિંતવનના કમને સંભાળી લેવાથી ઘણું ઘણું લાભ થાય છે. જાપમાં બેઠા પછી વચમાં બીજું કોઈ કાર્ય કરવાનું નથી. (૬) ચિંતનમાં અવલંબનની વિવિધતાને સ્વીકાર : મનુષ્યના ચિત્તને એક જ વસ્તુથી કંટાળી જવાને સ્વભાવ થઈ ગયે છે. માટે પિતાના ઈષ્ટ પરમાત્મા કે સદ્ગુરુની મૂર્તિ, મુદ્રા કે ચરિત્રપ્રસંગમાં ચિત્ત ન ચેટે તે બીજા તીર્થકર, આચાર્યો કે સંતનું સ્મરણ કરી ચિત્તને ચિંતવન કરવાની નવીન સામગ્રી આપીને રાજી કરવું, જેથી પવિત્ર ચિંતવનની ધારા લખાય અને ચિત્ત અન્ય સંસારી કે બીજી પાપમય વસ્તુઓના વિચારમાં ચાર્યું ન જાય. જે હઠ પકડી અન્ય યોગ્ય ચિંતનસામગ્રી નહીં આપીએ તે મનોનિગ્રહ થઈ શકશે નહીં અને સાધનામાં ભંગ પડશે. આ માટે જ્ઞાની પુરુષોની આજ્ઞા નીચે મુજબ છેઃ ..અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકાર તથા કલયાણુસ્વરૂપ છે. નિર્વિકલ્પ. –શ્રીમદ્ રાજચન્દ્રઃ પત્રાંક-૮૪૩ (૭) જાપમાં ઉચ્ચારણ વિશેઃ (i) મંત્રનો જાપ બહુ મેરેથી પણ નહીં અને બહુ ધીમા સ્વરમાં પણ નહીં–એ પ્રમાણે કરે. (i) મંત્રના શબ્દો ઉચ્ચાર શુદ્ધ અને સ્પષ્ટ કર. (ii) મંત્ર બોલવાની ગતિ મધ્યમ રાખવી, બહુ જલદી બોલવાથી તેના અર્થને ચિંતવનમાં પાછળ રહી જવાય છે અને બહુ ધીમી ગતિએ બોલવાથી પ્રમાદ ઊપજવાને ભય રહે છે. આ પ્રમાણે ભક્ત, જાપમાંથી સ્મરણમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy