SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ચિતવન-ધ્યાન સ્મરણુ સૂક્ષ્મ થતાં – ચિત્તવૃતિ સ્થિર થતાં – ત્રીજી ભમિકામાં પ્રવેશ થાય છે જેનું નામ છે (n) ધ્યાન : પેાતાના ઇષ્ટદેવના સ્વરૂપમાં, ગુણામાં કે ચારિત્રપ્રસંગાના સ્મરણમાં જ્યારે ભક્ત એકતાર થઈ જાય છે ત્યારે તે સ્મરણમાંથી ધ્યાનમાં આવ્યા છે, એમ કહી શકાય. પરંતુ સાધનાકાળમાં સ્મરણુ અને ધ્યાનની અવસ્થાએનું આવન-જાવન થયા જ કરે છે. સાધનાપતિ : અહીં ભક્તિના વિષયનું પ્રતિપાદન ચાલે છે. ધ્યાન એ મુખ્યપણે તે યોગ-સાધનાના વિષય છે. અહીં તે માત્ર ભક્તજન, પ્રભુ-સ્મરણ કે સદ્ગુરુ સ્મરણને કેવી રીતે લખાવે છે તેનું જ સંક્ષિપ્ત વિવરણ કરીશું. આગળ ‘જાપ’ના વિષય હેઠળ જે જે મુદ્દાઓ કહ્યા હતા તે બધા અઠ્ઠીં પણ લાગુ પાડવા, ઇષ્ટની મૂર્તિનું જે માનસિક ચિત્ર અંતરમાં અંકાયું હોય તેને સ્મૃતિપટ પર સ્પષ્ટ કરવું. સામાન્ય રીતે તે મૂર્તિ કે મુદ્રા જાણે કે હૃદયપદેશમાં વિરાજિત કરેલી હોય તેમ ભાવના કરીને તેના પગ, પેટ, છાતી, ગળું, મુખકમળ, આંખા અને માથુ – એમ ભિન્ન ભિન્ન અંગો પર દૃષ્ટિને સ્થિર કરવી અને આવી રીતે વારંવાર પરિકમ્મા' કરવી. પછીથી આખી મુદ્રાનું એકસાથે ધ્યાન કરવું અને તેના વડે પોતાના આખા શરીરમાં જ્ઞાનરૂપી તેજ વ્યાપી સર્વ પ્રકારની મલિનતાને નાશ કરી રહ્યું છે એમ ભાવના કરવી. અત્યંત પ્રેમભાવને લીધે જે ધ્યાન કરી રહ્યો છે તે જાણે ધ્યેયની સાથે એક થઈ જાય છે તેવા ભાવ કરવા. બસ. આટલે સુધી પ્રયત્ન કરી શકાય છે. આગળ, ધ્યાન યથાપદવી સહજપણે લાગે છે. આનાથી આગળની ભૂમિકા છે સમતા અને એકતા, જે આપણે આગળ ઉપર જોઈશું. માહાત્મ્ય અને ફળ : સ્મરણુ શબ્દમાં ચિંતવન અને ધ્યાન અન્નને સમાવેશ થઈ જાય છે. જે વડે કરીને ભક્ત ભગવાનમાં For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy